SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા, ૧૬૭-૮૧ પ્રબુધ્ધ જીવન मेघदूत [] પ્રેા, અરુણ જોષી કવિતા કામિનીનો વિલાસ એટલે મહાકવિ કાલિદાસ એમ કહીને, જયદેવે પ્રસસરાષવ નામના સંસ્કૃત નાટકમાં કવિ કુલગુરુ કાલિદાસને સુયોગ્ય લિ આપી છે. રસસિદ્ધ કવિ કાલિદાસના યશદેહને અમરતા બક્ષવામાં જેટલા ફાળા શાકુન્તલને કે રધુવંશનો છે, તેટલા જ, બલ્કે વિશેષ ફાળા મેઘદૂતનો છે. મેઘદૂત નામના આ ઊર્મિકાવ્ય અથવા ખંડકાવ્યની મેહિનીથી અનેક સાહિત્યરસિકોને અવર્ણનીય આનંદ પ્રાપ્ત થયા કર્યા છે. કથનની દષ્ટિએ જોઈએ તો મેળવૂલનું અત્યંત અલ્પ પ્રમાણનું કથાનક આ પ્રમાણેનું છે; પેાતાની ફરજમાંથી ભ્રષ્ટ થવાને કારણે, અલકનિવાસી યક્ષને તેના સ્વામી કુબેરે શાપ આપ્યો. પરિણામે તે યાને, પેતાની પત્નીથી એક વર્ષ માટે વિખૂટા પડવાનું થયું એટલું તે ખરું જ પણ તે મહિમા પણ નષ્ટ થયો. વિરહને અસહ્ય કાળ, રામગિરિના આામેામાં તે પસાર કરતા હતા તેવામાં, અષાઢ માસની શરૂઆતમાં, તેણે એક વાદળને પર્વતના શિખરને આશ્લેષીને રહેલું જોયું. વિરહની વેદના વેઠતી પેાતાની પ્રિયતમાના કુન્નુર સદશ જીવનને ટકાવી રાખવાની તીવ્ર ઈચ્છા યક્ષના મનમાં જન્મી અને પરિણામે, સંતપ્તાના શરણરૂપ મેધ સાથે, કુશળતાના સંદેશા પાઠવવાનો તેણે સાંકલ્પ કર્યો, પ્રશ્ન થાય કે, મેઘ કંઈ સંદેશા લઈ જાય? કવિએ કારણ આપતાં જણાવ્યું છે કે વામાŕ: fહ પ્રકૃતિવના: ચેતન ચેતનેવુ અર્થાત્ કામથી પીડાયેલા માનવા ચેતન અને અચેતન વચ્ચેને ભેદ પારખી શકતા નથી. યક્ષ પણ કામાર્ત હતા. તેણે મેઘને રામગિરિથી પેાતાના, હિમાલયની ગાદમાં રહેલ, નિવાસસ્થાન સુધીના માર્ગ વિગતે દર્શાવ્યો, પેતાની પત્નીની વિહાલની પ્રવૃત્તિઓનું બયાન કરી બતાવ્યું અને છેવટે પોતાની પ્રિયતમાનું સઘ:પતિ જીવન ટકી રહે એવા, કુશળ સંદેશ પણ પાઠવ્યા. સંદેશ લઈ જનાર મેધને, પોતાની પત્ની વિદ્ય તથી કદિ વિરહ ન થાય એવી નિજદયની શુભેચ્છા પણ વ્યકત કરી. આવા ટૂંકા થાનકવાળા આ કાવ્યમાં, વિરહવ્યથા અનુભવતી યક્ષપ્રિયાનું અને તેની પ્રવૃત્તિઓનું વર્ણન કરીને, કવિએ માનવભાવા અંગેનું પેાતાનું સૂક્ષ્મ જ્ઞાન પ્રકટ કર્યું છે. પ્રાચીન ભારતના ઉત્તરપ્રદેશ ઉપર મંદાક્રાન્તા છંદમાં વહેતા જીવન રન્નેાતે,અનેક સાહિત્યરસિકોને મંત્રમુગ્ધ કર્યા છે અને મહાકવિના મહિમાને દિગંત વ્યાપી કર્યા છે. આવી સુંદર કાવ્યકૃતિ સર્વથા મૌલિક હશે ? કવિએ તે એ અંગે કંઈ જણાવ્યું નથી. કાલિદાસની ‘શાકન્તલ’ આદિ અન્ય કૃતિઓ તપાસતાં જણાય છે કે કવિએ પાતાની કૃતિઓનું બીજ, પ્રાચીન ગ્રંથેામાંથી પ્રાપ્ત કર્યું છે અને પછી, કલ્પનાના સાથિયા પૂરીને, પ્રતિભાના ચમકારાથી સ્થૂળ લાગતા કથાનકને અલૌકિકતા અર્પી છે. ‘મેઘદૂત’નું બીજ અથવા આદિ કારણ તપાસીએ તે!, ‘બ્રહ્મ વૈવર્ત પુરાણ'નું કથાનક આવશ્યક સામગ્રી પૂરી પાડે છે. તે પુરાણમાં આવતી વાત મુજબ, શિવાલયમાં શંકરની આરાધના કરતા કુબેરે, પુષ્પા લાવવાનું કામ, હેમમાલી નામના યક્ષને સેકંપેલું. પોતાની પ્રિય પત્ની, વિશાલી નામની યક્ષિણીના, મેહપાશના ઘેનમાં મગ્ન બનેલા યક્ષ, સ્વામિની ફરજ બજાવવાનું ભૂલી જાય છે. આથી કોપયમાન થયેલ કુબેર, યક્ષને શાપ આપે છે અને પરિણામે તે કોઢ!ગ્રસ્ત બની જાય છે. આ નાનકડા કથાનકને, મેઘદૂતનું મૂળ ગણી શકાય. તેમાં હનુમ્નને દૂત બનાવવાના પ્રસંગની વાલ્મીકિની યેજનાને અનુલક્ષીને અને પોતાને થયેલ કોઈ સમાન અનુભૂતિને સંમિશ્રિત કરીને મહાકવિ કાલિદાસે, ‘મેઘદૂત’ની રચના કરી હોય એમ માનવામાં ઔચિત્યભંગ થતો નથી. કાલિદાસની આ અમર રચનાથી માહિત થયેલા અનેક કવિાઓ, અનુકરણનો માર્ગ અપનાવી આ પ્રકારનાં અનેક સંદેશ કાવ્યાનું સર્જન કર્યું. તેમાં ઘટકર્પર, વિક્રમ કવિ, વામન ભટ્ટ વગેરેની કૃતિઓ નોંધપાત્ર છે; પરંતુ આ બધાં અનુકરણાથી વિલક્ષણ અને મેઘદૂતના અનુસંધાનમાં જાણે કે લખાયું હાય એવું, મેષપ્રતિસંવેશ નામનું કાવ્ય અનેરી ભાત પાડે છે. અનેક અલકારોથી મંડિત આ કાવ્યના કર્તા રામશાસ્ત્રી દાક્ષિણાત્ય છે, મંદિલ નામના સ્થાનમાં તેઓએ આ કાવ્યનું સર્જન કરી મેક્ષમૂલર જેવા વિદેશી વિદ્રાના અને કૃપણરાજ જેવા ભારતીય વિદ્વાનેની પ્રશંસા ઈ. સ. ૧૮૫૦ના ગાળામાં પ્રાપ્ત કરી હતી. ૫ કાલિદાસ રચિત મેઘદૂતમાંથી, આપણને જાણવા મળે છે કે યક્ષે પેત'ની પ્રિયતમાને ધૈર્ય ધારણ કરાવવા માટે, કુશળતાને સંદેશા પાઠવ્યા હતા. પેતાની પ્રિયતમાના વળતા સંદેશથી, પેાતાને પણ આશ્વાસન પ્રાપ્ત થશે એવી આશા પણ, યક્ષને હતી જ. પણ યા પ્રિયાએ સંદેશે મેક્લ્યો કે નહીં ? આ અંગે કાલિદાસે, વાચકને કલ્પનાના આધારે વિહરતા રાખ્યો. એ કલ્પનાને સાકાર કરતું કાવ્ય, એટલે જ, શ્રી રામશાસ્રી કૃત ‘મેઘપ્રતિસંદેશ.' આ અભિનવ રચનાનું કથાનક આ પ્રકારનું છે. યક્ષના સંદેશસ્થન દ્વારા, ચાલુકામાં આવી પહોંચેલ મેઘ, યાપ્રિયાને પ્રસન્ન કરે છે, બંને વચ્ચે, યાની કુશળતા અંગે વિગતપૂર્ણ વાર્તાલાપ થાય છે. મેધની દિવ્યતાથી યક્ષપ્રિયા પ્રભાવિત થાય છે અને પેાતાના સંદેશા મેઘ, યક્ષને પહેોંચાડશે એવી આશા વ્યકત કરે છે. એ પ્રતિદેશમાં, યક્ષપ્રિયા, યક્ષના સદ્ ગુણેનું નિરૂપણ કરે છે. વિરહવ્યથા ખૂબ જ અસહ્ય બની છે એમ જણાવે છે. આવું ભારે દુ:ખ ભાગવવું પડયું એ માટે પે!તે પણ જવાબદાર હેવાથી પશ્ચાત્તાપ વ્યકત કરે છે. યક્ષ વગરનું ભવન નિસ્તેજ બન્યું છે ચોમ કહી, અભિશાનની ગરજ સારે એવી અંગત જીવનની વાતો પણ મેઘને કહે છે અને અંતે બંનેનું મિલન શાતાથી થાય, એવી પ્રાર્થના કરે છે. વિરહ વ્યથાથી પીડાઈને યક્ષો, રામગિરિનું સ્થાન તજી દીધું હશે એમ માની, સમગ્ર ભારતના કોઈ શાત ભાગમાં તે રહેલા હશે, તેથી ભારતના વિવિધ પ્રદેશાનું વર્ણન કરી, પેાતાના સ્વામિને ગમે ત્યાંથી શેાધીને, કુશળતાને સંદેશ પહોંચાડવા આગ્રહભરી વિનતિ કરે છે. આ રીતે મેઘ સહાયભૂત થશે તેથી સહાય કાર્યના બદલામાં સાનિયા સદવિચર તે સન્તુ સfrSxત્તિ કહી, મેઘનું કલ્યાણ પણ વાંછે છે. યક્ષા દંપતીની વિરહવ્યથાને ખ્યાલ આવતાં, યા મિ કુબેર, અનુકંપાથી પ્રેરાઈ, પેાતાના રથ યાને પાછા બોલાવી લાવવા માટે રવાના કરે છે અને આખરેં વિરહી યુગલની વ્યથાના અંત આવે છે. આ કથાનક દ્વારા, સ્પષ્ટ થાય છે કે ‘મેઘદૂત’ની પૂર્ણ રહેલી કથાને સંપૂર્ણ રીતે રજૂ કરવા માટે, રામશાસ્રીએ પ્રયાસ કર્યો છે. કવિ કાલિંદાસને પણ, આવા પ્રતિદેશ અભિષ્ટ ‘હતા એમ કહી શકાય કારણ કે પેતાની રચનામાં, યાના મુખે કાલિદાસે જણાવ્યું છે કે ર્. પોષિ:: માવિ..ગોવિત પ્રાર્થેયાઃ અર્થાત્ હું મેઘ, તેણીના ઉત્તરથી મારા જીવનને પણ તું ટકાવી રાખવા કોશિશ કરજે, 7
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy