________________
૨૨૮
"
ન
ના. ૧૬-૪-૮૦
આ સંબંધે મારે ઍટલું કહેવાનું કે હું તૈલસૂફીને વિદ્યાર્થી હોવા છતાં મને Abstract thought માટે બહુ આકર્ષણ નથી. કૃષ્ણામૂર્તિના વિચારો કે શ્રી અરવિંદને અતિ માનસ અવત્ રણનો બૅગ ઉત્તમ છે પણ મને ભેમવિહાર લાગે છે. મારે રસ જીવનની વાસ્તવિકતામાં છે. Concrete Reality of life એ કઠોર છે. પણ તેમાંથી છૂટી જવીનું Escapism મારે માટે શકય નથી. જે | વિચારોને વર્તમાન જીવનની સમસ્યાઓ સાથે સંબંધ નથી એવા વિચારો મને માત્ર બુદ્ધિના વ્યાપાર જેવા લાગે છે. ડૅ. આલ્બર્ટ 2416rasa sej ). This world is full of suffering.
I have never tried to with draw myself from that community of suffering I have had my full share of it. પહેલા બે વાકયો હું સ્વીકારું છું. ત્રીજુ વાક્ય I have had my full share of it હુ મારા વિશે કહી શકતે નથી તેનું મને દુ:ખ છે. જે કાંઈ યુકિચિત કરું છું તેથી સંતોષ નથી. સાગરમાં બિન્દુ સમાન છે. વિશેષ કરી શકતા નથી તેને વિષાદ છે. શરીર હવે કામ આપતું નથી. મનોરથ ઘણાં કર છું પણ અમલ થઈ શકતો નથી. આ બાબતમાં ગાંધીજી મારા આદર્શ છે.
He never withdrew himself from the realities of ife. તેની વચ્ચે બેસી તેની આગમાં જલ્યા અને દેહને , ભાગ આપ્યો. એવું જ સોક્રેટીસનું.
મારી આ પ્રકૃતિ છે. આ મહાપુર, સમીપે હુ અલ્પ છું. પણ માર, લુક્ય એ છે. આત્મા અને મોક્ષની શુષ્ક વાતમાં મને રસ નથી. એટલે કાનજી સ્વામી જેવાના વ્યાખ્યાન મને આકર્ષતા નથી. જ્યાં માનવીના મુખદુ:ખના સહભાગી થવાનું નથી અને માત્ર શુષ્કાન છે ત્યાં માર, મન લાગતું નથી. તે જ કારણે ધ્યાન, યોગ, ભકિત વિગેરેની વાતોનું મને સ્પણ નથી.
આટલો ખુલાસો એટલા માટે કરે છું કે જે મિત્રોએ શુભેચ્છાથી મને સૂચને મોકલ્યા છે તે સમજે કે હું તેને અનાદર કરતું નથી પણ મારી પ્રકૃતિ જુદી છે. મારી સાધના ચાલુ છે. હવે લાંબો સમય નથી. સાધના અધૂરી રહેશે. પુનર્જન્મ હોય (અને છે તેમ માનું છું.) તો આ સાધમાં પૂરી કરવાનું મને સદ્ ભાગ્ય મળે એટલી પ્રાર્થના છે. ૧૩-૪-૮૦
ચીમનલાલ ચકુભાઈ
આ કાવ્ય ઉતાવળે જોઈ જઈએ તો એની સૂક્ષ્મતા કદાચ પહેલી નજરે એટલી હાથમાં ન પણ આવે. કાવ્યના પ્રારંભમાં જે ઝાડ છે. એ ઝાડ કાવ્યના અંતમાં નથી અને ઝાડનું આ નવું રૂપ જોઈને કવિને પણ વિસ્મય છે. અને એટલે જ કાવ્યના અંતે પૂછે છે કે “આ તે કેવું ઝાડી” કવિએ પહેલી પંકિતમાં ચાડી ખેર ચમત્કાર વિનાને ચમત્કાર કર્યો છે. તડકો આકાશમાંથી પડે છે. પણ કવિએ જાણે કે એ ધરતીમાંથી પ્રકટયો હોય એમ બાજુના પહાડમાંથી કે હાડની પાસેની ઝૂંપડીમાંથી નાના તોફાની ચંચળ કિશોરની જેમ કૂદતી કૂદતે આવતા હોય એ રીતે એને આલેખ્યો છે. સવારને તડકો કોમળ તે હોય જ; પણ એને ઝાકળભીના ઝાડ કને મૂકીને એની કોમળતાને પણ વધુ મુલાયમ કરી આપી છે.
આ તડકાની નોંધ લેનાર કોઈક જીવ છે. મન જાગી ઊઠયું છે. સવાર છે. એટલે એ નિદ્રા પછીની જાગૃતિ છે કે પછી વિષાદની રાતમાંથી સવારનો ઉઘાડ જોતો થતી આનંદની જાગૃતિ છે કાંઈ પણ હોય મન આ પહેલાં સુસ્ત હતું- સુપ્ત હતું. એ મન જાગ્યું તો ખરું પણ સુક્કા ખડની સળી પવનને ટેકે ઊભી થાય એ રીતે અહીં ઊભું છે. એક બાજું કૂદતાં તડકો અને બીજી બાજું પવનને ટેકે માંડ ઊભું રહેલું સુક્કા ખડની સળી જેવું મા. મકાઈના ખેતરના શેઢા, ઝાકળભીનાં ઝાડ અને કેડીઓ. કેડીને કેડી કહે તે કવિ શાનો? એ તો કહે છે કે “હાડ ઉપરથી ગણગણતી કેડીને પડતે ધંધ’ આ કૂદતો તડકે, કેડીને ધોધ અને બધી જ કેડીનો છેડો જ્યાં આવે તે, મનુષ્યના વસવાટનું સ્થળ ઝૂંપડી. આ ધોધ છેવટે ઝુંપડી -માં બંધાય છે. ગતિ ચિત્રિત કરવી. એને પાછી સ્થિતિ આપવી, સન અને ઝૂંપડીના ઉલ્લેખ દ્વારા પ્રકૃતિ અને મનુષ્યને અડખેપડખે ગેઠવી દેવાં અને એના વિસ્મયના આનંદને છેલ્લી પંકિતમાં તબ્ધ કરી દે, એ કાંઈ નાનું સૂનું કામ નથી. આપણી પાસે તૈયાર કાવ્ય છે. એટલે કદાચ કોઈ કહે કે એમાં શું? પણ અહીં કાવ્યને આધારે મેં જે કહ્યું એ બધું પહેલાં આવું, પછી પણ આવું કઈ કાવ્ય આવે છે. ખરું? આ ઝાડ એ જુઠું લાગે છે તે એના પ્રત્યેક પાનની વચ્ચે કવિએ મૂકેલા આકાશના વેરણ છેરણ ટુકડાઓને કારણે, ઝાકળની ભીનાશને કારણે, તડકાના ઉધાડને કારણે આ કેડીઓ તે રાતના પણ હતી જ. પણ આ તડકાએ કેડીએ કેડી તરીકે ઓળખાવી, એટલું જ નહીં, પણ કેડીના ધોધનું પણ દશ્ય આપ્યું. આ ધોધના ધંધમાર અવાજના જંગલમાં કવિનો સરવે કાન કેદીને ગણગણાટ : પણ સાંભળે છે. કયાંયે પંખીનું નામ નથી પાડયું અને પ્રકૃતિની કઈ સવાર એવી છે કે જ્યારે પંખીઓ ગણગણ્યાં ન હોય? વિવેચનમાં કોઈને રોમેન્ટિસિઝનમ જેવું ભલે લાગે, પણ મને તો અનિલનાં આવાં નાજુક પ્રકૃતિચિત્રો જોઈને એમ કહેવાનું મન થાય છે કે કોઈકે ઝાકળના ખોબા જેવા સરોવરમાં જાણે નખચિત્ર કરી ન આપ્યું હોય!
-- સુરેશ દલાલ
ઝાકળને ખેબા જેવડાં સરોવરમાં નખચિત્ર
"અનિલના શબ્દની આંખથી કેટલાક લેન્ડસ્કેમ્સ જોવા જેવાં છે. બધા તો ન જોઈ શકીએ, પણ એકને નિમિત્તે એના ગતિશીલ કવિ ક્રમને જાણીમાણી શકીએ. સવાર – ગામડાની સવાર – પ્રકૃતિથી વીંટળાયેલા ગામડાની સવારનું ચિત્ર કવિએ અન્યત્ર પણ આપ્યું છે. શબ્દના લાક્ષાગૃહમાં કાવ્યમાં એક પંકિત આવે છે :
“વડલા નીચે માખી અડતાં ઊભી ગાયની ધ્રુજે
ચામડી એમ કંપતી પડતી અહીં સવાર.” (અગ્રંથસ્થ). સવારનું આ ચિત્ર કેટલી બધી Unusual રીતે કવિએ આપ્યું પણ સવાર એટલે સમયને એક તબકકે, અને સમય સ્થળ સાથે, અને મનુષ્ય સ્થળ અને સમય બંનેથી બંધાયેલો છે.
અનિલે “સવાર” કાવ્યમાં જે ચિત્ર આપ્યું છે તે જોઈએ ઝાકળભીનાં અડ કનેથી વળાંક લઈને રાવારને
નીકળતે તડકો કૂદે પહાડના પહાડ ! મકાઈના ખેતર શેઢેથી જાગી ઊઠવું મન, જેમ કોઈ સુક્કા
ખડની સળી પવનને ટેકે ઊભી થાય. પહાડ ઉપરથી ગણગણતી કેડીને પડતો ધોધ દૂરથી ખેબા
સરખી ઝૂંપડીમાં બંધાય. પાનપાનની વરચે નભના વેરણછેરણ ટુકડાઓ વીંઝાતા લાગે- -
આ તે કેવું ઝાડ! કાકળભીના ઝાડ કનેથી વળાંક લઈને સવારને નીકળતે
તડકો કૂદે પહાડના પહાડા (પૂ. ૬).
અભ્યાસ-વર્તુળ વકતા : છે. પુરુષોત્તમ ગણેશ માવલંકર વિષય : વર્તમાન જીવન : મૂલથસંઘર્ષના પડકારો સમય : તા. ૨૮-૪-૮૦ સાંજના-૬-૧૫ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
રસ ધરાવતા સૌ મિત્રો તેમ જ શુભેચ્છકોને પ્રેમભર્યું નિમંત્રણ.
સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસ વર્તુળ