SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૦ પણ વધારવા પડતા હોય છે. સિમેન્ટ, કોલસા અને સ્ટીલ તેના જીવંત ઉદાહરણ છે. એથી જરૂરિયાતને પહોંચીવળવા આયાત કરવી એ “સેફ્ટી વાલ્વ” નથી, ખુબ જીવન ગયા વર્ષે એડવર્સ પેમેન્ટ .. ૮૦૦ કરોડથી વધીને રૂા. ૧,૬૦૦ કરોડ થઈ ગયું. આવતા વર્ષે તેમાં એર વધારો થશે. તેમ છતાં, પ્રતિકૂળ વ્યાપાર સમતુલા અંગે કોઈએ ચિન્તા કરવી જોઈએ નહીં. ખાસ કરીને આ સમતુલા જેઝડપથી અને જે પ્રમાણમાં પ્રતિકૂલ થઈ એ ખાસ નોંધપાત્ર છે. વ્યાપાર રામનુલા જે ઝડપથી અને જે પ્રમાણમાં પ્રતિકૂલ થઈ તેનું કારણ જે વધારે ભાવે આપણે આયાત કરવી પડી છે એ છે. તેમાં ખનિજ તેલના ભાવોનો પણ સમાવેશ થાય છે, ખનિજ તેલના ભાવા હજી પણ વધવાના સંભવ છે. ખાદ્ય તેલ જેવી બિન-વિકાસીય વસ્તુઓની ઘરઆંગણે અછત છે. ખાદ્ય તેલની આયાત કરવામાં કશું ખોટું નથી; પરંતુ આ આયાતથી વિકાસ પ્રવૃત્તિને કોઈ લાભ થતો નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. ભારતીય અર્થતંત્ર મૂળમાં આત્મ-સંયમનું અર્થતંત્ર છે. ભારતીય અર્થાતંત્રના આ અંધકારમય ચિત્ર અને સતત ઘટતા જતા વિકાસદરને ધ્યાનમાં લેતાં ભાવિ અંગે વિચારણા કરવી જોઈએ. હકીકતમાં, આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, એ કરતાં શું ન કરવું જોઈએ એ સમજવું વધુ મહત્ત્વનું છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે અને કામદાર- માલિક સંબંધો બગડી રહ્યા છે અને તેથી ઉત્પાદનમાં અવરોધ આવે છે, એવી એક દલીલ છે. લાખો લોકોને અસર કરે એવા ધારા પસાર કરવાથી કંઈ બધું ઉકલી જવાનું નથી, આ સંબંધમાં બહુ સાવચેતીથી આગળ વધવાની જરૂર છે. સામાન્ય મનૈયની પ્રક્રિયાને આધારે મંજૂર થયેલા ધારા મારફતે ઔદ્યોગિક સંબંધો સુધરવા જોઈએ. એવી કોઈ પદ્ધતિ હોવી જોઈએ કે જેના આધારે કઈક સર્વાનુમતે કહી શકાય એ રીતે કોઈ બાબત ઉકેલી શકાય. એક વખત જે ઉકેલ આવે તેને સામાજિક મતનું પીઠબળ મળવું જોઈએ. ખાનગી તથા જાહેર ક્ષેત્રમાં ધંધાદારીઓની જરૂર છે. આ ધંધાદારીઓને ધંધા કરવાની પૂરી જવાબદારી આપી દેવી જોઈએ. તેની કામ કરવાની અને પરિણામ આણવાની શકિત જોવી જોઈએ, જો એ કામ પૂરું કરી શકે નહીં તે એ પતી ગયો. પ્રામાણિકતા અને અપ્રામાણિકતાને બાજુ એ રાખીને કાર્યક્ષમતા પર ભાર મૂકવો જોઈએ ત્રીજી ખાસ બાબત એ છે કે નાણાંકીય ખાધને બંધ કરવી જોઈએ. ખાધવાળું નાણામંત્ર રોગનું લક્ષણ છે. સુધારેલી યોજનામાં આ વાત પર ખાસ ભાર મૂક્વામાં આવ્યા હતા. જાહેર ખર્ચમાં કાપ મૂકતી વખતે એ કાપની સામાજિક સ્તરે ઓછામાં ઓછી અસર થાય એ વાતનો ખ્યાલ રાખવા જોઈએ. બેરોજગારી અને ગરીબી આપણા અર્થતંત્રના મુખ્ય લક્ષ્યબિદુ છે. બેરોજગારી અને ગરીબીને ઉત્પાદનને સ્તરે મૂકવા જોઈએ માં લોકો પોતાના પગે ઊભાં રહી શકે આપણે આજે અંધાધૂંધીની લગભગ સર્વઆયોજિત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. દરેક જણ વધુને વધુ માટે દબાણ કરી રહ્યું છે. આપણી કેન્દ્ર સરકારના તાલ પણ નિરાળા છે. એ ઉદ્યોગપ્રધાન મોટા "ઉદ્યોગોને ઉત્તેજન આપવામાં મશગુલ છે. માહિતી પ્રધાનને ક્લર ટી.વી. જોઈએ છે. રેલવે પ્રધાનને ડિલક્સ અને વધુ ઝડપી ટ્રેનોની ચિત્તા છે. કૃષિ પ્રધાનને કૃષિ ઉત્પાદનોના વધુ ભાવા જોઈએ છે અને નાણાં પ્રધાન સપૂર્ણ અંદાજપત્રકને બદલે વચગાળાનું અંદાજપત્રક રજૂ કરે છે. વિવિધ ખાતાના દાવાઓ અંગે તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી. આપણી મુશ્કેલીઓ વધુ મૂળભૂત છે. વર્તમાન ખરાબી માટે જૂના વહીવટીતંત્રને દોષ દેવાની પ્રથા છે. શિસ્તની ખાસ જરૂર છે. વર્તમાન સાધનસ્ટંપત્તિ દ્વારા પણ આપણે ઘણું સાર કરી શકીએ એમ છીએ. બેરોજગારી અને ગરીબીને પ્રથમ અગ્રતા આપવાનું નકકી નહીં કરીએ, તો આપણે વિકાસ સાધી શકશું નહીં. આપણે જેવું બનાવવા માગીએ એવું ભાવિ નિર્માણ કરી શકાય. આપણી પાસે શકિત છે; પરંતુ ગયા વર્ષે તેના નબળા ઉપયોગ કર્યો. – પ્રેા ડી. ટી. લાકડાવાળા [ 3 ] વિદેશનીતિ (૧) ભારતની વિદેશનીતિ હવે અતિ કટોક્ટીભર્યા તબક્કામાં પ્રવેશી છે. રાષ્ટ્રસમાજમાં મુકત, સ્વતંત્ર, સાર્વભૌમ અને લેાકશાહી સત્તા તરીકેનું સ્થાન ભારત ભવિષ્યમાં જાળવી શકશે કે નહીં એ ૧૯૮૦ અને એ પછીના વર્ષોમાં આપણી વિદેશ નીતિની શકિત અને નબળાઈ મુખ્યત્વે નક્કી કરશે. ભારત પ્રત્યેકોઈ દષ્ટિ કરશે કે તેને માન આપશે કે નહીં તેના આધાર આંતરરાષ્ટ્રીય બાબતોમાં આપણા અવાજની વિશુદ્ધિ પર રહેલા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ પર આજે બે મહાસત્તાઓનું વર્ચસ છે. ૧૯૬૦ પછી ચીન પણ મહાસત્તા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ સંપૂર્ણપણે તેમાં તેને સફળતા મળી નથી. બે મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધ ભણી વિશ્વ ફરી ઘસડાઈ રહ્યું છે. ૧૯૭૨ના ડિટેન્ટના લગભગ અંત આવી ગયો છે. મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધના પુનરાગમનના ઘણા પુરાવા નજરે પડે છે. અમેરીકાએ તેના સંરક્ષણ અંદાજપત્રકમાં ભારે વધારો કરીને તે ૧૪૦ અબજ ડોલરનું કર્યું છે. આ ઉપરાંત, વિશેષ વધારા માટે માગણી થઈ રહી છે. અત્યારે થયેલા વધારો જ પાંચ ટકા જેટલા છે. સી. આઈ. એ. સામેના પગલાંની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી રહી છે. તેમ છતાં, ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાના ઠંડા યુદ્ધ કરતાં આ ઠંડા યુદ્ધમાં ઘણો ફેર છે. એ વખતે સાવિયેત સંઘ ત્યારના અમેરિકા કરતાં ઉતરતા દરજજાનું હતું. ટેક્નોલૉજીમાં પણ અમેરિકા કરતાં ઊતરતી કક્ષાનું હતું. એથી એ વખતે તેને માત્ર પ્રતિક્રિયા જ કરવી પડતી હતી. ડિટન્ટના કાળ દરમિયાન સેવિયેત સંઘે પોતાને લશ્કરની સર્વોપરિતા મેળવવાના પ્રયાસે। આદર્યા. એગેાલાના બનાવે તેના મનોબળનું પ્રદર્શન કર્યું. અમેરીકાએ માત્ર પ્રતિક્રિયા જ કરી, ૧૯૪૫ પછી સાવિયેત સંઘે લશ્કરી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ મહાન છે. અમેરિકાની નબળાઈ ૧૯૭૫ અને ૧૯૮૦ના બે બનાવાની સરખામણી કરતાં છતી થાય છે. ૧૯૭૫માં કામ્પુચીઆએ અમેરિકાનું જહાજ-બજે કર્યું ત્યારે અમેરિકાના પ્રદુખે તુરંત જ લશ્કરી પગલાં લેવાનો હુકમ કર્યો હતો. ૧૯૮૦માં ૫૦ જેટલાં અમેરિકીઓને બાનમાં રાખનાર ઈરાન સામે હજી સુધી લશ્કરી પગલું લેવામાં આવ્યું નથી. ઈરાન સાથેના રાજદ્રારી સંબંધો પણ હજી હમણાં તોડવામાં આવ્યા. અમેરિકાએ હજી સુધીમાં જે પગલાં લીધાં છે તે આંતરરાષ્ટ્રીય રાજકારણને અનુલક્ષીને નહીં; પરંતુ આંતરિક રાજકારણને અનુલક્ષીને લીધા હોય એવી છાપ પડે છે. જોકે ૧૯૭૫ના પગલાં યોગ્ય હતા એવું નથી. ૩૯ બાન ખલાસીઓ માટે ૩૮ નૌકા જવાનાના જાન આપવામાં આવ્યા હતા. ૧૯૮૦મા અમેરિકાનું લશ્કરી પગલું અનિવાર્ય હોય એમ ઘણા માને છે. કાર્ટર ડોનની કોઈ અર્થ સરે એવી સંભાવના ઓછી છે. પાકિસ્તાનને ૪૦ કરોડ ડૉલરની સહાય આપવાની દરખાસ્ત સિવાય ભાગ્યે જ કોઈ નકકર પગલાં લેવામાં આવ્યા છે. ભારતની વિદેશ નીતિ અંગે એમ કહી શકાય કે નહેર ના સમયથી અમેરિકા અને સેાવિયેત સંઘ માટે ભારતે બે અલગ અલગ ધારણ અપનાવ્યા છે. અમેરિકાએ જ્યારે પણ કોઈ દેશમાં દખલગીરી કરી હશે ત્યારે તેની ખુલ્લી ટીકા કરવામાં આવી છે અને તેનાં દળે તાબડતોબ પાછા ખેંચવામાં આવે એવી માગણી કરી છે. તેમ છતાં, સેવિયેત સંઘ માટે ભારતના અવાજ હંમેશા દબાયેલા રહ્યો છે. હંગેરી કે ચેકોસ્લાવાકી કે અફઘાનિસ્તાન જેવા પ્રસંગો સોવિયેત સંઘે તેના દળા તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ વી ભારતે કદી માગણી કરી નથી. ભારતે એ ખ્યાલ રાખવા જોઈએ, કે આ વખતે પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી જ દી છે. મહાસત્તાઓ વચ્ચેના ઠ'ડા યુદ્ધના પુન:જન્મ આપણા બીજા દરવાજે જ થયો છે. આ ઠંડુ યુદ્ધ આવતીકાલે સમગ્ર ખંડને ઝડપી શકે. અગાઉ જયારે એવા બનાવ બન્યા ત્યારે તેના ભાગ બનેલા દેશ અલિપ્ત રાષ્ટ્ર નહોતા. અફઘાનિસ્તાન અલિપ્ત રાષ્ટ્ર છે. આપણુ' મિત્ર છે. ૧૯૭૧ના યુદ્ધ પછી ભારત એક વર્ચસ્વકારી રાષ્ટ્ર તરીકે બહાર આવ્યું છે. એવા દેશની પેાતાની પણ કોઈ જવાબદારી હોય છે, અને કયારેક એ જવાબદારી દુ:ખદ પણ હોઈ શકે.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy