________________
૨૨ .
Bક જીવન
.
ત. ૧-૬-૮૯
જનતાને બે અને ૬ આવશે. ક પ સરકાર રચી શકશે તે કહેવું મુશ્કેલ છે. સંભવ છે ભાજપે બહુમતી કરે. ત્યાં પણ પક્ષાંતરને રોગ તે છે જ. ત્યાં પગ ઈન્દિરા ગાંધી જાન્યુઆરી ૧૯૮૦ માં ફરી સત્તા પર આવ્યા ત્યારે, જનતાનું શાસન હતું અને મોટે પાયે પક્ષાન્તરો કરાવી કેંગ્રેસે સત્તા હાંસલ કરી. કોઈ પણ પક્ષ સત્તા પર આવે, ભાજપ કે કોંગ્રેસ, સ્થિરતા નહિ હોય.
ઇન્દિરા ગાંધીના પ્રચારને એક મુખ્ય મુદ્દો એ હતો કે માત્ર કોંગ્રેસ જ સ્થિર ર્વત્ર આપી શકશે. પ્રજાને મુદ્દાની લાલચ ખેંચી શકી નથી.
આગેવાન છે તે ફરી સ્પષ્ટ થયું. ઈન્દિરા ગાંધીની શારીરિક અને માનસિક શકિત પ્રશંસા માગી લે તેવી છે.
આ ચૂંટણી, પક્ષ કે કાર્યક્રમને ધોરા થવાને બદલે, વધારે વ્યકિતગત ધોરણે થઈ છે. ચૂંટણી ઢંઢેરા બહાર પડયા હતા. કોઈએ વાંરયા પણ નહિ હોય. ઉમેદવાર કોઈ પણ પક્ષની ટિકિટ ઉપર ઊભે હોય, પક્ષ કે તેના કાર્યકમ કરતાં ઉમેદવારની પિતાની લાગવગ અને ખર્ચ કરવાની શકિત ઉપર પરિણામને આધાર વધારે રહ્યો છે. ૧૯૧૨ માં લોકસભાની ચૂંટણી માટે હું ઊભે રહ્યો ત્યારે, મારો મતવિસ્તાર મારે માટે તદ્દન અજાણ હતું. મારી લાયકાત કરતાં, કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ તંત્રની મદદથી જ સફળ થયો એમ કહેવું જોઈએ. અત્યારે હવે તેવું રહ્યું નથી. Political Fragmentation and Loss of Prestige of Political Parties and Lack of Organisations are increasing. There lies the danger.
અત્યારે અન્ય રાજ્યોમાં ચૂંટણી થાય તે આવાં જ પરિણામે આવે એમ લાગે છે–તો રાજકીય અસ્થિરતા વધતી રહે.
મેં કહ્યું કે પરિણામે અણધાર્યા નથી, નિરાશાજનક નથી, એટલા માટે કે મતદાર જાગૃત છે.
૨૩–૫–૧૯૮૨
પુરક નોંધ
વિધાનસભા અને લેકસમાની પેટાચૂંટણીના પરિણામેની ખાસ અસર નથી. લોકસભાની ૭ બેઠકોમાંથી કોંગ્રેસને ત્રણ જ મળી છે. એક પેટા ચૂંટણી- ગઢવાલની- ખાસ ધ્યાન ખેંચે તેવી છે. બહુગુણાને હરાવવા કોંગ્રેસે બહુ ફાંફા માર્યા. સારી બહુમતીથી બહુગુણા ચૂંટાયા - બહુગુણાની લોકપ્રિયતા છે કે કોંગ્રેસ પ્રત્યે અણગમે છે તે કહેવું મુશ્કેલ છે. પણ ગ્રેિસે આ બેઠકને પ્રતિષ્ઠાની ગણી હતી અને પોતાની બધી શકિત લગાડી હતી તે પણ હાર ખાધી તે સૂચક છે. હિમાલયની તળેટીને આ વિસ્તાર, ખૂબ પથરાયેલ મત વિસ્તાર અને ગરીબ તથા પછાત પ્રજા, છતાં કોંગ્રેસ સફળ ન થઈ.
આ ચૂંટણીને બોધપાઠ શું છે?
સૌથી અગત્યને બોધપાઠ એ છે કે દેશમાં હજી લોકશાહી જીવંત છે. સારા પ્રમાણમાં મતદાન થયું. એકંદરે સ્વતંત્ર રીતે મતદાન થયું. લોકે કોઈ આવેશ કે મજામાં તણાઈ ગયા નથી. ઈન્દિરા ગાંધીને જાદુ રહ્યો નથી. અસ્થિરતા રહે તેની લોકોએ ચિતા કરી નથી. કોઈ એક પક્ષને જ પસંદ કર એવું વલણ નથી. ભય, ધાકધમકી ને પૈસાની લાલચ બહુ કામ લાગી હોય તેમ જણાતું નથી. કોમવાદ રહ્યો છે, પણ ચિંતા કરાવે એટલે નહિ.
કોંગ્રેસના આંતરિક વિખવાદો બધે ઉપસી આવ્યા. ટિક્ટિન મળી એવા પણ બળવો કરી, અપક્ષ તરીકે ઉભા રહ્યા અને કેટલેક સ્થળે પક્ષના ઉમેદવારોને હરાવ્યા. ઈન્દિરા ગાંધીની ધાક નથી રહી. હવે વળી કેટલાક સાથે સમાધાન કરશે. પણ કોંગ્રેસની નિર્બળતા દેખાઈ આવી. ઉમેદવારોની પસંદગીમાં પણ કૉંગ્રેસ કોઈ સારું ધારણ જાળવી શકી નથી. લોકો આ સ્થિતિ પારખી ગયા છે. કોંગ્રેસના ગઢ-કાંગરા ખરતા જાય છે.
વિરોધ પક્ષો છિનભિન્ન હતા જ, છતાં હરિયાણામાં લોકદળ અને હિમાચલમાં સાજો સારો દેખાવ કર્યો. કેરળમાં ભાજપ સર્વથાનિષ્ફળ ગયું. લેકદળને એ પ્રાદેયિક પક્ષ જ ગણવો જોઈએ. ભાજ૫, રાષ્ટ્રીય પક્ષ થવાનો પ્રયત્ન કરે છે. સફળતા મળી એમ ન કહેવાય.
રાજીવ ગાંધીને રાજકીય તખતા ઉપર લાવવા સારો પ્રયત્ન ઘ. હરિયાણા અને હિમાચલમાં હેલિકોપ્ટરમાં ઘૂમ્યા, પણ કઈ છાપ પાડી હોય તેવું જણાતું નથી. કોંગ્રેસમાં ઈન્દિરા ગાંધી એક જ
ઉપરનું લખાણ લખ્યા પછી હિમાચલ અને હરિયાણામાં કોંગ્રેસે રાત્તા હાંસલ કરી છે. હિમાચલમાં કોંગ્રેસ અથવા ભાજપ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હતી. કોંગ્રેસને ૨૯ અને ભાજપને ૨૭ બેઠક મળી છે. ૨ જનતાને અને ૬ અપક્ષો છે. કોંગ્રેસ અપક્ષોને ખેંચી શકી અને જનતા તથા ભાજપ એક થઈ શક્યા તેથી કોંગ્રેસને તક મળી. આટલી પાતળી બહુમતીથી ક્યાં સુધી ટકે છે તે જોવાનું રહે છે.
હરિયાણામાં જે રીતે ભજનલાલને મુખ્યમંત્રી તરીકે ગંદવિધિ થશે તે ઘટના કોંગ્રેસ માટે તથા ગવર્નર તપાસ માટે શરમજનક છે. દેવીલાલને સ્પષ્ટ બહુમતી હતી અને સોમવારે રાવારે પુરવાર કરવાનું દેવીલાલને આમંત્રણ આપ્યા પછી, અચાનક અણછાજતી ઉતાવળે રવિવારે સાંજે ભજનલાલ દિલહીથી પાછા ફર્યા અને એરંડામથી સીધા રાજ મવન ગયા અને ગવર્નરે ઝડપથી ગંદવિધિનું નક્કી કર્યું તે સ્પષ્ટ પુરવાર કરે છે કે ગવરિ દિલહીના આદેશ મુજબ વર્યા છે. કોંગ્રેસે અને ગવર્નર લોકશાહીની અને બંધારણની પરંપરાને તિલાંજલી આપી ગમે તે ભેગે સત્તા હાંસલ કરવાનું કર્યું તે કલંક છે. કોંગ્રેસે વિરોધ પક્ષોને રોષ વહોરી લીધા છે અને સંઘર્ષ નોતર્યો છે.
હિમાચલ અને હરિયાણા બને કિસ્સામાં કોંગ્રેસ નેત્ર ઉપર - ઈન્દિરા ગાંધીને કાબૂ રહ્યો નથી તે પુરવાર થાય છે. બન્ને રાજ્યમાં
જે કોંગ્રેસીઓને ટિકિટ મળી ન હતી તે સત્તાવાર ઉમેદવારો સામે ઊભા રહ્યા અને તેમને હરાવ્યા એવા બળવાખાને સજા કરવાને બદલે તેમની ખુશામત કરી અને ભારે કિંમત ચુકવી, કોંગ્રેસમાં પાછા લીધા તેમાં કોંગ્રેસ તંત્ર જ ભાંગી પડયું છે અને ઈન્દિરા ગાંધીની કોઈ ધાક હવે રહી નથી. બીજું, બેશરમ રીતે પક્ષાંતર કરાવ્યો અને તે રોગને ફેલા. રપૂટાણીમાં ઈન્દિરા ગાંધીને જાદુ રહ્યો નથી અને કોંગ્રેસમાં કોઈ શિસ્ત રહી નથી. સત્તાની લાલચે છે ત્યાં સુધી સ્વાથી માણસે કોંગ્રેસમાં રહેશે. કેટલી હલકી કોટિના માણસે ધારાસભ્ય શ્ચય છે તે દેખાઈ આવે છે. સારા માણસો પસંદ કરવાની દુર્ભાગ્યે પ્રજાને તક જ મળતી નથી.
૨૭-પ-૦૨
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન તા. ૧૫મી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ સુધી એમ નવ દિવસ માટે- એપાટી ઉપર આવેલ બિરલા કિંગ કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે કે આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખન ડો. રમણલાલ વી. શાહે સ્વીકાર્યું છે.
જાતાં હર્ષ અનુભવીએ છીએ કે આગામી વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચની રકમ પાલણપૂરનિવાસી સ્વ. હિમતલાલ ડાહ્યાભાઈ ઠારીના નામે શ્રી શૈલેષભાઈ દ્વારા મળી છે. વાદ સહ અમે તેમને આભાર માનીએ છીએ.
-મંત્રીએ, મુંબઈ જેન યુવક સંઘ