________________
તો, ૧-૧-૮૧
પ્રબુદ્ધ જીવન
[૨]
ડે. (મિસ) આલુ દસ્તુર ભારત માટે અનામત બેઠકોને ઈતિહાસ નો નથી.
અનામત બેઠકોને પોતાને એક ઈતિહાસ છે. સ્વાતંત્રય પહેલાં દેશમાં અસ્પૃશ્યતાને પ્રશ્ન ઘણો ગંભીર હતું. બીજી ગોળમેજી પરિષદ ટાંકણે ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે ઘેરી ચેતવણી આપી હતી. તેમણે આમરણ ઉપવાસની ધમકી પણ આપી હતી. એ કાળના દેશમાંના કોષ્ઠ બુદ્ધિજીવીઓએ એકઠા થઈને અસ્પૃશ્યતાના પ્રશ્નને હિંદુ સમાજથી બહાર લઈ જવાય અને અસ્પૃશ્ય ગણાતા લોકોને રક્ષણ મળે એવું કંઈક કરવા માટે વિચારતા થયા.
તેના અનુસંધાનરૂપે સૌપ્રથમ ૧૯૩૦માં “પૂના પેકટ” હેઠળ અનામત બેઠકની પ્રથા દાખલ કરવામાં આવી. અનુસૂચિત જાતિઓ માટે વિવિધ ધારાસભામાં બેઠકો અનામત રાખવામાં આવી. આઝાદી પછી આપણું બંધારણ ઘડાયું ત્યારે પણ આ લાભ લેકસભા અને વિધાનસભાઓ સુધી પહોંચાડવામાં આવ્યો.
લોકસભા અથવા વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવે એ સામે કોઈ ખુલ્લે વિરોધ દેખાતો નથી. તાજેતરમાં જ અનામત બેઠકો માટેની જોગવાઈની મુદત ત્રીસ પરથી વધારીને ૪૦ કરવા માટે સાતમી સંસદની ખાસ બેઠક બોલાવવામાં આવી ત્યારે - બધા સભ્યોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ વચ્ચે અનામત
બેઠકોને સમર્થન આપ્યું. એ રીતે જ ગયા મહિને સંરાદે વિવિધ રાજ્ય વિધાનસભાઓમાં અનામત બેઠકોમાં ફરી વિશ્વાસ દર્શાવ્યો. આ અભિનય, આ પ્રતીકને અનામત સાથે કોઈ સંબંધ નથી. તેઓ અનુસૂચિત જાતિઓને કોઈ અંજલિ નહોતા આપતા. તેઓ માત્ર અભિનય કરી રહ્યા હતા. તેમની નજર સમક્ષ આવનારી ચૂંટણીઓ હતી. આ પ્રકારની ચેષ્ટાથી કોઈને લાભ થતો નથી.
હું કબૂલ કરું છું કે હું અનામત બેઠકોની પ્રથાની પ્રખર હિમાથતી છે. આપણા સમાજના જ એક વિભાગ પર ઈરાદાપૂર્વક જે અન્યાય અને અપમાને લાદવામાં આવ્યાં છે તે કયારેક કોઈક રીતે તે દૂર કરવાં જોઈએ. ભૂતકાળના અન્યાય દૂર કરવાના આપણી અને કદાચ આપણી પછીની પેઢીને સૌભાગ્ય અથવા અધિકાર મળ્યા છે એમ હું માનું છું. દરમિયાન, આ અન્યાયે કેવી રીતે દૂર કરવા? અનામત બેઠકોની જરૂર અહીં ઊભી થાય છે. કેટલાક લોકો એમ કહે છે કે અનામત દ્વારા આપણે આપણા સામાજિક, રાજકીય અને આથિક જીવનમાં બીજી રીતે નવા અન્યાય દાખલ કરીએ છીએ. એ કદાચ ખરું હોઈ પણ શકે. સામાજિક ભેદભાવ સાથે જ કેટલાક નવા વિશેષાધિકારો પેદા થતા રહેવાના જ.
આ આપણે પેદા કરેલા કહેવાતા વિશેષાધિકાર ભૂતકાળના અન્યાય અને ભેદભાવને દૂર કરવા માટે છે. તેની સામે વિરોધ શા માટે હોવો જોઈએ? ભૂતકાળમાં આપણે વિશેષ અધિકારો ભોગવતા હતા; પરંતુ આજે એથી ઊલટું છે. તેની સાથે જ વિશેષ અધિકારો ધરાવતા લોકોને એક નવું વર્ગ સામે આવી રહ્યો છે અને તે સામે મને વિરોધ છે.
જેઓ પોતાના પગ પર જાતે ઊભા રહી શકતા ન હોય તેમની સામે મદદને હાથ લાંબાવી શકાય એવા ચોક્કસ માર્ગો અને સાધન હોવાં જોઈએ. જેણે અંગ્રેજીમાં “રિવર્સ ડિસ્ક્રિમિનેશન” કહીએ છીએ એ “ભેદભાવોને ઉલટાવવા”ની પ્રક્રિયાને હું માનું છું. આ પ્રક્રિયા અન્યાયોનું સાટું વાળી રહી હોય એમ કહી શકાય. આપણા ગુનેગાર માનસને સાંત્વન આપવા હું આ કહેતી નથી. કમનસીબે, કોઈ પણ બાબતને વિકત અને ટૂંક રૂપ આપવાનું હંમેશાં વલણ હોય છે. આ બાબત સામે આપણે સાવધાન રહેવાનું છે. પછાત રહેલા અને મદદની જરૂર ધરાવતા લોકોને શકય એટલા વ્યાપક પ્રમાણમાં લાભ પહોંચે એ જોવું જરૂરી છે. રાજકારણ અને ધારાઓના સ્થાપિત હિતે પછાતપણામાં હોવા જોઈએ નહીં. આપણે જેમને પાછળ ધકેલી દીધા હતા, તેમને આપણી બરાબરીમાં લાવવા આપણે અન્યાય દૂર કરવા માગીએ છીએ. અનામત બેઠકોને હેતુ આ અંતર દૂર કરવાને છે. એ લોકોને એવો અનુભવ થવો જોઈએ કે તેઓ “નવો ભારતના નાગરિકો છે.
આ પ્રક્રિયાનું એક પરિણામ એ પણ આવ્યું છે કે જેઓ મોખરે છે અને જેમાં મેખરે નથી, એવી વ્યકિતઓ વચ્ચે એક પ્રકારની સમસ્યા પેદા થઈ છે. આપણી નેતાગીરી જનસમૂહ સાથે સંબંધ
કેળવી શકી નથી. એક અલગ પ્રકારના રાજકારણમાંથી આ નેતાગીરી પેદા થઈ છે. અનામતને કારણે સૌથી મોટો પ્રશ્ન આ પેદા થયો છે.
અનામત બેઠકોના લાભે પછાત વર્ગના મોટા પ્રમાણના જનસમૂહને મળ્યા નથી. મહારાષ્ટ્રમાં પછાત વર્ગમાં ૩૪ ટકા વસતિ ધરાવતી મહાર કોમને સરકારી શિષ્યવૃત્તિ દ્વારા ૮૫ ટકા લાભ થયો છે. એ સામે ૩૨ ટકા મંગ વસતિને માત્ર ૨.૮ ટકાનો લાભ થશે છે. હરિજનેના સૌથી મોટા ગણાતા નેતા જે રાજયના છે એ બિહા૨માં પણ આ સ્થિતિ જ છે. ભારતીય પદ્ધતિ મુજબ અનામતના ' લાભ પણ મર્યાદિત લોકોને જ મળ્યા છે એ જોઈ શકાય છે. જેમના માટે આ લાભ છે તેમાં આ લાભને વેગ્ય પ્રમાણમાં ફેલાવા દેવામાં આવ્યા નથી. અનામત બેઠકોને નહીં, પરંતુ આ પ્રકારની વિકૃતિને વિરોધ થવો જોઈએ.
બીજી વિકૃતિ એ છે કે જે લાભ મેળવી ચૂક્યા છે તેઓ હજી લાભ મેળવવા માગે છે. બીજી બાજ, મારી શિક્ષક તરીકેની કારકિર્દીમાં મેં પછાત વર્ગોના એવા બુદ્ધિશાળી અને સ્વમાનશીલ વિદ્યાર્થીઓ પણ જોયા છે, જેઓ આ અનામતને લાભ લેવા માગતા નથી. એમાંના ઘણા ગરીબ પણ છે.
આ પ્રશ્ન માત્ર રાજકીય નથી. મુખ્યત્વે તે સામાજિક-આર્થિક પ્રશ્ન છે કારણ કે ગરીબીને ભૂતકાળ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોમાં માત્ર પછાત વર્ગના જ નથી. આ પ્રશ્ન દેશના સમૃદ્ધ વર્ગના દરેક સભ્યને છે. અનામતને લાભ જે રીતે આપવામાં આવે છે તે સામેના વિરોધનું મુખ્ય કારણ આ આર્થિક પાસું છે.
પ્રથમ તબક્કા અનામતની હું સંપૂર્ણ હિમાયત કરું છું. એક વખત અનામતના આધારે પ્રવેશ મેળવ્યા પછી મારે વધારાના પ્રયાસ કરીને બધાની સાથે થવા મહેનત કરવી જોઈએ. પેસ્ટ ગ્રેજ્યુએટ સ્તરે અનામત બાબતમાં મારું એવું માનવું છે કે ગ્રેજ્ય
એટ અરે તમે એકસરખી પરીક્ષા, પેપરો આપીને એકસરખા ધોરણે ઉત્તીર્ણ થયા છે ત્યારે ઉચ્ચ સ્તરે પ્રવેશનું ધોરણ વધુ સખત હોવું જોઈએ. આ ઉપરાંત, વિદ્યાર્થીની બુદ્ધિમત્તાને પણ માને પિવું જોઈએ.
અનામત બેઠક માટે બંધારણમાં મુકાયેલી સમયમર્યાદા આપણે વધારી એ યોગ્ય અને જરૂરી હતું. હવે એ વિચારવું જોઈએ કે કોઈ સમયમર્યાદા બાંધવી યોગ્ય અને શકય છે? આપણે વાસ્તવિકતાવાદી અભિગમ અપનાવીને આ પ્રક્રિયાને કયારે અંત આણવે એ નક્કી કરવું જોઈએ, કારણ કે આ પ્રક્રિયા હંમેશાં માટે ચાલુ રાખી શકાય નહીં. કયારેક તે તેને અંત આવવો જ જોઈએ. આ સંબંધમાં લગભગ સંપૂર્ણ સહમતિ મેળવીને અને રાષ્ટ્રીય મતૈક્ત કરતાં પણ વધુ બહાલી સાથે ભવિષ્યની કોઈ તારીખ નક્કી કરવી જોઈએ.
આ ઉપરાંત, અનામતને લાભ કુટુંબમાં એક વખત જ મળવો જોઈએ. એક વખત કુટુંબની કોઈ વ્યકિત અનામત મારફતે કોઈ વ્યવસાયમાં દાખલ થઈને આગળ આવે પછી તેનાં બાળકોને અનામતને લાભ મળવો જોઈએ નહીં, કારણ કે એ વ્યકિત પાસે સમાજમાં સ્થાન અને મરતબો હશે.
કેન્દ્ર સરકારની પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથા વર્ગની નેકરીના ૧૯૭પના અને ૧૯૮૧ના જાન્યુઆરીની પહેલીના આંકડાઓ જશે તે જણાશે કે ચારેય કક્ષામાં અનુસૂચિત જાતિ કે વર્ગોના ઉમેદવારોની સંખ્યામાં જ નહીં, પરંતુ ટકાવારીમાં પણ સારે વધારે થયો છે. એથી પછાત વર્ગના લોકો હજી ઝાડુવાળાના સ્તરે રહ્યા છે અને ઉચ્ચ સ્તરે પહોંચ્યા નથી એમ કહી શકાય નહીં.
સાથેસાથ, બહુમતીએ પણ લધુમતી અને પછાત વર્ગોને જીતવા માટે મેટું હૃદય બતાવવું જોઈએ. વિકૃત સ્વરૂપ આપવાના પ્રયાસો થતા હોવા છતાં પછાત વર્ગોને કિન્નાખોરીને ભેગ બનાવવા જોઈએ નહીં. તેમને દયાની જરૂર નથી. તેમને સમજવામાં આવે એ જરૂરી છે. તેઓ ખુદ બીજાને સમજે તે જ એ શકય બની શકે. આ દિમાગ વ્યવહાર છે. આખરે બંનેએ એકબીજાની મદદે આવવું પડશે.