SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૦ વિશાળ આદર્શ રજૂ કરવામાં જીવનની વાસ્તવિકતાના મને ઈનકાર જણાતો નથી. આખરે આદર્શો શું છે? શ્રી અરવિંદના શબ્દોમાં કહીએ તો, હજુ માનવી માટે સાકાર ન બનેલા સત્યા તેનું નામ આદર્શો; હજુ આપણા કર્મના વર્તમાન ક્ષેત્રમાં, જીવનની પાર્થિવ ભૂમિકા ઉપર ચરિતાર્થ ન થયેલી માનવ અસ્તિત્વના ઉચ્ચ સ્તરની વાસ્તવિકતાનું બીજું નામ તે આદર્શો, શ્રી અરવિંદ માર્મિક રીતે કહે છે : Man's greatmess is not in what he is but what he makes possible. આદર્શવાદનો પૂર્ણ દષ્ટા જીવનની વાસ્તવિકતાઓને નકાર કરતા નથી. એ જ રીતે વ્યવહારદષ્ટિવાદીએ આદર્શોના સેવનને વ્યાવિહાર તરીકે ઓળખાવવાની જરૂર નથી. આદર્શ અને વ્યવહાર વચ્ચે અવિયાજય ગાંગિભાવ રહેલા છે. પરસ્પરની અવહેલના એમાં પરવડે તેમ નથી. શ્રી અરવિંદ યથાર્થ રીતે કહે છે, જે સ્થળ અને કાળમાં કેવળ વ્યવહારદષ્ટિવાદીઓ પ્રભુત્વ ધરાવીને આદર્શ નિષ્ઠ વ્યકિતઓને બહિષ્કાર કે નિરુત્સાહી કરે છે તે દેશ અને યુગમાં માનવજાતિની પ્રગતિ માટે મૂલ્યવાન ગણી શકાય તેવું ઘણું ઓછું કાર્ય થાય છે. બીજી બાજુએ, જયારે આદર્શનિષ્ઠ વ્યકિતઓ અને દિટ મુકત રીતે આગળ આવી શકે છે ત્યારે પેલા વ્યવહાર દષ્ટિવાદીઓને નવી કાર્યદિશા સાંપડે છે; એમની કાર્યશકિત દસગણી અધિક બની જાય છે અને પહેલાં જે વસ્તુઓ સ્વપ્નસમી ગણાતી હતી તેને આશ્ચર્યજનક રીતે તે સિદ્ધ કરી આપે છે. આદર્શના (કાઈ દર્શનના) વ્યામવિહારને જીવનની વાસ્તવિકતા સાથે અસંબંધિત પલાયનવાદ ન ગણી શકાય. અહીં સ્પષ્ટતા એ કરવાની કે, શેખચલ્લીના નુક્કાઓને આપણે આદર્શોમાં ગણતા નથી. વળી ખરા આદર્શવાદી અને મતાંધ માણસ વચ્ચે સ્પષ્ટભેદરેખા દારી લેવી જોઈએ. આ પૃથ્વી ઉપર દ્રષ્ટા અને સૃષ્ટા હાથમાં હાથ મિલાવીને વધુ ને વધુ પ્રમાણમાં પ્રવૃત્ત થશે, એ આદર્શ જયારે ચરિતાર્થ થશે ત્યારે માનવજાતિને આંતરિક તેમજ બાહ્ય ચહેરોમહારો સાવ બદલાઈ ગયા હશે. આવા આદર્શ સિદ્ધ કરવામાં આપણે સૌ સહાયભૂત થઈએ. પણ એવા આદર્શની શક્ય તેટલી વધુ સિદ્ધિ થાય ત્યાં સુધી નજરે દેખાય તેવી અને તેટલી જ વાસ્તવિકતાને પરમ સત્ય કે લક્ષ્ય ગણવાનું આપણે માકૂફ ન રાખી શકીએ? માનવજાતિના વિકાસના આજના તબક્કાએ જે વાસ્તવિકતા નજરે પડે છે તે કોઈ કાળે વ્યામવિહાર સમી નહિ ભાસી હોય ? કૃષ્ણમૂર્તિ કે શ્રી અરવિંદના વ્યાવિહારને ‘વર્તમાન જીવનની સમસ્યા સાથે ‘જીવનની વાસ્તવિકતા’ સાથે સંબંધ નથી, એવું કાંઈક આપનું કથન તેથી વધારે ઊંડા પરામર્શ માગી લે છે. વલ્લભ વિદ્યાનગર દિલાવરસિંહું જાડેજાના નમસ્કાર તા. ૨૧-૪-૮૦ 1 પ્રબુદ્ધ જીવન અભ્યાસ વર્તુળ વકતા: ડૉ. એમ. એમ. ભમગરા વિષય : નિસર્ગોપચાર : મારી દષ્ટિએ તારીખ : ૮-૫-’૮૦ ગુરુવાર સાંજના ૬-૧૫ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ - ડૉ. ભમગરા બહુ જ જાણીતા, નેચરોપથીના તજજ્ઞ છે અને તાજેતરમાં તેઓ દુનિયાના ઘણા દેશોનો પ્રવાસ કરી આવ્યા છે. તેમના વ્યાખ્યાન બાદ સ્લાઈડો પણ દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌને સમયસર ઉપસ્થિત થવાનું હાર્દિક નિમંત્રણ છે. સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસ – વર્તુળ રાષ્ટ્રીય પરિસ્થિતિ : વસત વ્યાખ્યાનમાળા 2257 સ્વપ [ી મુંબઈ જૈન યુવક સંઘે દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલની ૭ - ૮ - ૯ - ૧૦ તારીખા - એમ ચાર દિવસ દરમિયાન વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું હતું. વ્યાખ્યાનમાળાનો વિષય હતો ‘રાષ્ટ્રીય પરિસ્થિતિ' (નેશનલ સીન). વ્યાખ્યાનમાળામાં પ્રથમ દિવસે પ્રા. રજની કોઠારીએ રાજકીય પરિસ્થિતિ વિશે, બીજે દિવસે ડૉ. ડી. ટી. લાકડાવાળાએ આર્થિક પરિસ્થિતિ વિશે, ત્રીજે દિવસે પ્રો. પી. એમ. કામઢે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વિશે અને છેલ્લે દિવસે શ્રી રાજમાહન ગાંધીએ સામાજિક અને નૈતિક પરિરિસ્થતિ વિશે વ્યાખ્યાનો આપ્યા હતા. આ વ્યાખ્યાનોનો મહત્ત્વના અહીં આપવામાં આવ્યો છે- તંત્રી સારભાગ [૧] રાજકીય દેશની વર્તમાન રાજકીય સ્થિતિને ૧૯૭૫ માં કટોકટી લાદવામાં આવી એ પહેલાંના દિવસે સાથે સરખાવી શકાય, આપણે અત્યારે ભારે વિષમ પરિસ્થિતિની પકડમાં છીએ. રાજકીય પરિ સ્થિતિ સૌથી વધુ ગૂંચવાડાભરી છે. આ વર્તમાન સ્થિતિને કોઈ રાજકીય પક્ષની સફળતા કે નિષ્ફળતા સાથે સાંકળી શકાય નહીં. આપણી સમક્ષાના પ્રશ્નો ઘણા વિશાળ અને વિવિધ પાસાં ધરાવતા છે. આઝાદી પછીના શરૂઆતના સમયની ‘સિસ્ટમ’ ની નિષ્ફળતાને આજની પરિસ્થિતિ માટે જવાબદાર ગણી શકાય. આઝાદી પછી દેશમાં સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય વિકાસ માટે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ યોગ્ય સાધન સાબિત થઈ. જો કે, એ ચોક્ક્સ હદ સુધી જ માફક આવે એવી હતી. એ વખતનાં વ્યાપાક માળખાને અનુરૂપ એ ‘સિસ્ટમ’ દબાણ હેઠળ અસરકારક નીવડી શકે એમ નહોતી. ૧૯૬૭થી પરિસ્થિતિમાં પલટો આવ્યો. એક નવી પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયા એવી હતી, કે જ્યાં જૂની વ્યવસ્થા કામ લાગે એમ નહોતી. મધ્યમ વર્ગ અને નિર્બળ વર્ગના લોકો તેમના અધિકારો માટે વધુ ને વધુ સભાન બનતાં તેઓ વધુ ને વધુ માગવા લાગ્યા. એ સાથે આપણી ‘સિસ્ટમ’ પર દબાણ વધવા લાગ્યું. સામાજિક માળખું તૂટવા લાગ્યું. એટલા પ્રમાણમાં એક સાથે દબાણ આવે ત્યારે તેની સામના કરવાનું એક પક્ષ માટે મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને આપખુદશાહી વલણ ધરાવતા પક્ષ માટે એ વધુ મુશ્કેલ બને છે. આપેલા વચનો પૂરું કરવાની સરકારની શક્તિમાં ઘટાડો થતા ગયા, આજે આપણે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં કોઈ રાજકીય પક્ષ નથી. આપણે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વિકલ્પ શોધી શકયા નથી અને મૂળ કોંગ્રેસ હવે રહી નથી. વિરોધ પક્ષો વિક્લ્પ તરીકે કામ કરી શકે એમ નથી. કોંગ્રેસના વિકલ્પ ઊભા કરવામાં વિરોધ પક્ષો નિષ્ફળ નીવડયા છે. નાઝાદી પછી આપણે સમય જતાં પક્ષને પરિવર્તનના સાધન તરીકે વધુ ને વધુ દૂર ધકેલતા ગયા અને બ્રિટિશ રાજના વારસામાં મળેલી નાકરશાહી પર આધાર રાખવાનું વધારતા ગયાં. સામાજિકરાજકીય આધાર વિના કોઈ ‘સિસ્ટમ’ પરિણામ આપી શકે નહીં. લોકો જ્યારે તેમના દરેક પ્રકારના અધિકાર માગતા ગયા ત્યારે આપણને ભાન થયું, કે આ ‘સિસ્ટમ' ચાલી શકે નહીં. કોઈ પણ પક્ષ પરિવર્તનનું સાધન બનવાને બદલે સત્તા અને આપખુદીશાહીનું સાધન બનવાનું શરૂ કરે તથા સત્તા એક જ કેન્દ્રમાં કેન્દ્રિત થવા લાગે ત્યારે આ સિસ્ટમ ક્યારેય કોઈ પરિણામ આપી શકે નહીં. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૦ માં જંગી બહુમતી છતાં રાજકીય પક્ષો પરિણામ આપી શક્યા નથી. આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. તે તેઓ જાણતા નહાતા અથવા નથી. આપણી પાસે અસરકારક કેન્દ્ર નથી. અત્યારના પ્રશ્નો હલ કરવા સત્તાનું વિકેન્દ્રીકરણ ખાસ જરૂરી છે. મધ્યમ વર્ગ અને નિર્બળ વર્ગના પ્રશ્નો સામે આવ્યા અને જાતિય ભાવનાએ જોર પકડયું ત્યારે તેના ઉકેલ વર્તમાન રાજકીય
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy