________________
તા. ૧૬-૫-૮૦
પ્રબુદ્ધજીવન
વર્તમાન જીવન : મૂલ્યસ ંઘર્ષના પડકારો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અભ્યાસ વર્તુળમાં, આજે જયારે અભ્યાસ કરવાના મહાવરો બહુ ઓછામાં જોવા મળે છે ત્યારે, એમાં પણ હું બેાલી શકું એમ આપ માનો છે એ મારા માટે કાંઈક સંતોષની વાત છે. અભ્યાસવર્તુળ માટે મે પસંદ કરેલા વિષય પ્રવર્તમાન પરિસ્થિતિ પરત્ત્વનાં ચિંતા ચિંતનમાંથી સ્ફૂર્યો છે અને એ વિષે પ્રગટ ચિંતન કરવાની (thinkingu aloud) વૃત્તિથી બે શબ્દો કહેવાની સૌએ તક આપી એ માટે ખાસ આભાર માનું છું.
પ્રારંભમાં જ કહી દઉં કે મારા માનસપટ પર કોઈ જાતની નિરાશા કે હતાશા નથી, આમ છતાં, વાસ્તવિક જીવનમાં હું રોજ નિસાસા નાંખું છું ખરો ! હમણાં જ હું જમશેદપુરથી ક્લકા થઈને આવ્યા, ત્યારે કલકત્તાથી મુંબઈનું વિમાન યાંત્રિક ખરાબીના કારણે ખાસ્સું મેડ ઉપડયું, તાતા હાઉસની સરભરા હતી. ખર્ચની ચિંતા ન હતી. ત્યારે વિચાર આવ્યો કે આવે વખતે આપણા પોતાના ખર્ચે સારી હોટેલમાં રહેવાનું હોય તો તેમ કર ખરો? થોડા વખત પહેલાં હું સ્વિટ્ઝર્લેન્ડમાં જિનિવામાં હતા ત્યારે ત્યાંની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક ઉચ્ચ અધિકારી ભારતીય મિત્ર બીજા એક ભારતીય મુલાકાતી સાથે મને જિનિવા શહેરની લટાર મારવા લઈ ગયા ત્યારે અનાયાસે એમણે ત્યાંની એક પ્રસિદ્ધ નાઈટ ક્લબ અમને બહારથી બતાવી અને કહ્યું કે યુરોપના અનેક ઉચ્ચકક્ષાના રાજપુરુષો, શ્રીમંતો, ચિત્રકારો વગેરે આ ક્લબની મુલાકાતે ક્યારેક જતા હોય છે. અહીં પ્રશ્ન હતે: Nlght Club માં જવું એ નૈતિક ગણાય કે અનૈતિક? એની પ્રવેશ ફિ ૭૫ સ્વિસ ફ્રાંક હતી. (આશરે રૂા. ૩૭૫). અલબત્ત અમે ક્લબમાં ગયા નહીં પણ, વિચાર આવ્યો. માંદું ગણાય. અહીં પણ પ્રશ્ન છે: માંઘું છે માટે નથી જવું કે અનૈતિક છે માટે નથી જવું ? આ જ વાતને જરા લંબાવીએ તો ત્યાં જવામાં કોઈની બીક-પૂત્ની, સ્વજનો કે સમાજની—છે માટે નથી જવું કે અનૈતિક છે માટે ન જવાય? માનવી સિફતથી પેાતાની જાતને સારા લેબાશમાં રજૂ કરે છે એટલે, એને પોતાને પોતાની જાતની ખબર પડતી નથી અને દુનિયાને પણ એની ખબર પડતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઢોંગ અને દંભના બાહ્ય આચાર બને તેટલા ઓછા હોય તો મૂલ્યોનાં સંઘર્ષનો સામનો યથાશકય સારી રીતે થઈ શકે.
ક્લકત્તાથી મુંબઈ આવવા માટે વિમાન બદલવાની થોડી મુશ્કેલી હતી. સદ્ભાગ્યે બીજું વિમાન મળી ગયું. મહારાષ્ટ્રની હાઈકોર્ટના માજી મુખ્ય ન્યાયાધીશ સાથે હું પ્રવાસ કરી રહ્યો હતો અને હું પોતે પણ માજી સંસદસભ્ય હતા! હું મારી જાતની આ રીતની ઓળખાણ ન આખું, પણ બીજી વ્યક્તિ એવી ઓળખાણ આપે કે માજી સાંસદસભ્ય છે કે આપણી લેાક્સભાના પ્રથમ સ્પીકરના પુત્ર છે અને હું ચાલવા દઉ' અને જરૂરી વ્યવસ્થા થઈ જાય તે એ પણ કેટલું યોગ્ય છે?
નિસાસા નાંખવાની વાત મેં આરભમાં કહી, આપને કદાચ નવાઈ લાગશે કે વિશ્વમાં ભારતીય વિમાન પાયલાટ અતિ ઉચ્ચકક્ષાના છે. પણ મુંબઈ આવતાં જ જોયું તો વિમાનઘર (Airport) પર પ્રમાણમાં અંધારું હતું. તેમજ અંધેર પણ ! ઉચ્ચકક્ષાના પાયલોટ હાય પણ ઉતારુઓ વિમાનમાંથી ઉતરે તે પછી ઉતારુઓને માંડ અડધા કિલામીટર લઈ જવા માટે વાહનની કેમ વ્યવસ્થા કરવી તેની ખબર કે ફિકર વિમાનઘરના અધિકારીઓને, વ્યવસ્થાપકોને હાતી નથી ! બસમાં ચડવાની ઉતાર ઓની ઉતાવળ, સામાન મેળવવામાં થતી ઢીલ વગેરે બાબતે પરથી વિદેશી પ્રવાસીઓ શું વિચારે ? અતિ ઉચ્ચકક્ષાના પાયલટ હોવાના કારણે આ દેશના બૌદ્ધિક ઉચ્ચાંક માટે જે આદર થાય એ વ્યવસ્થાના અભાવે રોષ કે મશ્કરીમાં પલટાય ખરો કે નહિ ?
આવી તે! અનેક નાની-મોટી બાબતાથી ઘણીવાર નિસાસા નાખવા છતાંય હું ભારતના ઉજજવળ ભાવિ માટે સતત આશાવાદી રહ્યો છું.
એસીના દાયકાની શરૂઆત હમણાં જ થઈ છે. - એ સાથે જ આપણે અંધકારભર્યા અને અંધેરભર્યા બાગદામાં જાણે પ્રવેશ્યા છીએ. એ બાગદો જેમ લાંબા હોય એમ માનવીમાં અધિરાઈ આવે
કે આનો અંત ક્યારે દેખાશે? લોકસભાની ચૂંટણીમાં હું બે વાર જીત્યો કે હમણાં ત્રીજીવાર હાર્યો એ તે અકસ્માત હતા. મારા ચિંતા-ચિંતનમાં અંગત સંદર્ભને અવકાશ નથી. પર ંતુ રાષ્ટ્રીયકક્ષાએ વ્યકિત નિરપેક્ષ સ્તરે, એક જાતના વૈશ્વિક સ્તર ઉપર હું વિચાર્ છું અને વર્તમાન સંઘર્ષને જોઉં છું. એંસીના અંધકારભર્યા અને અંધેરભર્યા બાગદામાં આપણા પ્રવેશથી ચિંતા અને ચિંતન બંને છે! ચિંતા એ છે કે યાર' અને અંધેરભર્યા યુગમાં આપણે પ્રવેશ્યા છીએ એની આપણામાંના ઘણાને ખબર જ નથી! વર્તમાન રાજકારણની વાત કરે તે ઘણાનો પ્રતિભાવ આવા છે; તમને લોકોને રાન્ટ કેમ કરવું એની ખબર નથી! એનાં કરતાં તેમ...? એ જ રીતે જીવનનું કોઈપણ ક્ષેત્ર લ્યો. .
સેાક્રેટીસના જમાનાથી પ્રત્યેક મા-બાપ એમ કહે છે કે યુવાન નકામા છે, વંઠી ગયા છે! Young generation is hopeless.
આમ છતાં ય દુનિયાની ગતિ ચાલુ જ છે. ખરો પ્રશ્ન એ છે કે ગતિશીલ દુનિયામાં સમાજની સ્થિતિ કેવી છે? સમાજ સ્થિતિચુસ્ત હોય એ નકામું છે; સમાજ પણ ગતિશીલ હોવા જોઈએ. ગતિશીલ દુનિયામાં સમાજની સ્થિતિ કેવી છે – ગતિશીલ છે. કે સ્થિતિચુસ્ત ? હકીકતમાં બન્ને ખરાબ છે અને નથી! ખરો પ્રશ્ન ખરાબ છે એ નથી, પણ ખરાબી ક્યાં છે એ જાણવું તે ખરો પ્રશ્ન છે, પણ આપણે એની ચિંતા કરતાં નથી! સનાતન મૂલ્યો અને બદલાતાં મૂલ્યો – એની પરસ્પર ગાઠવણી કરવાની આપણે ચિન્તા કરતાં નથી અને શૂન્યમનસ્ક બની રહીએ છીએ, અથવા यदा यदा हि धर्मस्य શનિમંત્તિવ ભારત ના ન્યાયે આપણા પેાતાનાં અનુભવ કે કલ્પના બહારની વ્યકિત કે કોઈ ઉદ્ધારક, યુગપુરુ ષ કે દેવપુરુ ષ અવતરશે અને આ કામ, આ ભાંજગડ કરશે, આપણાથી એ થઈ શકવાનું નથી એમ માની બેફિકર રહીએ છીએ.” Let us enjoy - આવી ઉપરછલ્લી વૃત્તિને કારણે સનાતન મૂલ્યો અને બદલાતાં મૂલ્યોની ગાઠવણીની ભાંજગડમાં આપણે પડતાં નથી.
રાજ્ય શું છે, રાજ્ય શેના માટે જોઈએ? એ ભાંજગડ શી છે, એની વિચારણા અને ચિન્તન કરીએ એટલે રાજ્યશાસ્ત્ર શરૂ થયું. માત્ર રાજકારણ શા માટે, શિક્ષણના ક્ષેત્રની વાત કરીએ તા રાજકારણીઓ શિક્ષણના ક્ષેત્રમાં પડયા છે માટે શિક્ષણ બગડયું છે એવી ફરિયાદ કરનાર શિક્ષણશાસ્ત્રીઓ જ કોલેજના મકાનનો ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન માટે રાજપુરૂષોને જ બોલાવે છે! રાજકારણીઓની લાત વાગે તો પણ એમને જ બોલાવીએ છીએ! શું આ વ્યાજબી છે?
સનાતન મૂલ્યો અને બદલાતાં મૂલ્યોની ગોઠવણીની,-adjustments ભાંજગડ નહિં કરીએ તે સનાતન મૂલ્યોનું સનાતનપણું ગુમાવશું અને બદલાતા મૂલ્યાને પામી શકશું નહિ. સનાતન મૂલ્યો શા છે. એ સમજાતું નથી તેથી પણ સંઘર્ષ છે. અંધારા અને અંધેરભર્યો બાગદો એ જ જીવનપથ છે અને અન્ય કોઈ વિકલ્પ નથી, એમ આપણે માની લીધું છે. હકીકતમાં આપણે શ્રદ્ધા, વિચાર અને આશા ગુમાવી બેઠાં છીએ એટલે ચિંતા છે.
જ્યાં ચિંતા નથી, ચિંતન નથી ત્યાં આવી પરિસ્થિતિ છે પણ જ્યા ચિંતા અને ચિંતન છે ત્યાં સક્રિયતા નથી! વળી શ્રાદ્ધાને ભાવ છે એટલે આપણે નિષ્ક્રિયતાથી લપેટાઈ ગયાં છીએ. હું આશાવાદી હોવા છતાં, વાસ્તવિક જીવનમાં આ કારણે નિરાશા છે. વ્યકિતગત હાર-જીત મહત્ત્વની નથી. વ્યકિતગત હાર-જીતની સાથે સમાજના તાણા-વાણા બાંધીએ તા એ તે મૂર્ખાઈ છે. પરંતુ જીવનમાં મૂલ્યોનો સંઘર્ષ સમજવા માટે જીતવું અને હારવું પણ જોઈએ. જીતવાથી નાનું ધ્યેય સિદ્ધ થાય... પણ પછી શું? આ રીતે નાનું ધ્યેય સિદ્ધ થાય, પણ મેટું અને મુખ્ય ધ્યેય આધું ને આખું જ રહે તો તે પણ પરાજયના એક પ્રકાર છે.
મૂલ્યોના જતનની વાત કરનારાં આપણે સગવડપૂર્વક ચાલે ત્યાં સુધી જ મૂલ્યોનું જતન કરીએ, પણ અગવડ થાય ત્યારે કોઈ ને કોઈ કારણ કે બહાના હેઠળ મૂલ્યોનું જતન કરતાં નથી! આ વાતની ભૂમિકા સમજવા માટે વર્તમાન જીવન એટલે શું? એ વિચારવું જોઈશે.