________________
190
૨૨૪
પ્રબુદ્ધ જીવન
હતાશાના
ગૌતમ બુદ્ધ સંસારનો માત્ર ચાર કરુણ દૃશ્યો જોઈને પછી મહાભિનિષ્ક્રમણ કરેલું. આજે હવે આવાં અનેક દશ્યો જોયા પછી આપણું રૂવાડું ય ફરકતું નથી.
શહેરામાં હાથલારી ખેંચનારાઓના પગમાં ચંપલ નથી હોતાં, વૈશાખી બપારે ડામર પીગળે ત્યારે રસ્તા સાથે ભારે વજન ખેંચવા માટે પકડ લેવા મથતા એ ઊઘાડા પગ પર શું વીતતું નહીં હોય !એની પાસેથી જ કારમાં વહી જતા માણસને ચંપલની ઝાઝી ગરજ નથી હોતી પરંતુ માત્ર આદતને કારણે જ એના પગને ચંપલ વળગી રહે છે! શિયાળાની ઠંડી સવારે, પે।તે વાંચી ન શકે એવાં છાપાં લઈને ફેરિયો લાકીને ઘેર પહોંચી જાય છે. મહિનાઓ સુધી છાપું વાંચનારો ઓનું માં પણ જોવા પામતા. એક ઘરડા ટપાલીને હું રોજ બપોરે લોકોના મનિઓર્ડર કે રજિસ્ટર્ડ પત્રા લઈને જતો જોઉં છું. એના ગજવામાં રૂપિયાની, નોટોના થાક્યા હોય છે, અને છતાં ય એની ગરીબી તો સદા જુવાન! કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે રસ્તે પથરાયેલા તડકાને કાબૂમાં રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા પ્રભાવહીન પોલીસને તમે જોયા છે? કે કલાકો સુધી લંબાયે જતી એની ડયૂટી એના જીવનને સહરાના રણ જેવું બનાવી નહીં મૂકતી હોય!
નથી
હોટલામાં સારી સારી વાનગીઓ પીરસતા બાલમજુર એ વાનગીઓ સાથે એક જુદા જ પ્રકારના સંબંધ રચી રાખે છે. બધી વાનગીઓને એ બિચારો નાકથી જ માણે છે. બધી જ ઋતુઓ જેની કાળી પીઠ પર ઠલવાતી જ રહે છે, એવા હળપતિ જ્યારે ફસલ ઊતરે ત્યારે પોતે જ પવેલા મબલખ દાણાથી કેટલા દૂર રહી જાય છે? ગમે તેટલું સારું પાકે તો ય એને કદી બાનસ નહીં જ મળે! હરિયાળી ક્રાંતિ પણ એના ઉજ્જ જીવનમાં ઝાઝી ખલેલ નથી પહોંચાડતી !
રેલવે સ્ટેશન પ૨ ગમે તેટલા ઘરડા હમાલ પણ ભલભલા યુવાનનો સામાન ઉપાડી શકે છે. એ યુવાન વેઈટ લિફટીંગ ચે...પિયન હોય તો ય સામાન તો હમાલ પાસે જ ઉપડાવશે ને! એક માણસ પેાતાની નાજુક ડોક પર કેટલે! સામાન ઉપાડી શકે તે માટે કોઈ નિયમો તો હશે જ ને! એક ખટારા કેટલું વજન વહી શકે તે અંગે મર્યાદા હોય છે, આવી મર્યાદા હમાલ માટે હશે ખરી? અનાજના ગાદામમાં પોતાની પીઠ પર પાંચ મણની ગુણી ઉપાડીને જતા આદમીની કરોડરજજુને કોઈ જ હાનિ નહીં પહોંચતી હે! દૂર દૂર ને ગામડેથી સાઈક્લ પર દૂધના દેગડા લઈને શહેરના ફળિયા સુધી આવી પહોંચતા દૂધવાળાના કંતાઈ ગયેલા પગ જોવાની ફુરસદ આપણને કયાય મળશે ખરી?
એક બાજુ આવી બાબતે જોઈને આપણને કશું ય નથી થતું. જ્યારે બીજી બાજુએ નાની નાની વાતો આપણને હતાશ કરી મૂકે છે. નવા પડેલા ચલચિત્રની ટિકિટ માટે લાઈનમાં ઊભા રહીએ અને આપણો નંબર લાગવાની તૈયારી હોય અને ટિકિટ ખલાસ થઈ જાય ત્યારેં આપણે નિરાશ થઈ જઈએ છીએ. છાપું ન આવે અથવા માડું આવે એટલામાં બેચેન બની જતા માણસા મે જોયા છે. એસ. એસ. સી. ની પરીક્ષાનું પરિણામ બહાર પડે ત્યારે આપઘાતના બનાવો બને એ શું બતાવે છે? કેટલીક વાર તો દીકરો નપાસ થાય અને માતા રડવા માંડે છે! હતાશા પણ કેવી તલાદી ?
આપણી
અર્જુનના વિષાદ સા ટચા હતા તેથી જ કદાચ એ વિષાદમાંથી વિષાદયોગ બનીને ગીતાનું આર ંભબિંદુ બની રહ્યો. હતાશાની પળોનો ઉપયોગ જીવનને આરપાર જોવાની એક તક તરીકે કરવાનું આપણને ક્યાંથી સૂઝે? બાકી, બારી પાસેની સીટ ન મળે એટલામાં નિરાશ થઈને ઝઘડી પડનારા વિમાન-પ્રવાસીઓ અને ટ્રેનપ્રવાસીઓ પણ હોય છે. ઘણીવાર તા બને છે એવું કે આપણે નિરાશ હોઈએ છીએ ત્યારે નિરાશાનું કારણ જાણતા નથી હતા. કોઈ યુવાનનો મૂડ ચાલ્યો જાય ત્યારે એને પૂછવામાં આવે કે તું કેમ મૂડમાં નથી ? એ કહે છે કે, મૂડમાં કેમ નથી એની એને પોતાને ખબર નથી.
ચુગ
હતાશા પણ ક્યારેક બહુ સાપેક્ષ બાબત બની રહે છે. મને એક યહૂદી સાધુનો પ્રસંગ યાદ આવે છે. બુડાપેસ્ટમાં એક માણસે એ યહૂદી સાધુ પાસે જઈને ફરિયાદ કરી અને કહ્યું: “અમે એક નાની અમથી ઓરડીમાં નવનવ જણાં છીએ, શું કરવું ?” સાધુએ એને ઠંડે કલેજે જવાબ આપ્યો: “તારી સાથે એક ઘેટું લેતા જા.”
તા. ૧-૪-૮૭
પેલા માણસ મુંઝાયા, પરંતુ સાધુએ કહ્યું: “હું કહું તેમ કર.” પેલા માણસે તેમ કર્યું.
અઠવાડિયા પછી પેલે! માણસ પાછા આવ્યા. એ લગભગ અધમુઓ થઈ ગયા હતા. એણે સાધુને કહ્યું: “હવે તે। નથી થાભાનું, ઘેટું ગંધાય છે.”
સાધુએ નિરાંતે એને કહ્યું: “તું પાછા જા અને ઘેટાને બહાર કાઢી મૂક અને મને અઠવાડિયા પછી મળજે,
બરાબર અઠવાડિયા પછી પેલા માણસ યહૂદી સાધુ પાસે ખુશ થતા ગયો અને બાલ્ય:
“સાધુમહારા! હવે જીવન મજાનું છે. અને અમે પ્રત્યેક પળ માણીએ છીએ. હવે તે ઘેટું પણ નથી, માત્ર અમે નવ જ જણ છીએ! ”
ઘેાડા જ દિવસો પર નવ જણ ઘણાં હતાં. પરંતુ ઘેટું ગયું પછી એટલા જ માણસા માત્ર ‘નવ જણ’બની ગયા.
જાણીતા પત્રકાર અને લેખક જ્હાન ગંથરનું એક ખૂબ જ મજાનું પુસ્તક છે. એનું નામ : Death Be Not Proud' ગંથર-દંપતી વચ્ચે છૂટાછેડા થઈ ગયા પછી બંનેના વહાલસોયા દીકરો હેાનીં જીવલેણ દર્દમાં સપડાય છે. દીકરાને બચાવવા માટે ઘણાં આકાશપાતાળ એક કરે છે. જ્હાની મૃત્યુ સામે વીરતાપૂર્વક ટક્કર લે છે, પરંતુ આખરે મરણ પામે છે. પુસ્તકમાં આ આખી દાસ્તાન ગંથરે સરસ રીતે રજૂ કરી છે. છેલ્લા ભાગમાં ગંથરની પત્ની એટલે કે જ્હોનીની માતા પેાતાની વાત ટૂંક્માં લખે છે. માતૃહૃદયની ભીની લાગણીઓ આ થોડાંક પાનાની લીટીએ લીટીએ ટપકે છે. એમાં એક જગ્યાએ શ્રીમતી ગ્રંથ કહે છે : “તમારું બાળક તૈફાની હોય, ઉદ્ધત હાય, નબળું હાય કે પછી હેરાન કરનાર્ય । ય. તમેા નિરાશ ન થશે. તમે માત્ર એટલું જ વિચારજો કે અમારું બાળક જીવે છે તે છે ને! તમારું બાળક છે, એ પણ કેટલી મેોટી વાત છે!” ગમે તેવી હતાશાની પળામાં ૫ આ વાક્ય આશ્વાસન આપી શકે એવી તાકાત ધરાવે છે.
:
જીવનના સ્વીકાર કરનારે હતાશાનો પણ સ્વીકાર કરી જ લેવા રહ્યો. એક જર્મન સુભાષિતમાં આ વાત સરસ રીતે કહેવાઈ છે. “સુખની એક નાની ડોકાબારી ખોલવા ગયા ત્યાં તો હતાશાના કે દુ:ખના દરવાજા ખુલ્લી જ ગયા જાણવા.” જરાક વિચારીએ તો તરત જણાશે કે હતાશાની પળેા કોના જીવનમાં નથી આવી!
થોડા જ દિવસે પર વિષાદની પળામાં ફ્રૂટેલી કાવ્ય પંકિતઓ જ બાકીની વાત ભલે કહેતી :
એક પરમાણુ પર
શું શું વીતતું હશે. ત્યારે
બાબ બનતો હશે? અને
એક શાણા આદમી પાગલ બની જાય ત્યારે
એના પર શું નહીં વીત્યું હોય? જીવનનો પુરુષાર્થ વિષાદને નાખવામાં રહેલા છે એવું લાગે છે.
પણ વિષાદયોગમાં
પલટી
(‘આકાશવાણી’ના સૌજન્યથી)
– ગુણવંત શાહ
માલિક મી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મૌ ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, { મુંબઈ-૪૦૦ ૦૪ ટ્રે, મૈં ૩૫૦૨૯૬ મુદ્રા પાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, સેટ, મુંબઇ - ૪૦૦ ૦૦૧
{©