SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫ ૮૦ પ્રબુદ્ધ જીવન ૨૩e - આસામની પરિસ્થિતિ: આસામની પરિસ્થિતિને અગાઉ કહ્યું એમ વધુ સમજવાની જરૂર છે, આસામીઓની ભાવનાને જાણીને તેને સમજવી જોઈએ. તેમની ભાવના વ્યકત કરવા સમાજે તેમને તક આપવી જોઈએ. આસામને અશાંતિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરીને લશ્કરને સેપવા અંગે સરકારને નિર્ણય ડહાપણભર્યો નથી. તેમ છતાં આંદોલનના નેતાને સાથે વાટાઘાટે કરવાની શ્રીમતી ગાંધીની તૈયારી આવકારદાયક છે. શ્રીમતી ગાંધીને એ ગુણ છે કે, તેઓ સંમત થતા હોય કે નહીં, પરંતુ તે સાંભળશે. જરૂર તેને અચ્છા નેતા છે.' જનતા નેતાઓ માટે એમ કહી શકાય નહીં. આસામીએ અને ઈશાન ભારતીઓના પ્રશ્ન આપણા પક્ષે સાચા રદ્ધા ઘણા આશ્ચર્યજનક પરિણામ આવી શકે. - રાજમેહન ગાંધી (આ ચારેય વ્યાખ્યાનની નોંધ શ્રી કાનિતભાઈ ધુલ્લાએ લીધી છે.). સ્વમાન અને અભિમાન રામ વડા પ્રધાન બને એ પસંદ નથી, કારણ તેઓ હરિજન છે. શરૂખાતમાં મને એ એક પ્રચાર જણાયો, પરંતુ આખા દેશમાં કેટલાક લોકોએ એ વાત રજૂ કરી ત્યારે તેના પર વિશ્વાસ આવ્યો. આ બાબત હરિજને સામેના આપણા પૂર્વગ્રહને છતું કરે છે. એક ‘ચમાર વડા પ્રધાન કેવી રીતે થઈ શકે? આ સમગ્ર બાબત દુ:ખદ અને શરમજનક છે. કટોકટી લાદવામાં આવી તેને વ્યકિતની લાલસાના કિસ્સા તરીકે ગણી શકાય. આપણા દેશ પર રાજ કરવાની લાલચનું એ પરિકામ હતું. આસામ અને ઈશાન ભારતની વર્તમાન પરિસ્થિતિ આપણા બેધ્યાનપણાનું પીણામ છે. આસામ અને ઈશાન ભારતની પરિસ્થિતિને ખરેખર કેટલા જણ જાણે છે? આપણે માનીએ છીએ કે આપણે બધું જાણીએ છીએ. એ દ્વારા જ ૨પણે ગુંચવાડે ઊભે કરીરને છીએ. આપણે તેમને ભારતના રોક ભાગ તરીકે માનીએ છીએ; પરંતુ ભારતીય માનતા નથી. તેઓ જે કહે છે તેમાં મને સત્ય ૨ાને ન્યાય દેખાય છે. બંગાળીએ જે કહે છે તેમાં પણ સત્ય અને ન્યાય દેખાય છે. કોણ સારાં અને કોણ ખાટું એ પ્રશ્ન નથી. હકીકત એ છે કે, ચાપણી કેટલીક મર્યાદા છે. આપણે સફળતાના પુજારી છીએ રાપણી ટીમ જીતીને નાવે ત્યારે તેમનું ભવ્ય સન્માન કરી; પરંતુ હારીને આવે ત્યારે તેની વિરુદ્ધ થતાં વાર લાગે નહીં. આ વાત રાજકારણને પણ એટલી જ લાગુ પડે છે. જાણે કે, વિજ્ય એ અભુત અને સુંદર હોય, પછી ભલે એ કામચલાઉ હોય. આ બાબતમાં શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની પુત્રી શ્રીમતી રીટા ધરને દાખલે જાણવા જે છે. તેઓ ઓબેરોય હોટેલ ચેનના જનસંપર્ક વિભાગનાં વડાં હતાં. થોડા મહિના પહેલાં તેમને પગાર વધારીને બઢતી પણ આપવામાં આવી. એ વખતે તેમની સામે કોઈ ફરિયાદ કે અસંતોષ નહોતાં. પરંતુ મારની ૨૭ મીએ તેમને અચાનક નોકરીમાંથી છૂટાં કરવામાં આવ્યા કારણે, તેઓ વિજ્યી ટીમ સાથે નથી. હારતોરા પકંડીને ઊભા ન રહે તે એવા હાલ થવાના જ. બુદ્ધ અને મહાવીર, કૃષણ અને રામ, ગીતા ૨ાને ઉપનિષદ્વી આ ભૂમિ પર સદીઓથી મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આપણે માનવીના સ્વવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છીએ. આપણે માનવીના ભગવાન સાથેના સંબંધની કાળજી કરીએ છીએ. પરંતુ માનવીના માનવી સાથેના અથવા ભૂમિ સાથેના સંબંધની અવગણના કરીએ છીએ, સમાંતર અર્થતંત્ર એ વ્યકિતગત લાલસાનું પરિણામ છે. ખા સંબંધમાં ચૂંટણી – કાયદા સહિત અનેક કાયદા બદલવા જરૂરી છે. નાણાં અને સત્તા વચ્ચે અવરોધ મૂકવાની જરૂર છે. પરવાના આપવાની સત્તા સ્વાયત સંસ્થાઓ પાસે જ હોવી જોઈએ. ૨ાખરી નિર્ણય લેવાનો અધિકાર પ્રધાનને હોય એ બરાબર નથી. એક કે બીજા વચ્ચે વહેંચી લેવાની ભાવના હોવી જોઈએ. આ માટે શકયા એટલી બચત કરવી જોઈએ. જેમને જરૂર છે એના માટે આપણે પૂરનું બચાવીએ છીએ? બીજા માટે આપણે ભેગ. ૨ાપીએ છીએ? બીજાઓ સાથે ભળી જવાની વૃતિની જરૂર છે. આપણા સ્વમાન અને મિથ્યાભિમાન પર અંકુશ મૂકવો જોઈએ. આજે દેશમાં નેતાઓની અછત શા માટે દેખાય છે? નેતાઓની અછત માટે હું બંધારણને દોષ આપતો નથી. બંધારણ કંઈ નેતાઓ પેદા કરતું નથી. નેતારને તે માનવીની અંદરથી પેદા થતા હોય છે. મહાત્મા ગાંધી જેવા નેતા કંઈ સહેલાઈથી પેદા કરી શકાય નહીં. એક સમય આવશે કે, જ્યારે દેશને કુશળ, વ્યવહારું અને મજબૂત નેતા મળશે. આ એક અનિવાર્ય છે અને - એમ થશે એમાં મને કોઈ શંકા નથી. તે સરકારને અસાધારણ સત્તા આપવાથી બધા પ્રશ્ન ઉકેલી શકાય તેમ માનવું ભૂલભરેલું છે. સરકાર ચાહે તે પણ એવા સંજોગેમાં તટસ્થ અને પ્રમાણિકપણે સત્તાને ઉપયોગ કરી શકે નહીં. લોકોમાં રહેલી ખામી રાજ્ય દ્વારા સુધારી શકાય એવી ભ્રમણામાં રહેવું યોગ્ય નથી. સરકાર કરતા જનતા પાસે વધુ સતા હોવી જરૂર છે. સરકારને અસાધારણ સતા' સાંપવાથી પ્રશ્ન ઉકેલી શકાય એવો વિચાર ભલે જાગે, પરંતુ આ પ્રશ્ન : ઊંડાણની અને ગંભીરતાથી વિચાર કરતો તેમાં રહેલા ભયને ખ્યાલ આવશે. ભારત જેવા દેશના પ્રસ્ત એવા વિરાટ છે કે, સરમુખત્યાર કોઈ સ્વાર્થ વિના ચાને પ્રમાણિકપણે કાર્ય કરે તે પણ એ ઉકેલી શકે નહી. આપણે કહીએ છીએ માણસે સ્વમાન જાળવવું પણ અભિમાન ન કરવું. સ્વમાન અને અભિમાન વચ્ચેની ભેદરેખા પાતળી છે. એકમાંથી બીજામાં સરી પડતા વાર લાગતી નથી. સ્વમાનને નામે અભિમાનને પેષતા હોઈએ તેની ખબર પડતી નથી. ' ભતૃહરિએ એક શ્લેકમાં કહ્યું છે, કે કૂતરાને રોટલાને ટુકડો નાંખવામાં આવે તે કૂતરો પૂંછડી પટપટાવે છે, જયારે હાથીને મહાવત કંઈક લાડ લડાવે ત્યારે મુસીબતે ઉપકાર કરતા હોય તેમ, કોળિયો લે છે. ભતૃહરિએ બીજા એક શ્લોકમાં ચાતકને શીખામણ આપી છે. ચાતકે મોં ફાડીને આતુરતાથી વરસાદના જળબિન્દુની રાહ જુએ છે. તેને કહ્યું છે. હે ચાતક, આકાશમાં ઘણાં વાદળ હોય છે, કેટલાક માત્ર ગડગડાટ જ કરે છે; જયારે કેટલાક વરસીને ધરતીને ભજવે છે. બધા સરખાં નથી હોતા, માટે માણસે પણ જે કોઈ મળે તેની પાસે પોતાના દુ:ખના રોદણાં ન રોવા, દીનતા ન બતાવવી, ગ્ય વ્યકિત હોય તેમને જ પોતાનું દુ:ખ કહેલું.. કાલીદાસે મેઘદૂતમાં યક્ષ પાસે એક સરસ વાત કહેવડાવી છે. શાપથી યક્ષ ઘરથી દૂર પડે છે. અષાઢના પ્રથમ દિવસે પત્ની યાદ અવે છે. તેને સંદેશ મોકલાવે છે, મેઘ મારફત તે સંદેશ મોકલે છે. મેઘને કહે છે, તું ખાનદાન કુળને છે તેથી તેને વિનંતિ કરું છું, અધમ માણસને વિનંતિ કરી એક વખત સફળતા પણ મળે તેના કરતા ઉત્તમ પુર ૫ને કરેલ વિનંતિ નિષ્ફળ જાય તો પણ સાર છે. અધમ માણસથી કોઈ દિવસ કામ ન લેવું. આ બધામાં સ્વમાન કેવી રીતે કયારે જાળવવું તે બતાવ્યું છે. અભિમાનમાં લઘુતાગ્રન્થિ છે. પોતાની ઊણપ સાલે છે એટલે તે ઊણપ ઢાંકવા અભિમાન કરે છે કે પોતે કે માટે છે, ખાલી ઘડ અવાજ કરે છે, ભલે નહિ. સ્વમાનમાં નમ્રતા સાથે ગૌરવ છે. અભિમાનમાં લધુતા સાથે હુંકાર છે. સ્વમાનથી સમાન ભાવે વર્તન થાય છે. અભિમાનમાં પતન છે. - બેની ભેદરેખા જાણવી અને જાળવવી અઘરું છે. અહીં વિવેકબુધ્ધિ હોય તે કયાં કેવું વર્તન કરવું તેની સૂઝ આપોઆપ આવે છે, નમ્રતા એ દીનતા નથી. સ્વમાની વ્યકિત સ્વસ્થ હોય છે, તેનું વર્તન સ્વાભાવિક હોય છે, અભિમાની અસ્વસ્થ હોય છે, તેના વર્તનમાં કૃત્રિમતા આવે છે. અભિમાન, સામી વ્યકિતમાં ઈષ પ્રેરે છે, વિરોધ જગાવે છે સ્વમાન સામી વ્યકિતમાં આદર પેદા કરે છે સહકાર પ્રેરે છે. ' સ્વમાનમાં સહનશકિત છે, અભિમાનમાં અધીરતા છે. ગરીબાઈ કે પૈસાવાળા હોવું તેને સ્વમાન કે અભિમાન સાથે સીધો સંબંધ નથી. ગરીબ માણસ સ્વમાની હોય. પૈસાવાળા મોટા ભાગે અભિમાની હોય છે. સ્વમાનમાં સંતોષ છે, અભિમાનમાં અસંતોષ છે. સ્વમાન અંતરાગ્રતિથી પેદા થાય છે. અભિમાન અજ્ઞાનમૂલક છે. સ્વમાન શાન્તિ આપે છે, અભિમાન અશાંતિ પેદા કહે છે. સ્વમાની માણસ પોતાની ભૂલ થઈ હોય તો સમજી જાય છે, ગુસ્સે થતું નથી અભિમાની માણસ ભૂલ સ્વીકારતા નથી અને ગુસ્સો કરે છે ગાંધીજી સ્વમાનની મૂતિ હતા. સાથે નમ્રતાની મૂતિ હતા. તા. ૧૨-૪-૮૦ * * - ચીમનલાલ ચકુભાઈ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy