SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૪૮૦ ખુબ જીવન આસામ કાનુ છે ? તેના ધરતીપુત્રા કાણુ છે ? આસામની પરિસ્થિતિને આપણા વડા પ્રધાને દેશની સૌથી વધુ ગંભીર સમસ્યા તરીકે ઓળખાવેલ છે. આપણે આશા રાખીએ કેછેવટે આ પ્રશ્ન સમાધાન થઈ જાય. જે ન થાય તે આ સામે વધુ અગ્નિસ્નાન અને રકતસ્નાન કરવા પડે જે અતિ ગંભીર પણ હોય. કોઈ પણ પ્રદેશ રાજય તેની ભૂમિ પર વસનારા ભૂમિપુત્રનું જ છે અને બહારના લોકોને ત્યાં કમાવા કે રહેવાના અધિકાર નથી, એવી ફિલસૂફી મુંબઈમાં શિવસેનાએ, કર્ણાટકમાં કન્નડ ચાલુવાનિગરે, આસામમાં આસામી પ્રજાના મોટા વર્ષે, તામિલનાડુમાં દ્રાવિડ કળગમ પો અને બીજા પણ કેટલાંક રાજ્યોમાં પ્રદેશવાદીઓએ ફેલાવી છે. અને બહારના લોકોને રંજાડયા પણ છે. જો આ ઝેરને ફેલાવા દેવામાં આવે તો આ રાષ્ટ્રની ઈમારત તૂટી પડશે. પણ આંદાલન કરનારા આસામીઓ જ તેના ભૂમિપુત્રા છે ખરા ? ૩૫૦૦ વર્ષ પહેલા આર્ય આ દેશમાં આવવા લાગ્યા તે પહેલા આસામમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વમાંથી સમયે સમયે અનેક તિઓ આસામમાં આવી વસી હતી ને ગ્રીકો જેવી કેટલીક જાતિઓ જતી રહી. કેટલીક જાતિઓ બીજી સાથે સેળભેળ થઈ ગઈ અને કેટલીક જાતિઓ પોતાનું અલગ વ્યકિતત્વ જાળવીને વસી ગઈ. અહીં આપણે આસામ અને સમગ્ર ઈશાન ભારત ગણી લઈએ છીએ. તળપદ આસામ તો ભૌગેાલિક દષ્ટિએ બ્રહ્મપુત્રના ખીણપ્રદેશ છે, જે વધુ–ઓછે અંશે મેદાન જેવા છે. પણ તેની વચ્ચે વચ્ચે તથા આસપાસ ડુંગરો પણ આવેલા છે. તે પછી આસપાસ ભૂટાન, અાચલ, મણિપુર, નાગપ્રદેશ, મિઝેરામ, મેઘાલય અને ત્રિપુરા આવેલાં છે. ત્રિપુરાને બાદ કરતા આ બધા પ્રદેશે ગિરિજનોથી એટલે અનુસૂચિત જનજાતિઓથી વસેલા છે. પરંતુ ખુદ આસામમાં પણ ઘણા પહાડી લોકો રહે છે. આસામીઓ અને આ બધા પહાડીઓ વચ્ચે ખટરાગ ચાલ્યો આવે છે. આસામીઓને જેમ તેની પશ્ચિમેથી આવેલા ભારતીએ નથી જોઈતા તેમ આ અનુસૂચિત જનજાતિઓ પણ નથી જોઈતી. આસામમાં વસતા પહાડી લોકોએ મેદાનમાં વસતા પહાડી લોકોના નામે પેાતાની જુદી સંસ્થા સ્થાપી છે. આસામીઓ સહિત ઈશાન ભારતની આ કોઈ જિત આસામની મૂળ પ્રજા કે આદિવાસી પ્રજા નથી. આ બધી જાતિઓ બહારથી એટલે ઉત્તરે તિબેટમાંથી, પૂર્વ બ્રહ્મદેશમાંથી અને દક્ષિણપૂર્વ અગ્નિએશિયામાંથી આવેલી છે. આસામીઓ બહારથી એટલે કે નેપાળ, બંગલાદેશ અને ખુદ ભારતમાંથી આવેલા લોકોને પણ બહારના ગણે છે. આ આંદોલન આ બધા સામે છે, પરંતુ મુખ્યત્વે બંગાળીઓ અને નેપાળીઓ સામે છે. પછી બંગાળીઓ હિંદુ હાય કે મુસલમાન, બંગાળમાંથી આવ્યા હોય કે બંગલાદેશમાંથી. અહીં વિવિધ જાતિઓની ભેળસેળ એટલી બધી થઈ છે, કે ખૂદ આસામીઓ પણ નિર્ણળ આર્યા નથી રહ્યા. તેમાં માંગાલવંશી (માંગાલાઈડ) લોહીનું મિશ્રણ થયું છે. આશરે ૩,૫૦૦ વર્ષ પહેલા આર્ય ભરતખંડમાં આવ્યા પછી તેઓ ઝડપથી પૂર્વ તરફ આગળ વધવા લાગ્યા હતા. ગંગા-યમુનાન પ્રદેશ ઓળ’ગીને તેઓ બ્રહ્મપુત્રના પ્રદેશમાં (આસામમાં) આગળ વધ્યા અને છેક મણિપુર સુધી ફેલાયા. આ પરિભ્રમણ દરમ્યાન અહીંની માંગાલાઈડ જાતિ સાથે તેમના લોહીનું મિશ્રાણ થવા લાગ્યું. મણિપુરની પ્રજા પણ માંગોલવંશી છે, પરંતુ તેમાં આર્ય લોહી ભળ્યું છે. વળી મણિપુરની મેદાની પ્રજાએ શુદ્ધ વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો છે. આશરે ૧૨૦૦ વર્ષથી માંગેાલવંશી અને આર્યવંશી મુસ્લિમ જાતિઓ ભારતમાં આવવા લાગી અને લગભગ આખા દેશમાં પ્રસરી ગઈ. તેમ છતાં આસામ તેમના માટે દૂરના દુર્ગમ પ્રદેશ હતો આસામ જિતનાર પહેલા મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબ હતો. પછી તે મુસ્લિમા છેક મણિપુર સુધી ફેલાયા, આજે ત્યાં તેમની વસતિ થોડી પણ વગદાર છે. આસામીઓને સૌથી વધુ ઉગ્ર વાંધા બંગાળીઓ સામે છે, પછી તેઓ હિંદુ હોય, મુસ્લિમ હોય કે બંગલાદેશી હાય. બંગાળીઓમાં વસતિવધારો ઘણા છે. બંગલાદેશમાં તેથી પણ વધારે આ વતિ વધારો ઊભરાઈને આસામમાં આવે છે. પ્રકૃતિથી આસામીઓ સંતોષી અને પ્રમાદી છે, એમ કહેવામાં આપણે વાસ્તવિકતાના જ ૨૨૯ સ્વીકાર કરીએ છીએ. પ્રકૃતિથી બંગાળીઓ પુરુષાર્થી, ઘૂસણખાર (પુશિંગ નેચરના) અને મહત્ત્વાકાંક્ષી છે. આથી અવિભકત બંગાળમાંથી જ્યારે તેઓ ઊભરાઈને આસામમાં આગળ વધવા લાગ્યા ત્યારે ખેતી, ઉદ્યોગા, નોકરીઓ અને સરકારી તંત્રમાં પણ આગળ પડતું સ્થાન મેળવવા લાગ્યા. અર્વાચીન ઈતિહાસે પણ બંગાળીઓને અનુકૂળ થાય એવા વળાંક લીધા. બંગાળીઓનું રાષ્ટ્રીય આંદોલન કચડી નાખવા ૧૯૦૫માં બંગાળના ભાગલા પાડી પૂર્વ બંગાળને આસામ સાથે જોડી દીધું હતું. આ વિભાજન કોમી ધોરણે થયું હતું, કારણ કે પૂર્વ બંગાળમાં મુસ્લિમાની વસતિ વધુ હતી. આમ પૂર્વ બંગાળ અને આસામ એક થતા, ગીચ વસતિવાળા પૂર્વ બંગાળમાંથી બંગાળીઓ મુખ્યત્વે મુસ્લિમ બંગાળીઓ પાંખી વસતિવાળા આસામમાં ફેલાવા લાગ્યા. ભૂતકાળમાં પૂર્વમાંથી બ્રહ્મીઓએ, નાગલોકોએ અને બીજી માંગાલવંશી જાતિઓએ આસામી પ્રજાને ઘણી રંજાડી હતી. સૌથી વધારે કતલ અને લૂંટ બ્રહ્મદેશમાંથી આવેલા આક્રમણકારોએ ચલાવી હતી. આસામે અહીમ રાજાઓનાં શાસનમાં સુવર્ણયુગ પણ જોયે હતા. જયારે અંગ્રેજોએ બ્રહ્મદેશને હરાવીને અહામ રાજયા પતાના રક્ષણ અને કબજામાં લીધું ત્યારે આસામની પ્રજાને ગંભીર વિનાશમાંથી પુનરુત્થાન પ્રાપ્ત કરવાની આશા હતી. પણ એ આશા ફળી નહિ. અંગ્રેજોને આસામમાં બે સ્વાર્થ હતા. ચાનાં વાવેતરમાં અને સ્કોટલેન્ડમાં સ્થપાયેલી શણની મિલા માટે કાચું શણ મેળવવામાં. બંગાળના ભાગલા સામે સમગ્ર દેશમાં અને ખાસ કરીને બંગાળમાં ઉગ્ર વિરોધ થયો. આખરે તે રદ કરવામાં આવ્યા. પરંતુ આસામ અને બંગાળ બંન્નેને નુકસાન થઈ ચૂક્યું હતું. પૂર્વ બંગાળ મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશ છે. એવા કોમવાદી માનસનું વાવેતર થયું હતું અને વધુને વધુ બંગાળીઓના પ્રવાહ આસામ તરફ વહેતો થયો હતો. જ્યારે હિન્દના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન રાષ્ટ્રીય લડતને ચડી નાખવા અંગ્રેજો, મુસ્લિમ લીગના કોમવાદનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે આસામમાં સર સાદુલ્લાની કોમવાદી સરકાર આવી, તેણે વધુ અનાજ ઉગાડવાના બહાના નીચે બંગાળમાંથી મુસ્લિમોને આસામમાં વસાવવાની પ્રવૃત્તિ આગળ ધપાવી તેથી, વધુ અનાજ ઉગ્યું. તેના કરતાં વધુ કોમવાદ ફેલાયો. ૧૯૪૭માં પાકિસ્તાન રચાયું ત્યારે ફરીથી બંગાળના ભાગલા પડયા, અને પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન બન્યું. તે પછી ૧૯૭૧માં તે સ્વતંત્ર બંગલાદેશ બન્યું. આ ૩૩ વર્ષ દરમ્યાન બંગલા દેશમાંથી બંગાળી હિંદુઓના અસ્ખલિત પ્રવાહ ભારતમાં ઠલવાતો રહ્યો છે. ગરીબી, મેાંઘવારી અછત અને બેકારીને લીધે ત્યાંથી મુસ્લિમ બંગાળી -ઓ પણ ભારતમાં પૂરાતા રહ્યા છે. પ. બંગાળ તો વસતિથી ઊભરાતા હોવાથી પૂર્વ બંગાળી હિંદુઓએ અનુસૂચિત જનજાતિઓની બહુમતી ધરાવનાર ત્રિપુરાને પેાતાની વસતિથી છલકાવી દીધું. ચોરીછૂપીથી ઘૂસતા મુસ્લિમ પૂર્વ બંગાળીઓ આસામમાં ઘૂસતા રહ્યા. હજારો કિ.મી. લાંબી વાંકીચૂકી સરહદ ધરાવતા અને કોઈ પણ જાતના નૈસર્ગિક અવરોધ વિનાના પૂર્વ પાકિસ્તાન (હવે બંગલાદેશ)માંથી ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવાની દાનત હાય, તે પણ તેમાં સા ટકા સફળતા ન મળે. વળી રાજકીય નેતાઓ ધૂસણખારીના જથ્થાબંધ મત મેળવવા માટે પોતાની લાગવગ વાપરીને તેમને નાગરિકો ગણાવી, મતદારોની યાદીઓ સુધી ઘૂસાડી દેતા હતા. બંગલાદેશીઓની ઘૂસણખોરી સામે આસામી પ્રજા જે ભય અને વિરોધ ધરાવે છેતે વાજબી છે, આ પ્રજા બળ, કળ અને છળથી ઘૂસીને પારકું પચાવી પાડવામાં કુશળ છે. વીસમી સદીના આરંભથી શરૂ થયેલી ઘૂસણખોરી દરમ્યાન તેમણે આસામના સિલ્ડટ જિલ્લામાં પોતાની બહુમતી કરી દીધી હતી. આથી ૧૯૪૭માં દેશના ભાગલા સમયે સિલ્ડટ જિલ્લામાં લાક્મત લેવાયા ત્યારે બહુમતી તરીકે તેમણે પૂર્વ પાકિસ્તાનમાં જવાના મત આપ્યો તેથી સિલ્ડટ જિલ્લા પૂર્વ પાકિસ્તાનને મળ્યા. હવે તેમની નજર કછાર જિલ્લા પર છે. ત્યાં હિંદુ અને મુસ્લિમ બંગાળીઓની બહુમતી હોવાથી કછાર જિલ્લા આસામી પ્રજાના આંદોલનથી વિમુખ રહ્યો છે. એટલું જ નહિ પણ આંદોલનકારોએ જ્યારે બાકીના આસામમાં લાકસભાની ચૂંટણી થવા ન દીધી, ત્યારે કછારમાં તેઓ ચૂંટણી અટકાવી શક્યા
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy