SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૦ ૨૩૮ બવ જીવન પાકિસ્તાન અણુશસ્ત્રો તૈયાર કરે અથવા ભારત પર અણુ હુમલો કરે તે પણ ભારત આ| ધડાકો કરશે નહીં. કોઈ પણ દેશ તેના બધા વિકલ્પ પહેલેથી જ બંધ કરી શકે નહીં. આપણે અણુ અખતરાઓ બંધ કરવા અંગેના કરારની હિમાથત કરીએ છીએ. મહાસત્તાઓએ તેમની ઉચ્ચ ટેકનોલેજીની સહાયથી વિનાશકારી કરતાં પણ વધુ શક્તિ પ્રાપ્ત કરી લીધી છે. ભવિષ્યમાં જો તેમણે એમ લાગશે કે હવે વધુ ભુગર્ભ અણુ અખતરાઓ કરવાની કોઈ જરૂર નથી ત્યારે તેઓ કદાચ આ પ્રકારના કરાર કરવા તૈયાર પણ થઈ જાય. આપણે જે એને સ્વીકાર કરીએ તો તેનું પરિણામ આપણી અણુ જાણકારીને વર્તમાન સ્તરે સ્થગિત કરી દેવા બરાબર થશે. વિશ્વનું રાજકારણ અહીં મહાસત્તાઓ ફરતે વિંટળાયેલું છે. સોવિયેત સંધ અને અમેરિકા વચ્ચેનું ઠંડુ યુદ્ધ વ્યાપક છે કે હળવું એ અંગે બેમત જરૂર હોઈ શકે. તેમ છતાં, તેના પરિણામ સ્પષ્ટ છે. આપણે આપણી વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો કેવી રીતે ગોઠવીએ છીએ તેના દ્વારા રાષ્ટ્રકુટુંબમાં આપણું ભાવિ નક્કી થશે. વર્તમાન પરિસ્થિતિ અંગે ટૂંકમાં કહેવું હોય તો કાર્લ ડયુટસે કહ્યું હતું એમ આપણી માનવ વસતિ આવતા ૫૦ વર્ષમાં મત પામવાની હશે તો એ મેત દુષ્કાળ કે પ્લેગ દ્રારા નહીં પરંતુ, વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધમાં નિષ્ફળતાને કારણે થશે. [] પી. એમ. કામક સામાજિક-નૈતિક શ્રી ચરણસિંહની રખેવાળ સરકાર સત્તા પર હતી ત્યારે અફઘાનિસ્તાનની ઘટના બની. આ ઘટના દ્વારા અફઘાનિસ્તાનની તટસ્થતા અને આઝાદી, ફારસ જેવી બની રહેશે એમ તે સરકાર માનતી હતી એમ તેના ત્યારના નિવેદન પરથી કહી શકાય. ‘યુન-માં ભારતના વલણને આધારે એમ કહી શકાય, કે શ્રીમતી ગાંધી એવું માનતા નથી. અફઘાનિસ્તાનમાંથી સોવિયેત દળોને પાછા હઠી જવાની માગણી કરતા “યુન'ના ઠરાવને મંજૂરી મળી; પરંતુ ભારત ગેરહાજર રહ્યું. ઠરાવ પર મતદાન કરનાર ૯૬ અલિપ્ત દેશોમાંથી ૬૦ દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. સેવિયેત સંઘની ખુલ્લી ટીકા કરવાથી દૂર રહેવાની શ્રીમતી ગાંધીની જની નીતિ છે. આ છાપ દૂર કરવાની સોનેરી તક તેમણે ગુમાવી. માજી વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈ અને માજી વિદેશ પ્રધાન શ્રી. અટલબિહારી વાજપેયીની પશ્ચિમ તરફી છાપને કારણે પડોશી અને મિત્ર દેશ સાથેના આપણા સંબંધો સુધર્યા હતા. યુનો’ના બનાવને કારણે ભારતની છાપને ભારે ફટકો પડયો છે. આપણે આપણા પડોશી દેશેાથી અલગ તરી આવ્યા છીએ. અફઘાનિસ્તાનની ઘટનાએ ખુદ ભારતની રાષ્ટ્રીય સલામતી માટે ભય ઊભો કર્યો છે. સોવિયેત સરહદે આજે પાકિસ્તાન સુધી આવી ગઈ છે, કાલે તે ભારતના દરવાજા સુધી આવી શકે. અલિપ્ત રાષ્ટ્રોની હાવાના પરિષદમાં કયુબાના પ્રમુખ કાસ્ટ્રોએ સમાજવાદી લેકના દેશ અલિપ્ત રાષ્ટ્રના કુદરતી સાથી છે, એવું વલણ અપનાવ્યું હતું. “યુને'માં આપણું વલણ આપણે કાસ્ટોના વલણને સ્વીકાર્યું છે; એ નિર્દેશ કરશે. અલિપ્ત, રાષ્ટ્ર ચળવળ આજે ઠંડા યુદ્ધના પુન:જન્મ પછી વધુ અનુરૂપ અને સુસંગત બની ગઈ છે. અલિપ્ત રાષ્ટ્ર ચળવળને બચાવવા ભારતે ૧૯૫૧ અને ૬૦ના દાયકામાં જયારે અલિપ્તતાની વ્યાખ્યા હળવી કરવામાં નહોતી આવી એ કાળમાં તેને ફરી લઈ જવી જોઈએ. ઈસ્લામી દેશોથી અલગ રહીને ભારતે ગંભીર ભૂલ કરી છે. પી. એલ. ઓ.ને માન્યતા આપવાનું પગલું લાંબે ગાળે બહુ ફાયદાકારક જણાશે નહીં. અફઘાનિસ્તાન સંબંધની આપણી નીતિથી આપણું વર્ચસ ઓછું થશે. અફઘાનિસ્તાનમાં સોવિયેતની લશ્કરી દખલગીરીને મુંગી અનૂમતિ આપવાની લક્ઝરી ભારતને પરવડે એમ નથી. હંગેરી અને ચેકોસ્લોવાકીઆ વખતે પણ આપણે એમ જ ક્યું હતું. તેમ છતાં, વર્તમાન દખલગીરીને કારણે આપણી સલામતી માટે સ્પષ્ટ અને તાત્કાલિક ભય ઊભો થયો છે. ભૂતકાળમાં સેવિયેત તરફ ઢળાણ માટે થોડુંઘણું પણ વાજબીપણ સ્વીકારી શકાય કારણકે પશ્ચિમ તરફી અવિભાજીત પાકિસ્તાન ભારત માટે ભય ઊભો કરી શકે, અને એમ થયું પણ હતું. ૧૯૭૧નાં યુદ્ધ પછી પાકિસ્તાન ભારતના પાંચમા ભાગ જેટલું બની ગયું છે. પાકિસ્તાનને હવે ભારતની સલામતી માટે ભયરૂપ ગણાવી શાય નહીં. તેના બદલે, સેવિયેત ભય સામે ભારત અને પાકિસ્તાને સયુંકત અભિગમ લેવો જોઈએ. પાકિસ્તાને અમેરીકાની મદદને હરાવીને આ સયુંકત અભિગમ માટે ભારે સગવડ કરી આપી છે. સેવિયેત દળાને તાત્કાલિક અને બિનશરતે પાછા ખેંચી લેવા ભારત તરફથી સ્પષ્ટ હાક્લ કરવામાં આવે એ આ તબકકે ખાસ જરૂરી છે. એથી ખાસ કરીને આપણા પડોશીઓ અને અલિપ્ત રાષ્ટ્રોમાં એકરાગથી કામ કરવાના હેતુની એક્તા સ્થાપી શકાશે. ભારતની સલામતી માટે અત્યારે એક માત્ર ભય સમાન ચીનના ભયનો પ્રશ્ન પણ આ પ્રકારની જાહેરાત દ્વારા ઉકેલી શકાશે. આ જાહેરાતથી ચીનને ખાતરી થઈ જશે કે આપણે સોવિયેત સંઘના કાયમી સાથી નથી. આ પ્રકારના નક્કર પગલાં પછી અફઘાન-પાક અને અફઘાનઈરાન સરહદ પર મૂકવા યુનેના શાંતિદળની રચના કરવા ભારતે યુને’મા તેની વગદાર સત્તાને ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારના દળોની હાજરીથી વિયેત સંઘને અફઘાનિસ્તાનમાંથી માનભેર પાછા હઠવા અને પાકિસ્તાનમાના અફઘાન નિરાશ્રીતોને સ્વદેશ પાછા ફરવાની તક મળશે. ઉપરાંત, હવે તે પાકિસ્તાન પણ અલિપ્ત રાષ્ટ્રો સાથે જોડાયેલું છે. આણુ ક્ષેત્રે વર્તમાન સરકારની નીતિ સાવ સ્પષ્ટ છે અને રાષ્ટ્રીય હિત સાથે સુસંગત છે. જનતા સરકાર બાબતમાં એમ કહી શકાય નહીં. માજી વડા પ્રધાન શ્રી. મેરારજી દેસાઈ કહેતા હતા કે આપણી રાષ્ટ્રીય નૈતિકતા કેવી છે? ભારત બહાર ઘણા એમ માને છે કે, નૈતિકતામાં આપણે બહુ ઊંચા સ્તરે છીએ. ખાસ કરીને આધ્યાત્મિક સત્યની ખોજમાં આપણા દેશમાં આવતા લોકોની એવી માન્યતા હોય છે, તેઓ એમ માનતા હોય છે કે, આપણો દેશ નૈતિકતા અથવા સદાચારના કોત્રે ઘણા સમૃદ્ધ છે. સદીઓ પહેલાં રમાપણા દેશ માટે જુદી જ માન્યતા પ્રવર્તતી હતી. ત્યારે લોકો ભારતને માત્ર જાદુ, તંત્રવિદ્યાના દેશ તરીકે જ રાળખતા હતા. આજે પરિસ્થિતિ અલગ છે. હકીકત શું છે? આપણા દેશમાં રાજકીય નૈતિકતા કેવી છે? રાજકીય નૈતિકતાના કેટલાક નમૂના અહીં નોંધવા જેવા છે. - શ્રી મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે સતત. એમ કહેતા કે જનતા પા એક છે. જનતા પક્ષ અતૂટ છે. જનતા પક્ષમાં કોઈ તડાં નથી. તેમ છતાં, જયારે લોકસભાની ચૂંટણીમાં જનતા પક્ષને પરાજય થયો ત્યારે શ્રી દેસાઈનું અખબારોમાં નિવેદન છપા: “દેસાઈ હેપી જનતા લેસ્ટ ઈલેકશન’. બીજો દાખલો છે શ્રી કરુણાનિધિને. તેમની સરકારને શ્રીમતી ગાંધીએ બરતરફ કરી હતી. તેમની સામે વિવિધ આક્ષેપે મૂકીને તપાસ પંચ નીમવામાં આવ્યું હતું. તેમની સામે એક આરોપ હત શ્રીમતી ગાંધીની હત્યા કરવાનું કાવતરું રચવાને. રાજે શ્રીમતી ગાંધી અને શ્રી કરણાનિધિ એક જ છે. શ્રીમતી ગાંધીના હુકમ મુજબ તેમની સેવા કરવા શ્રી કરુણાનિધિ તૈયાર છે. | તમે ચિકમંગલુરનું નામ સાંભળ્યું છે? થેડા મહિના પહેલાં શ્રી વીરેન્દ્ર પાટિલ અહીંથી શ્રીમતી ગાંધીની વિરુદ્ધ રચૂંટણી લડયા હતા. આજે શ્રીમતી ગાંધીની ઈચ્છા મુજબ તે દેશની સેવા કરી રહ્યા છે. એક દાખલ છે માજી વડા પ્રધાન શ્રી ચરણસિંહને ચોક વ્યકિતની મહત્ત્વાકાંક્ષાએ લાખ લોકોની શારના નાશ કરી દીધું. એક રીતે તેમનું નિવેદન ઘણું પ્રામાણિક અને ચિતાકર્ષક હતું. તેમના મનની વાત સાચેસાચી કહી દીધી. આ બધા પાછળનું એક કારણ એ છે કે, વિશ્વના દરેક દભને ૨૫ણે ઉત્તેજન આપતા આવ્યા છીએ. એ માનવસ્વભાવ છે. માનવસ્વભાવને એક ગુણ છે, માનવ અહંકાર. જનતા પક્ષામાંના ભંગાણ આ માનવઅહંકાર પર આધારિત હતા. સ્વહિત ક્યારેક કલ્પનીય અહંકાર બની જાય છે. આપણા સ્વભાવમાં એક બીજો ગુણ છે - પૂર્વગ્રહ. હું જબલપુરમાં લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયા પછી મારા પરાજયના કારણની શોધ કરતા હતા ત્યારે બીજા અનેક કારણોની સાથે એક કારણ ૨ રજૂ કરવામાં આવ્યું હતું, કે અમને શ્રી જગજીવન
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy