________________
તા. ૧૬-૪-૮૦
પ્રબુદ્ધ જીવન
૨૩૬
કથા એક ભારતીય ગ્રામનારીની અને શ્રીમતી હીધરવડની
- ઉમાદેવી, બંગાળના એક ગામડામાં રહેતી ગ્રામ્યનારી. નાની ઉમ્મરે એનાં લગ્ન થયેલાં અને પરંપરા તથા પ્રણાલિને કારણે, એને પતિના ઘરની બહાર ઝાઝું જવાનું થયેલું પણ નહિ, છતાં ભારતમાં આઝાદી પછી થયેલાં પરિવર્તનની વાતથી એ અપરિચિત નહોતી અને એથીજ “ધન ધાન્ય પુષ્પભરા આમાદેર વસુંધરા”ને નજરે નિહાળવાની પોતાને તક મળતી નહોતી અને એને ધોખ હતો. આખરે એને જ્યારે પિતાની મિલકતને નિકાલ કરવાને સમય આવ્યા (સંભવત: એને કોઈ વંશવારસ નહિ હોય) ત્યારે એણે પોતાની જમીન, નાણાં વગેરે ભારતીય રેલવેને ટ્રસ્ટ તરીકે આપી દીધાં અને એ નાણાંમાંથી ભારતીય રેલવેએ, પોતાના પરગણાના ગ્રામવાસી ક્ષિાનને, ભારતદર્શન કરાવવું એવી શરત મૂકી. ભારતીય રેલવેએ
આ વાત સ્વીકારી લીધી અને હવે ઉમાદેવીના પરગણાના બંગાળી કિસાને માટે ખાસ ડબ્બામાં ભારતદર્શન પ્રવાસ યોજાય છે. જે ગામડાંઓમાં એક નાનું સરખે પાણીને પંપ પણ નથી, જે ગામ ડાંઓ કેટલીક વાર તો સ્ટેશનથી પણ દૂર હોય એવાં સ્થળોએ આવેલાં છે, તે ગામડાંના કિસાનોને ઉમાદેવીને કારણે હવે અઘતન કારખાનાંઓ અને બીજું એવું ઘણું જોવા મળે છે, જવાહરલાલે જેને અર્વાચીન મંદિરો તરીકે વર્ણવ્યા હતા, તેની યાત્રા કરવાની મળે છે.
" આટલી પૂર્વભૂમિકા પછી હું મૂળ વાત પર આવું. ઘણાં વરસે પહેલાં કલકત્તામાં એક હીધરવૂડ કરીને કેનેડિયન રાન્નારી રહે. એમને ભારતું જોવું હતું, ભારતના લોકહૃદયને ધબકાર માણ હતો? સાર ભારત ગામડામાં વસે છે એટલે તેમને તે ગ્રામજનોના સહવાસમાં રહેવું હતું. આ અંગે તપાસ કરવા તેઓ દિલહી ગયાં અને ત્યાં રેલવેના અધિકારીને રાંપર્ક સાધીને પિતાની યોજના તેમને સમજાવી. પેલા અધિકારીએ, ઉમાદેવીના દાનને લીધે નીકળનારી ટુરની વાત તેમને કહી અને શ્રીમની વુડને પોતાના કલકત્તાના નિવારણને કારણે બંગાળી આવડતું હોવાથી એ ટુરમાં જોડાવાનું સગવડભર્યું લાગ્યું અને તેઓ એ ટુરમાં જોડાઈ ગયાં. - અઠવાડિયાઓ તેમણે બંગાળી ગ્રામવાસી કિસાનોના સહવાસ માં ગાથાં અને એ પછી કેનેડા જઈને તેમણે હમણાં જ એ પ્રવાસ અંગેનું એક હૃદયંગમ પુસ્તક બહાર પાડયું છે. પુસ્તકનું નામ છે: “યર્ડ કલાસ ટિફેટ.” (જે રામયે ભારતીય રેલવેઓમાં થર્ડ કલાસ હતા તે સમયની આ વાત છે.) આ પુસ્તકની એક ઉધાર બાજુએ છે કે એ ધણ માં છે, ૧૦ રૂપિયાથી પણ વધારે કિસ્મતનું એ પુસ્તકનું અવલોકન અને પુસ્તકનાં લેખિકા સાથેની મુલાકાત હમણાં જ બી. બી. પી.ના ‘બુક પ્રોગ્રામ” માં પ્રસારિત થયાં હતાં અને એના પરથી જ આ લેખ તૈયાર કર્યો છે. પૂરતકની જે વિગતો તથા, લેખિકાન પ્રવાસ દરમિયાન થયેલા અનુભવોની જે વિગતે ઉકત “બુક પ્રોગ્રામમાં સાંભળવા મળી તે ઉપરથીજ મેં ઉકત પુસ્તક માટે “હૃદયંગમ” એવું વિશેષણ વાપર્યું છે. મારા મેએ ગાંધીજીના સમયમાં, ભારતની ગટશે ઉલેચવાની પ્રવૃત્તિ સમું જે ગંધાતું પુસ્તક લખ્યું હતું તે અંગે ભારતભરમાં- અખબારોમાં અને અન્ય સ્થળે ભારે હોહા થઈ હતી, તો ભારતની ગ્રામપ્રજાના સ્ફટિક જેવા નિર્મળ સ્વભાવનું આલેખન કરતું પુસ્તક આપણી નજર બહાર ન રહેવું જોઈએ. આ પુસ્તકની સોંધી આવૃત્તિ ભારતમાં પ્રસિદ્ધ થાય એવું હું તે. જરૂર ઈચ્છે.
-તો હવે શ્રીમતી વુડે પિતાને પ્રવાસ દરમિયાન જે અનુભવે થયા હતા તે વિષે થોડુંક.
શ્રીમતી વૂડે, પ્રશ્નકારને જણાવ્યું હતું કે એમના ખાસ પ્રવાસ-ડબ્બામાં ૪૮ કિસાને હતા અને એમાંના જે ઉમ્મરમાં મોટા હતા. તેમણે તે શ્રીમતી વૂડને દીકરી તરીકે જ અપનાવી લીધાં હતાં. ભારતીય પ્રણાલી પ્રમાણે તેઓ શ્રીમતી વૂડને આગ્રહ કરી કરીને ખવરાવતાં હતાં અને કશી અગવડ નહિ પડે તેની કાળજી રાખતાં. એક વખત એક સ્ટેશન પર ગાડીમાં ચઢતાં પહેલાં ત્રીજા વર્ગના ઉતારૂઓનો એટલે બધે ધસારો થયો કે શ્રીમતી વાડ પ્લેટફોર્મની નીચે પડી ગયાં. તરત જ એમના ડબ્બામાંના માણસોએ એમને બચાવી લીધા અને આ ધક્કામુક્કીમાં એમની ચાંપલ ખોવાઈ ગઈ હતી, એટલે સ્ટેશનની બહાર નીકળીને નવી ચંપલ પણ અણી આપી. શ્રીમતી વૂડે આ કિસાનોનું વર્ણન કરતાં કહ્યું હતું: “ધે વેર રિઅલી વેરી વેરી કાઈન્ડ પીપલ.”
- શ્રીમતી વૂડે એક નરેન્દ્ર નામના સહ-પ્રવાસીને પણ ઉલ્લેખ * કર્યો હતો. અને આવા પ્રવાસેથી ગ્રામજનોને લાભ જ થાય છે.
અને તેમની પ્રગતિ વધારે ઝડપી બને છે. એવા આ નરેન્દ્રના આશા -વાદના ઉલ્લેખની સાથે પિતાનું પુસ્તક પૂરું કર્યું હતું. - નવરાશની વેળાએ રેડિયોની ચાવી ફેરવતાં ફેરવતાં અચાનક સાંભળવા મળેલ બી. બી. સી.ના આ બુક પ્રોગ્રામ મનને પ્રફુલ્લિત કરી ગયો અને મનમાં વિચાર પણ પ્રેરતો ગયો કે ઉમાદેવી ભલે ગ્રામવાસી રહી પણ તે કેટલી બધી સંસ્કૃત હતી! એને વેશTE પંડિત મિત્રતા વાળું સુભાષિત ભલે ખબર નહિ હોય પણ ભારતની ભૂમિમાં ઊગેલાં આ સુભાષિતની એ ભારતીય નારીને જાણે સ્વયંભૂ જાણ હતી!
અને ઉમાદેવીના ગ્રામવાસી કિસાને પણ કેવા નિખાલસ, કેવા ઉદારહૃદયી કદરતી રીતે જ આજના રાજકારણના નકલી દેવતાઓ સાથે આ ગ્રામવાસીઓની મારાથી સરખામણી થઈ ગઈ.
પુસ્તક જયારે મારા હાથમાં આવશે- કોણ જાણે કયારે આવશેકારણ કે આવાં પુસ્તકોને બદલે આપણે ત્યાં નકામાં પુસ્તકોની આયાત વધારે થાય છે–ત્યારે એ વાંચીને એને વિશે વધારે લખવાનું કદાચ પ્રાપ્ત થશે. ઈશ્વરની ઈચ્છા હશે તો!
[નોંધ: બી. બી. રી. પર આવો જ એક બીજો પણ સુંદર પ્રોગ્રામ અનાયારા સંભળાઈ ગયો હતો. પ્રોગ્રામનું શીર્ષક હતું. “બાટમ રાઈટહેન્ડ કર.” લંડનના ટાઈમ્સ અખબારના લીડરપેજ એટલે કે અંગ્રલેખના પાના પર જમણા ખૂણામાં નીચેથી -એટલે કે લીડર પેજની એક વિશિષ્ટ જગ્યાએ, વિશિષ્ટ પ્રકારનાં ચર્ચા પ છપાય છે. તે અંગેના આ કાર્યક્રમ હતો. મગજમાં મધમાખી ભરાઈ ગઈ હોય એવાં ચકમ જેવાં લાગતાં જ ચર્ચાપત્ર “ટાઈમ્સ” પર આવે તેમાંથી ચૂંટીને, આ “બેટમ રાઈટ હેન્ડ કોર્નર” પર એ લોકે પ્રસિદ્ધ કરે. દા.ત. એક વખત એક માણસે 'ટાઈમ્સના વાચકોને પૂછયું કે હમણાં શિયાળાની ઠંડી છે અને ખૂબ ઓઢીને જીવવું પડે છે. મને સૂતા સૂતા વાંચવાની ટેવ છે. તે આટલું બધું ઓઢીને વાંચવું કેવી રીતે તે કોઈ જણાવશે?”. અને આ ચર્ચાપત્રના જવાબમાં જાતજાતની સુચનાઓ આવી, જેમાંની ઘણી વાંચીને આપણાથી હસ્યાવિના રહેવાય નહિ, ઘણી પસંદ કરેલી સૂચનાઓ “ટાઈમ્સ છાપી પણ ખરી. આપણા ઘર આંગણાના પ્રસ્થાપિત ચર્ચાપત્રીઓએ, બી.બી. સી. ના ઉકત વાર્તાલાપની નકલ મંગાવીને વાંચવા જેવી છે.)
- મનુભાઈ મહેતા
જ પ્રેમળજ્યોતિ કઃ
(ગતાંકની અપીલને સારો આવકાર મળ્યો છે, પરંતુ જે ભેટ મળી છે તે, નામોની સંખ્યાની દષ્ટિએ જજ જ ગણાય. દરેક શુભેચ્છક મિત્રોને વિનંતિ છે કે “પ્રેમળ જ્યોતિ ”ની પ્રવૃત્તિને હંમેશા નજરની સોમે રાખે અને લક્ષ્યમાં રાખે. તેમજ પોતાને ત્યાં કોઈપણ જાતને પ્રસંગ હોય ત્યારે ભેટ મોકલી પોતાને પ્રેમાળ સહકાર આપવાનું ન ચૂકે. સહકાર માટે ખૂબ ખૂબ આભાર
પ્રેમળ જ્યોતિને ભેટ
૧૦૦ ડૅ. દેવયાનીબેન જે. પરીખ તેમ જ શ્રી શૈલેષભાઈ,
શ્રી પરીમલભાઈ તેમ જ શ્રી દિપકભાઈ (રવ. પી. વી.
શાહના પુત્રો) તરફથી ૫૦૧ શ્રી કાંતાબેન પી. વી શાહ તરફથી
( મેટ્રોપોલિટન પ્રીંગવાળા સ્વ શ્રી પી. વી. શાહની
મૃત્યુ તિથિ નિમિત્તે) ૫૦૧ શ્રી રમેશભાઈ વી. શેઠ
૫૦૧ ,, ઈન્દ્રવદન આર. મહેતા '' ' , રાયચંદ એન્ડ સજા
૧૫૧ , વલ્લભદાસ એલ. શાહ ૩૧૫૪
કાર્યાલયમંત્રી