SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૮૧. બાહુબલિને રોષ ઉત્તરોત્તર વધવા લાગ્યું, “ભરત પ્રતિશા- ભ્રષ્ટ બનીને મારા પર ચક્ર છોડે છે? સારું! હમણાં જ એક મુષ્ટિ પ્રહાર વડે, ચક્રને ધીમે ધીમે ફેરવીને તેના ચૂરેચૂરા કરી નાખું છું. બાહુબલિએ મદોન્મત્ત હાથીની જેમ ચક્રવર્તી તરફ મુષ્ટિ ઉઠાવી અને બાહુબલિ ભરત ચક્રવર્તી તરફ દોડયા. ભરતની સેના સુબ્ધ સાગરની જેમ વિશુધ્ધ તથા વિચલિત બની ગઈ. અચાનક બાહુબલિના વિચારોમાં એક વિચાર ઝબકી ગયે, અરે ! કયાં જઈ રહ્યો છું હું? ઈકવાકુ વંશની મર્યાદા મિટાવવા? ભાઈનું લોહી વહેવડાવીને આ રાજ્યને મારે શું કરવું છે?” " બાહુબલિની મુષ્ટિ જેમની તેમ બંધ જ રહી ગઈ. પગ અટકી ગયા. તેમને પિતાશ્રી ત્રસ્પભદેવની વાણી યાદ આવી ગઈ “ભરત પ્રથમ ચક્રવર્તી થશે.” પિતાશ્રી શ્યભદેવની આ વાણી સાચી પડી રહી છે, તે ભલે પ્રથમ ચક્રવર્તી થાય ? બાહુબલિ ત્યાં જ સ્થિર થઈ ગયા. વિશ્વને પ્રથમ માનવ સંહાર થતે થતો અટકી ગયો. બાહુબલિ યુદ્ધથી પાછા વળી ગયા. ભૈતિક સામ્રાજયને રથાને આધ્યાત્મિક સામ્રાજય પ્રાપ્ત કરવાને તેમણે નિર્ણય કરી લીધો. બાહુબલિએ તે જ હાથે મુપ્ટિલેચ જારી લીધે. રણક્ષેત્રના મહાન વિજેતા જોતજોતામાં આત્મવિજેતા સાધુ બની ગયા. ભરત એકાએક આશ્ચર્યચકિત બનીને બાહુબલિના ચરણમાં ઝૂકી ગયા. દેવતાઓએ “રાધુસાધુ” કહીને પુષ્પવૃષ્ટિ કરી. બાહુબલિને ખબર ન રહી કે સેનાએ રણક્ષેત્રમાંથી કયારે પાછી જતી રહી? તેઓ તે ધ્યાન-મુદ્રામાં અંતર્લીન થઈ ગયા હતા. એક વિચાર આવ્યું, “પ્રભુ શ્યભદેવના ચરણોમાં પહોંચી જાઉં'. બીજી જ જાણે એક ખૂણામાં દબાયેલ ક્ષાત્ર-અહંકાર સળવળ્યું, ‘ત્યાં મારાથી નાના ભાઈએ પણ છે. તે સાધુ બની ગયા છે. સંઘ શાસનની મર્યાદા અનુસાર પૂર્વ પ્રવજત નાના ભાઈઓને વંદના-નમસ્કાર કરવા પડશે. હું મોટો થઈને નાના ભાઈઓને માથું કેમ નમાવું? નહિ, તેમ નહિ થઈ શકે. હવે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ જઈશ. પછી નાના મોટાના ભેદ સમાપ્ત થઈ જશે. નહિ રહે વાંસ, નહિ બજે બંસરી. પછી વંદના નમસ્કાર કરવાના નહિ રહે. આ સૂમ અહંકારે બાહુ બલિને જકડી લીધા. બીજી બાજુ તેઓ ઉgjગ ગિરિશિખિરની જેમ અચલ ધ્યાનમાં ઊભા રહી ગયા. આંધી-તુફાન આવ્યાં, ગરમીની જવાલાએ જલી ઊઠી, વર્ષની મસ્ત હવાએ ફરકવા લાગી, શરદીને હિમશીતલ પવન કાળજું વીંધી નાખતે પસાર થઈ ગયો. બાહુબલિ ન હલ્યા, ન ડગ્યા. તેમના શરીર પર માટીના થર પર થર જામવા લાગ્યા. ભૂમિની અંકુરિત લતા શરીરને, વૃક્ષની જેમ લપેટતી લપેટતી ચાલી ગઈ. માથા પરની જટાઓમાં પક્ષીઓએ માળા બાંધ્યા, પરંતુ તે આદિ યુગના મહાભીમ બાહુબલિ ધ્યાનમાં સ્થિર, અડગ ઊભા હતા. તેફાની પવન અને વીજળીના પ્રચંડ અવાજોથી પહાડો-પણ કંપી જતા હતા, પરનું આ ચૈતન્ય ગિરિરાજ જરા પણ વિચલિત થવા પામ્યા નહિબહાર તેમ જ અંદર પણ. મહાયોગીના તપ : પૂત દેહથી પ્રફુરિત તમય કિરણોના સંસ્પર્શથી આસપાસનું વાતાવરણ શાંત તપાવન જેવું બની ગયું. પશુઓ પરસ્પરના જન્મગત વૈભાવ ભૂલી ગયા. સિંહ અને શિયાળ સાથે કૂદવા રમવા લાગ્યા; સિંહણ હાથીના બચ્ચાને રમાડવા લાગી. હરણ અને સિંહ સગા ભાઈની જેમ સસ્નેહ મહામુનિના ચરણોમાં એક સાથે વંદન કરવા લાગ્યાં. ભયરામાંથી કાળા નાગ નીકળીને મુનિના ચરણોમાં ફેણ ફેલાવીને બેસી ગયાનું જાણે કે પૂજા __• •. • માં. નીલકમલનાં ગુરછા ધરી દીધાં હેાય ! દુષ્ટ અને ક્રૂર જીવે પણ પોતાનાં જન્મ-જાત સંસ્કાર ભૂલીને શાંતિ અને પ્રેમના અપૂર્વ વાતાવરણમાં પ્રફુલ્લિત બની રહ્યા હતા. તપસ્વીના તામંડળથી સંસ્કૃષ્ટ હવાઓ વડે વનને ખૂણેખૂણે શાંતિ, પ્રેમ અને અહિંસક વાતાવરણથી ભરાઈ ગયા હતા. બરાબર એક વર્ષ સુધી દિવ્ય પુરુષ અને દિવ્ય પ્રકૃતિને આ અદ્ભુત ખેલ ચાલતો રહ્યો. ભગવાન ક્ષભદેવના જ્ઞાનમાં આ બધું ઝળકી રહ્યું હતું, ‘બાહુબલિની સાધનાની ભૂમિકા આખરી તબક્કો પહોંચી રહી છે, પર નાનું સરખે અહંકાર તેમને જકડીને બેઠો છે. તેમની સાધન નાને અંતિમ કક્ષાએ પહોંચવામાં બાધક બની રહેલ છે.’ પ્રભુએ બાહુબલિને જાગૃત કરવા માટે આર્યા બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યાં. બ્રાહ્મી-સુંદરી બાહુબલિની નજીક આવી ગયાં. વજ, સ્તંભની જેમ ધ્યાનમાં સ્થિર બાહુબલિને જોઈને, તેમના શિર શ્રદ્ધાથી ઝૂકી ગયાં. પછી એક મધુર સ્વર હવામાં ગૂંજી ઊઠ, ‘બંધુ! હાથીથી નીચે ઊતરે. હાથી ઉપર કયારના બેસી રહ્યા છે. હાથી પર બેસી રહેવાથી જ્ઞાન થતું નથી ? બાહુબલિ બહેનના પરિચિત સ્વરથી આશ્ચર્યમાં પડી ગયા: “શું કહી રહેલ છે મારી બહેને? હું રાજ્ય-વૈભવને ત્યાગ કરીને સાધુ બની ગયો છું. હવે મારી પાસે હાથી કયાંથી હોય? બંને બહેનો ગૃહસ્થ દશામાં પણ આ પ્રકારે કદી જૂઠું બોલી નથી, ત્યારે હવે તે તે સાધ્વી છે. મિથ્યા ભાષણ કરે નહિ - મશ્કરીમાં પણ મિથ્યા બોલે નહિ. તો પછી શું હું ખરેખર હાથી પર બેઠો છું? હા... હા વાત સાચી છે. હું અહંકાર રૂપી હાથી પર બેઠો છું. ખરો હાથી તે જ્ઞાનના પ્રતિબંધક નથી. તેના પર બેઠા બેઠા તે દાદીમા મરુદેવીને કેવળજ્ઞાન થઈ ગયું હતું, પરનું આ અભિમાનને હાથી તે ઘણો દુર્દમ છે. રાજય-વૈભવ ત્યાગી દીધે, સુખ-સુવિધાઓ છોડી દીધી, પરનું નાનું સરખે અહંકારને ત્યાગ ન થઈ શકો? નાના-મોટા ભાઈને વિચાર મારા મનને જકડીને બેસી ગયેલ છે. મનુષ્યના શરીરને શું નાનું અને શું મોટું? દેહ અને જન્મની મેટાઈ તે ખરી મોટાઈ નથી, સાધનામાં ખરી મોટાઈ રહેલી છે. શરીર વંદનીય નથી, વંદનીય તો ગુણ છે, ત્યાગ છે. જેનામાં ગુણ છે તે વંદનીય છે, પૂજનીય છે. નાના-મોટાના અહંકારમાં મારામાં ગુણાનુરાગ કયાં રહ્યો? ગુણ-દષ્ટિ વિના સમ્યક્ દર્શનની નિર્મળતા કયાંથી આવે ? અને સભ્યત્વની નિર્મળતાના અભાવમાં આ પ્રવજયાનું પણ મહત્ત્વ કેટલું? કઠોર સાધનાને પણ અર્થ શું? અહંકારમાં જકડાયેલ રહું ત્યાં સુધી મંજિલે કેવી રીતે પહોંચાય? ગુણ જયેષ્ટ ભાઈઓને નમસ્કાર કરવાનું મારું કર્તવ્ય બને છે.” આ વિચારે બાહુબલિ ભગવાન કૃષભદેવના ચરણોમાં જવા અને પેતાના ૯૮ નાના ભાઈઓને વંદનાનમસ્કાર કરવા કૃતનિશ્ચયી બનતાં જ, અહંકારની ગાંઠો ખૂલવા લાગી અને ધીમે ધીમે અહંકાર નિર્ભેળ બનતાં, હૃદય સ્વચ્છ અને સ્ટિક જેવું નિર્મળ બની ગયું. આવા નિર્મળ ભાવો સાથે તેઓએ જેવો ભગવાન રક્ષભદેવના ચરણોમાં જવા પગ ઉપાડ કે જ્ઞાન-જતને નિર્મળ પ્રકાશ ફેલાઈ ગયો, સાધના સિદ્ધિના શિખરે પહોંચી ગઈ, કેવળજ્ઞાન પ્રગટી ગયું. (હિંદી પરથી) અનુ.: એમ. જે. દેસાઈ સુખની ડોકાબારી, દુઃખનો દરવાજે ૦ સુખને દાખલ કરવા નાની ડેકાબારી ખેલવા જાઓ ત્યાં જ શોકનો દરવાજો ઊઘડી ગયો જાણે. -જર્મન સુભાષિત ૦ ગમે તે ભાષા વાપરો, પણ તમે જેવા હશે તેવા જ શુદો તમારા મોંમાથી બહાર આવશે. -એમર્સના
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy