SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૮૧ બીજી દલીલ એવી છે કે ભૂતકાળના અન્યાયને બદલે વર્તમાનમાં ન લેવાય. બદલે લીધે કયારે કહેવાય? જે તિરસ્કાર ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષથી કરાય છે. તે જ તિરસ્કાર દલિત વર્ગ આપણા તરફ આચરે તે કેઈ બંધારણીય હક્ક અપાતું હોય તે બદલે લીધે કહેવાય. એક મેટા ઢગમાંથી એક ચપટી જેવી અનામત બેઠકો એ શું બદલે છે? શબ્દની માયાજાળ રચી આપણે મિથ્યા તર્ક લડાવીએ છીએ. આર્થિક કંગાલિયત કષ્ટદાયક છે. પણ તે સાથે સામાજિક તિરસ્કાર તે અનેકગણો વધારે કષ્ટદાયક છે. સળગતી ભઠ્ઠીમાં પણ મૂક્યા જે તે અનુભવ આપણને થતું નથી તેથી આપણી ચામડી ચચરતી નથી અને તેથી આપણામાં પ્રાયશ્ચિતની ભાવના આવતી નથી. નહીં તે જે સમાજ આટલા તિરસ્કાર પછી અને જે જમાનામાં ઈરલામ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી અઢળક લાભ મળતા હતા તે જમાનામાં પણ હિંદુ ધર્મને વળગી રહ્યો તે wણભાવ પણ આપણને આ હદે જવા ન પ્રેરત. જે લોકો આજ તિરસ્કારથી મુસ્લિમ થઈ ગયા તેનું પરિણામ અંતે તે દેશના ટુકડામાં આવ્યું. ઈતિહાસને કંઈ જ બેધપાઠ આપણે નહીં લઈએ ? બાપદાદાનું દેવું ફેડે તે સપુત ગણાય છે. તેમાંથી છટકે તે કપુત ગણાય છે. દેવું હસતે મોઢે ફેડવું તે ધર્મ છે - અધર્મ નથી. અનામત તે મામૂલી પ્રાયશ્ચિત છે. સાચું પ્રાયશ્ચિત સામાજિક સ્તરે સંપૂર્ણ સમાનતા આપવાની આપણી ખરા દિલની તત્પરતા છે. તે કરીએ તે અનામતની જરૂર જ નહીં રહે અને કોઈ રાજકીય કાવાદાવા તે રાખવા ધારતા થશે તે આંદેલન દ્વારા તેને રસ્તો નીકળશે. આજે તો આ આંદોલન શરમજનક છે. તેના અતિરેક દૂર કરવાની રરકારે બાહેંધરી આપી છે. વાટાઘાટ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે. તે પછી પણ બધા સ્તરેથી અનામત જવી જોઈએ એવું વલણ અત્યંત ખેદજનક છે. રચનાત્મક કાર્યકરો શાંતિસેનાના સર્વોદય કાર્યકરો બધાના પ્રયત્ન પછી આ આંદોલન લાંબાવવા પાછળ પરીક્ષા ન લેવાય તેવા ઈરાદાની ગંધ આવે છે તેથી તે વધારે શરમજનક બને છે. કદાચ આપને સમય નિરર્થક લીધા જેવું લાગે તે ક્ષમા આપશે, પણ ગામડામાં રહી કામ કરતાં જે અનુભવ્યું તેને વાચા આપવી તે ધર્મ છે તેમ લાગ્યું તેટલા પુરતું લખ્યું છે. અનામત અંગે આપના વિચારો જાણવા આતુર છું. કુશળ હશો. ગ્રામદક્ષિણામૂર્તિ - મુદ્દાની પ્રણા લોકશાળા, [મૃદુલા પ્ર. મહેતા તા. ૧૧-૩-૧૯૮૧ પ્રાકૃત ભાષા અને સાહિત્ય વિશે અજ્ઞાનતા કે ઉદાસીનતા સંસ્કૃત તેમ જ પ્રાકૃત ભાષા (કાળાનુકમે વિકાસ પામતી અનેક પ્રાકૃતમાં પ્રગટ થયેલ) ભારતવર્ષના મૂળ ધર્મોની અને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ભાષાઓ રહી છે. આ બન્ને ભાષાઓમાં વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન થયું. પ્રારંભિક કાળમાં તે ધાર્મિક સાહિત્યનું સર્જન થયું પણ સમય જતાં લોકભાગ્ય સાહિત્યની રચના બહુ લાંબા કાળ સુધી થતી રહી. સંસ્કૃત સાહિત્યની મહત્તા સૌ કોઈ જાણે છે પણ પ્રાકૃત સાહિત્યની મહત્તા અને તેની ઉપયોગિતા વિષે આપણામાં હજુ સ્પષ્ટતાને અભાવ જણાય છે. આપણી ધારણા એમ જ - રહી છે કે પ્રાકૃતમાં માત્ર ધાર્મિક સાહિત્ય જ છે; જેમાં માત્ર દૈનિકવ્રત, આચાર અને ધાર્મિક વિધિ-વિધાનેનું નિરૂપણ છે, પણ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને ભારતના ગૌરવમાં પ્રાકૃત સાહિત્યને જે માટે ફાળે છે તે વિશે હજુ આપણે બહુ જાણતા નથી. વિવિધ પ્રાકૃત ભાષાઓમાં કથા, મહાકથા, કાવ્ય, મહાકાવ્ય, પુરાણ, મહાપુરાણ, ચરિત, નાટક, વ્યાકરણ, છંદ તકનીકી, ચિકિત્સા, લક્ષાણશાસ્ત્ર, રાજનીતિ, અર્થશાસ્ત્ર વગેરે બધા પ્રકારના સાહિત્યની રચના થયેલી છે. તેમાં ભારતીય લેકજીવનનું જે જીવંત દર્શન થાય છે એ એની ખાસ વિશેષતા છે. તે દષ્ટિએ પ્રાકૃત ભાષા અને સાહિત્યપોતાનું શાલાયદ ' મહત્વ આર્ય ભાષાઓના શબ્દભંડોળની સમૃદ્ધિમાં અને રૂપ-રચનાના વિકાસમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનું મૌલિક પ્રદાન રહ્યું છે. આટલી બધી મહત્વપૂર્ણ ભૂમિકાવાળી અને છેક ઈ. સ. પૂર્વે ૬૦૦થી ઈ. સ. ૧૫૦ સુધી એટલે કે બે હજાર વર્ષનું આયુષ્ય ધરાવતી પ્રાકૃત ભાષામાં સંશોધન માટેનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે અને તેના મૂળ સાહિત્યના પ્રકાશન માટે તે ઘણે અવકાશ છે, તેથી પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન મળે તે ગ્ય લેખાશે. વળી, પ્રાકૃત સાહિત્યમાં જેનું પ્રદાન અગ્રસ્થાને હોવાને કારણે તેઓએ તે આ કાર્યમાં વધારે રસ દાખવવો જોઈએ. જેમ જેમ પ્રાકૃત ભાષા અને સાહિત્યનું મહત્ત્વ રામજાયું છે તેમ તેમ વધારે ને વધારે યુનિવર્સિટીઓમાં પ્રાકૃતના અધ્યયન માટે સગવડો વધતી જાય છે અને સંશોધન કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. વળી પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની સમૃદ્ધિમાં ગુજરાત અને રાજસ્થાનને બહુ મોટો ફાળો રહ્યો છે તેથી આ બન્ને રાજમાં અધ્યયન અને સંશોધન માટે ઘણું વિસ્તૃત ક્ષેત્ર છે. સામગ્રી વિપુલ છે. લાખોની સંખ્યામાં હસ્તપ્રત ગ્રંથભંડારોમાં પડેલ છે તેથી તે તે ક્ષેત્રમાં કાર્ય માટે ઘણે અવકાશ છે. એ સિવાય પ્રાચીન ગુજરાતી અને રાજસ્થાનમાં પણ સંશોધન માટે વિપુલ સામગ્રી છે. આવી જે અનેક કૃતિઓ અસંપાદિત અવસ્થામાં પડી છે તે માટે પ્રાકૃત અને અપભ્રંશનું શાને જરૂરી છે. એટલે પ્રાકૃત ભાષાના અભ્યાસને પ્રેત્સાહન મળે એવા જાતજાતના ઉપાય કરવાની જરૂર છે. માટે પ્રાકૃત ભાષાનું અધ્યયન છેક માધ્યમિક શાળાથી શરૂ થાય તે જ ઉચ્ચસ્તરીય અધ્યયનને પ્રેત્સાહન મળશે, તેમ થવાથી પ્રાકૃત સાહિત્ય આપમેળે પ્રકાશમાં આવશે અને અનેક ભંડારોમાં સંગ્રહિત અમૂથ પ્રાકૃત અને જેને સાહિત્યિક રચનાઓને ઉદ્ધાર થશે. તે માટે માધ્યમિક શાળાઓમાં વગ ધરાવતા મહાનુભાવોએ આ કાર્યમાં રસ દાખવો જોઈએ. અત્યાર સુધી પ્રાકૃત પ્રત્યે જે ઉપેક્ષા ભાવ છે તેને બદલવાને પ્રયત્ન કરીએ. ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતનું પણ એક અગત્યનું પ્રદાન છે. તે જનતાની સામે મૂકીએ. આ સાહિત્યનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ વિદેશી વિદ્વાનોને પણ સમજાયું છે, તેથી જર્મની, ફ્રાંસ, બ્રિટન, ઈટલી, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે દેશમાં પ્રાકૃતનું અધ્યયન અને સંશોધન પ્રચુર માત્રામાં. ચાલે છે તે નોંધપાત્ર ગણાય. આ મહત્વના કાર્ય માટે આપને સહયોગ મળે એવું અમે ઈચ્છીએ છીએ. આ કાર્યની સફળતા માટે જાતજાતની શિષ્યવૃત્તિઓ અને સાહિત્યના પ્રકાશન માટે સ્થાયી ભંડોળ ઉભું કરવા આપ બધાંને મારી આગ્રહભરી વિનંતી છે. સાથે સાથે પ્રાકૃત પ્રત્યે પ્રેમ વધે એ માટે માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ અનિવાર્યરૂપે ભણાવવામાં આવતી એક પ્રાચીન ભાષા તરીકે પ્રાકૃત ભાષાના અભ્યાસ કરે એવી અમારી આપ સૌને ભલામણ છે. પ્રાકૃતના અધ્યયન માટે માધ્યમિક શિક્ષણની ભૂમિકા સુદઢ ન થાય ત્યાં સુધી સરળતાથી અને વિકાસ પેતાની મેળે થવે બહુ અઘરો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી અને તે માટે આપ સહુને સહયોગ પ્રાર્થીએ છીએ. –ડે, કે. આર. ચન્દ્ર અધ્યક્ષ, પ્રાકૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી અને માનદ્ મંત્રી, પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, ૭૭/૩૭૫, સરસ્વતી નગર, અમદાવાદ-૧૫.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy