________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૦
વર્તમાન જીવનની હું વાત કરું છું ત્યારે ઈ.સ. ૧૯૪૫થી આરંભાયેલ વર્તમાન જીવનની વાત કરું છું. બીજા વિશ્વયુદ્ધ પછીનું જીવન કેવું છે, એની એક ઝલક મારે આપની સમક્ષ મૂકવી છે. ૧૯૪૫ના ઓગસ્ટની ૬ઠ્ઠી અને ૯મીએ જાપાનના નાગાસાકી અને હીરોશીમાં પર બે બોમ્બ ઝીંકાયા એટલે યુદ્ધનો અંત આવ્યો. આ સંહારક શસ્ત્રોથી લાખે માણસના જાન ગયા અને હજુ પણ જાપાનમાં જન્મતી પેઢી એની અસરથી, ખેડ-ખાંપણવાળી જન્મે છે! ૧૯૪૫થી ૧૯૮૦-૩૫ વર્ષના ગાળા દરમિયાન નવી પેઢી એમ કહે છે: We are born with contradictions. અમારા વડિલે શાંતિની વાત કરે અને સંહારક શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખે, અને તે પણ પાછાં એક એકથી ચડિયાતા સંહારક શસ્ત્રોનું ઉત્પાદન! શા માટે? તે કહે, વિશ્વમાં કોની સરસાઈ રહે એ નક્કી કરવા! આવી સંહારકશકિત ધરાવનારા વિશ્વના નેતાઓ આવી શકિતના ઉપયોગનું જરા જેટલું ગાંડપણ કરે છે? અડધી-પોણી દુનિયાને સંહાર થાય! સ્વિટઝરલૅન્ડ જેવા નાના અને તટસ્થ દેશને પણ યુદ્ધની ચિન્તા છે, પ્રત્યક્ષ નહિ પણ પક્ષ યુદ્ધની ચિતા! એ માટે એ દેશે નાગરિક સુરક્ષાની ભૂગર્ભ વ્યવસ્થા કરી છે.
વર્તમાન જીવનની ખૂબી, પડકાર જે કહો તે, એ છે કે યુદ્ધ બંધ થયું પણ શાંતિનો પ્રારંભ થયો નથી! There is no war, but there is no peace eitherl વર્તમાન જીવન આવું છે. સંધર્ષ અને સહકારની ક્ષિતિજો- જેવી દેખાય છે – તે અભૂતપૂર્વ છે – Unprecedented in the History
વર્તમાનયુગમાં માહિતી અને જ્ઞાનને, અલબત્ત, જ્ઞાનને પ્રમાણમાં અ૫– જબરદસ્ત વિસ્ફોટ છે. આજના બાળકો માહિતીથી સુસજજ છે. ઉદાહરણ તરીકે તુકારામ અને નરસિંહ મહેતાની જીવનગાથા, વિશ્વની ગરીબાઈ, વગેરે વિષ પર બાળકો માહિતીપૂર્ણ અને જ્ઞાનસભર નિબંધ લખી શકે. આજે આપણા બાળકોનું Home work વધ્યું છે; છતાં, Home work but no home life
વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળને લીધે ભૌતિક સાધનસગવડો અસાધારણ વધ્યાં છે એ સાથે જ આખું જીવન દૈનિક, નૈમિત્તિક, વ્યકિતગત, સાર્વજનિક અને સામાજિક જીવન–અસ્તવ્યસ્ત, પરિવર્તિત અને ન સમજી શકાય એવું થયું છે. વર્તમાન જીવન પચાવી ન શકાય એવું થયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળથી આપણાં અભિગમ અને વલણ તથા વિચારોમાં ક્રાંતિ આવી છે. ઘરેડ અને પરંપરામાં અવનવા અનેક વળાંકો આવ્યા છે. વર્તમાન બાહ્યજીવનની ગતિશીલતા એટલી વધી છે કે એને કારણે મૂલ્યોને મૂલવવાની દષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. આપણા એક વખતના નાણાંપ્રધાન શ્રી. સી. ડી. દેશમુખે કહ્યું હતું એ મુજબ આજની માહિતી આવતી કાલે બિનઉપયોગી થવાની માત્રા વધતી રહી છે. આજે જાણ્યું તે કાલે વાસી થવાનું આટલા ટૂંકા ગાળામાં એટલો ઉમેરો – માહિતી અને જ્ઞાનને–થાય છે. આથી generation gap નહીં, પરંતુ generation gaps. ઊભા થયા છે.
મૂલ્યોની વાત કરીએ તે સૌ પહેલાં ભ્રષ્ટાચારની વાત કરું. - સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર એટલે વ્યાપક છે કે આપણે બધા
જ એમાંથી બાકાત નથી; એમાં માત્રાને ફરક છે. પરંતુ, એ માત્રાને ફરક પણ જો સૂચક રીતે અને બનતી મહત્તમ માત્રામાં ચાલુ રાખી શકીએ તે ગંગા નાહ્યા એવી સ્થિતિ છે! આવી પરિસ્થિતિમાં કેટલું રાખવા જેવું, કેટલું પરિવર્તન કરવા જેવું છે એને
ખ્યાલ, એની સભાનતા, એવી જાગરુકતા રહી નથી! હમણાં હું બિહારમાં, ત્યાંની કોલસાની કેટલીક ખાણ (Mines). જોવા ગયું હતુંત્યાંની ગરીબાઈ અને પછાતપણા વચ્ચે પણ સરકારી અને સામાજિક-રાજકીય ભ્રષ્ટાચાર હતા. ત્યાંના લોકોને પ્રધાનપણે સૂર એવો હતો કે તમારે ત્યાં- પશ્ચિમ ભારતમાં તે ભ્રષ્ટાચાર જ નથી. તુલનાત્મક દષ્ટિએ આ વાત હતી. બિહાર જેવા પ્રદેશમાં ગરીબી અને શિક્ષણના અભાવનું ખતરનાક પરિણામ . આવ્યું છે. પરંતુ આપણે ત્યાં પશ્ચિમ ભારતમાંય તક મળતી નથી એટલે વ્યાપક ભ્રષ્ટાચારથી કદાચ આપણે વિમુખ છીએ! એવું જીવન થાય તે આપણે પણ એનાથી અલિપ્ત રહી શકીએ કે કેમ એ પણ પ્રશ્ન છે. આમાંથી બહાર કેમ આવવું? દ્વિધા
-પ્રામાણિક થઈએ છીએ તો અપ્રામાણિક સાથે મેળ ખાતે નથી. જીવન જ શક્ય નથી રહેતું.
–અપ્રમાણિક થઈએ છીએ તો વધુ સંઘર્ષ થાય છે. તો શું કરવું?
આ ખરી સમસ્યા છે, પડકાર છે. આજે તે પ્રામાણિક થવું એ સવિશેષ ગાંડપણ છે! પણ એવું ગાંડપણ આપણે એકલાં હોઈએ તે પણ ચાલુ રાખવું રહ્યું. સંઘર્ષ અને પ્રતિકારની ભાવના જીવંત રાખવી જોઈએ, કારણ કે સનાતન મૂલ્ય અને બદલાતાં મૂલ્યની ગેઠવણીમાં સનાતન મૂલ્યનું સનાતનવ, સનાતનપણું જાળવવા આપણે નવા પ્રકારના મરજીવો થવાનું છે, એ પ્રયાસ, એવી પ્રયોગશીલતા, એ પૂર પાર્થ, એવો સંઘર્ષ અને પ્રતિકાર ચાલુ રહેશે તે જ માનવજાતને આપણે સામે કિનારે લઈ જઈ શકીશું. પરંતુ આપણે પ્રયાસ કરતા નથી. પ્રયોગશીલ નથી, અને આપણામાં પુર પાર્થનું કૌવત નથી.
અંધકારભર્યા પરતંત્ર ભારતમાં, ભારતની ગણ્ય પ્રજા પાસે એક વિચાર હો, આદર્શ હતા, પ્રગશીલતા હતી, પ્રયાસ હતો, પુર પાર્થ હતો. એસીના દાયકામાં આપણે કેમ પાછી પાની કરીએ? માટે નવેસરથી પાને ચડાવવા હું અહીં આવ્યો છું! વર્તમાનની યુવાન પેઢી તાકાતવાન છે, તેજસ્વી છે. એના પ્રયત્નોમાંથી એની, પ્રયોગશીલતાથી અને એના પુરુષાર્થથી એક દિવસ પ્રકાશ જરૂર આવશે. આપણી પ્રાર્થના એ રહે કે just light my path, મને સહેજ પ્રકાશ, ભગવાન, તું આપ! એવા પ્રકાશ વડે જીવનપંથ કાપતાં રહીએ ત્યારે કેટલાંક પરિણામે દશ્ય ન પણ હોય. બધાં જ પરિણામ દશ્ય હોતાં નથી. પણ આપણાં પ્રયાસ, પ્રગશીલતા પુરુષાર્થનું સુઘડ પરિણામ ભાવિ પેઢી માટે નિર્માણ થવાનું હોય તો એ માટે પણ આપણે સક્રિય થવું જોઈએ. એવી સક્રિયતા, એવા પ્રયત્નો, એવી પ્રયોગશીલતા, અને સતત સંઘર્ષ તથા પુર,પાર્થ વડે વર્તમાન જીવનમાં મૂલ્યના સંઘર્ષના પડકારોને આપણે ડાક લોકો પણ ઝીલીશું તે કદાચ પહોંચી વળીશું એવી શ્રદ્ધાથી હું ચાલું છું ને વધુ આશાવાદી બનતે રહું છું.
- પુરુષોત્તમ માવળંકર સંકલન: પન્નાલાલ રસિકલાલ શાહ
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અભ્યાસવર્તુળના ઉપક્રમે સોમવાર, તા. ૨૮-૪-૧૯૮૦ના રોજ આપેલ વાર્તાલાપન આધારે.
ચિત્ત આત્માને નામે ને શરીરને નામે અનેક પ્રકારની ઈચ્છાઓ કરે છે ને કઈ પણ શરીરથી કરે છે. આત્મા સદા મુકત છે ને આત્મા કોઈ કર્મ કરતું નથી ને કંઈ ભેગવતે નથી. શરીર, ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ વગેરેથી આત્મા અસંગ છે તેથી આત્મા માટે ચિત્ત જે કરવાનું કહે તે ન કરવું. ખરું પૂછો તે ચિત્તને કશું કરવાનું રહેતું નથી. આત્મા નિત્ય ને મુકત છે, સુખદ:ખથી રહિત છે ને શરીરને મરતાં સુધી તેનું પ્રારબ્ધ ભોગવવાનું છે, તે ચિતને કરવાનું શું છે? ચિતે તે શરીરની પ્રકૃતિ પ્રમાણે ઈચ્છા માત્રથી રહિત પિતાને પાઠ ભજવવાને છે ને આત્મા તેને સાક્ષી છે. હું સાક્ષી આત્મા છું. કર્તા નથી ને ભકતા પણ નથી. જન્મ, જરા, મરણથી રહિત નિત્ય છું એ પ્રકારનું ચિતવન કરવું.
આપણે શરીર થઈ કર્મ કરીએ છીએ તે મર્ટી આત્મા થઈ શરીર વડે શરીરની પ્રકૃતિ પ્રમાણેને પાઠ ભજવવાને છે. અસંગ બુદ્ધિથી લોભહાનિ, હર્ષ, શેક, સુખ, દ:ખ સૌમાં સમાન ચિરો રહી પ્રકૃતિ પ્રમાણે કર્મ કર્યું જવાં.
- મગનભાઈ વ્યાસ