SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પ્રબુદ્ધ જીવન સારસ્વતમંડલ એટલે સરસ્વતી કાંઠાના પ્રદેશ. વિરમગામ તે વપિથકના ધૂસડી ગામમાં રાણા વિરમે વિરમેશ્વરનું મંદિર બંધાવેલું તે ગામ. રાણા વિરમ પરથી ગામનું નામ વિરમગામ પડખું તે કાળમાં જમીન ‘હલ’ એકમમાં મપાતી. એક હલવાહ એટલે ૩૩૬૦ હસ્ત (હાથ). નાણાંમાં મુખ્ય સિક્કાઆને દ્રક્ષ્મ કહેતા. કાÉપણને ‘રૂપક’ કહેતા. ૧૬ કાર્પાપણ બરાબર એક દ્રÆ, પાંચ રૂપક બરાબર એક દ્રષ્મ, સોલંકીકાળનાં આવાં ઘણાં દષ્ટાન્ત વકતાએ નોંધ્યાં છે. સલ્તનતકાળના કેટલાક અભિલેખો ફારસીમાં તથા સંસ્કૃતમાં મળે છે. કેટલાક અંશત : ગુજરાતીમાં પણ લખાયા છે. આ કાળમાં પરમાથે વીરગતિ પામનાર યોદ્ધાની યાદગીરીમાં પાળિયા સ્થાપી તેના પર તેને લગતી હકીકતના લેખ કોતરાતે. પરમાથે વાવ બંધાવવાની પ્રથા વધુ લોકપ્રિય થઈ. પુણ્યની દષ્ટિએ એક વાવ દશ કૂવા બરાબર ગણાતી અને એક સરોવર દશ વાવ બરાબર ગણાતું. અમદાવાદમાં દાદાહિરની વાવ હકીકતમાં એક મુસ્લિમ બાઈએ બંધાવી છે. ગાયાનું રક્ષણ કરતાં કોઈ વીરગતિ પામે ને એની પત્ની સહગમન કરે એવા શિલાલેખો હવે મળે છે. મહુવાના વિ. સં. ૧૫૦૦ના શિલાલેખમાં મોઢ વણિક જ્ઞાતિની ઉત્પત્તિ કામધેનુની ખરીમાંથી થઈ હોવાની માન્યતા આપી છે. મુઘલકાલના અભિલેખોના અભ્યાસ પરથી જણાય છે કે એ કાળમાં હવે જ્ઞાતિઓના ભેદ વધ્યા છે. દા. ત. હવે મકવાણા, શ્રીમાલી, નંદવાણા, માઢ, કંડોલ, પ્રાગ્વાટ, પરમાર, ચાવડા, ઝાલા, બાબા, જાડેજા, કપાલ, ઓસવાલ, ડીસાવાલ, નાગર વણિક, વિશ્વકર્મા વગેરે અનેક જ્ઞાતિઓના ઉલ્લેખ અભિલેખામાં મળે છે. વડનગરને હવે “વડનગર” જ કહેતા. ખંભાતને સ્તંભતીર્થ' અને ‘ત્રંબાવતી’ કહેતા. અમદાવાદને ‘અહમ્મદાવાદ’ અને નડિયાદને ‘નટીપત્ર' કહેતા. પેટલાદને ‘પેટપદ્ર’ કહેતા. મરાઠાકાલના અભિલેખામાં અમરેલીને અમરવલ્લી' અને વડોદરાને ‘વટપુર' કહ્યું છે. કચ્છમાં કોરીનું ચલણ છેક ૧૯૪૭ સુધી અમલમાં રહ્યું. અઢીં કોરી બરાબર એક રૂપિયો ખેંગારજી ત્રીજાએ પોતાના દીર્ધશાસનકાળ (૧૮૭૫ થી ૧૯૪૨) દરમિયાન વિકટોરિયા, એડવર્ડ મે, યાર્જ પાંચમા, એડવર્ડ ૮મા અને જયોર્જ ૬ઠ્ઠાના સિક્કા પડાવ્યા. એડવર્ડ આઠમાના સિક્કા ભારત સરકારે પડાવ્યા ન હતા. જૂનાગઢના નવાબી રાજયમાં પણ કારી અને દોકડાનું ચલણ હતું. શરૂઆતના સિક્કા મુધલ બાદશાહ અકબર બીજાનું નામ ધરાવતા. પછી એને બદલે નવાબનું નામ અપાતું એના અગ્રભાગ ઉપર નાગરીમાં નવાબનું બિરૂદ શ્રી દિવાન લખાતું. તેથી એ “દીવાનશાહી” તરીકે ઓળખાતા. તાંબાના દોકડા છેક છેલ્લા નવાબ મહાબતખાન ચેાથાના સમય સુધી રહ્યા. વડોદરાના ગાયકવાડી રાજયમાં સયાજીરાવ પહેલાના મુતાલિક બાબાસાહેબ ફત્તેહસિંહરાવે સિક્કા પડાવવા શરૂ કર્યા, આથી એ સિક્કા “બાબાશાહી” તરીકે ઓળખાતા. કંપની સરકારના સા રૂપિયા બરાબર બાબાશાહી એસ. સવા ચૌદ રૂપિયા ગણાતા. કચ્છના કોઠારી શહેરમાં સં. ૧૯૧૮ (ઈ. સ. ૧૮૬૨)માં શાંતિનાથનું દેરાસર બંધાયું ત્યારે તે બંધાવનારાઓએ મુંબઈથી પાતાના ખર્ચે સંઘ કાઢેલા ને નાનમેળા કરેલા. તેમાં નવ ટંક મીઠાઈ જમાડેલી. તેમ જ નાતમાં ઘર દીઠ કાંસાની બે થાળી તથા ૨ કોરી તથા અઢી શેર સાકરની લાણી કરેલી. એમાં બધું ખર્ચ ૬ લાખ કોરીનું થયું હતું. તા. ૧૬-૩૮૧ આવી આવી રસપ્રદ હકીકતોથી આવ્યાખ્યાન પણ સારું એવું સમૃદ્ધ હતું. આવેા એક પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ ધર્મનાથ ચૈત્ય અંગે ઊજવ્યો હતા. એને લગતા શિલાલેખામાં ગુર્જર દેશના વર્ણનમાં જણાવ્યું છે કે સૌંદર્યમાં ને લક્ષ્મીમાં ગુર્જર દેશ જેવા કોઈ દેશ નથી. એમાં અમદાવાદ શહેર કેવું છે? તા કે બે વિશાળ હાટ, મેાટા રાજમાર્ગ, ઊંચી હવેલીઓ અને શુભ જિનાલયો, ધનાઢય અને ગુણાઢય પુરુષો ધરાવતું શહેર. આમ અભિલેખામાં ગુજરાતના સામાજિક તથા આર્થિક ઈતિ હાસને ઉપયોગી કેટલીક માહિતી મળી રહે છે એમ કહીને વકતાએ ચોથું વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું. ભાષા, લિપિ અને કાલગણના પાંચમા વ્યાખ્યાનનો વિષય હતા ! “ભાષા, લિપિ અને કાલગણના” ડૉ. શાસ્ત્રીએ પોતાના આ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે અભિલેખ ટકાઉ પદાર્થ પર કોતરેલા હાઈ, એમાં જે સમયે એ કોતરાયા હોય તે સમયની લિપિ તથા ભાષા અક્ષરશ: યથાવત જળવાઈ રહે છે. હસ્તપ્રતા કાળબળે નષ્ટ થતી જાય છે એટલે એના પરથી ઉતારવામાં • આવતી પછીની પ્રતામાં મૂળ પાઠ ભાગ્યે જ યથાતથ સચવાઈ રહે છે. અભિલેખોમાં આ ભય લેશ પણ રહેતો નથી. ગુજરાતમાં ઐતિહાસિક કાલના સહુથી પ્રાચીન અભિલેખ અશા કના જૂનાગઢ શૈલ લેખ છે. તે એક પ્રકારની પ્રાકૃત ભાષામાં લખેલા છે. તેમ દરેક સ્થળે એ લેખ તે તે પ્રદેશની પ્રાકૃતમાં લખેલા છે. ગુજરાતમાં પ્રયોજાયેલું એનું ભાષા સ્વરૂપ પાલિ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અશોકના મુખ્ય શૈલ લેખોનીજૂનાગઢ વાચના એ કાલમાં આ પ્રદેશમાં પ્રયોજાતા પ્રાકૃત ભાષાના સ્વરૂપના સચોટ ખ્યાલ આપે છે. અનુમૌર્ય કાલના સિક્કાલેખામાં જે ભારતીય ભાષા પ્રયોજાઈ છે તે પ્રાકૃત છે. ક્ષત્રપકાલ દરમિયાન આરંભમાં પ્રાકૃત ભાષા વપરાતી, પરંતુ એમાં સંસ્કૃતની અસર ભળી હોય છે. રાજા મહાક્ષત્રપ ૨દ્રદામા પહેલાના જૂનાગઢ શૈલ લેખમાં પૂર્ણ રાંસ્કૃત ભાષાના પ્રયોગનો એક પ્રાચીનતમ નમૂના મળે છે. એમાં સંસ્કૃત ભાષામાં ય વૈદિક સંસ્કૃતની જેમ જી ના પ્રયોગથયો છે. જેમ કે વ્યાજ ક્ષત્રપકાળ દરમિયાન એ પછી પણ પ્રાકૃતની છાંટવાળી સંસ્કૃત ભાષા પ્રચલિત રહી હતી, પરંતુ ગુપ્તકાલથી અભિલેખોમાં હમેશાં સંસ્કૃત ભાષા જ વપરાતી. મૈત્રકકાલનાં દાન · શાસનામાં અક્ષરવિન્યાસનાં કેટલાંક અન્ય લક્ષણ પ્રચલિત થયાં જેમ કે અનુસ્વારને બદલે અનુનાસિક પ્રયોજવાની અભિરુચિ. (દા.ત. . મા, વજ્જ, મળ, મત્ત્વ) આ દાનશાસન સંસ્કૃતમાં લખાયાં છે ને સંસ્કૃત અભિલેખોમાં છેક સુધી ભાષાનાં કોઈ નોંધપાત્ર પરિવર્તન ભાગ્યે જ નજરે પડે છે. મૈત્રકકાલના આ તામ્રપત્રલેખામાં વિશેષ નામેા ક્યારેક પ્રાકૃત કે દશ્યરૂપમાં પ્રયોજાયાં છે. અનુમૈત્રક કાલમાં સ્થળનામેાનું સંસ્કૃતીકરણ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે બારસદને સંસ્કૃતમાં “બદસિદ્ધિ” કહેતા. ભરૂચને “ભરુકચ્છ”, ખંભાતને “સ્તંભતીર્થ” અને ઉમરેઠ પાસેના થામણાનો “સ્તમ્ભનક” કહેતા. સેરઠને મૈત્રકકાલમાં ‘સુરાષ્ટ્ર’ અને સોલંકીકાલમાં ‘સૌરાષ્ટ્ર” કહેતા.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy