________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૦
[૨] - આર્થિક
વ્યવસ્થાને બદલે ગલીઓમાં હિંસા અને આંદોલન મારફતે દેખાય. વડા પ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધીએ પરિણામ આપવા જોઈએ અને તેઓ એ આપી શકે એવી સ્થિતિમાં પણ છે. તેમ છતાં એવું થશે નહીં. વર્તમાન કન્ટેક્ટીને ઉકેલ લોકશાહી વ્યવસ્થામાં જ મળી શકે. લેકશાહીને બાજુએ રાખીને પ્રશ્ન ઉકેલવાની પદ્ધતિ કદી સફળ થઈ નથી અને થશે પણ નહિ. શ્રીમતી ગાંધી સ્વભાવે ડેમેક્રેટ નથી એથી જ તેઓ આ પ્રશ્ન ઉકેલી શકશે કે નહીં એ શંકાસ્પદ છે. આ પ્રકારની કોટી ઉકેલવાની કોઈ ચાવી તેમની પાસે નથી. જો તેઓ એ ઉકેલી શકે તો તેમનું સ્થાન દઢ બની શકે. અત્યારની આ પરિસ્થિતિ વધુ વિક્ટ બનશે અને એક સમય એવો આવશે કે જ્યારે તેને સંભાળવી મુશ્કેલ બની જશે.
આઝાદીની શરૂઆતના સમયમાં આપણી રાજકીય વ્યવસ્થા ઘણા સ્તરે કામ કરી શકતી હતી. તેનું અસ્તિત્વ હતું. વર્તમાન સામાજિક કટોકટીનું એક અગત્યનું કારણ ‘સત્તાના કેન્દ્રીકરણ કરતાં ‘ઘર્ષણ નું કેન્દ્રીકરણ વધુ જવાબદાર છે. પ્રશ્ન જ્યાં પેદા થતા હોય ત્યાં જ તેને ઉકેલ મળે એ ખાસ જરૂરી છે. - “સેન્ટ્રલાઈઝડ બ્યુરોક્રેટિક ઓર્ડર' પ્રશ્ન હલ કરી શકે એમ નથી. ગતિશીલ જનતા (શ્રમિક વર્ગ) અને ગતિશૂન્ય સમાજ વચ્ચેનું આ ઘર્ષણ છે. જમીનવિહોણા કામદારોની ટકાવારી વધતી જાય છે. આ પરિસ્થિતિમાં નૈતિંકતાની પ્રક્રિયા ભાંગી પડી છે. નજીકના ભવિષ્યમાં અંધાધૂંધી અને ઘર્ષણ વધશે. તેમ છતાં, સાવ હતાશ થવાની જરૂર નથી. આ પ્રકારની પરિસ્થિતિમાંથી જ પરિવર્તન આવે છે. આ પરિવર્તનની પ્રક્રિયા અત્યારે પણ ચાલુ છે. સામાજિક બળનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. જો કે તેનું આખરી સ્વરૂપ કેવું હશે, એ આપણે જાણતાં નથી.
ભારત માટે લોકશાહી એ માત્ર મૂલ્ય જ નથી, એ એક ઐતિહાસિક જરૂરિયાત છે. લોકશાહી વગર સામાજિક, આર્થિક પ્રશ્ન ઉકેલવાનું મુશ્કેલ છે. સામાજિક અન્યાય કશાહી મારફતે જ દૂર કરી શકાય. ૧૯૭૭ જેવું પરિવર્તન ફરીથી આવવું જોઈએ અને એવું પરિવર્તન આવશે એવી મને પૂરી શ્રદ્ધા છે. આ પરિવર્તન માટે આપણે તૈયાર રહેવાનું છે. ઈન્દિરા સરકારને ઉથલાવવાના વિરોધ પક્ષોના એસૂત્રી કાર્યક્રમને મેં ક્યારેય ટેકે આપે નથી. વર્તમાન પ્રશ્નો ઉકેલ એમાં રહેલ નથી.
અત્યારની પરિસ્થિતિ એવી છે, કે કોઈ પક્ષ સાથે સંકળાળેલા ન હોય એવા લોકોને વધુ ને વધુ પ્રમાણમાં સામેલ કરવા જોઈએ. એમ કરવાથી રાજકીય વ્યવસ્થાને વધુ ભાંગી પડતી અટકાવી શકાય અને વ્યવસ્થાને વધુ ભાંગી પડતી અટકાવવાની ખાસ જરૂર છે.. લેકશાહીને એક અગત્યનો ભાગ છે, સ્વૈછિક પ્રયાસે. ઉકેલની જવાબદારી સરકારને માથે મૂકી દેવાને માર્ગ પ્રશ્ન ઉકેલલવા માટે સાચે માર્ગ નથી. પ્રશ્ન ઉકેલવા સૌચ્છિક અને વ્યકિતગત પ્રયાસો પર વધુ આધાર રાખવો જોઈએ.
આઝાદી પછીના તાત્કાલિક કાળમાં હતા એવા કેંગ્રેસ જેવા પક્ષની આપણને જરૂરિયાત છે. એ ખાસ નોંધપાત્ર વાત છે, કે લોકોએ હજી સુધી લોકશાહીમાં વિશ્વાસ ગુમાવ્યા નથી. છેલ્લી ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર લાંબી કતારી આ વાતની સાક્ષી આપે છે.
આપણી પાસે કાર્યક્રમની કોઈ અછત નથી. જરૂર છે પગલાંની, કાર્યક્રમના અમલની. બધા પક્ષોના ચૂંટણી ઢંઢેરા લગભગ સરખા જ દેખાય છે. એ પરથી એમ કહી શકાય કે દેશની જરૂરિયાતને રાજકીય પક્ષો વતેઓછે અંશે સમજી શકયા છે. અને એ એક સારી બાબત છે. - છેલ્લા સાત મહિનાથી “વિદેશીઓની હકાલપટી” ની માગ સાથે ચાલતા વિદ્યાર્થી માંદોલનને કારણે પેદા થયેલી આસામની વર્તમાન પરિસ્થિતિ સરકાર કે દેશ સમકા ગંભીર પડકાર ઊભે કર્યો છે. આ પ્રસ્ત વિદ્યાર્થીને સાથે સતત વાટાઘાટો દ્વારા લોકશાહી પદ્ધતિ મારફતે ઉકેલવો જોઈએ. કોકટી લાદવામાં આવી એ પહેલાં શ્રીમતી ગાંધીની આ પ્રકારના પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા ઘણી સારી હતી. તેનું એક કારણ એ હતું કે એ સમયે તેમની પાસે સારા સલાહકાર હતા. તેમના વગર શ્રીમતી ગાંધી ‘શૂન્ય’ બરાબર છે.
1. ૨જની કોઠારી
ભારતનું રાજકીય ચિત્ર ગમે એવું ગુંચવાડાભર્યું હોય; પર તુ આર્થિક મોરચાને સંબંધ છે ત્યાં ચિત્ર ઘણું સ્પષ્ટ છે. આ ચિત્ર અતિ અંધકારમય છે. આ અંધકાર લાંબા ગાળાને છે કે ટૂંકા ગાળાને, એ તો ભવિષ્ય જ નક્કી કરશે. તેમ છતાં, આ અંધકાર માટે મુખ્યત્વે ત્રણ બાબતે કારણભૂત હોવાનું કહી શકાય.
ગયા વર્ષે આપણે નકારાત્મક આર્થિક વિકાસ અનુભવ્યો. આ માટે મુખ્ય બે કારણે હતાં. ખેતીવાડી અને બિન-ખેતીવાડી. ખેતીવાડીના સંબંધમાં આપણે બે આશ્વાસને મેળવી શકીએ. એક તે વર્ષ વરસાદને કારણે ખરાબ ગયું હતું અને બીજું ગયું વર્ષ ખરાબ ગયું, તે કદાચ આવતું વર્ષ સારું જશે, એ દ્રારા ગયા વર્ષની ખાધ આવતા વર્ષે પૂરી શકશું. '
તેમ છતાં, બિન-ખેતીવાડી એટલે કે ઉદ્યોગોને સંબંધ છે ત્યાં નકારાત્મક વિકાસ માટેને દોષ આપણે જ છે. ૧૯૬૫થી આપણે ઔદ્યોગિક વિકાસ દર જાળવી રાખવા આપણે ભારે પ્રયાસ કરવા પડે છે. આપણે ઔદ્યોગિક વિકાસ દર વર્ષે સાતથી આઠ ટકાથી ઘટીને બેથી પાંચ ટકા થઈ ગયો છે.
આપણા વિશાળ અર્થતંત્રને કારણે આપણને વિશ્વના મહાન ઔદ્યોગિક દેશોમાંના એક તરીકે ગણવામાં આવે છે. આ ગણતરી નિરક્ષરતાની ગણતરી જેવી છે. વસતિની દષ્ટિએ વિશ્વનું બીજું સ્થાન ધરાવતા દેશમાં બીજા કોઈ પણ દેશ કરતાં વધુ નિરક્ષર હોય એ રીતે છેલ્લા દાયકામાં ઘણા વિકાસ પામતા દેશના વિકાસ દર આપણા કરતાં વધુ રહ્યા છે એ ચિંતાજનક છે.
અત્યારે મારી પાસે આંકડા નથી. તેમ છતાં, ૧૯૭૯-૮૦ને આપણા વિકાસદર લગભગ શૂન્ય હશે. આ વર્ષ દરમિયાન દેશમાં કોઈ ઔદ્યોગિક વિકાસદર હશે તો એ સૌથી વધુ આશ્ચર્યજનક લેખાશે. પહેલાં જ્યારે વિકાસદર નીચે રહે ત્યારે એ માટે કેટલાક કારણે જવાબદાર હતાં. ૧૯૭૯-૮૦માં એવું કેઈ કારણ નહોતું એ વર્ષ દરમિયાન પૂરતો અને પુરવઠો હતે, વિદેશી હૂંયિામણની પૂરતી અનામત હતી, માગ ઘણી સારી હતી અને પૂરતી ઉત્પાદન શકિત ઊભી કરવામાં આવી હતી. આ લગભગ શૂન્ય વિકાસદર માટે અપૂરતી ઉત્પાદન શકિત નહીં પરંતુ આપણે એ ઉત્પાદન શકિતને પૂરતો ઉપયોગ કરી શકયા નહોતા એ બાબતે જવાબદાર છે.
આપણે સમાજવાદી સમાજની જેના આધારે રચના કરવા મથીએ છીએ એ જાહેર ક્ષેત્ર માટે આપણે ગર્વ અનુભવીએ છીએ. આ જાહેર ક્ષેત્ર ૧૯૭૯-૮૦ દરમિયાન નિષ્ફળ નીવડયું અને લગભગ શૂન્ય વિકાસદર માટે આ બાબત ઘણી જવાબદાર છે. ભાવના વધારા માટે આ સમગ્ર વસ્તુસ્થિતિને જવાબદાર ગણી શકાય.
ભાવ નિર્દેશાંકમાં વધારે થયો હોવા છતાં અછતની પરિસ્થિતિનું અથવા ગ્રાહકોની મુશ્કેલીનું આ ભાવ નિર્દેશાંકમાં બહુ પ્રતિબિંબ પડતું નથી. જયારે વસ્તુ અંકુશિત હોય છે ત્યારે ભાવનિર્દેશાંક પર તેનું ભાગ્યે જ પ્રતિબિંબ પડતું હોય છે. એક રીતે તે આપણે એવા વિશ્વમાં જીવીએ છીએ જયાં ભાવની દરેક ગોઠવણ ઉર્ધ્વમુખી થાય છે. આપણા દેશમાં ઘણી વખત ચેકરા વર્તુના ભાવ માટેની કાયદા સ્થાપિત સમિતિની ભલામણ કરતાં વધુ ઊંચા ભાવે ગેઠવવામાં આવે છે. ભારે જરૂર કરતાં વધુ ઊંચા ગોઠવવામાં ન આવ્યા હોય તો પણ એમ જ કરવામાં આવ્યાં છે એવી લોકોને શંકા રહેશે. આ સંબંધમાં કોઈ આચારસંહિતા હોવી જરૂરી છે. જે રાજકારણીઓને ભાવે ગોઠવવાની સત્તા હોય તે તેઓ ચેક્સ સ્થિતિમાં તેમના કામચલાઉ હિતને અનુરૂપ રહે એ રીતે ભાવે ગોઠવશે. જેની પ્રામાણિકતા બાબતમાં કોઈ શંકા ન જાગે એવી કાયદાસ્થાપિત સંસ્થાદ્વારા ભાવની ગોઠવણી કરવી જોઈએ.
ફુગાવ એ માત્ર ભારતીય વિલક્ષણતા નથી, વિશ્વ આખું અત્યારે એ આંકડાના ફુગાવાના ચક્કરમાં સપડાયેલું છે. વિશ્વના હું ગાવા સાથે ભારતને ફુગાવે સંકળાયેલો છે. આપણી જરૂરિયાતને પહોંચીવળવા જયારે આયાત કરવી પડે છે ત્યારે હંમેશા ભાવોમાં વધુ વધારો કરવો પડે છે, કારણકે વિદેશના ભાવ કરતાં સરખામણીમાં ભારતમાં ભાવ ઓછા હોય છે. આયાત કરેલી વસ્તુના આયાતી ભાવ સાથે સમાનતા જાળવી રાખવા અહીંના ઉત્પાદનના ભાવે