________________
(90
૧૮૪
એક ભાઈ પૂછે છે: “મનમાં વિચારો બહુ આવ્યા કરે છે તેને માટે શું કરવું?”
પ્રશ્ન : ‘મનમાં વિચારને કારણે શું થાય ??
એ ભાઈ કહે, ‘નિદ્રા ચાલી જાય. ઊંઘમાં પણ ખલેલ પહોંચે. જાગ્રતાવસ્થામાં કોઈની જોડે વાત કરતાં કરતાં વિચારમાં સરી પડાય... ઉપાય શું??
ઉત્તર: વિચારો કર્યાંથી આવે એ જાણવું સાથે દરરોજ વિચારોનાં આંદોલનને શાંત જરૂરી છે.’
પ્રબુદ્ધ જીવન
વિચાર–પ્રવેશનાં દ્વાર
] પ્રે. દોલતભાઇ દેસાઈ
આ સંવાદે લખવા પ્રેર્યા. જરા ઊડેરો “મન એ અસંખ્ય વિચારોનું કારખાનું આપી શકાય. વિચારો મનમાં જ પેદા થાય. અને વિચારોના સ્વીકાર પ્રમાણે મન જ હુકમ આપે. એ રીતે જોઈએ તો મન એ કોમ્પ્યુટર સમાન છે. વિદેશીઓએ અનેક જેટલું ને જેવું, કિતશાળી કોમ્પ્યુટર તંત્ર મનની શકિત કોમ્પ્યુટર કરતાં ય વિશેષ છે.
જરૂરી છે અને કરી નિદ્રા લેવી
વિચાર કરીએ.
છે' એવી ઉપમા મનમાં જ સંગ્રહાય શરીરને કાર્ય કરવા જબરજસ્ત શકિતશાળી પ્રયાસ કર્યા પણ મન નથી બનાવી શકયા.
વિચાર કયાંથી આવે? વિચાર સંસર્ગથી આવે. શાની જોડેના સંસર્ગ? કોની જોડેનો સંસર્ગ? આપણા સંસર્ગનાં કેન્દ્ર આવાં હોય: (અ) માણસ જોડેને સંસર્ગ, (બ) પદાર્થ જોડૅના સંસર્ગ, (ક) વાતાવરણ જોડેના સંસર્ગ અને (ડ) છેવટે, પોતાની જાત જોડેને સંસર્ગ. વિચાર પ્રવેશની આ બારીઓ છે. એ બારીઓ સમજાઈ જાય પછી એના બંધ-ઉઘાડ થવા વિષે મન તૈયારી કરી શકે.
દરરોજ આપણે અનેક મનુષ્ય જોડે સંપર્કમાં આવીએ, વાતો થાય, વ્યવહારો થાય. ત્રણ પ્રકારના માણસ જોડે વ્યવહારો થાય. (૧) રોજ-બ-રોજના જીવન માટેની વ્યવસ્થાકીય પ્રવૃત્તિમાં જરૂરી માનવો, જેમ કે: ઘરના ઘાટી, માળી, ડ્રાઈવર, દુકાનદાર, બસ કંડકટર વિ. એમની જોડેના વ્યવહાર ‘રાબેતા મુજબના હોય. પૈસા આપ્યા, ટિકિટ લીધી કે કંડકટર જોડેના વ્યવહાર પૂરો. આ વ્યવહારની ચર્ચામાં ન ઉતરીએ; (૨) આપણા વ્યવસાય જેના પર આધાર રાખે એવા માનવી જેડેના વ્યવહારો, જેમ કે: ઓફ્સિમાં ઉપરી, વેપારમાં ગ્રાહકો અન્ય વેપારીઓ વગેરે. એ વ્યવહારની અસર આપણા મન પર રહે છે.
‘તમારા વિષે વેપારી આલમમાં ચર્ચા થાય છે, હોં!” એવું કોઈ વેપારી દિવસમાં બાલી જાય, તો આપણા મનમાં એ વિચાર રહી જાય ને એ વિચાર દિવસભર આપણા પીછા નહીં છોડે. તે કોઈ વેપારી કહે, ‘શાંતિભાઈ! તમારા વખાણ ઘણા પાસે સાંભળ્યાં?” તો યે એ વિચારની ખુશી દિવસભર રહેવાની. ધંધા માટે, વેપાર માટે, વ્યવસાય માટે, અનેક મનુષ્યોના સંપર્કમાં દિવસભર આવીએ છીએ. એમાંયૅ રાબેતા મુજબના વ્યવહાર હાય, પણ કેટલાક વ્યવહાર મન પર અસર પહોંચાડે છે. જેના શબ્દની, અભિપ્રાયની આપણા વ્યવસાય પર અસર થવાની છે, તે વિચાર આપણુ' મન નોંધે છે.
વિચારનું ત્રીજું દ્વાર, પદાર્થો છે. કોઈના ઘરમાં સરસ ડાઈનિંગ ટેબલ જોયું કે આપણા મનમાં વિચાર પ્રવેશે: ‘આવું ડાઈનિંગ
તા. ૧૬-૨-૮૧
ટેબલ ખરીદું.’ પદાર્થો બે પ્રકારના વિચાર પ્રેરે. આકર્ષક, ગતિઆત્મક અને અપાકર્ષક, ગતિ આત્મક, ચાનો કપ છે. ચા પીવી છે. આપણા હાથની ગતિ ચાનો કપ પકડવા તરફ થશે. એ આકર્ષક ગતિઆત્મક વિચાર થયો ને જો કપ ખૂબ ગરમ હોય તે હાથ દાઝશે એથી તરત કપ મૂકી દઈશું, એ અપાકર્ષક ગતિઆત્મક વિચાર થયો. મન જો વિચારતું ન હોત, તો આપણા દ્વારા કોઈ જ ક્રિયા ન થાત. તો...... પદાર્થો પણ આપણા પર અસંખ્ય વિચાર ફૂંકે છે. જાહેર ખબરો એ એનો ઉત્તમ નમૂનો છે. રસોડામાંથી અવાજ આવે;
હું! સાંભળ્યું!? આ નવી સીફોનની સાડી ફોટામાં કેવી સરસ લાગે છે? આ રવિવારે સાડીઓ જોવા જઈશું?
એમાં મૂળ વિચારપ્રવેશ પેલી જાહેરાતમાંથી થયો હોય છે. પદાર્થો આકષૅ ... એથી એ પદાર્થને પેાતાના કરવા વિચાર આવે.
ને એરિક ફ઼ોમ્ર સાચું કહે છે, ‘આપણુ જગત પદાર્થની પાછળ પંડયું છે, એટલું જ જૉ વિચારની પાછળ પડે તો સારું.’ આ જમાને પદાર્થલક્ષી છે. માણસની મેાટાઈનું માપ, એને ફ્લેટ, રાચરચીલું, કાર, વિ.માંથી નીકળે છે—સામાન્યત: (ખરેખર માણસની મેટાઈનું માપ એની વિચારસૃષ્ટિ અને કર્મસૃષ્ટિ પર હોવું જોઈએ.)
વાતાવરણ જોડેને સંસર્ગ પણ વિચાર પ્રેરે. ખૂબ ગરમી લાગે છે. પંખા ચાલુ કરીએ. ઉનાળામાં હવાની લે'રખી આનંદ આપે. “તાપ લાગે છે, ચાલા હવાફેર જઈએ.' એ વાતાવરણ કારણે પ્રવેશેલા વિચાર છે. વાતાવરણમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, હવા પાણી, હવામાન, બધું આવે.
મનુષ્યના વ્યવહારો સર્જે તે ભાવાવરણ અને કુદરતી તત્ત્વા સર્જે તે વાતાવરણ.
વિચાર—પ્રવેશનું ચેાથું દ્વાર તે પોતાની જાત. ‘જાતને ભૌતિક સ્વરૂપે જૉઈએ તો આવા વિચાર ગણાવી શકાય.
‘હમણાં ચરબી વધી છે – ઘટાડવી પડશે.' ખાંડ ઓછી ખાઉં તે ડાયાબિટીસ ઘટે.’ ‘વજન ઓછું કરવું જોઈએ' વગેરે.
જાતને જો નવપલ્લવિત થવાની દૃષ્ટિએ જોઈએ તા આવા વિચાર આવે :
‘હવે કામ ઓછું કરું. ચિત્તશાંતિ વધારું.’ ‘દરરોજ ધ્યાન કર્યું-મન માટે એ જરૂરી છે.'
‘ગુસ્સે ખૂબ થઈ જવાય છે—જરા શાંત બનું, આ વિચારો, જાતના એક સ્વરૂપને કારણે પ્રગટે છે. વિચારનાં આ ચાર પ્રવેશદ્રાર છે. જીવન : પ્રેમના ધાધ
૦ નિશ્ચય કરનાર દિલ હાય, યોજના ઘડનાર મન હોય અને અમલ કરનાર હાથ હોય તે મનુષ્ય દેવની કક્ષાએ પહોંચે છે. – ગિન ૦ જીવન જ પ્રેમના ધોધ છે, પણ તેને વરસાવતાં આવડવું જોઈએ.
- ગઢે
૦ પરમેશ્વરની શેાધમાં આ બધી દોડધામ શા માટે? તમારી આજુબાજુમાં વસતા લાખો દીનદુ:ખી માનવીઓમાં શું ભગવાન નથી? પહેલાં તેમની જ પૂજા કેમ ન કરવી? ગંગાના કાંઠે કૂવા ખોદવાની મૂર્ખાઈ શા માટે? - સ્વામી વિવેકાનંદ
માલિક શ્રી મુંબઈ -જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં, ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.