________________
ન ૧-૮-૮૧
1.
પ્રબુદ્ધ જીવન.
૫૯
1 "
1_59 &<7
અવકાશના મિષ્ટફળ “ એપલ’ની મિષ્ટતા માણેા : નવા ઉપગ્રહની કથા ૬૬ પ્રાસ્તાવિક: આ આકાશ-કુસુમની વાત નથી. આ તો આકાશના મિષ્ટ સફરજનની – એપલની વાત છે. આપણે અવકાશી સંદેશટીઘૂંટીઓ પારના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને જેમ સમય જશે તેમ આ ક્ષેત્રની આંટીઘૂંટીઓ વધતી જશે. એટલે એ જેવી સરળ પડે એ હેતુથી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે. બહુજન સમુદાયને સમજ પડે એવી ભાષામાં, યાસિન્ક્રોનસ ઉપગ્રહોની વાત – એપલના સંદર્ભમાં – કહેવામાં આવશે. [] મનુભાઈ મહેતા ભ્રમણાનુસારી ઉપગ્રહ” છે. આપણે જ્યારે આપણી ભાષાની સ્પેઈસ ટર્મિનોલાજી—અવકાશ વિજ્ઞાન પરિભાષા – વિકસાવશું ત્યારની વાત ત્યારે છે. આજે તો ભદ્રંભદ્રી બનવા કરતાં યાસિન્ક્રોનસ શબ્દ જ મને વધારે જચે છે અને એમ તો “એપલ” શબ્દ પોતે પણ જુદા જુદા અંગ્રેજી શબ્દોના પહેલા અક્ષરો જોડીને બનાવેલા શબ્દ જ છે ને ? એરિયાન રોકેટ દ્વારા ઉપગ્રહ છેાડાયો એટલે એરિયાનનો “એ”; એ રોકેટ બીજાનું, પણ આપણે આપણે ઉપગ્રહ એમાં ગોઠવ્યો (અલબત્ત ઉપગ્રહ અવકાશમાં છેડવાની મફત સગવડ મળતી હતી એથી) એટલે આપણે ઉપગ્રહ. એ રોકેટમાં પ્રવાસી -- પેસેન્જર બની ગયો. એટલે પેસેન્જરના પી”, આ પેસેન્જર એ વૈજ્ઞાનિક ઉપકરણાવાળા ઉપગ્રહ હતો અને રોકેટોમાં મુકાતાં આવાં વૈજ્ઞાનિક ઉપકરણોને “પેલાડ” કહે છે એટલે એ “પેલાડ”ના “પી” અને “એલ” તથા આ રોકેટ પ્રાયોગિક હતું અને પ્રયોગ એટલે એકસપેરિમેન્ટ એટલે આ એકસપેરિમેન્ટનો “ઈ” એમ “એપીપીએલઈ ” એ શબ્દો ગોઠવીને એપલ શબ્દ બનાવવામાં આવ્યો અને આપણા ઉપગ્રહને એ નામ આપવામાં આવ્યું. એપલ એટલે સફરજન પણ થાય એટલે આ નામનું આકર્ષણ રહ્યું.
એકસપેરિમેન્ટ એટલ
|
4 = + ||*|| +
[૧]
હુમણાં જ એક ભાઈ સુરતથી આવ્યા. મને કહે “હવે સુરતમાં પણ ટી.વી. ખૂબ સ્પષ્ટ દેખાવા લાગ્યું છેપલને કારણે.” મને હસવું તો નહિ આવ્યું પણ એપલની મગીરી વિષે લોકોને કેટલી ઓછી જાણકારી છે એટલું તો એ ભાઈ સાથેની વાતચીત પરથી માલમ પડયું જ, એટલે જ મા લખવા પ્રેરાયો છું.
એપલ પરથી જે ટી.વી. કાર્યક્રમો પરાવર્તિત કરવામાં આવશે તે કાંઈ એમને એમ તમારા ટી. વી. સેટમાં ઝીલી શકાશે નહિ. એને માટે ટી.વી. સેટમાં એપલની ટ્રિકવન્સી ઝીલે એવી ખાસ વ્યવસ્થા હોવી જોઈએ અને સેટેલાઈટ પરથી આવતા સિગ્નલો ઝીલવા માટેના ખાસ એન્ટેના હોવા જોઈએ. મુંબઈમાં પણ આઝાદી દિનના કે પ્રજાસત્તાક દિનના ખાસ કાર્યક્રમો “એપલ” ારા સીધા (લાઈવ) દેખાડવાની જે યોજના થઈ છે તે પણ દિલ્હીના
ઈસ્ટેશન તથા મુંબઈમાં મુકાનારા એક હાલતાં ચાલતા “અર્થસ્ટેશન”ની સહાયથી જ શકય બનશે. દિલ્હીનું અર્થસ્ટેશન એપલ પર ટી.વી. સિગ્નલો મોકલશે, એપલ' એ' સિગ્નલ આપણા આખા દેશ પર અને બંગલાદેશ, 'સિલાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ વગેરે પાડોશી દેશ પર પણ ફ્લાવશે. મુંબઈમાં એ સિગ્નલો, ટ્રક પર બેસાડેલું પોર્ટેબલ અર્થસ્ટેશન એ ઝીલી લેશે, પછી મુંબઈના ટેલિવિઝન કેન્દ્રને એ સિગ્નલો પૂરાં પાડશે અને પછી મુંબઈનું કેન્દ્ર પોતાની નિર્ધારિત ચેનલ પર એ સિગ્નલા પ્રસારિત કરશે, એટલે તમારા ટી.વી. સેટમાં, કાર્યક્રમ દેખાશે. અલબત્ત, આ બધું સેકન્ડના ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) કિલોમીટરની ઝડપે પ્રવાસ કરતાં માઈક્રોવેવ દ્વારા થશે એટલે દિલ્હીમાં પરેડ ચાલતી હોય તે દશ્ય લગભગ તરત જ તમને મુંબઈમાં જોવા મળશે. બંગલાદેશ, મિલાન, પાકિસ્તાન વગેરે દેશોને પણ જો આ કાર્યક્રમ જોવા હશે તા પોતપોતાના અર્થસ્ટેશન દ્વારા “એપલ”ના સિગ્નલો ઝીલીને, પોતપાતાના ટી.વી. ટ્રાન્સમીટરો દ્વારા એ પ્રસારિત કરી શકશે. જો કે આવું કંઈ બને એમ હું માનતો નથી. એક તો એ દેશ પાસે અર્થસ્ટેશન ટમિનલો છે કે કેમ તેની મને ખબર નથી અને હોય તો પણ એ આપણા કાર્યક્રમ જોવાની તકલીફ શું કામ લે? ‘એપલ’ની ની કામગીરી અંગેના આ ખુલાસા પછી આપણે ની ‘એપલ’ની વાત માંડીને કરીએ. એપલ એ એક યાસિન્ક્રોનસ સેટેલાઈટ છે. જીયોસિન્ક્રોનસ માટે “ભૂસ્થિર” શબ્દ હમણાં હમણાં વપરાવા લાગ્યો છે, પણ મને એ ગમતા નથી કારણ કે આ જગતમાં ઈ પણ વસ્તુ સ્થિ તો છે જ નહિ એ વાતને બાજુએ રાખીએ તો પણ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ફરે તો છે જ. ફેર માત્ર એટલો જ છે કે પૃથ્વીની, પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે તે ગતિથી જ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ક્રૂરે છે એટલે એ એકને એક કેન્દ્ર પર સ્થિર છે એવા ભાસ • થાય છે. એટલે કહેલું હોય તો કહી શકાય કે આ ઉપગ્રહ “ભૂઅક્ષ
1
અત્રે એ જણાવી દેવાની જરૂર છે કે એપલ એમ તો અવકાશના એક ચોક્કસ કેન્દ્ર પર સ્થિર દેખાય, પણ એને પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટ તો લાગ્યા જ કરે અને એથી એને જ્યાં ગોઠવ્યો છે ત્યાંથી આજુબાજુ ખસવાની એ ચેષ્ટા કર્યા જ કરે. આવી ચેષ્ટા કરતા એને રોકવા માટે, એને ચાક્કસ દિશામાં જોતા રાખવા માટે એના પર હાઈડ્રાઝીનથી ચાલતાં ખૂબ નાનકડાં રોકેટો ગોઠવવામાં આવેલાં છે. એ જરાક ખસેલે જણાય તો એને મૂળ સ્થાને લાવવા માટે આ રોકેટો ફોડવામાં આવે છે. આ હાઈડ્રાઝીનનું બળતણ આવા જીયોસિન્ક્રોનસ સેટેલાઈટ પર મર્યાદિત પ્રમાણમાં
મૂકી શકાય છે, એટલે એ બળતણ પૂરું થઈ જાય પછી એ
ગ
Y
#
નકામા થઈ જાય છે. અત્યાર એપલથી સુધીમાં, મોટા વીસ જેટલા જીયોસિન્ક્રોનસ ઉપગ્રહો છેડવામાં આવેલા છે, પણ એમાંના કોઈ પાંચ-છ વર્ષથી વધારે કામ લાગે એવા નથી એમ. વિજ્ઞાનીઓ માને છે. પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટ આવા ઉપગ્રહોને લાગતી ન હોત અને ઉપગ્રહ કાયમને માટે ચોક્કસ અવકાશી સ્થળે ટકી રહેતા હોત તો ઉપગ્રહ સૂર્યશકિતથી ચાલતો હોવાને કારણે દીર્ઘકાળ સુધી કામ આપ્યા કરત. પૃથ્વીના પરિઘ ’ લગભગ ‘પચ્ચીસ હજાર માઈલના છે અને ૨૪ કલાકમાં પૃથ્વી પોતાની ધરી પર એક આખું ચંક્કર મારી લે છે એટલે એની અક્ષ-ભ્રમણની ગતિ કલાકના હજારેક માઈલની“ થઈ. એપલ પણ આ કલાકના હજારેક માઈલની ગતિથી પૃથ્વીની ફરતે ફરે છે.' આ ગતિ ઉપરાંત એના પર પૃથ્વીના અક્ષ-ભ્રમણની અને બીજા એવાં બળોની જે અસર થાય છે તેનાથી એપલનું રક્ષણ કરવા માટે એના પર સતત નજર રાખવી પડશે અને આ બધું કરવા છતાં પણ એપલનું આયુષ્ય વધુમાં વધુ બે વર્ષનું હોઈ શકે એમ ‘માનવામાં આવે છે. ઈસરો એટલે “ઈન્ડિયન સ્પેઈસ
ઉપગ્રહ