________________
૨૨૦
અતિ સ્નેહાળ, વ્યવહારકુશળ, કુટુમ્બ સુધારક બ્રાહ્મો નહિ પ પૂર્વ બંગાળના શાકત, જૈને ત્યાં દુર્ગાપૂજામાં પાડાના વધ થાય. અમૃતા માંસાહાર અને દારૂની સખ્ત વિરોધી. પિતા દુર્ણ, આપખુદ, સ્વાર્થી (Self Centered), વિસ્તૃતાના અભિમાનવાળા, પિતા સામે કોઈ એક શબ્દ ઉચ્ચારી ન શકે. આવા અધ્યાપકને
ત્યાં અમૃતા ૧૬ વર્ષની હતી. ત્યારેં - ૧૯૩૦ માં - ગ્રીસના ૨૩ વર્ષના એક તેજસ્વી વિદ્યાર્થી આવ્યા. ગુરુએ ખેતાના ઘરે રાખ્યો. અમૃતા અને મીર્ચા યુકલીડનો પરિચય વધતો ગયો. પ્રેમના અંકુર રૈયા, ચુંબન, આલિંગનથી આગળ વધેલ નિહ. અચાનક માતાપિનાને ખબર પડી. માતાએ આશ્વાસન આપ્યું, પિતાને રોપ ફાટી નીકળ્યો. મીર્ચાને તુરત ધર બહાર કાઢયા. મીર્ચા રસ્તા ઉપર ઊભા છે. અમૃતાએ અગાસી ઉપરથી છેલ્લો તેને જોયા. મીર્ચા હિમાલય ગયો. સંન્યાસી થયા. પછી પાતાના દેશ ગયો. ભારતીય દર્શનોને પ્રખ્યાત વિદ્રાન યો, અનેક પુસ્તકો લખ્યા. ચાર વર્ષ પછી, અમૃતા ૨૦ વર્ષની થઈ ત્યારે, ૧૯૩૪માં, માતા પિતાએ ૩૪ વર્ષના મુતિઓ શોધી કાઢ્યા. અમૃતાએ માતા પિતાની આજ્ઞા સ્વીકારી. લગ્ન પહેલાં, વરવધૂ મળ્યા પણ નહિ.. પતિ સજજનતાની મૂર્તિ. ઓછા બાલા, કેમિસ્ટ્રીના ડોકટર. પતિ-પત્ની વચ્ચે પ્રકૃતિનું મોટું અંતર, પતિની નોકરી અંગે હિમાલયના જંગલમાં રહેવું પડયું. અમૃતાને નિર્જનતા ઘેરી વળી. ૨૦ વર્ષ એમ કાઢયા. મૌર્ચ ભૂલાઈ ગયો. ૧૯૩૮થી ૪૧ના ત્રણ વર્ષોમાં કવિ રવિન્દ્રનાથ) ચાર વખત અમૃતા -ને ત્યાં ગયા. અમૃતાના જીવનના આ શ્રેષ્ઠ વર્ષો. તેનું પુસ્તક લખ્યું છે. ૧૯૫૩ પછી કલકત્તા આવી વસ્યા. પિતાને ત્યાં એક તેજસ્વી વિદ્યાર્થિની રમા, પી. એચ. ડી કરવા આવી હતી. ગુરૂ-શિષ્યોના સંબંધ આગળ વધ્યો. અમૃતાની માતાનું જીવન ઝેર થઈ પડયું. પિતાએ પ્રતિષ્ઠા ગુમાવી.
૧૯૫૩ પછી અમૃતા પતિ સાથે ત્રણ ચાર વખત યુરોપ ઈ આવી, મીર્ચાના સમાચાર અને તેની ખ્યાતિ સાંભળતી. એક વખત પેરિસમાં નજીકની હોટેલમાં હતા પણ મળી નહિ. પત્ર લખ્યો તેના જવાબ ન આપ્યો. મીર્ચાએ પોતાની પ્રણયકથાનું પુસ્તક લખ્યું છે.
અમૃતાને અર્પણ કર્યું છે. રોમાંચક નવલકથા
છે, યુગમાં અમૃતા
પ્રખ્યાત થઈ છે. એક બાઈ અમૃતાને મળી કહ્યું ! you are
the first flame of Mercenઅમૃતા કોઈ વખત મૂંઝવણમાં મૂકાય છે, પણ થોડો વખત જ. મીર્ચાના સંબંધની પતિને વાત કરી છે. પતિને લેશ ઈર્ષા નથી. સહાનુભૂતિ બતાવે છે. પેરિસમાં મીર્યાને પત્ર લખ્યો તે પતિને બતાવીને મોકલ્યો. સાહિત્ય અને સેવાનું કાર્ય સતત ચાલુ છે.
અને આવ્યા અમૃતાનો જન્મદિન-પહેલી સપ્ટેમ્બર ૧૯૭૨, ૫૮ વર્ષ, ઘેર જન્મ દિવસના ઉત્સવ છે. એક મિત્રનો ફોન આવે છે, અમૃતા, મીર્ચા યાદ છે? હા, થોડા થાડો, કેમ? તેના એક વિદ્યાર્થી આવ્યા છે. તને મળવું છે, હું જ આવીશ. જાય છે. સેણે અમૃતાને મીર્યાની વાત કરે છે. તેના પુસ્તકના ઉલ્લેખ કરે છે. અમૃતાએ હજી સુધી તે વાંચ્યું નથી. પૂછે છે તેમાં શું લખ્યું છે?
પ્રબુદ્ધ જીવન
સરગેઈ વાતવાતમાં કહે છે, તેમાં લખ્યું છે કે અમૃતા રાત્રે મીર્ચાને તેના ઓરડામાં મળવા જતી. સત્યાનાશ, આવું જુઠ્ઠાણું, આવું હડહડતું અપમાન, અમૃતા સળગી ઊઠે છે. તેના અંતરમાં ઝંઝાવાત જાગે છે. સ્મૃતિના સાગર ઊલટે છે. બધા બંધ તૂટી જાય છે. અમૃતા, ૧૯૭૨ની ૫૮ વર્ષની પ્રૌઢા મટી, ૧૯૩૦ની ૧૬ વર્ષની યુવતી જીવતી થાય છે. ત્યાર પછી આઠ મહિના અમૃતા ભયંકર યાતના ભાગવે છે. અલ્પનિદ્રા, કૃશતા, દુન્યવી વાતોથી દૂર થવું. લાક લજજા અંગે લાપરવાહી. ઉન્માદ, મૂર્છા, આ બધી અવસ્થાઓ અમૃતા ભાગવે છે. અતીત અને વર્તમાન એક થઈ ગયા છે. પુસ્તકમાંથી લોહી ટપકે છે. અમૃતાના તંતુએ તંતુમાં, રોમરોમમાં, ભૂતકાળ સજીવન થાય છે. આ પુસ્તક આ આઠ મહિનાની કથા છે. અસત્ય અને અપમાનના વિરોધ કરવાના ઈરાદે શરૂ થયેલ વ્યથા, અંતે શરણાગતિ લે છે. મિર્ચા પ્રત્યે અણગમા, ઉપેક્ષા, ઘૃણાં, બધા ભાવે ઊઠે છે પણ અંતરતમ ઊંડાણમાંથી અમૃતા મિર્ચ, મિર્ચા, પોકારી રહી છે. માનિની અમૃતા પોતાને કહે છે કે મિર્ચાએ આપેલા અપવાદ પણ હું માથે ચડાવું છું પૂત્રવધૂ પૂછે છે, મા, તમને શું થયું છે, તમારી વાત કોઈને નહિ કહો? પતિ પૂછે છે, તને થયું છે શું? પતિ અનેોખી માટીનો માનવી છે. સદ્ભાવથી, સ્નેહથી પત્નીની માવજત કરે છે. અમૃતાને પતિ પ્રત્યે શા કાર
તા. ૧૬-૪-૨૦
દેવ નથી જોતા, લાહીમાંસનો માનવી જોઈએ છીએ. અમૃતા કહે છે, હું લાહીમાંસની માનવી છું.
રવીન્દ્રનાથ, અમૃતાના મંગળમૂર્તિ હવે રહ્યા નથી. અમૃતાને મિર્ચાના વિયોગ થયો ત્યારે, અજાણ્યા માણસ સાથે લગ્ન થયાં ત્યારે, જંગલની નિર્જનતામાં રવીન્દ્રનાથની મંગળમય છાયા હતી, આશ્વાસન હતું, માર્ગદર્શન હતું. મિર્ઝાએ તેના પુસ્તકમાં કહ્યું છે, કે અમૃતાં રવીન્દ્રનાથના પ્રેમમાં હતી. મિર્ચા તે સંબંધ સમજી શકતા નથી. વડીલ સત્યેન બાબુ એક દિવસ આ વાત બોલી નાખે છે. અમૃતા રાળગી ઊઠે છે. એની મા સાંત્વના આપે છે. બધા પ્રેમ એક પ્રકારના નથી હાતા. રવીબાબુ પ્રત્યેની અમૃતાની ભકિત જોઈએ અમૃતા એક દિવસ એના પતિને પૂછે છે, તમને ઈર્ષા નથી થતી પતિ કહે છે, તું મીરાં હોત તો હું શું કરત? અમૃતાએ એક સ્થ કહ્યું છે, રવીબાબુની પ્રેમની કવિતામાં અને ઈશ્વરને લગતી કવિતામ કશા ફેર જણાતો નથી.
પણ અમૃતા માણસના પ્રેમની ભૂખી છે. તેના રામરામ મીર્ચા પાકારે છે. અંતે તેના પતિ તેને કહે છે. એક વખત જઈને મળી આવ તો જ તને શાન્તિ થશે. પતિ બધી રાગવડ કરી આપે છે. અમૃતા જાય છે. મીર્ચાને મળે છે. મીર્ચ વૃદ્ધ થયા છે. તેણે લગ્ન કર્યા છે. માટી લાયબ્રેરીના એક ખંડમાં, પુસ્તકોના તંગલા વચ્ચે, અગાઉથી ખબર આપ્યા વિના અમૃતા, મીર્ચા સામે જઈ ઊભી રહે છે. મીર્ચા પીઠ ફેરવી જાય છે. અમૃતા કહે છે, હું પ્રિયતમ, જાગ, જાળ, જાગ. હું કોઈ સીમ્બેલ નથી, મીથ નથી. રકત માંસનું માણસ છું. મીર્ચા ફર્યો પણ મોં ઊંચુ કરતો નથી. અંતે ઉશું જોયું તો આંખો પત્થરની બની ગઈ છે. અમૃતા કહે છે, એ આંખમાં હું હવે તેજ નહિ પૂરી શકું. અમૃતા પાછી ફરે છે. ચોપડીઓના ડુ ંગર વટાવતી જાય છે ત્યાં મીર્ચાએ કહ્યું, અમૃતા જરા થોભી જા. હું તારી પાસે આવીશ, અહીં નહિ, ત્યાં ગંગાને તીરે. અમૃતાનું આશાનું પંખી સજીવન થાય છે, અંતરમન કહે છે, અમૃતા, લગીરે ગભરાઈશ નહિ, તું જ તેની આંખમાં તેજ પૂરીશ. કયારે? જે દિવસે આકાશ ગંગામાં તમારા મેળાપ થશે
કથા અહીં પૂરી થાય છે. મીર્ચા સાથેના મિલાપ પછી એક મહિનામાં અમૃતાએ આ કથા લખી નાખી. ભાઈ ઉમાશંકર જોષીએ પુસ્તકની સુંદર પુસ્તાવના લખી છે. તેમણે કહ્યું છે, આ કથામાં કશુંય કૃતક નથી, બનાવટના કર્યાંય પ્રયત્ન નથી, મહા રજૂ કરવાના છૂપે છૂપે પણ આશય જણાતો નથી. આખી કથા વાંચતા એક વધુને વધુ સાચો ચહેરો ઉપસતા આવે છે.
મેં પુસ્તક પહેલા વાંચ્યું, પ્રસ્તાવના પછી વાંચી. જે બે પ્રશ્ન મારા મનમાં ઉદ્દભવ્યા હતા તે જ બે પ્રશ્નો ભાઈ ઉમાશંકરે પ્રસ્તા વનામાં રજૂ કર્યા છે.
પહેલા પ્રશ્ન ૬૦ વર્ષની પ્રૌઢા, સન્માનિત સંસ્કારી સન્નારીએ, પોતાની પ્રતિમા વિશુધ્ધ કરે, પેાતાની પ્રતિષ્ઠાને ભાંગી ભૂક્કો કરે એવા સેળમા વરસનો, પ્રયાનુભવ લખવાનું કારણ શું ?
બીજો અને તેથી વધારે અગત્યનો પ્રશ્ન આવી પ્રૌઢા ભારતીય નારી, ૪૨ વર્ષ પૂર્વેની સ્મૃતિથી આટલી અભિભૂત કેમ થઈ, સંયમ કેમ જાળવી ન શકી,
બન્ને પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ છે. અમૃતા પોતે આ જ પ્રશ્નો પોતાની જાતને પૂછે છે. માત્ર કાલ્પનિક નવલક્થા હોત તે કદાચ આ પ્રશ્નો ન ઊઠત. આ આત્મ-ચરિત્રાત્મક, જીવનફૂલક નવલકથા છે, વ્યકિત હયાત છે, તેથી પ્રશ્નો ઉઠે છે. અમૃતાએ નિષ્ઠુરતાથી પેાતાનું મનોવિશ્લેષણ કર્યું છે. પાતે નિરૂપાય અને અવશ હતી તેમ લાગે છે. આ પુસ્તકને નવલકથા કહી છે એટલા માટે કે રોમાંચક અને રહસ્યમય છે, અને તેમાં કલાનું તત્ત્વ છે. નહિ કે તે કાલ્પનિક છે. ઉમાશંકરને ખાત્રી થઈ છે કે તેમાં કોઈ બનાવટ નથી. પુસ્તક વાંચતા પણ એ જ છાપ પડે છે, સત્યનો રણકાર છે.
હવે આ પ્રશ્નોના જવાબ કાંઈક જોઈએ. એક તો, અમૃતાએ પોતાના મનનો ભાર હળવા કરવા આ લખ્યું હોય. પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય ખરો, પણ અમૃતા કહે છે, એવું બન્યું નથી. “મારા આ અસામાજિક અને અસમયના મનોવિકારથી લોકો, મારો ત્યાગ કરશે એમ માનેલું પણ શા અનુભવ થાય છે? મારા જીવનના સત્યતા પ્રકાશને કારણે
P
TAMA BA A
RR IFMS UN