________________
પ્રબુદ્ધ જીવન
૨૨૦
ખારો છે અને આત્માના ક્લ્યાણ માટે સંસારને છોડી દો. સંસારમાં રહીને અહિંસાનું પાલન થઈ શકે, અહિંસક સમાજ ઊભા થઈ શકે એ કલ્પના ગાંધીજીની હતી. અને એ કરવાને માટે એણે આખી ય આર્થિક રચના ઊભી કરી, એ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ અને આર્થિક વિકેન્દ્રીકરણ–જેમ કે ગૃહઉદ્યોગ, ગ્રામઉદ્યોગ વગેરે અનિવાર્ય હતું. ગાંધીજીએ સર્વોદયની કલ્પના કરી છે એમણે બહુમતીના કલ્યાણનું નહિ પરંતુ સર્વના કલ્યાણનું એટલે સર્વોદયની એકેએકના ઉદયની વાત કરી. ભારતીય સંસ્કૃતની કેટલી ભવ્ય કલ્પના ! આમ છતાં ય આપણું કેટલું અને કેવું અધપતન થયું છે. અને કેમ થયું છે એ એક મોટો કોયડો છે.
કે
જ્યારે સાધુ મહારાજનું વ્યાખ્યાન સાંભળીએ, ઉપાશ્રય જઈએ ત્યારે ઉચ્ચ વાતો કરશું અને બહાર નીકળીને એવી રીતે વર્તીએ કે જાણે કશું જ સાંભળ્યું નથી. માણસ બહુ જ હોંશિયાર છે, એને સંસાર માણવો છે, સાચું ખોટું કરવું છે અને માણ પણ મેળવવા છે. આમ છતાં એના વર્તનના વિચાર કરીએ તો જણાશે કે આ બન્ને બાબત રેલવેના બે પાટાની માફક સમાંતર ચાલે છે. જેનો કદી મેળ થતા નથી.
લોકમાન્ય તિલકે જ્યારે ગાંધીજીને કહ્યું, કે જેવા સાથે તેવા થઈને રહેવું પડે અને આ સાંસાર સાધુઓ માટે નથી, ત્યારે ગાંધીજીએ બહુ સરસ પ્રત્યુતર માપ્યા. આ સંસાર સાધુઓ માટે નથી એમ કહેવામાં આપણી માનસિક નિર્બળતા છે, આંતરિક નિર્બળતા છે. આ સંસાર સામાન્યજન માટે છે, સામાન્ય માણસ માટે છે. એમાં રહીને પોતાનું આત્મકલ્યાણ સાધી શકે છે, સન્માર્ગે જઈને, ભારતીય સંસ્કૃતિના એકે એક આણુ સ્વીકારીને જૈન ધર્મને સંક્ષેપમાં સમજવા હાય તે અહિસા, તપ અને સંયમ એ ત્રણે વસ્તુ સ્વીકારવી જોઈએ. આ ત્રણે વસ્તુ ગાંધીજીએ સ્વીકારી છતાં ય ગાંધીજીએ એમ કહ્યું નથી કે આ સંસાર ખારો સમુદ્ર છે અને આ સંસાર કાળા કોલસો છે. ગમે તેટલા સાબુથી ધાશે। તો તમારા હાથ કાળા જ થવાના. એણે એમ કહ્યું કે આ સંસારમાં રહીને એણે સર્વેનના: સુધીનો મવન્તુ એ માટે એનું જીવન વ્યતિત થવું જોઈએ. Charity begins home ન્યાયે આમ વિચારવું જોઈએ.
જુદા જુદા ક્ષેત્રની વાત વિચારીએ દા. ત. ધાર્મિક ક્ષેત્ર, ધાર્મિક રૂઢિચુસ્તતા એટલી બધી જડ ઘાલીને બેઠી છે, કે એમાં ફેરફાર કરવાનું કહેશે તે નથી થવાનું, એ તમારે કરવાનું છે. હું કબૂલ કરું છું એમાં ઘણું સહન કરવું પડે છે. આપણી ઉપર સાધુઓના જબરા પ્રભાવ છે અને એ વ્યાજબી પણ છે કારણ કે એમનામાં ચારિત્ર છે, તપ છે, યમ છે પણ એની રૂઢિચુસ્તતા પણ એટલી જ તીવ્ર છે. હું ટીકા કરવા નથી કહેતા, યુગની સાથે કદમ મિલાવીને ચાલવાની તૈયારી ન હોય તો કદી વિકારા થઈ શકતો નથી. અઠાઈ કે માસખમણ કર્યું હોય અને એના પારણામાં કે ઉજમણામાં હીરા, સોનાના અલકારો પહેર્યા હોય, ભારે વસ્રો પહેર્યા હાય વરઘેાડા કાઢીએ, ત્યારે થાય છે કર્યાં તપશ્ચર્યા ને કયાં ત્યાગની ભૂમિકા અને કાં તમારા ભારે વસ્રો અને અલંકારો !
વ્યાવહારિક ૨ાને સામાજિક વાત કરીએ તો સગપણ થતું હોય ત્યારે કે ત્યારબાદ ૫૦૦-૧૦૦૦ માણસ જમાડીએ એના જેવી શરમની વાત બીજી શું હોઈ શકે ? તમારા પૈસાનું પ્રદર્શન કરવું હાય તે ઘણા રસ્તા છે. આ બધું કયારે અટકશે? આપણે આપણુ વર્તન ફેરવવું નથી એટલે બહાના કાઢવા છે. હું શું કરુ? બૈરાઓ માનતા નથી વગેરે બહાના કાઢીને પરિવર્તન માટે અવકાશ રહેવા દેવા નથી.
માણસના જીવનની અંદર પેતે જયાં સુધી સ્વતંત્રપણે વિચાર ન કરે ત્યાં સુધી આવી પરિરિથિત રહેવાની જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે समयम् गोयम् मा पमाव ऐ ગૌતમ ! એક પણ ક્ષણનો પ્રમાદ ન કરીશ. અહીં પ્રમાદનો અર્થ શારીરિક આળસ નહિ પરંતુ વિચારવિહીન દશા thoughtlessnesss અર્થાત પ્રતિક્ષણ આપણું જીવન વૈચારિક દષ્ટિએ જાગૃત હોવું જોઈએ. જૈન પરિભાષામાં સાધુઓ જયણા જાળવવાનું કહે છે, જયાપૂર્વક
લવું, સાંભળવું, બેસવું. જયણા એટલે અપ્રમાદ, વિવેક, કાં શું યેાગ્ય છે, કયારે શું યાગ્ય છે એની પ્રતિક્ષણ, જાગૃતિ એનું નામ જયણા. જ્યણાનો અર્થ એટલે જ નથી કે પુંજીને બેસવું. thoughtful life એ જ માણસનું જીવન છે, વૈચારિક દષ્ટિએ પ્રતિક્ષણ ગૃતિ એ જ પ્રમાદ, આજે જ્યારે તમે વૈચારિક પરિષદ કરી છે ત્યારે તમારા સૌના જીવનમાં thoughtfullness આવે એવી મારી ત:કરણની ઈચ્છા છે.
સાંકલન : ભારતી પી. શાહ
-ચીમનલાલ ચકુભાઇ
તા. ૧-૪-૩૮૦
સાચી મૂડી કઈ ?
ૉરમાં
યુદ્ધ તથા ભૂકંપના ભય સમયે જ્યારે ઘરબાર નષ્ટ થઈ જવાનો ભય રહેતા ત્યારે, કેટલાક લોકો રાત્રે, દાગીના વેરાતની પેટી, સાથે રાખીને - સૂતા. તક મળે તો એ ઉઠાવીને સલામત રથળે ભાગી જવાય એ ઈરાદાથી. ‘અરે ભાઈ, એમ કંઈ બધું ઊંચકીને ભગાતું નથી. આપણને તે આપણાં કાંડાનાં વિશ્વાસ છે. ઈશ્વર હાથપગ મજબૂત અને સાબૂત રાખે એટલે બસ; દુનિયાના કોઈ પણ ખૂણામાં, મહેનત કરીને રળી ખાઈશું.’ પુરુષાર્થી આદમીએ આમ કહેતાં. મારી એક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બહેનપણી, એની ડીગ્રીઓ તથા પ્રમાણપત્રાની ચિંતા કરતી. તે બળી જાય, તો પાછા મેળવવા કર્યાંથી અને એના વગરનોકરી કોણ આપે ? સામ કોઈક સ્પાર્થિ ક ધનને તો કોઈક શારીરિક બળને તો કોઈ વિદ્યાને પોતાની મૂડી ગણે છે. કેટલાંકને મન બાળકો એમની અમૂલ્ય સંપત્તિ હોય છે. એક બહેને એની સાહેલીને પૂછ્યું: “તું, આમ ઘરની બહાર નીકળે ત્યારે કોઠારને તાળું નથી મારતી?” પેલી બહેને તરત જ જવાબ આપ્યો, “જેબાઈને ભરોસે હું મારા બાળકોને મૂકી શકું તેને ભરોસે દાળ, ચેખા જરૂર મૂકી શકું.”
મનુષ્યનાં સંપત્તિ અંગેનાં આવા વિધવિધ વિચારો સાંભળીએ છીએ, ત્યારે થાય છે: મનુષ્યની સાચી મૂડી કઈ? આના ઉતરમાં અંગ્રેજીમાં વર્ષો પહેલાં વાંચેલ શ્રી. એમ. કૃષ્ણન લિખિત એક લેખ, એક કથા ધ ટચ’ યાદ આવે છે:
એક સરકારી કર્મચારીની અજાણ્યા ગામમાં નિમણૂંક થાય છે. એ નવે સ્થાને પહોંચવા ટ્રેનમાં મુસાફરી કરતા હેાય છે. ખીસામાંથી રૂમાલ કાઢવા જતાં એને જાણ થાય છે કે, એનું ખીસ્સું કપાઈ ગયું છે, · એને સખત આંચકો લાગે છે. રાજાણ્યા ગામમાં પૈસા વિના શું કરીશ ? એક સહમુસાફર એની મનોવ્યથા જાણી, એને કહે છે: “ભાઈ તું ચિંતા કરીશ નહિ, એ માર્જ ગામ છે, તું મારે ત્યાં ઉતરજે,” એ સજ્જનને ઘેર આવા અચાનક આવી પહોંચેલા કઈક મહેમાના હોય છે. જેની સપ્રેમ આગતાસ્વાગતા કરવામાં આવે છે. એ આ કર્મચારીનું પણ એજ પ્રમાણે આતિથ્ય સાચવે છે અને ઉપરથી થોડાં પૈસા પણ આપે છે. વર્ષો વીતી · જાય છે. આ કર્મચારી, સફળતાની સીડી ચઢીને એક મોટો અમલદાર બની જાય છે. ત્યાર બાદ, એવી જ એક મુસાફરી દરમિયાન એક સહુ – મુસાફર એની પાસે થોડી આર્થિક મદદ માગે છે., “ભાઈ, મે* તમને અગાઉ કયારેક જોયા હોય એવું લાગે છે, કદાચ મારા વૃદ્ધ દિવસેામાં તમે મારા મહેમાન બન્યા હોય એવું મને ભાસે છે, અને તેથી જ તમારી પાસે માગણી કરતાં,મને થોડા ઓછા સંકોચ થાય છે. મારી પત્ની બહુ બીમાર છે, એનાં એપરેંશન માટે પૈસાની જરૂર છે, જે આપ ....’
..
અમલદાર તરત જ કહે છે. “તમારી કંઈક ભૂલ થતી લાગે છે. મે તમને અગાઉ કયાય જોયા જ નથી.” “હશે ભાઈ, મારી ભૂલ થતી હશે.” આટલું કહી એ સ્ટેશન આવતાં ટ્રેનમાંથી ઉતરે છે. ત્યારે એનાં હાથ પરનાં માછલીનાં છૂંદણાં પર પેલા અમલદારની નજર પડે છે અને એને વર્ષો પહેલાં પેાતાનું ખીસ્સું કપાયું ત્યારે મદદ કરનાર સજ્જનની યાદ આવે છે અને એ કહે છે. “કાળ, એ સજજન પ્રત્યે ઘણા જ ક્રૂર બન્યો છે. પર’તુ મારા પ્રત્યે એથી ય નિષ્ઠુર બન્યા છે. હું છેક જ પાયમાલ થઈ ગયો છું. આ વર્ષો દરમિયાન હું ઘણા જ હોંશિયાર તથા ગણતરીબાજ અને શંકાશીલ બન્યો છું. મારી માનવતા સાવ જ હણાઈ ગઈ છે. કાળે મને સાચે જ લૂંટી લીધો છે.”
આમ, માનવતાને મનુષ્યની સાચી મૂડી આલેખાઈ છે. ઉષા શેઠ