SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ન કરી શક્યા તે કામ ગાંધીજીની તપશ્ચર્યાથી થયું. Gandhiji was the greatest reformer of the Hindu Society. અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણું થયું છે તે સ્વીકારવું જોઈએ. કાયદાથી નાબૂદી થઈ જ છે, પણ વ્યવહારમાં પણ સારા પ્રમાણમાં ફેર પડયે છે અને માનરાપરિવર્તન થયું છે. છતાં ઘણું કરવાનું બાકી રહે છે. હરિજન એટલા જાગ્રત થયા છે અને અધીરા થયા છે કે વિલંબ સહન કરી શકે તેમ નથી. પ્રબુદ્ધ પણ એ સ્પષ્ટ થવું જોઈએ 'કે' ધર્મપરિવર્તન કરીને હરિજને કોઈ લાભ મેળવવાના નથી. તેમના દુ:ખનું મૂળ, અસ્પૃશ્યતા કરતાં; ગરીબાઈ વધારે છે. આ દેશના કરોડો માણસા એવા જ ગરીબ છે, મુસલમાન કે ખ્રિસ્તી થઈને તે ગરીબાઈ કે વિટંબણા દૂર થવાનાં નથી તે હકીકત હરિરો અને તેમના આગેવાનોએ સમજી લેવી કે જોઈએ. હિન્દુ સમાજે ઘણું પ્રાયશ્ચિત કરવાનું રહે છે પણ હરિ જનાને લાંચ કે લાલચ આપીને હરિજનોને કે હિન્દુ સમાજને લાભ થવાનો નથી. !!!! આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયત્ન મુસલમાને કોઈ વર્ગ કે જમાત કરશે તો મુસલમાનોને પણ હાનિ થવાની, તે તેમણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આપણે દેશ અને બંધારણ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષા છે, તેના અર્થ એવા નથી કે 'વટાંતર પ્રવૃત્તિને રાહન કરી ‘લે. ભારતીય ધર્મ-હિન્દુ, જૈન કે બુદ્ધ ધર્મ-અત્યંત સહિષ્ણુ છે. ધર્માન્તર કરાવવામાં આ કોઈ ધર્મ માનતા નથી. ગાંધીજીને માર્ગદર્શન આપ્યું ત્યારે શ્રીમદે તેમને જૈન થવાનું ન કહ્યું. હિન્દુ ધર્મના યોગવાશિષ્ટ અને અન્ય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવા કહ્યું. સૌ પેાતાના ધર્મમાં સ્થિર રહે અને હિન્દુ સાચા હિન્દુ થાય, જૈન સાચે જૈન થાય, ખ્રિસ્તી સાચા ખ્રિસ્તી થાય એ ભાવના છે. પણ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો વટાંતર પ્રવૃત્તિમાં માને છે એટલું જ નહિ પણ આક્રમક રીતે તેવી પ્રવૃત્તિ કરે છે. ભય, ધમકી, લાંચ-લાલચ, રાજસત્તા અને ખ્રિસ્તી મીશનરીઓમાં ખાસ કરી માનવસેવા આવાં સાધનોના ઉપયોગ કરતાં સંકોચ અનુભવતા નથી. આ દેશમાં હવે આવી પ્રવૃત્તિ સહી નહિ લેવાય તે સ્પષ્ટ થવું જોઈએ. મુસલમાનેનું રક્ષણ કરવા ગાંધીજીએ પોતાના પ્રાણ આપ્યા. પાકિસ્તાનમાં કોઈ હિન્દુ રહી ન શકયા. ભારતમાં કરોડો મુસલમાન સ્વમાનપૂર્વક સલામતીથી રહે છે, પણ મુસલમાને એ સમજી લેવું જોઈએ કે તેઓ ભારતમાં રહે છે, તેમની વફાદારી ભારત પ્રત્યે છે અને હેવી જોઈએ. ધર્મને નામે અન્ય દેશ પ્રત્યે તેમની વફાદારી રહે કે હેાય તે ઈષ્ટ નથી. જીવન ક · તા. ૧-૮-૮૧, કરે તે પણ ખાટું છે. સૌ ભારતવાસી છે અને પોતપોતાના ધર્મમાં સ્થિરતાથી, નિર્ભયતાથી રહે તે આપણી ભાવના છે. ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિ બ્રિટિશ રાજ્ય દરમિયાન ઘણી ચાલી. કરોડો લોકો ખ્રિસ્તી થયા. હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનો, પણ મેટા ભાગના એવા ધર્માન્તરથી મુસલમાન થયેલ છે. હરિજનો, આદિવાસીઓ કે બીજ કોઈ વર્ગની ગરીબાઈ કે અસંતોષને લાભ લઈ કોઈ સમાજ વર્ગ, વટાંતર પ્રવૃત્તિ ક૨ે તે સ્વતંત્રતાનો દુરૂપયોગ છે. ડા. આંબેડકરને ઘણું સહન કરવું પડયું હતું. તેમના અંતરમાં ઘણી કડવાશ-સકારણભરી હતી, પણ વિદ્રાન હતા. હરિજનોને બુદ્ધ ધર્મ અંગીકાર કરવા કહ્યું પણ મુસલમાન કે ખ્રિસ્તી થવા ન કહ્યું. બુદ્ધ ધર્મ કે જૈન ભારતીય ધર્મ છે. બન્ને સહિષ્ણુ છે. ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામિક ઝનૂનનું માજું ઝેરથી ફૂંકાય છે. ઈરાને ધર્મ, મધ્યપૂર્વના આક્રમક છે. વટાંતર કરાવવામાં માને છે. આ દેશમાં એ નહિ ચાલે. દેશમાં તેની આગેવાની લીધી છે. પાકિસ્તાન, બંગલાદેશને, એ પવનના સ્પર્શ થઈ રહ્યો છે. ભારતને તેનાથી બચાવવું જોઈએ. વડા પ્રધાને કહ્યું છે કે આ ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ થાય છે તેમાં વિદેશી નાણું, ખાસ કરી આરબ દેશેમાંથી આવેલ નાણાંના ઉપયેગ યા હોવાનો સંભવ છે. સરકારે આ હકીકતની ગંભીર નોંધ લેવી જોઈએ. ભારતના બધા નાગરિકોના ધર્મ છે કે ભારતમાં સાચી રીતે સર્વધર્મ સમભાવ જાગ્રત રહેવા જોઈએ. હિન્દુ સમાજે અસમાનતાની ભાવના જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ. રાજકીય કારણે થી, રાજકીય પક્ષોએ મુસલમાનોને પંપાળ્યા છે. તેને ગેરલાભ ઉઠાવવા કોઈ પ્રયત્ન તેમણે કરવા ન જોઈએ. હિરજનોને મુસલમાન બનાવવામાં કોઈ સાથ આપે તે પેાતાનું જ અહિત કરે છે. આમ કહેવામાં, હિન્દુ સમાજના મેટા દોષો ઢાંકવાને મારા કોઈ ઈરાદો નથી. દેશના ભાગલા સ્વીકાર્યા ત્યારે એવી આશાએ કે હિન્દુ-મુસ્લિમ પ્રશ્નને નિકાલ થાય છે. મુસલમાનેને સંતેષ થશે અને આપણે શાન્તિથી રહી શકીશું. ભારતમાં કરાડો મુસલમાન છે. હજી પણ તેમની સંખ્યા વધશે. તેમણે આ દેશના વતની થઈને રહેવાનું છે. હિન્દુ ધર્મની કે સમાજની એ નિર્બળતા છે કે તે પેાતાના બારણાં બંધ જ રાખે છે. તેમાં કોઈને પ્રવેશ મળતો નથી અને તેમાંથી બહાર ગયા પછી સદાને માટે દ્વાર બંધ થાય છે. આર્યસમાજે શુદ્ધિની પ્રવૃત્તિ કરી જોઇ. જનસંઘ, હિન્દુમહાસભા કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, પ્રત્યાક્કાતરૂપે હિન્દુ રાષ્ટ્રની વાત સર્વે જના: સુખીનો ભવન્તુ, સર્વે રાન્તુ નિરામયા : સર્વે ભદ્રાણિ પક્ષ્યન્તુ, નકશ્ચિત દુ:ખમાપ્નું યાત્ ભારતવર્ષની સદા આ ભાવના રહી છે. હરિજન કે અસ્પૃશ્યો પ્રત્યેનું વર્તન સમાનભાવનું, માનવતાનું, ભ્રાતૃભાવનું રહેવું જોઈએ, પણ અધીરાઈથી કે અજ્ઞાનતાથી ધર્મપરિવર્તન કરી, હરિજનો પણ, આ સમાનતા કે ભ્રાતૃભાવ અથવા ગરીબીમાંથી મુકિત પામવાના નથી એ પણ તેમણે સ્પષ્ટપણે સમજવું જોઈએ. હિન્દુ ધર્મના બધા સંપ્રદાયાના ધર્મગુરુઓની ખાસ ફરજ છે કે હિન્દુ સમાજને તેના સાચા ધર્મનું ભાન કરાવે અને હરિજન પ્રત્યે થતા અન્યાયને રોકે. સંસારની પ્રવૃત્તિ સાથે અને સામાજિક વ્યવહારો સાથે પેાતાને કોઈ સંબંધ નથી એવા સંકુચિત આધ્યાત્મિક કોચલામાંથી બહાર આવી, હિન્દુ સમાજનું શુદ્ધિકરણ અને સાચા ધર્મની પ્રતિષ્ઠા માટે કટિબદ્ધ થાય. પોતાની જાતને પ્રગતિશીલ માનતા હિન્દુઓ તેમાં જૈન, બુદ્ધ, શીખ બધાનો સમાવેશ કરું છું. જાગ્રત થાય અને કહેવાતા આર્થિક, ભૌતિક અને સામાજિક લાભ માટે થતા ધર્મપરિવર્તનથી થતી હાનિ પ્રત્યે સમાજને જાગૃત કરે. હરિજના અને તેમનાઆગેવાના પણ આવેશ વિના, આ બધા વિચાર કરે. ૨૮-૭-૮૧ સુખ માટેની ઝંખના માનવમાત્રમાં સુખ માટેની એક ઝંખના વસેલી છે. એ ઝંખનાને જો અતિમાનસની પરમ સમૃદ્ધિ માટેની અભિપ્સામાં પલટી લેવાનું જ્ઞાન દરેક માણસને થઈ જાય તે તેટલું પણ બસ થયું ગણાય. અને આ માટે, પ્રાણની કેળવણીને જો ખંતપૂર્વક અને સાચા દિલથી ખૂબ ખૂબ આગળ વધારવામાં આવે તો પછી માનવના જીવનમાં એક એવી ક્ષણ જરૂર આવે છે કે જયારે પ્રાણને પૂરી ખાતરી થઈ જાય છે કે અરેં, મારી સમક્ષ તે આ એક ઘણું મહાન, ઘણું સુંદર ધ્યેય આવી રહેલું છે અને એ પ્રગતિ થઈ ગયા પછી પ્રાણ પરમાત્માના દિવ્ય આનંદને પ્રાપ્ત કરવા માટે સજજ બને છે અને ઈન્દ્રિયાની ક્ષુદ્ર અને ભ્રામક તૃપ્તિએને સર્વથા પડતી મૂકી દે છે. શ્રીમાતાજી
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy