SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રભુધ્ધ જીવન ખરા અનુ [] કાન્તિ ભટ્ટ આજે જે વિક્રમ સંવતનો પ્રથમ દિવસ છે. તે દિવસે એક અમેરિકન ઋષિ વીલ ડુરા ની અનુસુયા જેવી પત્ની એરિયેલ ડુરા ના અવસાનના ખબર વાંા.૮૨ વર્ષની વયે જેદિવસે ગજરાબહેન મારારજીમાઇને છોડીને ચાલ્યા ગયા તે દિવસે જ એરિયેલ હુરા પણ સ્વર્ગે સિધાવ્યાં. મારારજી માઇના દામ્પત્ય સાથે વીલડુરા ના દામ્પત્વની સરખામણી કરાનો આશય નથી. મારારજીમાઇ જાહેર જીવનને કારણે ગજરાબહેન કે કુટુંબનું ધ્યાન રાખી શકયા નથી ત્યારે વીલ ટુરા જેવા ઇતિહાસકાર, ચિંતક, ફિલસૂફ અને મહાન વિદ્રાન જીવનની એકેએક ક્ષણ એરિયલ ડેરી સાથે જીવતા હતા. તમારા ઘરમાં વીલ ઝુરાના પુસ્તકો હાય તો કોઇ ગુરુની જરૂર રહેતી નથી. વિપિન પરીખની જેમ હું કોઇને ગુરુ માનતો નથી. વર્નર એરડાના (એસ્ટવાળા) તે ગુરુ તરીકે નંબર જ લાગે નહિ, ત્યારે વીલ ટુરા અને તેની પત્નીએ સાથેાસાથ જે અમૂલ્ય ગ્રંથો લખ્યા છે તે કોઇ પણ વાચક માટે જીવનસાથી જેવા થઇ પડે તેવા છે. “ધી સ્ટોરી ઓફ સિવિલાઇઝેગ્રન” નામના અદ્ભૂત ગ્રંથની હારમાળા વીલ ટુરા એ અને એરિયલ ડુરાએ સાથે મળીને લખેલી. એ ગ્રંથમાળા લખવા પતિ-પત્નીએ જંગત મરની સાથે પ્રવાસ કર્યો. બન્ને ભારત પણ આવી ગયેલાં અને રામકૃષ્ણ પરમહંસને પણ મળી ગયેલાં. “ધી સ્ટોરી ઓફ સિવીલાઇઝેશન”ના દસમા ગ્રંથ આદમ્પતીએ લખ્યો તે પછી તેમને ખુલીન્ઝરનું ઇનામ મળેલું. ધન્ય દામ્પત્ય રામનારાયણ પાઠક તેમની શિષ્યા સરોજબહેનને પરણેલા તે રીતે વીક ડુરા અમેરિકાની એક કોલેજમાં પ્રોફેસર હતા ત્યારે પંદર વર્ષની એરિયલને પ્રથમ દૃષ્ટિના પ્રેમ પછી પરણી ગયા હતા. તે માટે તેણે કોલેજની નોકરી છાડવી પડી હતી. છૂટાછેડા અને મુકત જાતીય વ્યાસારની વાતોથી ખદબદતા અમેરિકામાં જો તમે પચાસ વર્ષથી વધુ વષૅનું દર્પત જીવન ટાંકવા માગતા હો તો વીલ ડુરા અને એરીયલ ડુરાના નામેા ટાંકી શકો. તમારા કોલેજમાં ભણતા પુત્ર-પુત્રીને અલંકારી છતાં હૃદયને ગ્રેટ કરી જા' તેવું લેખન વંચાવવા માગતા હો તે વીલાડુરા ની ટ્રાન્ઝીશન" નામની માનફિક-આત્મકથા વંચાવો, ખાસ કરીને વીલ ડુરા એ એરિયલ ઉપર એક પ્રકરણ લખ્યું છે તે જરૂર વંચાવજો. પ્રેપથી તમે!ળ કરી નાખે તેવા આ પ્રકરણની મૂળ અંગ્રેજીમાં વર્ણવેલી લાગણીને રજૂ કરી શકાય નહિઁ. છતાં પ્રાસ કં છું: “એરિપત્ર જેી મુગ્ધબાળા મારા વિચાર-વિશ્વની ભ્રમણકક્ષામાં થનગનતી આવી ગઇ. અમારા બન્ને વચ્ચે કેટલા વિરોધાભાસ ! હું'નાં ાનનો ખડકલો અને એરિયલ એક ધબકતા જીવંત ઝરણા જેવી. [I was all learning and she was all life] મે દસેક ડમરુ પુસ્તકો વાંચી કાઢા હતાં. જયારેં એરિયલે જીવનના સંઘર્ષો જ જાણ્યા હતા. કુદરતે તેના ઉપર ચિંતાવી હતી તેમાંથી જ તે શીખી હતી. પણ મેં ભણેલા પાઠ કરતાં તેણે અનુભવેલા પાઠ વધુ પાકા હતા, મારી ફિલસૂફી તે તેના અનુમવા આગળ ફોતરા જેવી હતી. રશિયાની ઝૂંપડપટ્ટીમાં તે ઉછરી હતી...." આ પંદર વર્ષની સુગ્ધ બાળા, વીલડુરા ન પરણવાનો સંકલ્પ કરીને બેઠા ત્યારે મળી હતી. ફ્રી સેકસ અર્થાત ્ મુકત જાતીય જીવન ને લગના વિશૅને વીંધ ડુરા પાકા કરતા હતા તે વિચારોના એરિયલે ફૂરચાફૂરચા ઉડાવી દીધા હતા. એરિયલ સાથે શારીરિક સામિપ્યુ અનુભવ્યા પછી અને તેમના વિચારોના ફૂરચેરરચા ઉડયા તે પછી વીલ ડરા કહે છે કે એરિયલને કારણે મારે ઘણું જતું કરવું તા. ૧૬-૧૧-૮૧ ફિલસૂફ એકલા ન રહી શકયા વીલ ટુરાની પત્ની એરિયલ ટુરા હજી દસેક દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા ત્યારે એરિયલ વિષે લેખ લખ્યો હતો. મોરારજીભાઈ અને વીલ ટુરા સાથેાસાથ વિધુર અા હતા. વીલપુરા એ ધી સ્ટોરી ઓફ ફિલોસોફી' નામનું જગમશહુર પુસ્તક લખ્યું તે પહેલાં કૉલેજકાળમાં આપઘાત કરવાના વિચાર કરેલા. જે કોલેજમાં તે ભણતા હતા તેના પ્રોફેસરે સમાજવાદ વિરુદ્ધ ભાષણ આપેલું તે ભાષણની કડક ટીકા વીલ ડુરા એ વિદ્યાર્થી તરીકે કરી એટલે તેમને કોલેજમાંથી કાઢી મુકાયા. સ્કોલરશિપ લઈને ગરીબ માબાપને ટેકો દેવા ભણનારા વીલ ડુરા એ ત્યારે પ્રોફેસરની માફી માગવાને બદલે કોલેજ છેડી દેવાનું નક્કી કર્યું અને પછી આ સ્થિતિ સહન ન થઈ ત્યારે આપઘાત કરવાનું વિચાર્યું હતું. એ આપધાત થયો નહિ અને વીલ ડ્રૉ જગતને ઉત્તમ ગ્રંથો આપવા જીવ્યા. તેમની પત્ની એરિગલ તેનાથી પંદરેક વર્ષે નાની હતી એટલે ‘સ્ટોરી ઓફ ફિલોસેફી' નું પુસ્તક લખ્યા પછી તે પુસ્તકમાં તેમણે તેની પત્નીને ઉદ્દેશીને એક કવિતા પ્રસ્તાવનામાં છાપી: મારા જીવનસાથી, તું મજબૂત બનજે જેથી જવારે હું પડી જાઉં ત્યારે હું મક્કમતાથી તારા પગ ઉપર ઊભી રહે મને ખાતરી જ છે કે તું અડીખમ ઊભી રહીશ અને જીવનના વિખરાયેલા મારા કાવ્યના ટુકડાઓને એકત્રિત કરીને વધુ સારા સંગીત રૂપે તું એકલી એકલી ગાઈશ અને ત્યારે હું સંતોષપૂર્વક મારા આત્માને સાંત્વના દઈશ કે જાં હું અટકયા ત્યાંથી તે શરૂઆત કરી છે. આ કવિતા એવા ભાવથી લખાયેલી કે એરિયલ પહેલાં જ પોતાનું મોત થશે. પણ લગભગ બને જણે સાથે સાથે જ વિદાય લીધી છે. ચાલીસ વર્ષની ઉંમરે અમેરિકામાં થયેલા લોકોના નૈતિક અધ:પતનથી વીલ ડરૉ નિરાશ થયા નહાતા. તેમણે લખેલું : “કદાચ શેકસપીયર કરતાં કોઈ વધુ મહાન આત્મા અને પ્લેટો કરતાં વધુ ભવ્ય મનવાળા માનવી જન્મવા માટે રાહ જોઈ રહ્યા છે જારે આપણે ન્યુકિત સ્વાતંત્ર્ય અને સંપત્તિને માન આપતાં શીખીશું ત્યારે જ આપણામાં અને રાષ્ટ્રમાં પુનર્જીવન આવશે.” ૫૪ વર્ષ પહેલાંની તેનીઆ આશા હજી પણ પ્રેરણાદાયી બની રહે તેવી છે. પડયું... પણ “પ્રેમ માટે આપણે કોઇ પણ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ." ફિલસૂફી અને પ્રેમને એક પાટલીએ સફળનાપૂર્વક સાથે બેસાડી શકાય તે વાત એરિયલે વીલ પુરા અને પશ્ચિમના તત્ત્વચિંતકોને શીખવી. એરિયલથી લગભગ બમણી ઉંમર ધરાવતા વીલ ડુરા એ 6
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy