SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૮૦ હું હાથ ઊંચા કરી, પોકારી પોકારી કહું છું, પણ મારૂ કોઈ સાંભળતું નથી, કે જે અર્થ અને કામ, સુખ અને સમૃદ્ધિ પાછળ નું પડયા છે, તે તને ધર્મથી જ પ્રાપ્ત થશે, તો એવા ધર્મનું સેવન કેમ નથી કરતા ? પ્રાદ્ધ જીવન માણસના જીવનની આ સમસ્યા સદા રહી છે. ધર્મ વિના એ જીવી શકતા નથી, ધર્મની વાત કરવી, સાંભળવી તેને ગમે છે પણ તેનું આચરણ કરી શકતો નથી. મહાવીરે એ સાચા શાશ્વત સુખનો માર્ગ બતાવ્યો છે તે, આ પવિત્ર દિવસે ફરી યાદ કરીએ. ૨૯-૩-૮૦ ચીમનલાલ ચકુભાઈ · મહાવીર, માર્કસ, મહાત્મા મહાવીર, માકર્સ, મહાત્મા [‘જિનસંદેશે ' પૂછેલા પ્રશ્નનો મેં તંત્રીને મોકલેલા જવાબ અહીં પ્રગટ કરવામાં આવે છે. તંત્રી, જિનસંદેશ તમારો તા. ૮મીના પત્ર મળ્યો છે. તમારા પ્રશ્નના સંક્ષેપમાં જવાબ આપું છું. મહાવીર અને માર્ક્સ વચ્ચે મને કોઈ સમાનતા જણાતી નથી. મહાવીર અધ્યાત્મવાદી હતા, માર્ક્સ, ભૌતિકવાદી હતા. મહાવીર અહિંસામાં માનતા, માકર્સને હિંસાના વિરોધ ન હતો. મહાવીરના ધર્મમાં સાધનશુદ્ધિ છે, માકર્સને તેનો આગ્રહ નથી. ઉપર ઉપરથી એટલી સમાનતા લાગે કે માકર્સ મનુષ્યનું શોષણ અને ગરીબતળંગરના ભેદ મીટાવવા ઈચ્છતા હતા, જે મહાવીરના ધર્મમાં પણ છે. પણ બન્નેની જીવનદષ્ટિ સર્વથા ભિન્ન હતી. મહાવીર અને આઈન્સ્ટાઈનમાં દેખીતી સમાનતા ઓછી છે. મહાવીર અધ્યાત્મયોગી હતા. આઈન્સ્ટાઈનમાં અધ્યાત્મ દૃષ્ટિ હતી એમ મને લાગ્યું છે. વિજ્ઞાનની મર્યાદા જાણતા અને વિજ્ઞાનથી પૂર એક જગત છે જે કાાથી પ્રાપ્ત થાય તેમ માનતા. કેટલાક વૈજ્ઞાનિકો અધ્યાત્મનો છેદ ઉડાવે છે એવું આઈન્સ્ટાઈનનું ન હતું. તેઓ મહામાનવતાવાદી અને વિશ્વ શાન્તિના ચાહક હતા. અણુબોમ્બ શોધ્યા પછી તે શેાધના વિપરીત પરિણામોથી ચિન્તામાં હતા. આઈન્સ્ટાઈનનો ભૌતિક જગતના સાપેક્ષવાદ, મહાવીરના વૈચારિક જગતના અનેકાન્તવાદની યાદ આપે. સાર્થ વિષે હું બહુ જાણતો નથી. અંતે, મહાવીર અને ગાંધીજી. ગાંધી, મહાવીરના સાચા અનુયાયી હતા. મહાવીરના ધર્મને તેમણે દીપાવ્યા છે અને સાચે જ વિશ્વા ધર્મ બનાવ્યો છે. ગાંધીજી જન્મથી જૈન હોત તો એમ જ કહેવાત કે જૈન ધર્મનો પ્રચાર માટે જ પ્રવૃત્તિ કરે છે. મહાવીરને સંયમધર્મ ગાંધીએ પૂરો સ્વીકાર્યો છે. અહિંસાને પરમ ધર્મ તરીકે સ્વીકારી છે. ગાંધી મોક્ષમાર્ગના પથિક હતા અને અહિંસા, સંયમ અને તપ, મોક્ષમાર્ગ છે એમ દઢપણે માનતા અને તે પ્રમાણે જીવન જીવ્યા. છતાં, મહાવીર અને ગાધીમાં ફેર પણ છે. મહાવીરના પંથ વ્યકિતગત મેાક્ષના, સંસારત્યાગના ધર્મ છે, તેમાં લક્સંગ્રહની પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ વધારે છે. ગાંધી કર્મયોગી હતા. સંસારમાં રહીને, લોકકલ્યાણની પ્રવૃત્તિને મોક્ષમાર્ગ માન્યો. ગાંધીએ અહિંસાને ઘણી વ્યાપક બનાવી. અહિંસક સમાજની રચના કરવાની હામ ભીંડીં, મહાવીરના ધર્મમાં ઉપસર્ગો સહન કરવાનું છે. ગાંધીએ અહિસક માર્ગે, રાસહકાર અને સત્યાગ્રહથી, અન્યાયના પ્રતિકારની નવી રીત દુનિયાને બતાવી. અનાસકત કર્મયોગમાં, અહિંસાને મધ્યબિંદુમાં મૂકનાર ગાંધી પ્રથમ મહાપુરુષ છે. ગીતામાં પણ એટલી અહિંસા નથી. ગાંધીમાં ગીતાના કર્મયોગ અને મહાવીરની સાહિસાના સમન્વય છે. ચીમનલાલ ચકુભાઈ શાહ s ૨૧૭ દ્રંભ અને નિખાલસતા કોઈ કહેશે કે દંભ કરવા ખોટું છે, નિખાલસ થવું આવકારસા દાયક છે. દંભ એટલે આપણે હાઈએ તે કરતાં જુદા દેખાવું. મનમાં હોય તે કરતાં જુદું કહેવું. નિખાલસતા એટલે છીએ તેવા દેખાવું અને મનમાં હોય તે કહેવું. વિચાર, વાણી, અને વર્તનની એકતામાં સત્યનું આચરણ છે. માનવવ્યવહારમાં સત્યનું આચરણ સુખ અને શાંતિનું કારણ બને છે. અત્યારે એમ કહેવાય છે કે જૂના જમાને વિકટોરિયન યુગ, દંભ અને ઢાંકપીછાડાના હતા, વર્તમાન યુગના માણસા, ખાસ કરીને યુવાનો નિખાલસ છે. ડાહ્યા – ડમરા અસત્ય કરતા કડવું અને દુ:ખદ સત્ય પણ પસંદ કરે છે. દંભ અને નિખાલસતા બન્ને સ્વલક્ષી ગુણા છે. “દભ કર્યો છે કે નિખાલસતા આચરી છે તેની વધારે પોતાને જ ખબર પડે છે. બીજા લોકો તે જાણી શકતા નથી, અથવા બહુ મોડું જાણે છે. દંભ અને નિખાલસતા મોટાભાગે ઈરાદાપૂર્વનું વર્તન છે. પણ કેટલાક પ્રકૃતિથી જ દંભી હોય છે, કેટલાક નિખાલસ. કેટલાકથી દુભી થયા વિના રહેવાય જ નહિ, કેટલાક દંભી થઈ શકે જ નહિ. પણ દંભ અને નિખાલસતા બન્ને મર્યાદિત નથી. એટલે કે દરેક વખતે, મનમાં આવે તે કહી નાખવું, ફાવે તેમ વર્તવું, કોઈની છૂપી વાત કે છિદ્રો ઉઘાડા પાડી દેવા, એનું નામ નિખાલસતા નથી. કોઈ વખત મનના વિચારો મનનાં જ રાખવા, વાણી અને વર્તન ઉપર મર્યાદા કે સંયમ રાખવા તેનું નામ દંભ નથી. સ્વછંદતા અને નિખાલસતા બે જુદી વસ્તુ છે. તેની સમતુલા જાળવવા વિવેકની જરૂર છે. ખરો ગુણ વિવેક છે. વિવેકમાં દંભના અભાવ છે, નિખાલસતા છે, છતાં સમય પ્રમાણે સંયમ અને મર્યાદા છે. વિવેક બહુ અઘરી વસ્તુ છે. શીખંળ્યે શીખવાતા નથી..અંતરસૂઝ ઉપર આધાર રાખે છે. વિવેકમાં નમ્રતા છે, દંભ અને નિખાલસતા બન્નેમાં એક પ્રકારનો અહંકાર છે. વિવેકના નિયમ ઘડી શકાતાં નથી. એક પ્રકારનું વર્તન અમુક સમયે યોગ્ય હોય તો બીજે સમયે યોગ્ય ન હોય. કોઈ વખતે મૌન રાખવું પડે, તો કોઈ વખત મૌન હાનિકારક અને અયોગ્ય હોય. મનમાં આવે તે બધું કહેવાતું નથી, કહેવું ન જોઈએ. માણસને સારા ખોટા વિચારો આવે છે. ખોટા વિચારો દાબી દેવા એ દંભ નથી, વિવેક છે, ફરજ છે, ધર્મ છે. માણસ કપડા પહેરે છે નગ્નતા ઢાંક્વા, તેમાં દંભ નથી. દિગ્બર સાધુ નગ્ન રહે. સામાન્ય માણસ તેમ કરે તે પાગલ લેખાય. દેહના મેહ સંપૂર્ણપણે જેણે છાડી દીધા છે તેને વસ્તુની જરૂર ન હાય. દેહની વાંચ્છનાઓથી ઘેરાયેલ વ્યકિતએ પાતાની જાતને ઢાંકવી રહી. શ્રીકૃષ્ણ ગેપીએનું વસ્ત્રહરણ કરે, આપણાથી ન થાય. કોઈ પણ માણસની અવસાન—નોંધ લખવાના હોઈએ કે શાસભા હાય તો મોટેભાગે તેના ગુણ યાદ કરવા, પણ અતિશયાકિત ન કરવી. કોઈ માણસ સાથે કોઈએ વેપાર કરવા હોય કે તેના દીકરાનું સગપણ કરવું હોય અને આપણો અભિપ્રાય પૂછે તો જે જાણતા હોઈએ તે સાચું કહેવું પડે – ત્યાં માત્ર ગુણગ્રાહક ન થવાય, પણ એટલું યાદ રાખવું કે કોઈ માણસને આપણે પૂરા જાણતા નથી. હોતા. આપણને થયેલ અનુભવ ઉપરથી અભિપ્રાય બાંધીએ છીએ એટલે એમ જ કહેવું કે મારો અનુભવ આવા છે. માણસ પોતાની જાતને પણ પૂરી ઓળખતો હોતો નથી. વળી માણસનું વર્તન બધા સમયે એક જ પ્રકારનું નથી હોતું. કેટલીક વખત આપણને અનુભવ • થાય છે, જે પહેલાના ચાનુભવ કરતાં જુદા જ હોય છે. આપણું પેાતાનું વર્તન પણ દરેક સમયે એક જ પ્રકારનું હોતું નથી. આ બધાનો સાર એ છે કે દંભ અને નિખાલસતા સાપેક્ષ છે. સાચી વસ્તુ વિવેક છે. શ્રીમદ, રાજચંદ્રે કહ્યું છે: “ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યહાં સમજવું તેહ ત્યાં, ત્યાં તે તે આચરે, આત્માર્થી જન તેહ.” ' આ કાં, શું યોગ્ય છે તે નક્કી કરવું સહેલું નથી. પણ રાગદ્વેષ ન હોય. સ્વાર્થ ન હોય, તો નક્કી કરવું અઘરું પણ નથી. નિખાલસતાને નામે સ્વચ્છંદ ન આચા, વિવેના નામે દંભ ન કરવા. શ્રીમદ્ કહે છે તેમ આત્માર્થી જન હોય તે આ બધું કરી શકે છે.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy