SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 2 _ ૨૧૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૮૦ શુષ્ક શાન રહ્યું. વ્યવહારમાં માનવ માનવ વચ્ચે ઊંડી ખાઈ પડી. - મહાવીરે એક ઝટકે આ ભેદને છેદ કર્યો. મહાવીરના ધર્મમાં જાતિ, જ્ઞાતિ, જન્મના કારણે કોઈ ઉરચ નથી, કોઈ નીચ નથી. સર્વ પિતાના કર્મથી ઉરચનીચ થાય છે. મહાવીરના સંઘમાં ચાંડાળ, મુનિ બને, સર્વ વર્ણના, સર્વ જતિન. સમાન ભાવે. મહાવીરના અનુયાયી બને, જન્મથી નહિ, કર્મથી જૈન થવાય છે. સભાની ચૂંટણી વખતે જનતા પક્ષને મત આપવા કહી શકાયું, હવે એ પણ કહી શકાય તેમ નથી. પૂર્વાચલમાં અને ખાસ કરી આસામ – બંગાળની પરિરિથતિ સફાટક થતી જાય છે. આસામી તેલ અને કેરોસીનની નિકાસ અટકાવે છે. બંગાલની ઈન્દિરા કોંગ્રેસની સેવા સમિતિ આસામમાં જીવનજરૂરિયાતની વસતુઓ જવા ઉપર નાકાબંધી કરે છે અને અથડામણ થાય છે. * આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કાંઈક હળવી બની છે અથવા કોઠે પડી છે. અફઘાનિસ્તાન ઉપરના રશિયન આક્રમણ પ્રત્યેના વિરેધની તીવ્રતા કાંઈક ઓછી થઈ છે. ઈરાનમાં, અમેરિકન બાન૫૦ વ્યકિતઓ- ની છૂટવાની આશા ઓછી થઈ છે. શાહને ઈજીપ્સ આશ્રય આપ્યું છે. કાર્ટર ખૂબ મૂંઝાયેલ છે. બનાવો બળે જાય છે. એમ જ કહેવું પડે કે, યદ્ ભાવિ, તદ્ ભવિષ્યતિ. - ચીમનલાલ ચકુભાઈ મહાવીર – સંદેશ ત્ર સુદિ તેરસ-૨૯મી માર્ચ, ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિન છે. મહાપુરુષોને જન્મ, જગ માટે કલ્યાણકારી હોય છે. ભગવાન મહાવીરના સંદેશનું હાર્દ એક વાકયમાં કહેવું હોય તે, આત્મિવત્ સર્વભૂતેષુ, ય: પvસ્થત Twથતિ: સર્વ જીવ Every sentient Being પ્રત્યે આત્મવત પિતાના સમાન જે જુએ છે, અંત:ચક્ષુથી, તે જ સાચું જુએ છે, બીજા અધ છે, અંત:ચક્ષુથી. માત્ર માનવી પ્રત્યે નહિ, પણ કીડી અને કીટકથી માંડી દરેક જીવ પ્રત્યે. મહાવીરની એ વિશેષતા હતી કે ૨૫૦૦ વર્ષ પૂર્વે જ્યારે આજના વિજ્ઞાનના સાધનો ન હતા ત્યારે તેમણે આત્મદર્શનથી જોયું કે, પૃથ્વી, પાણી વાયુ, અગ્નિ અને વનસ્પતિ સર્વ જીવસભર છે. પ્રત્યેક જીવ, સત્તાએ કરી (Potentially) સમાન છે. વિકાસની દષ્ટિએ મનુષ્ય સૌથી વિકસીત જીવ છે, પણ દરેક જીવ એવા વિકાસને અધિકારી છે. જીવ ચોરાસી લક્ષ જીવયોનિમાં પરિભ્રમણ કરે, પોતાના કર્મ પ્રમાણે મનુષ્યજીવ દુર્લભ છે. પણ તેમાંથી અન્ય નીચલી - યોનિમાં સરી જતા વાર ન લાગે. મહાવીરના દર્શનમાં Unity of life જીવનની એકરૂપતા છે. બીજા કોઈ ધમેં જીવનની આવી સૂક્ષ્મતા અને એકતા નિહાળી નથી. અથવા તેને ધર્મમાં કેન્દ્ર સ્થાને સ્થાપી નથી. બીજા ધર્મો મુખ્યત્વે માનવ ધર્મો છે. માનવી પૂરતા સીમિત રહ્યા છે. માણસ એમ માનતો થયો છે કે મનુષ્યતર પ્રાણીસૃષ્ટિ તેના સુખ માટે નભે છે. તેથી, મનુષ્યતર પ્રાણીસૃષ્ટિ પ્રત્યે આદર, અને કરૂણા જોઈએ તેટલી નથી. વર્તમાનમાં છે. આલ્બર્ટ સ્વાઈન્જર એક એવા ચિન્તક હતા કે, જેમણે જીવનની આવી એકરૂપતા જાણી અને તેથી, જીવમાત્ર પ્રત્યે આદર Reverence, for life સિદ્ધાંતને નૈતિક વનના પાયાના સિદ્ધાંત તરીકે તેમણે સ્વીકાર્યો. મહાવીરને ધર્મ અહિંસાધર્મ - પરમધર્મ કહેવાય છે. તેને તાત્ત્વિક ઉદ્દગમ, સર્વ જીવની સમાનતાના સિદ્ધાંતમાંથી છે. સર્વ જીવ સમાન છે એમ સ્વીકારીયે તો કોઈ જીવ પ્રત્યે હિંસા થાય નહિ. માટે અહિંસા પરમ ધર્મ છે. મહાવીરે અહિંસાને માનવી પરતી સીમિત રાખી નથી, સકલ જીવસૃષ્ટિ સુધી વ્યાપક બનાવી છે. આવો સિદ્ધાંત સ્વીકારીને મહાવીરે જે ક્રાન્તિ કરી તે સમજવા જેવી છે. હિન્દુ સમાજ, અસમાનતાની ભૂમિકા ઉપર રચાયેલો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, તેમાં ઉચ્ચનીચના ભેદ છે. આ ઉચ્ચનીચને ભાવ હિન્દુ સમાજમાં હાડોહાડ વ્યાપેલે છે. અને આ ભેદ, જન્મગત છે અને ધર્મસંમત છે એવું બ્રાહ્મણોએ ઠસાવ્યું છે. વેદાંતનું તત્ત્વદર્શન અને આવ' સામાજિક રચના પરસ્પરવિરોધી છે. આટલું ઉચ તત્ત્વજ્ઞાન જે દેશમાં હતું અને છે, તેને સમાજ આટલી અધોગતિને કેમ પામ્યો તે ઐતિહાસિક સમસ્યાનું રહસ્ય આ વિરોધમાંથી મળે છે. કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું છે. આ સામાજિક અસમાનતાની ભાવનાથી હિન્દુ સમાજને હાર્ડક્ષનું કેન્સર લાગુ પડયું, તેના ગાત્રો ગળી ગયાં. તેનું તત્ત્વજ્ઞાન મહાવીરના આ સિદ્ધાંતનું બીજું પરિણામ એ આવ્યું કે યજ્ઞયાગમાં પશુહિંસા થતી તેને મહાવીરે વિરોધ કર્યો. તેને અધર્મ કહ્યો. માંસાહાર સર્વથા વજર્ય ગયો. મહાવીરે કરેલ આ કાન્તિ વ્યાપક બની ન શકી. બ્રાહ્મણોનું વસ્વ અને તેની બુદ્ધિકુશળતા એટલા બધા પ્રબળ હતા કે તેને પ્રભાવ કરી ન શક્યા. જૈનેએ પણ ફાતિજાતિના ભેદ અને વ્યવહારમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ રવીકાર્યું. જૈન ધર્મથી જૈન રહ્યો, વ્યવહારથી હિન્દુ થયો. જૈન સાધુઓમાં પણ આ ભેદની અસર રહી છે. સર્વ વર્ણ અને જાતિના સ્ત્રી-પુરુ છે, જૈન સાધુ-સાધ્વી થયા છે. છતાં તેમના વ્યવહારમાં આ ભેદ ૨૧મપણે રહ્યો છે. શ્રાવકવર્ગમાં તે વ્યાપક હતા જ. દશા, વિશા, ઓસવાલ, પિરવાલ, શ્રીમાળી, વિગેરે ભેદો ઊંડા છે. મહાવીરના ધર્મમાં આવા ભેદોને કોઈ સ્થાન નથી.' હવે આ સર્વ જીવ સમાનતાના બીજા પરિણામે જોઈએ. અહિંસા સીધી રીતે તેમાંથી ફલિત થાય છે તે જોયું. અપરિગ્રહ તેનું બીજું સીધું પરિણામ છે. બીજાને ન હોય તે પિતાથી ન રખાય. તે ચોરી છે, હિંસા છે. પરિગ્રહને પાપનું મૂળ કહ્યું છે. કારણ તેમાં બીજાનું શોષણ છે, હિંસા છે. શ્રાવકોને વ્રતમાં અતિથિ સંવિભાગ વ્રત છે. કોઈ પણ અતિથિ પોતાના આંગણે આવે તેની સાથે પિતાની પાસે જે હોય તેને સંવિભાગ, સમ્ય વિભાગ, વિભાજન કરવું. આ વ્રત માત્ર અતિથિ પૂરતું Hullert 4211 It is a principle of just, fair, and equal Distribution. આ સાચે સમાજવાદ છે, સાચી, ટ્રસ્ટીશીપ છે. Equality is the demand of the age, it is the message of Mahavir. માનવી, માનવી ઉપર કોઈ પણ પ્રકારનું આધિપત્ય ભેગવે, તેનું શોષણ કરે, એ બધા સામાજિક અને દેશદેશ વચ્ચેના સંઘર્ષોનું મૂળ છે. Man demands equality, equal treatment, respect as a human being આ સિદ્ધાંત મહાવીરને ધન પાયો છે. જગતનાં બધ સંધના મૂળમાં અસમાનતા રહેલી છે, સત્તાની, મિલકતની, સર્વ પ્રકારની અસમાનતા માણસને અસ્વીકાર્ય છે. | સર્વજીવસમાનતાના સિદ્ધાંતના બીજા પરિણામો જોઈએ. ૫. તેમાંથી અહિંસા ફલિત થતી જોઈ. સંયમ આપોઆ૫ અનિવાર્ય બને છે. દેહની પ્રત્યેક ક્રિયામાં હિંસા છે. ભાગ ઉપભાગમાં હિંસા છે. તેને બને તેટલે સંયમ કર એ ધર્મ છે. જીવનની જરૂરિયાત ઓછામાં ઓછી કરવી, સાદુ પરિશ્રમી જીવન જીવવું જેમાં કોઈની હિંસા ન હોય, પણ ન હોય, બીજાને જોઈએ તે પોતે વધારેપડતું ઝૂંટવી લીધું ન હોય. ' બીજો સિદ્ધાંત એ ફલિત થાય છે કે પોતે પોતાના સુખદુ:ખને કર્તા છે. મામૈવ આત્મનો વધુ:, વામૈવ અરમનો : અહિં આત્મા શબ્દ બે અર્થમાં વાપર્યો છે, વાસનાત્મક આત્મા અને શ દ્ધ આત્મા, વાસનાત્મક અભિાં પોતાના જ દુમન છેદુ:ખ પેદા કરે છે. શુદ્ધ આત્મા પોતાનો મિત્ર છે, સાચું સુખ આપે છે. મહાવીરે કહ્યું: સારા વિના વા, સુહાય જ, મુઠ્ઠી જ આત્મા પોતે પોતાના સુખ અને દુ:ખને કર્તા છે, વિકર્તા છે. મહાવીરના ધર્મમાં આત્મા સ્વતંત્ર છે. પોતાના કર્મને કર્તા અને ભકતા છે. કોઈ બહારની સત્તા તેને બંધ કરી શકતી નથી, મુકિત આપી શકતી નથી. આ વાત અંતરના ધન અને મુકિતની છે. બહારના બંધનમુકિત, બહારના સંજોગોને આધીન છે ભગવાન વ્યાસે મહાભારત પૂર, કરી, કહ્યું: '' Sb. વા વર્ષેષ ન કfણવત્ શ્રોતિમામ , , , : ' ઘમત અર્થશવકુમાર, સધન વિક ર સેવ્યા ..
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy