________________
૨૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૦
sovereignty and an independent judiciary if only because they cannot hope to win it. They can turn down any number of executive decisions without provoking such a confrontation. They cannot imprison Mrs. Gandhi, nor for that matter even Mr. Sanjay Gandhi, without running such a risk.
‘જનતા શાસન વખતે પોતાની સાથે સતામણીને ભોગ બનનાર ચક્કસ અમલદારોને શ્રીમતી ગાંધીએ બદલે ન આપ્યું હોત અને તેમને મતે જેઅમલદારે તેમના પુરોગામીઓના (જનતા શાસકોના) માનીતા બની ગયા હતા એમની તેમણે બદલીઓન કરી હોત તે તે મુત્સદીનું કૃત્ય ગણાત; પરંતુ તેમણે ઉદારતા દાખવી જેથી તેમની ઉપર સરમુખત્યારીને ૨ક્ષેપ ન મૂકી શકાય. એવી જ રીતે એમના વિજય બાદ એક પછી એક અદાલતે તેમની અને શ્રી સંજય ગાંધી સામેના કેસે કાઢી નાખ્યા તે અંગે શ્રીમતી ગાંધીને દોષ દઈ શકાય નહિ. ખરેખર તે, આપણે જે અનાવશ્યક રીતે એવું ધારી લઈએ કે ન્યાયાધીશેએ કેટલાક કેસમાં કાયદાબાહ્ય અને બંધારણબાહ્ય ગણતરીએ લક્ષમાં લીધી છે તે આ ન્યાયાધીશની સામાન્ય બુદ્ધિ અને વાસ્તવિકતાની તેમની સમજદારીની પ્રશંસા કરવી જોઈએ.
મારા આ નિવેદન અંગે કોઈ એવો આક્ષેપ મૂકશે કે ન્યાયતંત્રને કારોબારીના હાથ નીચે મૂકવાની હું હિમાયત કરું છું અને શ્રીમતી ગાંધી તથા શ્રી સંજય ગાંધીને કાયદાની ઉપર મૂકવા માંગું છું. હકીકતમાં હું એટલે જ મુદ્દો ૨જૂ કરી રહ્યો છું કે એક સ્વતંત્ર રાજય અને લેકશાહી તરીકેની આપણી બાલ્યાવસ્થામાં આપણા ન્યાયાધીશોએ શક્ય હોય ત્યાં સુધી ન્યાયતંત્રની સ્વતંત્રતા અને લોકોની સર્વોપરિતા વચ્ચે સંઘર્ષ થતો અટકાવવો જોઈએ. ન્યાયતંત્ર એવો સંઘર્ષ કરે તે પણ એ તેમાં ફાવે નહિ. આ સંઘર્ષ ન થાય એ રીતે તેઓ સરકારના ગમે તેટલા નિર્ણયને રદ કરી શકે છે; પરંતુ તેઓ શ્રીમતી ગાંધીને કે શ્રી સંજય ગાંધીને પણ જેલમાં મેલે તે આવું (સંઘર્ષનું) જોખમ ઊભું થયા વિના રહે નહિ.”
ગિરિલાલે પ્રતિપાદિત કરેલ વિચારો આશ્ચર્યજનક અને કેટલેક દરજજે આઘાતજનક છે. તેના કહેવા પ્રમાણે ન્યાયમૂતિરાએ વાસ્તવિકતા સમજવી જોઈએ અને સામાન્ય સમજ(Common Sense) વાપરવી જોઈએ. Popular sovereignty લોકોની સર્વોપરિતા) જે, નેતામાં મૂર્તિમંત થાય છે, અને Independence of Judiciary (ન્યાયતંત્રની સ્વતંત્રતા) વચ્ચે સંઘર્ષ થવા ન જોઈએ એમ કહી ઉમેરે છે, કે ન્યાયતંત્ર એ સંઘર્ષ કરે તે તેમાં ફાવે નહિ. સરકારે ખાટું કર્યું હોય અને ન્યાયતંત્ર તેને ખોટું ઠરાવે તે સંઘર્ષ કર્યો કહેવાય? ન્યાયતંત્ર સત્તાધિશોને રાદા અનુકૂળ રહેવું જોઈએ? સરમુખત્યારી દેશમાં એવું બને છે, એટલું જ નહિ, એમ હોવું જ જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. લેકશાહી કહેવાય એવા દેશોમાં આથી જદી જ અપેક્ષા રાખવામાં આવે છે.
‘ટાઈમ્સ'ના તંત્રી જેવી વ્યકિત આવા વિચારો કરે અને જાહેરમાં તેની હિમાયત કરે ત્યારે દેશનું નાવ કઈ દિશામાં જઈ રહ્યાં છે તે ખરેખર ચિત્તાને વિષય બને. વર્તમાનપત્રો પણ સ્વતંત્ર હોવા જોઈએ એવું આપણે માનીએ છીએ: આ તે રહ્યાં જ કયાં? ન્યાયતંત્રે સત્તાને અનુકૂળ થવું જોઈએ એવું કહેનાર પત્રકાર સરકારને અનુકૂળ રહે જ? તેનામાં વાસ્તવિકતાનું ભાન અને (Common Sense) ઘણાં પ્રમાણમાં છે એમ માની લેવું જોઈએ!
ગિરિલાલ જૈનના લેખને સાર તે એ છે કે શ્રીમતી ગાંધી Authoritarian નથી, Indecisive છે. ગીરીલાલ ઈચ્છે છે કે શ્રીમતી ગાંધી પૂરા Authoritarian થાય અને Leadership Qualities દાખવે. ગિરિલાલ જૈન સબળ નેતૃત્વની કેટલાય સમવથી હિમાયત કરતા આવ્યા છે. એવા સબળ નેતૃત્વના તેમના વિચારો વધારે સ્પષ્ટ થતા જાય છે. આ નેતૃત્વ સબળ થાય તે માટે તેના ઉપર ન્યાયતંત્ર કે પત્રકારિત્વનું બંધન હોવું ન જોઈએ, બલ્ક બનેએ આવા સબળ નેતાને અનુકૂળ થવું જોઈએ. ૨૫-૪-૮૦
- ચીમનલાલ ચકુભાઈ
પત્રચર્ચા મુરબ્બી શ્રી ચીમનભાઈ,
તા. ૧૬-૪-૮૦ ના “પ્રબુદ્ધ જીવન’ માં આપનું આ રસપ્રદ કથન વાંચ્યું, “હું ફિલસૂફીના વિદ્યાર્થી હોવા છતાં મને ‘બસ્ટે કટ થોટ’ માટે બહુ આકર્ષણ નથી. કૃષ્ણમૂર્તિના વિચારો કે શ્રી અરવિદનો અતિમાનસ અવતરણને યોગ ઉત્તમ છે. પણ મને વ્યોમવિહાર લાગે છે. મારે રસ જીવનની વાસ્તવિકતામાં છે. તેમાંથી
છૂટી જવાનું ‘એકેપીઝમ” મારે માટે શકય નથી. જે વિચારોને વર્તમાન. જીવનની સમસ્યાઓ સાથે સંબંધ નથી એવા વિચારે મને માત્ર બુદ્ધિના વ્યાપાર જેવા લાગે છે.”
ઉપરના લખાણમાં આપનું વ્યવહાર, દષ્ટિવાદી. (Prabmatist) વલણ જણાઈ આવે છે. આદર્શોને મૂર્તિમંત કરવા માટે આવું વલણ જીવનમાં ઉપકારક છે. પરંતુ અમૂર્ત વિચાર અથવા કોઈ દર્શનને ‘વ્યોમવિહાર” તરીકે ઓળખવાનું આપનું વલણ મને સમજાયું નથી. આપ જેને વ્યોમવિહાર કહો છો તેને હું આદર્શવાદી કહું છું. ગઈ કાલે જે વ્યોમવિહાર જણાતો હતો તે આજે પૃથ્વી ઉપરની વાસ્તવિકતા બની હોય એવો અનુભવ માનવજાતિના ઈતિહાસમાં અજાણ્યો નથી. શ્રી અરવિંદના આદર્શની ભૂમિકા ઉપર કહેલા અતિમનસ અવતરણના ‘ઉત્તમ યોગને આપે વ્યોમવિહાર કહ્યો છે. અને આપને રસ તે જીવનની કઠોર વાસ્તવિકતામાં રહ્યો છે. એટલે કે, આપના મતે શ્રી અરવિંદના ગને જીવનની વાસ્તવિકતા સાથે સંબંધ નથી.
યાતનાપૂર્ણ આ વિશ્વમાંથી પલાયનવાદનો આશ્રય લઈ હિમાલયના કોઈ શિખર ઉપર શાંતિ શોધવાને આપે કદી પ્રયાસ કર્યો નથી. એટલે કે, જીવનની વાસ્તવિકતાઓ વચ્ચે રહીને સાગરમાં બિંદુ સમાન” “યચિત કર્મયોગ કરવાની આપે મથામણ કરી છે. આને હું શ્રી અરવિંદકથિત યોગ કહું તે કોઈને સરલીકરણ જેવું લાગશે. પણ મારા કથનમાં તથ્થાંશ રહેલે છે. વાસ્તવિક જીવનથી શ્રી અરવિંદ વેગ અપૃશ્ય નથી. શ્રી અરવિંદાશ્રમ વિશે સસ્પેમના શબ્દો આ સંદર્ભમાં વાંચે:
It is not a sort of exotic convent, still less a place of refuge and of peace. It is rather a forge. There are no protecting walls except the inner light one is immediately next — door to the bazaar.
શ્રી અરવિંદદર્શનને આપે કદાચ પરોક્ષ રીતે (જાણતાં કે અજાણતાં) “જીવનની વાસ્તવિકતામાંથી... છુટી જવાનું એસ્કેપિ ઝમ' કહયું છે. આવી (સંભવિતા) ગેરસમજ વિશે શ્રી અરવિંદના શબ્દો સ્પષ્ટતા અર્થે નોંધ્યું છે.
The spiritual life finds its most patent expression in the man who lived the ordinary life of men in the strength of the yoga. It is by such union of the inner life and the other that mankind will eventually be lifted up and become mighty and divine, ગાંધીજી તથા ડો. આલ્બર્ટ સ્વાઈઝરના જીવનકાર્યમાં આંતરિક તથા બાહ્ય જીવનનું આવું સુભગ એકત્વ જોવા મળે છે. અને રમ અર્થમાં ઉર્વીકૃત બનેલું તે યોગજીવન હતું. શ્રી અરવિંદના નીચેના કથન હેઠળ ગાંધીજી તથા ડે. સ્વાઈન્ડરે સંમતિની સહી કરી આપી હોત, એવું મારું માનવું છે.”
This is a miracle that men can love God, yet fail to love humanity with whom are they in love then ?
' માનવજાતિને વિકાસ ઈતિહાસમાં પશુ અવસ્થા (Animalhood) માંથી માનવ અવસ્થા Manhood તરફની ગતિ જોવા મળે છે. આ Manhood માંથી Supermanhood. તરફનું આરોહણ અને પૃથ્વી ઉપર અતિમનસ અવતાણ શક્ય છે, માનવ જીવનમાંથી એવી સંભાવ્યતા રહેલી છે, એવો વ્યોમ જે