________________
૨૧૮
પેાતાના દોષ ઢાંકવા નહિ, તેમ તેમાં બડાઈ હાંકવી નહિ, માણસ માત્ર દોષને પાત્ર છે. પોતે સમજવું, સુધરવું, પણ તેને છાપરે ચડીને કારવાની જરૂર નથી. તેવું જ પેાતાના ગુણનું, તેવું જ બીજાના ગુણદોષનું. બનતાંસુધી ગુણગ્રાહી થવું, પણ દોષો પ્રત્યે આંખમીચામણાં ન થાય. જીવનવ્યવહાર બહુ જટિલ છે. શાસ્ત્રમાં નવ નિધિ કહ્યા છે, તે બધાથી મેટા, વિવેક દશમા નિધિ છે.
(જૈન કેળવણી મંડળના બે વિદ્યાલયોનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ, માસિક પત્રિકા પ્રક્ટ કરે છે. તેમને માટે મારે લખવું પડે છે. આ લેખ તે પત્રિકામાંથી લીધા છે. તે જ રીતે પહેલા ‘વિશ્વાસ ’સંબંધે એક લેખ પ્રબુદ્ધ જીવન'ના તા. ૧૬-૨-૧૯૮૦ ના અંકમાં પ્રકટ થયા છે. તે પણ પત્રિકામાંથી જ લીધેલ હતો.)
નોંધ: તા. ૬–૩-૮૦
પ્રાદ્ધ જીવન
વસન્ત વ્યાખ્યાનમાળા
દર વર્ષની માફક આ વર્ષે, મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે વસન્ત વ્યાખ્યાનમાળા તા. ૭–૮–૯–૧૦ એપ્રિલ ૧૯૮૦ ના દિવસારને યોજવામાં આવી છે.
રાજકીય
ચીમનલાલ ચકુભાઈ
વિષયઃ રાષ્ટ્રીય પરિસ્થિતિ (નેશનલ સીન)
તા. ૭-૪-૨૦
પ્રા. રજની કોઠારી
તા. ૮-૪-૮૦
3. ડી. ટી. લાકડાવાળા પ્રો. પી. એમ. કામઠ
તા. ૯-૪-૮૦
આંતરરાષ્ટ્રીય સામાજિક અને નૈતિક શ્રી રામેાહન ગાંધી
તા. ૧૦-૪-૮૦
આર્થિક
સ્થળ : તાતા ઓડીટોરિયમ, હોમી સ્ટીટ, મુંબઈ ૪૦૦૦૦૧ સમય: દરરાજ સાંજના ૬-૧૫
આ ચારેય દિવસનું પ્રમુખસ્થાન શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ ભાવશે.
{
સમયસર પધારવા સૌને સપ્રેમ નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ
વસંતના વધામણાં
ગર્ભિણી વર્ષા થઈ, આવ્યું. આશનો અંત, શરદ સખીએ સ્નેહથી, કીધું શુભ સીમંત, મહિયરીઓ બહુમાનથી તેડી ગઈ હેમંત, સુંદરતા ભરપૂર ભર્યો, પ્રસવ્યો પુત્ર વસંત. ‘વસંત’ના પ્રસવની કવિએ કેવી સુંદર કલ્પના કરી છે ? ઋતુ વસંત છે. આંબે આંબે મ્હોર મ્હોર છે ને ડાળીએ ડાળીએ કોયલ ટહૂકે છે.
વસંત આવે ને વન-ઉપવનમાં હેતની વાંસળી વાગે, વાંતનું આગમન થાય ને ઉઘાનામાં રંગબેરંગી પુષ્પા ખિલખિલાટ હસે.
વસંત આવે ને બાગ બગીચામાં સુગંધની શરણાઈ
ગૂંજી ઊઠે, વરાંતના પદાર્પણ સાથે જ સૃષ્ટિ આનંદ-નૃત્ય આંરભે. જાણે, “વસંતે સ્થાપેલું પ્રબળ નિજ સામ્રાજ્ય સઘળે” (કવિ‘કાન્ત”) ઋતુઓની રાણી વસંત જયારે શબનમનાં ઝીણાં વલ્કલ પહેરી રમણે ચઢે છે ત્યારે.
અણુ.. અણુ માં નિખરે અરુણાઈ તરુતરુમાં પ્રસરે તરુણાઈ.’
વસંત . એટલે યૌવનના ઉન્માદ અને ચેતનનો ચમત્કાર,
વસંત એટલે રંગ, ફાગ અને ઘેરૈયાના ઉત્સવ. વસંત, કોયલ અનેં કામદેવની ત્રિપુટી મળે ત્યારે
તા. ૧-૪-૮૦
ગાળીનાંખે હલાવી રસિક હૃદદયને વૃત્તિથી દાબ જાય' – એમ કવિ 'કાન્ત'ને કહેવું પડે,
રસકવિ ન્હાનાલાલ વસંતને જોતાં જ રસસભર બની કેવા ડોલી
ઉઠયા ને
કહ્યુ :
“ડોલે વસંત વનમાં મધુમંજરીનું ને કોકિલાની રસીલી કલ કેલિ બોલે.”
“આ વસંત ખીલે શતપાંખડી હરિ આવાને !
આ સૃષ્ટિએ ધરિયા સાહાગ, હવે તો હિર આવાને !”
‘વસંત’હું એવી તો ચેતેાહર મેાસમ છે કે ભાગ્યે જ કોઈ કવિ એવા હશે જેણેપોતાની શબ્દપીંછી વડે એનું કાવ્યચિત્ર નહિ દોર્યુ હોય ! કવિવર ઉમાશંકર જોશીએ વસંતનું કેવું સુંદર ચિત્રણ કર્યું છે ? “પંચમી. આવી વસંતની, કોકિલ ! પંચમ બાલો બોલા. દખણનાં વાયરા ! આ શૉ અડપલાં, ? ઉઘડયાં લતાઓનાં યૌવનનાં સપનાં,
•
લાગ્યા જયાં એક વાયુ લેા –કે પંચમી આવી વાંતની. મંજરી મત્ત થઈ ડોલે કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની ક્ટારીએ,
ગાતાં ભમતાં ભૃંગ પ્રેમતણી હારીઓ.
આ
મકરંદ મંદ ઢોળા
આતમ અંતરપટ ખાલા કે પંચમી આવી વસ’તની. ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી અને લે! ૐ, ઓવારણાં;
ઝૂલે શા સૃષ્ટિના હિંડોળા –કે પંચમી આવી વસંતની.” દેવોને પણ દુર્લભ એવું અમૃત મીઠું આમ્રફળ આ આપે છે ને ?
વસંતઋતુ જ
વસંતઋતુમાં જ ગુલાબની કોમળ કળી પોતાની લીલી ઓઢણીના પાલવ બાજુએ ખસેડી કેવી મરક મરક હસે છે ? વેલપરનાં ચમેલીનાં શુભૃપુષ્પા કેનું મૌન હાસ્ય વેરે છે ? બટમેાગરાની મસ્ત કળીઓ કેવી માદક સુવાસ પ્રસરાવે છે !
વસંતમાં પ્રકૃતિ સાળે કળાએ ખીલે છે.
વસંત એટલે વિશ્વનું યૌવન, વસંત એટલે સાન્દર્ય દર્શન.
ભર બપોરે, ધામ ધીખતા તડકો વરસતા હોય ત્યારે, કોઈ ગામની સીમમાં ઘટાદાર આમ્રવૃક્ષ (સહકાર) ની શીળી અને તાપહર છાયામાં, ભયપર દેહ લંબાવીને પ્રાપ્ત થતું અલૌકિક સુખ એ આ જ ઋતુને ઉપહાર છે.
ઋતુઓમાં જેમ વસંત છે. તેમ મનુષ્યના જીવનકાળમાં પણ વસંત છે. વસંતઋતુ તો વર્ષમાં એક જ વાર આવે. સજજન તે સદા વસંતને માણે છે. જયારે એણે કોઈ ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ, ને નિ:સહાયને સહારો આપ્યો, વાણીની મીઠાશ આપી કે કોઈનું અશ્રુબિન્દુ લૂછનું પ્રસિદ્ધિ કે પ્રશંસાની ખેવના વિના અથવા ઉપકાર કર્યાની ભાવના વગર ત્યારે એ છે માનવતાની વસંતઋતુ. આવી ‘વસંત’ વર્ષ ને કાળથી પર છે.
ચાલો, આપણે સૌ આ ઋતુની વસંત અને માનવતાની
વસંતબન્નેને વધાવીએ અને જીવન સાર્થક કરીએ.
-ગણપતલાલ મ. ઝવેરી
'