________________
તા. ૧૬-૫-૮૦
પ્રમુખ જીવન
.
માટે શૂળ ઊભું કર્યું છે.
મંગલાદેશે આપણા
ફાકકા બંધ પાસે ગંગા નદીના પાણીની વહેંચણી માટે ભારત અને ભાંગલા દેશ વચ્ચે અઢારમી વાટાઘાટ પણ નિષ્ફળ ગઈ છે, એટલું જ નહીં પણ બંગલાદેશે વધુ અસમાધાનકારી અભિગમ અપનાવ્યો. આ નિષ્ફળતા આપણને યાદ આપે છે કે પૂર્વ પાકિસ્તાન રચાયા પછી આપણા પડખામાં જે શૂળ ભેાંકાયું હતું તે બંગલા દેશરૂપે ચાલુ રહ્યું છે. બંગલાદેશમાં નાગ અને મિઝા બળવાખોરોને તાલિમ આપવાનું મથક છે. તે આપણાત્રિપુરા રાજ્યમાંથી આવેલા નક્સલવાદીઓને પણ તાલીમ આપે છે. બંગલાદેશના ચટગાંવ જિલ્લો બિન – મુસ્લિમ બહુમતી ધરાવે છે, જેમાં મુખ્યત્ત્વે ચક્રમા જાતિના બૌદ્ધો છે. આ જિલ્લા મુખ્યત્વે પહાડી છે. જમીન ભૂખ્યા બંગલાદેશી મુસ્લિમોએ અહીંથી બૌદ્ધને અને ખ્રિસ્તી - આને હાંકી કાઢવાની પ્રવૃત્તિ આદરી છે જેથી તેમની જમીનો અને મિલકતો બંગલાદેશી મુસ્લિમાને મળી જાય. આપણા ઈશાન ભારતમાં મુખ્યત્વે આસામમાં, પૂર્વ પાકિસ્તાનની - બાંગલાદેશી મુસ્લિમોની ઘૂસણનીતિ કંઈ નવી નથી. આ સદીના આરંભથી બંગાળી મુસ્લિમ જેમ આસામમાં ઘૂસતા રહ્યા છે તેમ તેઓ બ્રહ્મદેશમાં દેશની આરકાનના કાંઠે પશુ ધૂસતા આવ્યા છે. બ્રહ્મીપ્રજા મુખ્યત્વે બૌદ્ધ છે પણ નાત - જાત કે કોમના વાડામાં નથી માનતી. વળી સમાજમાં સ્રી નેધપાત્ર સ્વતંત્રતા ધરાવે છે. બીજી બાજુ મુસ્લિમા એક સાથે ચાર પત્નીઓ ધરાવી શકે છે એટલું જ નહીં પણ પરદેશ ગયા હોય ત્યાં કામચલાઉ લગ્ન પણ કરી શકે છે. આવી સામાજિક પદ્ધતિના કારણે આરાકાન કાંઠે ફેલાતા રહેલા મુસ્લિમા બ્રહ્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરતા રહે, પરિણામે બૌદ્ધ બ્રહ્મદેશમાં રાકન મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશ બની જાય છે. બ્રહ્મીઓને ભય છે કે જેમ પૂર્વ બાંગાળમાં અને સિલ્હટ જિલ્લામાં પોતાની બહુમતી કરીને પૂર્વ પાકિસ્તાને બંગલાદેશનું અલગ રાજ્ય મેળવી લીધું તેમ ચટગાવ જિલ્લામાંથી કોઈક દિવસ આરકાનની પણ માગણી કરશે.
લકત્તાને બચાવવા આપણે રૂા. દોઢ અબજના ખર્ચે ફરાકકાના બંધ બાંધ્યા છે. જેથી હુગલી નદીમાં ઓછામાં આછું ૪૦ હજાર ક્યુસેક પાણી વાળી શકાય. પૂર્વ પાકિસ્તાન હતું ત્યારથી આ બંધ સામે પાકિસ્તાનને વાંધા હતા અને હવે બંગલાદેશને છે. ૧૯૭૭માં જનતા સરકાર આવી ત્યારે પાડોશી દેશ પ્રત્યે ઈંદિરા સરકારની વલણ બિનજરૂરી અક્કડ હાવાના બહાને તેણે પડોશી દેશે સાથેના સંબંધ ઉદારતા વડે સુધારી લેવાની નીતિ અપનાવી. આ ઉદારતા કંઈ નહીં તેા ફરાક્કા બંધના વિષયમાં વધુપડતી અને ભારતના હિતના ભાગેબતાવવામાં આવી હતી. જગજીવનરામે ઢાકા જઈ પાંચ વર્ષ . માટે જે કરાર કર્યો, તેમાં કલકત્તાના ભાંગે બંગલા દેશની માગણી સ્વીકારી લીધી હતી. પરંતુ તેમણે એટલું શાણપણ દાખવ્યું કે આ સમજુતીના પરિણામે બેમાથી કોઈ દેશને નુક્સાન થતું હાય તા આ કરારની ફેરવિચારણા થઈ શકશે. વળી આ કરાર પાંચ વર્ષ માટે કામચલાઉ પાણી મળે એવી કોઈ કાયમી યાજના બન્ને દેશએ સમત થઈ ઘડી કાઢવી જોઈએ. દરમ્યાન ૧૯૮૦ ના નવેમ્બરમાં આ કામચલાઉ કરારની ફેરવિચારણા થઈ શકશે.
પાણીના પ્રશ્ન માત્ર બંગલા દેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષી પ્રશ્ન છે. તેમ છતાં ભારતના વિરોધની ઉપેક્ષા કરીને બંગલાદેશ બંને દેશના સંયુકત નદીપંચમાં નેપાળને પણ સામેલ કરવા માગે છે. નેપાળ માટાઈ મેળવવા અને ભારતને કેસ સાંભળતા ન્યાયાધીશ બનવા રાજી છે. બંગલા દેશની દાનત નદીપંચમાં ચીનને પણ સામેલ કરવાની છે. પરંતુ ચીને ડહાપણ વાપરીને આ વિવાદમાં પડવાની અનિચ્છા દર્શાવી છે.
ફાક્કાની વાત કરીએ તો ગંગા નદી દર વર્ષે તેના પ્રવાહમાં બંગલા દેશને એક વધુ વિવાદ કરવાની તક મળવાની છે. કરોડો ટન કાંપ લાવે છે, જે તેનાં મુખામાં પથરાતા જાય છે અને જ્યારે આસામના વિદ્યાર્થી - આદોલનમાં સમાધાન થશે ટાપુઓ રચાતા જાય છે. ક્રાકકા પાસે ગંગાના બે ફાંટા પડે છે. અને બંગલા દેશમાંથી ઘૂસી આવેલા નાગરિકોને બંગલા મોટા ફાંટા પદ્મ નામે બાંગલાદેશમાં જાય દેશમાં છે અને નાને પાછા મોકલવાના પ્રરાંગ ઊભા થશે, ત્યારે કાંગલા દેશ ફાંટો. હુગલીના નામે કલકતા પાસેથી પસાર થઈ બંગા તેમને સ્વીકારશે નહીં. તે કહેશે કે, આ લોકો અમારા નાગરિક છે ળના ઉપસાગરમાં સમાઈ જાય છે. જો હુગલીમાં પૂરતા નહીં અને હતા નહીં. જથ્થામાં અને પૂરતા વેગથી પાણી વહેતું ન. હાય ત તેના કાંપ હુગલીમાં જામતા જાય, જેના પરિણામે લકત્તા બંદર છીછરું થઈ નકામું બની જાય. લકતા સમુદ્રથી આશૐ સા માઈલ ઉતરે આવેલું છે; આથી સમુદ્રમાંથી આવતી સ્ટીમરોને કલકતા સુધી આવવા દેવી હોય તો આ જલમાર્ગને કાંપથી મુકત રાખવે જોઈએ તે માટે, ઓછમાં ઓછા ૪૦ હાર કયુસેક (દર સેક ૪૦ હજાર ઘનક્ ટ પાણી) જેટલું વહેણ હોવું જોઈએ.
પરંતુ બંગલા દેશની દાનત ફેરવિચારણા નહીં કરવાની અને કાયમી ઉકેલ પોતાની ઈચ્છા પ્રમાણે શોધવાની છે. ગંગાના
ગંગામાં દર વર્ષે અને બધી ઋતુમાં એકસરખો પ્રવાહ નથી હાતો. ગયા ચે।માસામાં ગંગાના ઢાળપ્રદેશમાં બહુ ઓછા વરસાદ પડવાથી આ વર્ષે ગંગા ઘણી ક્ષીણ થઈ ગઈ છે. આથી જનતા સરકારેં કરેલા પંચપિય કરાર પ્રમાણે હુગલી નદીના ભાગે આશરે ૧૧ હજાર ક્યુસેક પાણી આવે છે. ભારતની દરખારત એવી છે કે, બ્રહ્મપુત્રાનું પાણી બંગલા દેશ વાપરી શકે તેના કરતાં અનેકગણું વધારે છે અને તે વેડફાઈ જાય છે. આથી બ્રહ્મપુત્રમાંથી એકનહેર કાઢી ગંગામાં જોડી દેવી, જેથી બંગલા
માત્ર
પદ્મા અને ભારતની હુગલીને - એમ બંન્નેને જોઈતું પાણી મળી રહે છે. પરન્તુ આ સૂચન બંગલાદેશને માન્ય નથી. આ યોજના માટે વિશ્વબૅન્કની મદદ પણ મેળી શકે. પરંતુ બંગલા દેશની માગણી તે નેપાળમાં અને ભારતમાં જળાશયો બાંધવાની છે, જેથી ગંગામાં પાણી ઓછું હ્રાય ત્યારે આ જળાશયોમાંથી પાણી મેળવી શકાય. ભારતને આ દરખાસ્ત માન્ય નથી. બંગલા દેશને જોઈતા પાણી માટે આપણે આપણા પ્રદેશનો ભાગ આપીએ અને તેમાં નેપાળને હંમેશ માટે માથું મારવાના હક્ક આપીએ તેના કરતા ગંગા અને બ્રહ્મપુત્રાનું જોડાણ કરવામાં કોઈ દેશનું અહિત નથી થતું અને બંન્ને દેશને લાભ થાય છે. પરંતુ બંગલા દેશની નીતિ પાકિસ્તાન જેવી છે. ભારત સાથે કોઈ સમાધાન કરવું નહીં અને તેની સાથે કોઈ સહકાર કરવા નહીં.
ઈશાન ભારતમાં ઘૂસી આવેલા બંગલા દેશીઓને ઓળખી કાઢી આપણે તેમને અલગ કરીએ તે પણ બંગલા દેશની ઘૂસણખોરી અટકવાની નથી. હજારો એકર લાંબી, વાંકી - ફૂંકી અને કુદરતી અંતરાય વિનાની સરહદ ઓળ ંગી આવતા બંગલા દેશીઓની ઘૂસણખોરી સદંતર અટકાવી દેવી એ લગભગ અશક્ય વાત છે દુનિયામાં બંગલા દેશ સૌથી વધુ ગીચ વસતિ ધરાવે છે અને તેનું જન્મપ્રમાણ પણ બહુ વધારે છે. ઈસ્લામને આગળ કરી પ્રજા કુટુંબનિયોજનમાં માનતી નથી. આથી તેની વસતિ ઉભરાયા કરે છે અને ઉભરાઈને ભારતમાં ઘૂસે છે. એક ઠેકાણેથી ઘૂસતા કાંગલાદેશીઓને અટકાવવામાં આવે તો તેઓ બીજે ઠેકાણેથી ઘૂસે છે. ઘૂસણખોરી માટે લાંચ પણ આપી શકાય છે અને દલાલ પણ રોકી શકાય છે. માનવી, કીડીયારાથી ખદબદતા બંગલા દેશમાં મોંઘારત અને અછત એટલી બધી છે કે, બંગલા દેશી કોઈ પણ જોખમ ખેડી ભારતમાં ઘૂસી આવવા માગે છે.
આમ બંગલા દેશ આપણા માટે માથાનો દુ:ખાવા છે અને રહેશે. ત્યાં જ્યારે રાજકીય ઊથલપાથલ થાય છે ત્યારે પણ નિરાશ્રિતાના પ્રવાહ ભારતમાં ધસી આવે છે. તેના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે એક કરોડ બંગલા દેશી ભારતમાં ભાગી આવ્યા હતા, તેમાંથી બધા કંઈ બંગલા દેશમાં પાછા ગયા નથી. તે પછી પણ મુજિબ અને તેમના સાથીઓની હત્યાઓ, લશ્કરી બળવા, રાજકીય ઊથલપાથલ વગેરે પ્રસંગે બંગલાદેશીઓ વધુ-ઓછી સંખ્યામાં ભારતમાં ભાગી આવ્યા હતા. બંગાળના ભાગલા પડયા તેને ૩૩ વર્ષ થયાં છતાં હજી પણ હિંદુઓની સલામતી જણાતી નથી. તેમની જમીન અને ખોરડા આંચકી લેવામાં આવે છે. વેપાર - ધંધા અને નેકરીઓમાં તેઓને તક મળતી નથી. અને તે બંગલા દેશ છેડી જાય તેવું દબાણ કરવામાં આવે છે, જેથી તેમની મિલકત મુસ્લિમાને મળી જાય. આપણા માટે