________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૧
અરીસાના ખંડ ખંડમાં પડતા શ્યામના પ્રતિબિંબની જેમ સૃષ્ટિના પદાર્થમાત્રમાં, પ્રાણીમાત્રમાં ઘનશ્યામનું પ્રતિબિંબ છે.
ગીતાના સાતમા અધ્યાયમાં (લે. ૭થી ૧૧) સંક્ષિપ્તમાં વર્ણવેલી ઈશ્વરની વિભૂતિઓનું ગીતાના દસમા અધ્યાયમાં અર્થાત વિભૂતિગમાં વિસ્તારથી વર્ણન છે. વિભૂનિયોગ પહેલાના નવમાં અધ્યાયમાં ભકિતમાં વર્ણવ્યો છે. વિભૂતિયોગને આરંભ કરતાં પહેલાં નવમા અધ્યાયના અંતિમ શ્લેકમાં શ્રીકૃષણ કહે છે –
“મન્મના ભવ મભકતો માજી માં નમસ્કુ૨. મામેવૈધ્યસિ યુકર્તવમાત્માને મત્પરાયણ.”
મારામાં મન રાખ, મારો ભકત થા, મારુ પૂજન કર. મને નમસ્કાર કર. એ પ્રકારે મારે શરણે રહી અંત:કરણ મારામાં જોડી તું મને જ પામીશ. - આ શ્લેમાં વંદનભકિતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આપણે નમસ્કાર અન્ય કોઈ મુદ્રામાં નહીં અને બે હાથ જોડીને જ કરીએ છીએ, શા માટે? આપણી હથેળીમાં બિલકુલ વાળ નથી. બે હાથ જોડતાં વચમાં વાળ પણ નથી આવતા. નમસ્કાર એક પ્રતીક છે, આત્મા અને પરમાત્માના અને સંબંધનું. જીવ અને શિવના મિલન આડે ધૂળ વાળ કે સૂક્ષમ અહંકાર જેવા કોઈ અંતરાય ન ઘટે.
નમસ્કારની વાત કરતાં નરસિંહ મહેતાની પંકિત યાદ આવે છે, “સકળ લોકમાં સહુને વંદે.” ભાગવત પણ એ જ કહે છે, યક્યિ ભૂર્વ પ્રણમેદનન્ય: અર્થાત પ્રાણીમાત્ર ઈશ્વરથી ભિન્ન નથી એ ભાવથી પ્રણામ કરો. સચરાચર કૃષ્ણવિષણુની દિવ્ય વિભૂતિ છે એવો બુદ્ધિયોગ જેને પ્રાપ્ત થાય તે જ સહુને વંદન કરી શકે.
નિસર્ગના બહુવિધ તને આર્યોએ ભક્તિભાવથી નમસ્કાર કર્યા છે. આત્મૌપમ્પથી તેમાં ઈશ્વરનાં દર્શન કર્યા છે. ‘વિપશુપની નમરનુભ્ય’ કહી ભૂતધાત્રી ધરિત્રીની વંદના-અર્ચના કરી છે, શાલિગ્રામ જેવા પથ્થરમાં વિષણુને નીરખ્યા છે. સરિતામાં માતાનાં દર્શન કર્યા છે તે અગ્નિમાં પિતાના. (સન: પિતેવ સૂન' ઋગ્વદ ૧.૧.૯) દીપતિમાં આત્મતિ લહી છે તે અશ્વત્થમાં પરબ્રહ્મને નિહાળે છે. ‘અગ્રત: શિવરૂપાય અશ્વત્થાય નમે નમ:” .
રામાયણમાં નર-વાનરની મૈત્રીને મહિમા છે, કૃષ્ણની ગે-ભકિત સુપ્રસિદ્ધ છે તે યુદ્ધિષ્ઠિરની કૂતરા પ્રત્યેની નિષ્ણ હૃદયસ્પર્શી છે.
ચર, અચર, જલચર, થલચર, નભચર, સ્થાવર-જંગમ, જડચેતન, જળ, સ્થળ, દળ, વાદળ, વન્યકુંજ, તપુંજ કે ગિરિશૃંગ સર્વત્ર સૌને વિરાટ પુરુષનું વિશ્વરૂપ માનીને આર્યોએ ભકિતભાવથી નમસ્કાર કર્યા છે. ભૂતમીત્રમાં ઈશ્વરની વિભૂતિની અનુભૂતિ જેને થઈ શકે તે જ સકળ લેકમાં સહુને વંદન કરી શકે અને એ રીતે નવમાં અધ્યાયના અંતિમ ક્ષેત્રમાં વર્ણવ્યા પ્રમાણે પરબ્રહ્મને પામી શકે. "
નવમા અધ્યાયમાં ભકિતને અપૂર્વ મહિમા ગાય છે, તે દસમે અધ્યાય - વિભૂતિગ – તેને લંબાવેલ તંતુ છે. વિભૂતિ
ગમાં શ્રીકૃષ્ણ કહે છે, “હે અર્જુન, જે મને સતત પ્રીતિપૂર્વક ભજે છે તેને હું બુદ્ધિવેગ આપું છું. તેના અજ્ઞાનને નાશ જ્ઞાનદીપ વડે કરું છું.” (ગીતા ૧૦. ૧૦, ૧૧) આના અનુસંધાનમાં અર્જુન પૂછે છે, “હે કૃષ્ણ! કયા કયા પદાર્થોમાં મારે તમારું ચિતવન કરવું જોઈએ?” અર્જુનના આ પ્રશ્નના ઉત્તારમાં ઉપાસ્ય પરમેશ્વરની કેટલીક વિભૂતિઓનું વર્ણન છે.
આમ તો ઈશ્વર પ્રત્યેક વૃક્ષમાં, નદીનાળામાં, પશુ-પક્ષીઓમાં, આયુધોમાં, નર, સુનવર અને મુનિવરમાં વસે છે, છતાં એનું ઐશ્વર્ય, એનું વિભૂતિમત્વ અશ્વત્થમાં, જાનવીમાં, ઐરાવતમાં, વૈનતેયમાં,
વજમાં, અર્જુનમાં, વ્યાસ વગેરેમાં વિશેષ રૂપમાં થાય છે. આ કેવી રીતે ? એક ઉદાહરણ લઈએ.
નવમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં શ્રીકૃષ્ણે કહ્યું છે, જેમ સર્વ દિશાઓમાં ગતિ કરનાર વધુ નિત્ય આકાશમાં રહે છે તેમ ભૂતમાત્ર મારામાં વસેલા છે. વાયુ નિત્ય છે, સર્વત્રગ છે, વાયુ નરી આંખે દેખાતું નથી છતાં કેટલેક ઠેકાણે વિશેષ રૂપમાં એની અનુભૂતિ થાય છે. ઉદાહરણત: વૃક્ષોના કંપનમાં. વાયુ આવા સ્થળે અનુભૂતમાંથી ઉદ્ભૂત બને છે. વાયુની જેમ અવ્યકત હોવા છતાં ઈશ્વરનું ઐકવર્ય સ્થળે સ્થળે આવિર્ભાવ પામે છે. ઈશ્વર સર્વત્ર છે, ભૂતમાત્રમાં તેને વાસ છે છતાં વાયુના વૃક્ષાદિ કંપનની જેમ વિશેષ રૂપમાં એની અનુભૂતિ જ્યાં જ્યાં થાય છે તે તેની વિભૂતિ કહેવાય.
વિભૂતિ એ કેગ કેવી રીતે ? રામત્વને વેગ કીધો છે. ‘સમત્વ યોગ ઉચ્યતે.” (ગીતા ૨.૪૮) ગી એ જ છે જે ભૂતમાત્રમાં આત્મદર્શન કરી શકે. વિદ્યાવિનયસંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હાય, હાથી હોય, બિલાડી હાય, ચાંડાળ હોય, પંડિત સર્વત્ર સમદર્શી જ હોય છે.
“વિઘાવિનય સંપન્ન બ્રાહ્મણે ગવિ હસ્તિનિ. શુનિ રૌવ વપાકે ચ પંડિતા: સમદશન:”
(ગીતા ૫.૧૮) પંડિત કહેવાય કોને? ‘સદા સર્વત્ર બ્રહ્મદર્શન હિ પાંડિત્યમ' જે સદા સર્વત્ર સૌમાં પરબ્રહ્મને નિહાળી શકે તે જ પંડિત. - ઈશ્વરનું વિભૂતિમત્વ સર્વત્ર સૌમાં એક સમાન છે. પછી એ વ્યાસજી, કપિલ, ઉશના કવિ, નારદ, ભૃગુ જેવા વિભૂતિયોગમાં વર્ણવેલા વિદ્યાવિનયસંપન્ન દ્રિજવર કે મુનિવર હોય. વાસવ, આદિત્ય, વિષર્, શિવ જેવા સુરવર હોય, નૈવણિક હોય કે વર્ણધમ ચાંડાલ હોય, કામધેનુ, ઐરાવત, મકર કે બિલાડી જેવા પશુ હોય, વજ જેવા આયુધ હોય, જડ હોય કે ચેતન, નાનાં હોય કે મોટાં, ઊંચ હોય કે નીચ, ઈશ્વરનું ઐશ્વર્ય સર્વત્ર એકસરખું આવિર્ભાવ પામેલું છે.
તેથી જ તે ગીતામાં કહ્યું છે, જેમનું મન સમત્વમાં સ્થિત છે તે સમદર્શી પુરુએ અહીં જ સંસાર જીત્યા છે કારણ કે બ્રા નિર્દોષ અને સમ છે તેથી તેઓ બ્રહ્મમાં સ્થિત છે.
“ઈહેવ વૈજિત: સર્ગો વેપાં સામે સ્થિત મન: નિર્દોષ હિ સમ બ્રહ્મ તસ્માદુહ્મણિ તે સ્થિતા.”
(ગીતા ૫.૧૯) પ્રાણીમાત્ર ઈશ્વરનું પ્રેમનિકેતન છે. પ્રત્યેક પ્રાણી અને પદાર્થ પરમાત્માની શકિત ઉપર એક અમર ભાષ્ય છે. એવું કયું પ્રાણી છે જેમાં ઈશ્વરનું નૂર વહેતું નથી ? આવે બુદ્ધિયોગ, આવી અનેખી દૃષ્ટિ સાંપડે, તે દષ્ટિ વડે પ્રાણીમાત્રમાં બિરાજેલા વિશ્વાત્માના, એના વિભૂતિમત્વનાં દર્શન કરવાની શકિત પ્રાપ્ત થાય ત્યારે જ માનવી વેરઝેર વીસરે, મારા-તારાથી પર બને. સમતાનું મૂલ્ય જે સમજે છે તે જ જગતને આશીર્વાદરૂપ બને છે. સમતા લેકશાહીનું પાયાનું અંગ છે. વિશ્વમાનવ બનવાનું, વિશ્વશાંતિ સ્થાપવાનું કે વિશ્વરૂપદર્શન કરવાનું પ્રથમ સોપાન છે.
ભૂતમાત્ર પરમાત્માની ઈચ્છાનું, તેના સંકલ્પનું, તેના અમાપ વૈભવનું, ઐશ્વર્યનું, વિભૂતિમત્વનું જ જો સ્વરૂપ છે તો પ્રાણી પ્રાણી નથી, પદાર્થ પદાર્થ નથી, પરંતુ પરમાત્મા છે સમત્વ એ થાગ છે. ભૂતમાત્રને સમદષ્ટિથી નિહાળવાને બુદ્ધિગ પ્રાપ્ત થાય તે વિભૂતિને પણ ગ જ બને.