________________
૬૦
પ્રભુ જીવન
રિસર્ચ ઓર્ગેનિઝેશન (વળી પાછા અંગ્રેજી શબ્દ !)ના એક વરિષ્ઠ અધિકારી ડૉ. રાવે તે એપલ પરના ચાલવાની જ વાત કરી છે. તેમણે એ. સ્પષ્ટ કર્યુ હતું કે આવા જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ પાસે કેમ . સારામાં સારું કામ લેવું એને અનુભવ અને શિક્ષણ લેવાના જ. એપલના મુખ્ય હેતુ છે. એના દ્વારા ટેલિફોન, ટેલિવિઝન વગેરેના જે પ્રસારણ થશે તે પ્રાયોગિક
જ હશે.
પ્રયોગા એક વર્ષ સી, પશ્ચિમ દિશામાં રશિયાના કોઈ પ્રજાસતાક તરફ જ તાકતા હોત. વળી
-અને આ પ્રાયોગિક પ્રસારણેામાંનું પહેલું જ પ્રસારણ ખૂબ સફળ નીવડયું છે એ આપણા અવકાશ-વિજ્ઞાનીઓ અને ઈજનેરોની કુશળતાના પુરાવા સમાન છે. એપલ એને સ્થાને ગેાઠવાયા પછી બુધવારે પહેલી જ વાર અમદાવાદના સ્પેઈસ એપ્લિકેશન સેન્ટર પરથી એક ટી.વી. કાર્યક્રમ એપલ પર મોકલવામાં આવ્યો અને એપલ દ્રારા એ પાછા પૃથ્વી પર બધે મોકલવામાં આવ્યા. બે ગ્લારની ઈસરોની કચેરીએ જે પોર્ટેબલ અર્થસ્ટેશન ગોઠવ્યું હતું તેમાં એપલના સંકેતો ઝીલાયા અને એ સંકેતને 'ટી.વી. સેટ સાથે જોડતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
એટલે ટી.વી. પર અમદાવાદના કાર્યક્રમ – મૃણાલિની સારાભાઈના ‘ચાંડાલિકા’નાટકના કાર્યક્રમ સ્પષ્ટ દેખાયો. આ કાર્યક્રમ અંગે ઈસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેલું અર્થસ્ટેશન જો બરાબર ગાઠવાયું હોત તો કાર્યક્રમ વધારે સારી રીતે – સ્પષ્ટ રીતે દેખાયો હોત, સેટેલાઈટ અને અર્થસ્ટેશનની એલાઈનમેન્ટ એટલે કે દિશામૂલક સંલગ્નતા સંપૂર્ણ હોવી જોઈએ. એમાં, સાયની અણી જેટલા પણ ફેર રહી જાય તો સેટેલાઈટ પરથી આવતા સિગ્નલા બરાબર નહિ ઝીલાય. અમેરિકાના જ્યોસિન્કોના સેટેલાઈટ વડે
આપણે જ્યારે સાઈટના સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એકસપેરીમેન્ટ) પ્રયોગો કરતા જતા હતા ત્યારે આ પ્રયોગા અગ્રભાગ ભજવનાર અમદાવાદના સ્પેઈસ એપ્લિકેશન સેન્ટરની મેં મુલાકાત લીધી હતી અને ત્યાં લગભગ આખા દિવસ ગાળ્યો હતા. આ સ્ટેશનમાં એક મોટુ અર્થ સેન્ટર છે અને એના વડે અમેરિકન સેટેલાઈટ પર સિગ્નલા મોકલવામાં આવતા હતા અને ભારતના ચોક્કસ રાજ્યોમાં પ્રસારિત થતા હતા. એ વખતે ત્યાંના વિજ્ઞાનીઓએ મને જણાવ્યું હતું કે આ અર્થસ્ટેશન સંથા સેટેલાઈટની એલાઈનમેન્ટમાં સોયની અણી જેટલા પણ ફરક ન પડવા જોઈએ. અવકાશી હુન્નરમાં આવી ચોકસાઈ જરૂરી છે.
અમદાવાદનું સ્પેઈસ એપ્લિકેશન સેન્ટર આ એપલ અંગેના પ્રયોગામાં પણ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. હું ત્યાં ગયા ત્યારે એના વડા પ્રો. યશપાલ હતા. એમણે અવકાશી સંદેશવ્યવહારના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ માટે એમને પચ્ચીસ હજાર ડૉલરના માર્કોની એવોર્ડ પણ મળ્યા હતા. આજે પ્રો. યશપાલ દેશ છેાડીને વિદેશમાં વસે છે. પ્રો. યશપાલ જેવા ફિલસૂફ-વિજ્ઞાનીને આપણે સાચવી શક્યા નથી એ હકીકત ખૂબ જ ગ્લાનિ પ્રેરે એવી છે.
તા. ૧-૪-૧
એપલ અત્યારે ઈન્ડોનેશિયા પર સ્થિર થયેલા છે. એનો અર્થ એ કે તમે અત્યારે ઈન્ડોનેશિયા પરથી એક પ્રબંધરેખા (૫૨-પેન્ડિક્યુલર લાઈન) ઉપર અવકાશમાં દોરો અને એને લગભગ ૩૬,૦૦૦ કિલોમીટર સુધી લંબાવા તો એ એપલ પર પહોંચે. કોઈને સહેજે પ્રશ્ન થશે કે, એપલને ઈન્ડોનેશિયા પર કેમ સ્થિર કરવામાં આવ્યા છે ભારત પર કેમ નહિ ? એનું કારણ એ છે કે, એનો જે એન્ટેના છે તે ભારતના કેન્દ્રીય સ્થળ નાગપુર તરફ તાકેલા રહે એ માટે એને જે ત્રણ ધરી પર સ્થિર કરવામાં આવ્યા છે તે ધરીની ગાઠવણ જ એવી છે કે એપલને જો ભારત પર સ્થિર કરવામાં આવ્યા હોત તો એને એન્ટેના કદાચ ઉત્તર
બીજુ એ કારણ પણ છે કે આંતરરાષ્ટ્રીય સંદેશવ્યવહાર નિયમન ... અંગે થયેલા કરાર અનુસાર આપણને યાસિન્ક્રોનસ ભ્રમણ કક્ષાના ચોક્કસ ભાગ ફાળવવામાં આવ્યો છે- ૧૮૨ પૂર્વ રેખાંશના આપણને સૌથી વધારે સગવડ ભર્યું નીવડે એવું . આ અવકાશા સ્થળ છે. એવું ગણીને જ આપણને એ ફાળવવામાં આવ્યું છે.
એક વખત હાથમાંથી છટકી જવા તૈયાર થયેલા એપલને આ સ્થળ પર ગાઠવવામાં આપણા વિજ્ઞાનીઓએ કેવું જબરજસ્ત કૌશલ્ય દાખવ્યું તેની અને બીજી સૈદ્ધાન્તિક બાબતોની ચર્ચા હવે પછીના લેખમાં કરીશું. દરમિયાનમાં એટલું જણાવી દઉં કે મેદાનમાં ગાંડા થઈને દોડતા સાંઢની જેમ જરાક તક મળે તે અવકાશમાં ગમે ત્યાં ભાગી જવા તે તત્પર એવા જ્ય સિન્ક્રોનસ સેટેલાઈટને નાર્થીને યોગ્ય ખીલે બાંધવાની કળા કેનેડાના સુધીમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને વિજ્ઞાનીકોએ જ દાખવી છે જાપાને ૧૯૭૭માં જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ છેડેલા છે. ખરો પણ એની બધી ગોઠવણી અમેરિકાએ કરી આપી હતી. સૌથી પહેલા, કામ આપે એવા જિયોસિન્કોના સૅટૅલાઈટ ટેલસ્ટાર-૧ અમેરિકાએ ૧૯૬૨ ની ૧૦ મી જુલાઈએ છેડયા હતા અને રશિયાએ એ પછી ૧૧ વર્ષ એવા સેટેલાઈટ છેડયા હતા.
આજ
સમાચારોમાં સૌથી પહેલા જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ અમેરિકાને સિન્કોમ - ૧ હતો એવું પ્રગટ થયું છે. પણ એ ખોટુ છે. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ૧૪ મીએ જિયોસિન્ક્રોનસ ક્ક્ષામાં ગોઠવાયો હતો એ ખરું પણ એના પર કાંઈ ખાટકો થવાથી એણે કામ જ આપ્યું નહાતું - કોઈ પણ સિગ્નલ્સ એણે પરાવિત ર્યા નહોતાં.
આજ પૂરતું છેલ્લે એ જણાવી દઉં કે આ જ્યોસિન્ક્રોનસ સેટેલાઈટની જ્યારે કોઈ વિજ્ઞાનીને કલ્પના નહોતી ત્યારે એની શક્યતાઓ વિષે વિવરણ કરનાર એક વિજ્ઞાન લેખક પત્રકાર શ્રી. આર્થર ક્લાર્ક હતા. • જેમ ફ્રેન્ચ લેખક જુલે વર્ને, સબમરીનની જ્યારે કોઈને કલ્પના નહોતી ત્યારે દરિયાને તળિયે પ્રવાસ કરતી હોડીની ક્લ્પના કરી હતી તેવું જ આ શ્રી ક્લાર્કે કર્યું હતું. આ શ્રી ક્લાર્કે ઘણીવાર ભારત આવી ગયા છે. આપણે, સામાન્ય જનસમુદાયમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવામાં અગત્યના ફાળા આપનારને જે કલિંગ પારિતોષિક યુનેસ્કો દ્વારા આપીએ છીએ તે પારિતોષિક શ્રી ક્લાર્કને ૧૯૬૨માં મળ્યું હતું. થોડા મહિના પહેલાં જ તેઓ મુંબઈમાં હતા .
(કમશ: )
નકામી ચિંતા છે.ડા
ઈતિહાસને યાદ કરો. કેટલાય માણસેાએ કેવી કેવી વિપત્તિઓ સહન કરી અને કેટલાય લોકોએ કીતિની કમાણી કરી, પણ આજ એ બધા કર્યાં છે? એમની મોટાઈની અને વીરતાની વાત પણ બહુ થોડા માણસાને યાદ છે અને એ લોકોય અમુક દિવસે પછી એ પણ ભૂલી જશે.
નકામી ચિ’તાએ છાડો અને ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભકિતભર્યું જીવન વિતાવો. ગૌરવ એમાં જ છે. અહંકાર અને દંભ છેડો. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે એ ઘણુ જ ખરાબ છે.
–માર્કસ ઓરેલિયસ
ખ