SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૦ પ્રથમ વન શાસન કાનું? લેાકશાહીનું કે, માવ – જૂથાનું ? - એ “રોલ ઓફ પ્રેશર - ગ્રૂપ્સ ઈન કૉન્ટેમ્પરરી પોલિટિકસસમકાલીન રાજકારણમાં દબાવ જૂથોનો હિસ્સો ” વિષય પર હમણાં જ લંડનમાં એક રસપ્રદ ચર્ચા થઈ ગઈ. ચર્ચામાં પાર્લામેન્ટના સભ્યે, જાણીતા પત્રકારો અને ઉદ્યોગપતિએ વગેરેએ ભાગ લીધા હતા. ચર્ચાને અંતે લગભગ સર્વસમ્મત ગણાય એવા એક અભિપ્રાયે આકાર લીધા હતા. એ અભિપ્રાય એવો હતો કે, હવે આપણે પ્રેશરગ્ન પ્સની - દબાવ – જૂથાની પકડમાંથી મુક્ત થઈ શકીએ એમ નથી. એ હવે આપણા રાજકારણનું એક અંગ બની ગયાં છે. આ અભિપ્રાયના સંદર્ભમાં પાર્લામેન્ટના સભ્ય મી. કોરીએ તે એવી સનસનાટીભરી જાહેરાત પણ કરી હતી કે હવે બ્રિટનમાં લાકોને પાર્લામેન્ટમાં વિશ્વાસ રહ્યો નથી. તેમનું કામ પાર્લામેન્ટ કરી શકે એમ નથી. તેમણે જો કામ કરાવવું હોય તો કોઈને કોઈ પ્રેશર ગ્રુપ પાસે જ જવું જોઈએ. દબાવ—જૂથો કેમ કામ કરે છે તેના કેટલાક દાખલાઓ જે ચર્ચા દરમિયાન રજૂ થયા હતા તે પણ રસપ્રદ હતા. બ્રિટનમાં ટ્રાફિકની સમસ્યા વરસાથી જટિલ બનતી આવી છે. આ સમસ્યાને હલ કરવા દેઠ ૧૯૭૨ માં બ્રિટિશ સરકારે એક યોજના ઘડી હતી. એ યાજનામાં અમુક વિસ્તારનાં ચોક્કસ મકાનો તોડી પાડવાનાં પગલાંનો પણ સમાવેશ થતો હતો. હવે આ મકાનમાં રહેનારાઓએ પાર્લામેન્ટનાં ચોક્કસ સભ્યોનો સંપર્ક સાધીને એક દબાવ – જૂથ ઊભું કર્યું. “હોગ્સ, નોટ રોડઝ” - “અમારે મકાનો જોઈએ રસ્તા નહિ" - એવું સાહામણું લાગતું સૂત્ર પેાતાના મુદ્રાલેખ માટે પસન્દ કર્યું અને આન્દોલન શરૂ કર્યું. હવે બ્રિટનની સરકારની છેલ્લાં થોડાં વરસાની પરિસ્થિતિ એવી છે કે કોઈ ઝાઝી ઉહાપાઉં ટાળી દેવાની જ એની વૃતિ હોય છે, એટલે એણે આન્દોલન સામે નમતું મૂક્યું, અને રસ્તા બાંધવાની યોજના ખારબે પડી. પેલા મકાનોમાં રહેનારાઓને લાગ્યું કે પાર્લામેન્ટ નહિ પરન્તુ તેમણે રચેલાં દબાવ જૂથે જ તેમને યારી આપી. અંગેની વળી પાછા ૧૯૭૪ માં બ્રિટિશ સરકારને ટ્રાફિક સુધારવા માટેનો કીડો સળવળ્યો અને આ વખતે તેમણે રસ્તાઓ પર જુદાં જુદાં વાહનો માટેની જૂદી જૂદી લાઈન રાખવા પ્રવર્તમાન વ્યવસ્થામાં ફેરફાર સૂચવતી યોજના ઘડી. આ યોજના સામે વળી ટેક્સીવાળાઓના અને બસવાળાઓને વિરોધ ઊભા થયા અને આ લોકોના દબાવ–જૂથે આ બીજી યોજના પણ ખાર ભે પાડી. આજે બ્રિટનના ટ્રાફિકની પરિસ્થિતિ ૧૯૭૨ માં હતી તેના કરતાં પણ ખરાબ છે, કારણ કે દબાવ જૂથાના આ કે તે દિશામાંથી આવતાં દબાણને કારણે કોઈ પણ જરૂરી સુધારા બ્રિટિશ સરકાર કરાવી શકી ના. અને દબાવ—જૂથોની લાગવગ હવે બ્રિટનમાં એટલી બીવધી છે કે, રોયલ સાસાયટી ફોર ધી પ્રિવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનીમલ્સ - પ્રાણીઓ પ્રત્યે દાખવાતી ક્રૂરતા અટકાવવા માટેની શાહી સમિતિને પણ પાર્લામેન્ટ પાસે અને સરકાર પાસે પોતાનું કામ કઢાવવા માટે એક ખાસ પ્રચારક રાખવા પડ્યા છે. આ પ્રચારક પાર્લામેન્ટના સભ્યોને, સરકારના સભ્યોને મળે અને મિતિની વધારે નાણાં માટેની કે એવી બીજી માગણીઓ માટે લાગતાવળગતાઓની સહાનુભૂતિ અને સહકાર મેળવવાના પ્રયત્ન કરે. ટૂંકમાં એ પણ સમિતિની તરફેણમાં એક દબાવ—જૂથ ઊભું કરે. બને છે. વૃત્તપત્રો અંગે પણ આવાં દબાવ – જૂથા ’ પ્રવૃત અને ઉદ્યોગા અંગે તે ટ્રેડ યુનિયન રૂપી દબાવ–જૂથોના પ્રભાવ ઘણા જ છે એવું પણ ચર્ચા દરમિયાન બહાર આવ્યું હતું. ચર્ચામાં ભાગ લેનાર લગભગ બધાએ કહ્યું હતું કે આ દબાવજૂથોની પેદાશ અમેરિકાની છે અને હવે લગભગ બધા જ દેશોમાં એની નિકાસ થઈ ચૂકી છે. t..... હા, સાચી વાત. મને તે લાગે છે કે, આપણા દેશમાં તો એની નિકાશ જ નહિ ડમ્પીંગ થયું છે. (ડમ્પીંગ એટલે ઢગલા બંધ માલ ઠાલવી દેવા તે) લાયસન્સ આપવા માટે તુલમેાહન રાયે રચેલાં • દબાવ જૂથની વાત તે! જૂની થઈ ગઈ. આજે તો સાંજ્ય ગાંધીજેના કેન્દ્રમાં છે તે એક મેટું દબાવ–જૂ થ જ જાણે દેશના કારોબાર ચલાવી રહ્યું છે. નહિ તે સંજ્ય ગાંધી જેઓ એક સામાન્ય અને જૂનિયર સંસદ સભ્ય છે, તેઓએમ કઈ હેસિયતથી કહી શકે કે મારી મુલાકાતથી જે આસામની પરિસ્થિતિ સુધરે એમ હેય ત હું આસામ જવા તૈયાર છું! તે પણ દિલ્હીમાં જેમ સાંજ્ય ગાંધીનું એક વજનદાર દબાવજૂથ છે તેમ દરેકે દરેક રાજ્યમાં નાના મેટાં વજનના દબાવ–જૂથે છે. ગુજરાતમાં રતુભાઈ અદાણીનું એક દબાવ – જૂથ, માધવસિંહ સોલંકીનું બીજું દબાવ જથ મહારાષ્ટ્રમાં વસન્ત દાદા પાટિલનું એક દબાવ – જૂથ ! પ્રેમલાતાઈ ચવ્હાણનું બીજું દબાવ જૂથ. ઝુંપડપટી શહેરોના દેહને અનેક રીતે રોગિ બનાવે છે છતાં એ ઝુંપડપટ્ટીના મતો રાજકારણીઓને કામ લાગે છે. એટલે ‘ઝુંપડપટ્ટી બચાવ - દબાવ–જૂથો’ પણ ઠેરઠેર રચાયાં છે. મુંબઈમાં જે દબાવ—જૂથા પ્રવૃતિશીલ છે તેની જો ગણનરી કરીએ તે સારી જેવી રાંખ્યા થાય. રસ્તાના નામે ન બદલવાના પ્રશ્નથી માંડીને થળ - વાઈશેટ ખાતે ખાતરનું કારખાનું ન નાખવાના પ્રશ્ન સુધી લાગતા વળગતાઓ પર દબાવ લાવવા માટેનાં દબાવ—જૂથો રચાયાં છે. અને કોઈ પણ પ્રશ્નનો નિર્ણય હવે રાષ્ટ્રિય હિતની દષ્ટિએ નહિ પણ આ કે તે બળવાન સ્થાપિત હિતની તરફેણ કરવાની દષ્ટિથી જ લેવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. આપણી પાર્લામેન્ટમાં આ કે તે ઉદ્યોગપતિની તરફળમાઁ દબાવ નાખનારાં જૂથે હોવાની વાત કર્યાં બહાર નથી આવી? અને તેથી જ પ્રશ્ન થાય છે કે, આ બધાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલાં દબાવ–જયાના જંગલમાં બિચારી લેાકશાહી ક્યાં ગુમ થઈ જશે ? બ્રિટિશ પ્રજાએ પાર્લામેન્ટમાં વિશ્વાસ ગુમાવી દીધો છે.” એવું દુનિયાની બધી પાર્લામેન્ટોની માતા ગણાતી બ્રિટિશ પાર્લામેન્ટ માટે જ, એ જે પાર્લામેન્ટના એક સભ્ય બેલે ત્યારે આપણામાંના લોકશાહી હિતચિંતકોને દુનિયાની ચિંતા થવી જોઈએ. -મનુભાઇ મહેતા મહાત્મા કબીરની વિચાર-સમૃદ્ધિ સર્વધર્મસમભાવના અર્થ બધા ધર્મમાં આપણને શ્રાદ્ધા છે એવા નથી. કોઈ અન્ય ધર્મ તરફ આપણને વૈરભાવ- દૂધભાવ નથી એટલા જ થાય. નહિ તે આપણને આપણા ધર્મમાં અવિચલ અને સંપૂર્ણ શાસ્ત્રા છે એમ કેમ કહી શકાશે? પક્ષપાત ન મે વીરે”એના સાર “મને ભગવાન મહાવીર સંબંધ પક્ષપાત નથી- ખોટા આગ્રહ નથી, પણ શુદ્ધ બુદ્ધિપૂર્વકના સ્વીકાર જ છે” એવા છે. અન્યમાં વિચારના કેટલાં અને કયા સારા અંશા છે એ જે આપણામાં સમભાવ હશે તે! જોવામાં આવશે. એને આપણા ધર્મમાં જે અંશે છે તેની સાથે સરખાવતાં સામ્ય દેખાશે તે આપણને પ્રમાદ થશે. આવી રીતે તુલના કરતાં ધર્મ-ધર્મ વચ્ચેની ખાઈ ટૂંકી થશે અને વેર-ઝેર ઘટશે. આપણા ધર્મ કરતાં બીજા બધા ધર્મ બધીજ રીતે ખરાબ છે, એવું કહેવું એ યુકિતમુકત નથી. આપણે તો અનેકાંતવાદી એટલે એવું કહેવું એ આપણા પગ ઉપરજ કુહાડો મારવા સમાન છે. દરેક ધર્મને પાંચ-દસ સિદ્ધાંતે ભલે મૌલિક રહ્યા પરંતુ પછી એમાંથી નિષ્પન્ન થતી અન્ય વિચારધારાઓમાં ઘણી સમાનતા જોઈ શકાશે. ગુણ ગ્રાહિણી દષ્ટિ હશે તો એ પકડી પાડી શકાશે. કેવળ દોષ જ જોવા એ આપણા મનનીજ વિકૃતિ બતાવે છે. દરેક યુગે અને દરેક સ્થળે સમાન વિચારસરણી ધરાવનારા તત્ત્વચિંતકો પાકયા છે. કેન્ટ અને સ્પીનાઝા તથા શંકરાચાર્ય વચ્ચે અમુક સામાન્ય ભૂમિકા જે છે, તે ઉપર કરેલ વિધાનનું સમર્થન કરે છે. આવી સમાનભૂમિકા શોધવા પ્રયાસ કરવારૂપી બૌદ્ધિક વ્યાયામ કદી નિષ્ફળ નથી જતો. સદ્ગત ભારતરત્ન ડો. ભગવાનદાસે એક સુંદર પુસ્તક લખેલું છે, જે આ દિશામાં કરેલા ભગીરથ પ્રયત્નનું પરિપકવ ફળ છે. પ્રસ્તુત લેખમાં કબીરવાણીના દિગ્દર્શનદ્રારા ભૂમિકા શોધવા થોડાક પ્રયત્ન કર્યો છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. કર્મના આવરણથી એનું એ સાચું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. વાદળા ખસી જતાં સ્વયંપ્રકાશી સૂર્ય દગ્ગારચ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy