________________
૨૪૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૦
ગીતામાં ત્રિવિધ આહારના વર્ણનનું આચિત્ય
ક
ગીતાના સત્તરમા અધ્યાયના સાત, આઠ, નવ અને દસઆ ચાર શ્લોકમાં સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રિવિધ આહી- ૨નું વર્ણન છે. પ્રશ્ન થાય છે કે ગીતામાં આ ત્રિવિધ આહારના વર્ણનનું ઔચિત્ય શું? સાત્ત્વિક, રાજસ અને તામસ આહારની છણાવટનું પ્રયોજન શું? ગીતા કાંઈ આહારશાસ્ત્ર પર ગ્રંથ થોડો જ છે? ગીતા તો ધર્મગ્રન્થ છે. ધર્મ એટલે કર્મ. ગીતાનું લક્ષ્ય છે માનસિક રીતે ભાંગી પડેલા અર્જુનનું મનોબળ દઢ કરવાનું, તેને યુદ્ધકર્મમાં પ્રવૃત્ત કરવાનું કારણકે યુદ્ધ એ તો ક્ષત્રિયને ધર્મ છે, ' એ જ ક્ષત્રિય કર્મ છે. અર્જુનને માનસિક બળ અર્પી યુદ્ધકર્મમાં પ્રવૃત્ત કરવો એને અને ત્રિવિધ આહારના વર્ણનને કોઈ સંબંધ ખરો? ગીતાકારે ગીતાને ‘યોગશાસ્ત્ર” કહી નવાજી છે તે એ યોગ અને આહાર એકબીજા સાથે સંબદ્ધ ખરા? માનવીના મનને આહાર સાથે કોઈ સંબંધ ખરો? આ બધા પ્રશ્નોને ઉત્તર છે- ‘અવશ્ય’.
માનવજીવનમાં મન ઈરછા કરે છે, શાન મેળવે છે, પરમેવરની ભકિત કરે છે, પ્રેમ કરે છે કિંવા ધૃણા કરે છે, કયારેક રાક્ષસી વૃત્તિને અનુસરે છે, કયારેક ભયથી થરથરે છે, વિચારમગ્ન બને છે, ચિકિત્સક કિંવા પ્રશંસક બને છે, કયારેક ભયંકર બની ઘોર કૃત્ય કરવા પ્રવૃત્ત બને છે. પરિસ્થિતિનું આકલન મન જ કરી શકે કિવા ઉપાસના વેળા મન જ એકાગ્ર બની શકે.
શુકલ યજુર્વેદમાં મનવિષયી એક સૂકત છે કે જે મન મનુષ્યને જ્ઞાન, ચિંતનશકિત અને દૌર્ય આપે છે, જે પ્રજાજનેમાં અમર જયોતિ રામાન પ્રકાશરૂપ છે અને જેના વિના મનુષ્ય કાંઈ જ કરી શકતા નથી તે મારું મન શિવસંકલ્પ કરનાર બને. ઉપર્યુકત સૂકતને આધારે મનુષ્યને “મનુષ્ય” આ સંજ્ઞા ‘મન’ પરથી જ પ્રાપ્ત થઈ તેવું પંડિતવર્ય સાતવળેકરજીનું માનવું છે. માનવના સર્વ અંગ પર મનનું પ્રભુત્વ છે. માનવીનું મન જ માણસના બંધન અને મોક્ષનું કારણ છે.
ગ્રેદમાં મનવિષયક કયાંક ક્યાંક ત્રુટિત ઉલ્લેખ છે. તે વેદની એક ચામાં કહ્યું છે કે માનવ મન સુરક્ષિત હોય તો જ તેને શાન,
જકતા, કૌશલ્ય અને જીવનસવ જેમાં છે તે પ્રાણને ઉપભોગ કરતાં આવડશે. મને સુરક્ષિત હોય તે જ સંતતિ અને સંપત્તિને લાભ લેતાં આવડશે.
પરંતુ માનવીના મનને સુરક્ષિત રાખવું, એને કાબૂમાં રાખવું અત્યંત કઠિન છે, દુષ્કર છે. યત્ન કરનાર, કાર્યાકાર્યવિવેકયુક્ત પુરુષના મનને પણ ઈન્દ્રિયો બળાત્કારે વિષય ભણી ખેંચી જાય છે. (ગીતા ૨-૬૦).
ગશાસ્ત્રની સમગ્ર પ્રવૃત્તિ ચિત્તવૃત્તિના વિરોધ માટે છે. ચિત્તાની ચંચળ વૃત્તિઓ પર કાબૂ મેળવવું એ જ ‘ગની વ્યાખ્યા છે. સર્વવૃત્તિના અભાવથી જેનું મન શાંત થયું છે. (પ્રશાનો મનસ) જેને રજોગુણ - અર્થાત મેહ - માયા, મમતા, ક્રોધ, અહંકાર - નિવૃત્ત થયો છે (શાંતરજસ) તે ગીને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. (ગીતા ૬-૨૭)
પરમાનંદની પ્રાપ્તિ ઈચ્છતા ગાભ્યાસી માટે ગીતાએ આહારાદિ નિયમનું પ્રતિપાદન કર્યું છે. ગીતાના છઠ્ઠા અધ્યાયના સેળમાં
શ્લોકમાં ગીતાકાર કહે છે, “હે અર્જુન! અતિશય આહાર કરનારને તેમ જ કેવળ ભૂખ્યા રહેનારને, અતિશય ઊંઘનારને કે અતિશય જાગનારને યોગ સિદ્ધ થતો નથી. વેગ તેને જ સિદ્ધ થાય છે કે જે કર્મોમાં નિયમથી પ્રવૃત્ત હોય. નિયમથી આહારવિહાર કરનાર હોય અર્થાત્ ચિતાહારી કિંવા યુકતાહારી હોય.’ - શાંડિલ્ય ઉપનિષદમાં મિતાહારની વ્યાખ્યા આપી છે. “મિતાહારે નામ ચતુર્થશાવશેષક સુસિનધુમધુરાહારઃ ચોટલે કે પેટનો ચેથે ભાગ ખાલી રહે તે પ્રકારે ઘી, દૂધ, વગેરે મધુર પદાર્થોને આહાર કરવું તેનું નામ મિતાહાર, પેટને અડધે ભાગ અનનથી,
થો ભાગ જળથી અને શેષ ચૅથો ભાગ વાયુના ચલન માટે ખાલી રાખવો તેવું શાસ્ત્રવિધાન છે. તે જ રીતે આરુણિકોપનિષદમાં કહ્યું છે કે યોગીએ ઔષધની માફક આહારનું સેવન કરવું. ‘નૌષધવદશનમાચરેત’ ચોગીએ સ્વાદ માટે નહિ, સ્વારથ્ય ટકાવવા જ આહાર લેવો. ઉપવાસ કરીને દેહને દુર્બળ કે વ્યાધિયુકત ન કરવો તેવું શાસ્ત્ર પ્રમાણે છે. વરાહ ઉપનિષદ કહે છે - “કાયાશોષણમાત્રણ કા તંત્ર દ્મવિવેકનામ વલભીકતાડનાદેવ મૃત:
કિ નુ મહારાગ:?” અર્થાત્ જેમ રાફડા પર પ્રહાર કરવાથી તેની અંદર રહેલે સM નાશ પામતું નથી તેમ આ ભૂલ દેહના શેપણ માત્રથી તેની અંદર રહેલ અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામતો નથી.
આથી કરીને ગીએ પિતાની પ્રકૃતિને વિચાર કરી અનુકૂળ અનનું ભક્ષણ કરવું. આયુષ્ય, સત્વ, બળ, આરોગ્ય, રાખ, પ્રીતિવર્ધક, રસયુકત, ચીકાશવાળ સાત્ત્વિક આહારનું સેવન કરવું. અતિ કડવા, અતિ ખાટા, અતિ ખારા, અતિ તીખા, અતિ ઉષણ એવા રજોગુણી અને અર્ધપકવ, રસવિહીન, ગંધાતા, રાત રહેલા, એઠા, અપવિત્ર, પદ્મ એવા તામસ આહારને ત્યાગ કરવો તે ગીતાને પ્રતિપાદ્ય સિદ્ધાંત છે. (ગીતા ૧૭ ૮-૯-૧૦)
આહારસંબંધી આર્યોએ ઘણી જ સુંદર છણાવટ કરી છે. તેમણે ૨ાર્યઆહારને ધાર્મિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર સ્થિર કરે છે. આને શ્રદ્ધા હતી કે, “આહારશુદ્ધૌ સત્વશુદ્ધિ સત્વશુદ્ધૌ ધૃવામૃતિઃ' અર્થાત અહારની શુદ્ધિથી સત્ત્વની (નાની) શુદ્ધિ થાય છે. મન શુદ્ધ થતાં રમૂતિ ને બુદ્ધિ નિચલ થાય છે. અશુદ્ધ આહારથી સત્ત્વ અને ૨મૃતિ અશુદ્ધ થાય છે. એટલે રસુધી કે અન્નદોષથી આયુષ્ય પણ ઘટે છે. મનુસ્મૃતિમું સ્પષ્ટ કહ્યું છે - ‘આલસ્પાદન દોષાચ મૃત્યુર્વિધ્રાંજિઘાંસતિ’ . એટલે કે આલય અને અન્નદોષથી મનુષ્ય જલદી મૃત્યુ પામે છે. આર્ય ભોજન ચાર કસોટીએકસેલું હતું.
પહેલી કસે ટી એ કે આહાર આયુષ્ય, કાન્તિ અને બુદ્ધિવર્ધક હોય. બીજી કોટી એ કે અને કોઈ પ્રાણીના જીવન અને ભાગમાં વિદન પાડતું ન હોય. ત્રીજી કસોટી એ કે આહાર અનિન્દ્રિત કર્મોથી ઉત્પન્ન થયેલ હોય ૨ાને ચોથી કસોટી એ કે તે મહાપ્રાપ્તિમાં સહાયક હોય. આવા આહારને આર્યોની પરિભાષામાં સાત્વિક આહાર કહે છે. ૨ા આહાર ગાભ્યાસમાં સહાયક બને છે. આવા જ અન્નથી શરીરનું પાષણ થાય છે, માટે જ તે વેદાંતમાં શરીરને અન્નમય કોષ” ગણવામાં આવે છે. | છાન્દોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “અન્નમચં હિ સૌમ્ય મનઃ' એનું સ્પષ્ટીકરણ એવું કે મન અન્નમય હોઈને નથી જ ઉત્પન્ન થયું છે. મનુષ્ય જે અન્ન ખાય તેનું ત્રણ પ્રકારે રૂપાંતર થાય છે. ઘટ્ટ ભાગની વિષ્ઠા બને, મધ્યમ ઘટ્ટ ભાગનું માંસ બને અને સૂક્ષ્મ ભાગમાંથી મન બને. છાશ વલોવતાં માખણ ઉપર આવે તે પ્રમાણે ખાધેલા અન્નના મંથનમાંથી સૂક્ષમ અંશ ઉપર ૨ાવે છે, તે જ મન છે. મનેધર્મ, મોબળ વિશિષ્ટ કિંવા સાત્વિક અન્નના સેવનથી ઉત્પન્ન થાય છે. આવું સ્વીકાર્યા પછી ચિત્તશુદ્ધિ અને મને બળવૃદ્ધિ માટે સાત્વિક આહારનું જ સેવન શાસ્ત્રવિહિત છે, શાસ્ત્રપ્રમાણિત છે.
પાશ્ચાત્ય વિદ્રાન CICERO એ પણ કહ્યું છે. "Thou shouldst eat to live, not live to eat." 4064 પ્રતિષ્ઠિત આહારશાસ્ત્ર ડૅ. વસંત જાઈએ ઉપલા કથનનું આધુનિકીકરણ કરીને એક ઠેકાણે લખ્યું છે– "Thou shouldst eat to live, and live well, but not live to eat. વધુમાં, Be awake of what and how much you eat, but do not develop a diet neurosis, (as in west). Fancy is bad enough, Fads are even worse."
શતપથ બ્રાહ્માણમાં પણ એક વિધાન છે. ‘ચદાત્મસંમિતમાં તધ્વતિ નહિનસ્તિ યંભૂ હિનતિ તઘલ્કનીયો ને તદવતિ' અર્થાત જે અન્ન પિતાને પૂરતું હોય છે તે રક્ષણ કરે છે, મારતું નથી. | મનપસંદ વાનગીઓ જરૂર કરતાં અધિક પ્રમાણમાં ખાવામાં આવે તે તે (overeating) વ્યકિતને મારે છે અને અત્યંત અહ૫ આહાર શરીરનું રક્ષણ કરવા સમર્થ નથી. આ શ્રુતિવાકયનું તાત્પર્ય એ કે ઉદરની પૂર્તિ થાય એટલું જ અન્ન ખાવામાં આવે તો તે અન્ન ખાનારનું રક્ષણ કરે છે, ધર્મ- નિર્વાહક બને છે . તથા ઉદરમાં ધાતુનું વૈષમ્ય ઉત્પાદન કરી પુરુષને નાશ કરાતું નથી, શૂલાદિ પીડા કરતું નથી. કિંતુ સ્વાદને ખાતર અતિશય અને ખાવામાં આવે છે તે ઉપર મનુસ્મૃતિમાં કહ્યું