SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ La dવને તા. ૧-૪-૮૦ વાનું છે. પછી બહારનું દેખાવું બંધ થશે એટલે અંદર પ્રકાશ દેખાશે. પછી શ્રમ-થાક દુ:ખદ સંવેદના - કિંઈ નહિ રહે. બધું સુગમ થઈ જશે. વર્તમાન ક્ષણને પકડી જીવવા જે પ્રયત્ન કરે છે તેને વિકલ્પ રહેતા નથી. પેતાના અસ્તિત્વનું ભાન આ પ્રયોગથી જીવ સમજી શકે છે. તેમાં સક્રિય બનવાથી ચેતના સુક્ષ્મ બને છે. જાગૃતિપૂર્વક આ સાધના કરવાથી, તેને બેજ મનની અંદર લાગતું નથી. માનસિક તનાવ ઘટી જાય છે. આમ થવાથી સંવેદના સહજ રીતે ઝીલી શકાય છે. પ્રેક્ષા ધ્યાન જીવનની દરેક પ્રવૃત્તિમાં વણાઈ જવું જોઈએ. સમગ્ર જીવનવ્યવહારમાં તે ઉપયોગી નીવડે છે. પછી તો પ્રત્યેક કાર્યો, અનુષ્ઠાને એ કર્મ- નિર્જરાનું કારણ બની રહે છે. આવું ધ્યાન, આવી સાધના ગુરુનો યોગ સાંપડે તે સફળ બને છે. શાસ્ત્રમાં શબ્દો છે પણ તેનું રહસ્ય અને પરમ-અર્થ સદગુરના હૃદયમાં છે. જીવ, રાગટ્રે શની જે વળગણા ચાલુ રાખે છે તેમાંથી સાધના તેને છોડાવે છે. તન નહિ, મન નહિ, વચન નહિ પણ અંદર રહેલ પરમાત્મદર્શન-સમ્યક દર્શન-સાચી સાધનોથી જ પ્રાપ્ત થાય છે. એક જ શિબિરમાં સૌને પ્રશામાં પ્રવેશ થઈ ગયો એમ માની લેવાનું કોઈ કારણ નથી. અવિરત પ્રયત્ન અને પુરુષાર્થ આવશ્યક છે એવી પ્રતીતિ જે સાધકને થાય તે પોતાની મેળે જરૂર સારી રીતે આગળ ને આગળ વધ્યા કરશે. ધ્યાન માટેના પ્રેરણાદાયક પ્રવચને સાથે, મહારાજ સાહેબેએ શુદ્ધ સામાયિક, વ્યવહાર સામાયિક, નિશ્ચય સામાયિક વિશે પણ ઘણું જ રસપ્રદ રીતે સમજાવ્યું.. સામાયિક એટલે આત્મ-સમતા ને યોગ... આત્માની અનુભૂતિ એ સામાયિક. સ્વાધ્યાય એટલે નિજતત્ત્વને, મનન ચિતન અને અભ્યાસ દ્વારા બહાર લાવવું તે. પ્રતિક્રમણમાં પણ પ્રેક્ષાધ્યાન અને ભાવ પ્રતિક્રમણ છે. આંતર નિરિક્ષણ કરી, દોષોને જોઈ, કચરે બહાર ફેંકી ફરીવાર સજાગ બની. તે કાર્યમાં ન જોડાવું તે અરીસા સમાન છે. જીવનું પ્રતિબિંબ જેવું છે તેવું તેમાં દેખાય તથા અતિચારોનું પ્રતિક્રમણ કરતાં, શબ્દો સાથે ભાવનું પણ રહસ્ય સમજાય તે જીવ હળવો થાય અને નિજ સ્વભાવ તરફ લક્ષ બને અને અંતરની વિશુદ્ધિ થતી જ જાય. શિબિરમાં અમને સૌને બહુમૂલ્ય શિક્ષણ અને પ્રાયોગિક તાલીમ મળી. ધ્યાન ઉપરાંત સવારે પોણે કલાક વ્યાયામ-આસનને કાર્યક્રમ પણ રાખેલ જે સૌને ખૂબ ઉપયોગી નીવડયો હતો. બંને મહારાજશ્રીના પ્રવચનો એટલા ઉત્તમ કોટિના હતા કે તે દરેક પ્રવચન ઉપર સુંદર લેખ લખી શકાય. ઉપાશ્રયમાં ધર્મનું વાતાવરણ તે હોય જ છે. પરંતુ તેમાં મુખ્યત્વે તપ-દાન અને મંગલિક સાંભળી, ત્યાં જ બધું જાણે સમાપ્ત થઈ ગયું તેવું વાતાવરણ હોય છે. તેના બદલે પ્રત્યેક વ્યકિત, ધર્મ-સાધના સરળ છે, તેને આનંદ અપૂર્વ છે અને જીવનમાં વારંવાર જોવામાં આવતી, પ્રતિક્રિયાને બદલે ભાવક્રિયામાં રાચતે થઈ જાય એ નૂતન ‘જીવનદષ્ટિ, આવી શિબિરોમાંથી જરૂર પ્રાપ્ત થઈ શકે છે. સંકલનઃ રમાબહેન રસિકલાલ પારેખ : કે.પી. શાહ * શ્રદ્ધા છે સંબંધમાં એક સ્થાયી આનંદ હૃદયમાં સ્થાપિત થાય તેનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા મહત્વની આનંદપૂર્ણ સ્વીકૃતિ સાથે પૂજ્ય બુદ્ધિને સંચાર છે. - શ્રીમદ દુર્ગાચાર્યના મતે શ્રદ્ધા શબ્દમાં બે શબ્દો છે. એક શ્રત, બીજો ધા ત એટલે સત્ય અને ધા એટલે આધાન, જેમાં સત્ય રહેલું છે. જેમાં સત્યનું આધાન છે. તેનું નામ શ્રદ્ધા.યજુર્વેદની વાજસનેયી સંહિતામાં પ્રજાપતિએ સત્યને સ્થાને શ્રદ્ધાનું અને અસત્યના સ્થાને અશ્રદ્ધાનું આધાન કર્યું તેવું વિધાન છે. વેદમાં શ્રદ્ધાને અવતાર માનવામાં આવે છે. શ્રદ્ધા એ જ વિશ્વનું આશ્રયસ્થાન છે અને શ્રદ્ધાથી જ દેવેનું દેવપણુ છે, શ્રદ્ધાને દે પણ પૂજે છે. એવું ક્વેદમાં કહેલું છે. ‘શ્રદ્ધા દેવા યજમાન વાયુગોપા ઉપાસ”. જેને દેવે પણ સવાર - બાર - સાંજ પૂજતા હોય તે શ્રદ્ધાનું અવર્ણનીય મહત્વ હોય જ. ધર્મની પ્રવૃતિ - અભ્યદય અને નિ:ોયસ - આ બન્નેની પ્રાપ્તિ માટે છે. આ બન્ને શ્રદ્ધાના વિષય છે. શ્રદ્ધા જેટલી દઢ, અવિચળ ને પ્રબળ તેટલો યશને અધિક સંભવ. એક કવિએ ગાયું છે. શ્રદ્ધા વિણ ધર્મ સદા નિર્બળ, શ્રદ્ધા વિણ સત્ય જડે નહીં મન નિશ્ચિલ તે એ હિમાચલ છે, મન ચંચલ છે, મન રાંચલ તે એ રજકણ છે.” તેથી શ્રદ્ધાને જ પેષક એવાં આશ્વાસને ધર્મ આપે છે. “મારો ભકત નાશ પામતો નથી. તેના યોગક્ષેમનું હું વહન કરું છું.” આવાં ભગવાનનાં વચને પર શ્રદ્ધા બેસે છે અને મનની નિરાશા - દૂર થઈ આશાનાં અંકુર ફ ટે છે. ઉત્સાહને સંચાર થાય છે. અને બમણી હિંમતથી માણસ પોતાના કાર્યમાં દઢ રહે છે. મૃત્યુ પછીનું જીવન શું છે? કોણે સિદ્ધ કર્યું છે? મરણોત્તર જીવન વિજ્ઞાને પણ સિદ્ધ ક્યું નથી પણ તેના પરની શ્રદ્ધાને કારણે બીજો જન્મ સલવૈભવ સંપન્ન હોય તે આશાથી એ માણસ એજન્મ પુણ્યકાર્ય કરતો રહે છે. વિચારવંત માનવ શ્રદ્ધાને ન છોડે અને શ્રદ્ધાવાનને વિચાર - વર્ય ન હો ઘટે. કેટલાકનું માનવું છે કે, જ્યાં બુદ્ધિનું કામ પૂરું થાય છે. ત્યાં શ્રદ્ધાનું કામ શરૂ થાય છે. બુદ્ધિ અને શ્રદ્ધા કદી એકત્ર રહી શકતા નથી. તેથી ઉલટું કોઈ માને છે કે, અશ્રદ્ધા આત્મઘાતની વૃત્તિ છે. બુદ્ધિ સુદ્ધાંને શ્રદ્ધાની બેઠકની આવશ્યકતા રહે છે. જીવનનાં કેટલાંક ક્ષેત્રો બુદ્ધિ કિંવા તર્કની પાર હોય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા - માનસિક સ્તબ્ધતાને શ્રદ્ધાંવત ગણાવી છે. સમાજ ધુરંધરોએ સમાજનો અભ્યદય સંબંધી કેટલાક નિયમ ઘડયા હોય છે. પણ જ્યારે અજ્ઞાનને કારણે મૂળભૂત તો વિસારે પાડી લોકો નિરર્થક નિયમ પાલન કરે છે ત્યારે તેનું પરિણામ વિપરીત આવે છે. સુશિક્ષિત માણસો પણ અવિવેકને કારણે વિચિત્ર આચારધર્મ પાળતા નજરે પડે છે. છતાં શ્રદ્ધાન્ધ વ્યકિત સમજમાં એટલી અનર્થકારી હોતી નથી. જેટલી મદાર્ધ, ક્રોધાધૂ કે ઈર્ષ્યા. શ્રદ્ધા અને આરોગ્ય - આરોગ્ય અને મનની શાંતિને ગાઢ સંબંધ છે. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. સંતાપ ઉદ્વેગ, નિરાશા, ભય, વિકાસ અરેગ્યનાં વિઘાતક છે. પણ કેટલીક ભાવના આરોગ્યપષક હોય છે. આશા, આત્મવિશ્વાસ, આનંદને કારણે મજ્જાતંતુ નિરામય રહે છે, પરમેશ્વર કે કઈ તત્ત્વ પર મને શ્રદ્ધાથી સમાહિત થાય તો અવશ્ય સુદઢતા પ્રાપ્ત થાય. પતંજલિના - યોગસૂત્રો સમજાવતાં ટીકાકાર કહે છે. “શ્રદ્ધા ચેતસ: સંપ્રસાદ: સા હિ જનની કલ્યાણી ગિનું પાતિ” માનવીના કર્તુત્વની દષ્ટિએ પણ શ્રદ્ધાનું જીવનમાં મહત્ત્વ છે. મનુષ્ય માત્ર શ્રદ્ધામય છે. કવિ શ્રી સુંદરમની બે પંકિતઓ યાદ આવે છે. “તને નમું, પથ્થરને, નેહીં નહીં. . શ્રદ્ધા તણા આસનને નમું નમું.’ જેની જેવી અને જ્યાં શ્રદ્ધા હોય તે જ તે હોય છે. “ યહૂદ્ધ: સ એવા સ’ ગીતાને આ સિદ્ધાંતને અર્વાચીન માનસશાસ્ત્રના સંબંધમાં નિહાળીએ તે માનવી કર્તુત્વને, યશને મૂલાધાર છે. કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા મહત્ત્વનું ઘટક છે. પોતાના પર શ્રદ્ધા ન હોય તે યે યશ મળતું નથી. પ્રત્યેકના અંતરમાં પરમાત્મા છે. તેથી આત્મશ્રદ્ધા એટલે પરમેશ્વર પરની શ્રદ્ધા. મહાભારતમાં કહ્યું છે કે જે કાર્ય શ્રદ્ધાપૂર્વક કર્યું હોય તેનું પૂર્ણ ફળ મળે છે. એ પરિકામનું વૃક્ષ ત્યારે જ ફળ આપે છે જ્યારે તેમાં શ્રદ્ધાના જળનું સિંચન થાય, - હેમાંગિની જાઈ શ્રદ્ધા! કેવળ આ બે અક્ષરોના સહારે જીવન જીવતાં શીખી છું. શ્રદ્ધા મોટામાં મોટું બળ છે. નિર્ધનનું ધન છે. દુ:ખમાં આશ્વાસન છે. શ્રદ્ધા એ જ જીવન છે. અંતરના ભદ્રાસન પર શ્રદ્ધા વિરાજમાન છે. જીવનના યજ્ઞકુંડમાં શ્રદ્ધાના અગ્નિનું અાધાને છે. અગ્નિની શિખાની ગતિ કયારેય અધોગતિ હોતી નથી. અગ્નિશિખા નુકદ્ધા હરહંમેશ જીવનને ઊર્ધ્વગતિમંત બનાવે છે. શ્રદ્ધા એક માનસિક ગુણ છે. જીવન નિષ્ઠા છે, જીવન નિર્વાહ અને પ્રત્યક્ષ અનુભવની વ્યવસ્થાપના માટે સ્વીકારાયેલું મધ્યવર્તી સૂત્ર છે. શ્રદ્ધા એક સામાજિક ભાવ છે. શ્રદ્ધાનું મૂલતત્વ છે. બીજાના મહત્વનો સ્વીકાર. એક વખત નિશ્ચિત થાય કે, અમુક માણસ વિદ્વાન છે, ગુણી છે. દાની છે. ધર્માત્મા છે. તો આપણે માટે આનંદને વિષય બને છે. એને જોઈને આપણું મસ્તક નમી જાય છે. કોઈ પણ સ્વાર્થ વિના એની પ્રશંસા કરીએ, એનું ભલું ઈચ્છીએ એની નિન્દા સહન ન કરી શકીએ, કોઈ મનુષ્યમાં જનસામાન્ય કરતાં કોઈ વિશેષ ગુણ યા શકિતને વિકાસ જોઈ તેના
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy