________________
Regd. No. MH. By South 34 Licence No.: 37
= જીવન પ્રબુદ્ધ
‘બુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક : ૨૦
મુંબઈ, ૧ એપ્રિલ, ૧૯૮૦ મંગળવાર વાર્ષિક લવાજમ શ. ૧૫, પરદેશ માટે ચિલિંગ : ૪૫
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહ દિશામાં ?
ફઈ
લોકસભાની ચૂંટણીને લગભગ ત્રણ મહિના થયા – આ ટૂંકા ગાળામાં કેટલાય એવા બનાવા બન્યા છે જેથી એમ પ્રશ્ન થાય છે કે દેશનું નાવ કઈ દિશામાં જઈ રહ્યું છે ? નિયતિના કોઈ અટલ અને રળ નિયમાનુસાર જે દિશામાં દેશ ધસી રહ્યો છે તેને અટકાવવા કોઈ સમર્થ હોય તેમ લાગતું નથી. આવા કેટલાક બનાવાની અહીં સમીક્ષા કરું છું ત્યારે ઈન્દિરા કોંગ્રેસ કે ઈન્દિરા ગાંધીની સરકારને દોષ દેવાના ઈરાદે નથી કરતા. આ પરિસ્થિતિ માટે બધા રાજકીય પક્ષા અને એક રીતે આપણે સૌ જવાબદાર છીએ.
પહેલાં, પ્રમાણમાં એક નાનો પણ સૂચક બનાવ લઈએ. કેન્દ્રના ગૃહખાતાએ એક સરક્યુલરથી શાહપંચના અહેવાલની બધી નક્કા વેચાણમાંથી પાછી ખેંચી લીધી છે અને જ્યાં હોય ત્યાંથી સરકારને હવાલે કરવા આશા કરી છે. કયા કાયદાના આધારે આવી આશા કરી છે ? શાહપંચનો અહેવાલ અધિકૃત સરકારી પ્રકાશન છે. પાર્લામેન્ટ સમક્ષ રજૂ થયેલ છે. સરકારે કમિશન ઓફ ઈન્કવાયરી એક્ટ મુજબ રચેલ એ પંચ હતું. તેણે જાહેરમાં બધી તપાસ કરી છે. એ અહેવાલની હકીકતો કે નિર્ણય. ભૂલભરેલા હોય તે લાગતીવળગતી વ્યકિતને તેનો જવાબ આપવાનો અધિકાર છે. પણ તેનું વેચાણ અટકાવવાનો સરકારને કયા કાયદાને આધા૨ે અધિકાર મળે છે? બલ્કે, સરકારનું આ પગલું કાયદા વિરુદ્ધ છે.
પાછા
હવે, આ અહેવાલ વેચાણમાંથી પાછા ખેંચી લેવાના હેતુ શું છે? તેની હજારો નક્કા દેશ વિદેશમાં વેચાઈ છે, વહેંચાઈ છે. શું તે બધી પાછી મંગાવી શકાશે? છાબડે ઢાંકયો સૂરજ રહેશે ? શાહપંચના અહેવાલના જ આધારે થયેલ ઘણાં કસા ખેંચાયા છે, કેટલાક રદ થયા છે. શાહપંચે વખોડેલ કેટલાક કૃત્યોનું × ફરી સમર્થન થયું છે. શાહપંચે દોષિત ઠરાવેલ વ્યકિતઓ ફરી સત્તાસ્થાને આવેલ છે. આ બધું ઠીક છે, પણ અહેવાલનું વેચાણ અટકાવીને શું હેતુ સિદ્ધ થવાનો છે? હવે વેચાણ થવાનું પણ કેટલું? આ અહેવાલની સારી પેઠે વગેાવણી, ઠેકડી અને અવહેલના થઈ છે. છતાં હજી તેના કોઈ ભય છે? શાહપંચનો અહેવાલ પ્રકટ થયા ત્યારે ઈન્દિરા ગાંધીના કેટલાક સમર્થકોએ તેની હોળી કરી હતી અથવા ફાડી નાખ્યા હતા. સરમુખત્યારી દેશમાં એવું બને છે. વાણીસ્વાતંત્ર્ય હજી આ દેશમાંથી નાબૂદ થયું નથી, પણ એ દિશાનું આ પગલું છે.
મુંબઈ જૈન મુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ –૭૫
બીજો બનાવ, નવરાજ્યોની ધારાસભાઓનું વિસર્જન કરતા રાષ્ટ્રપતિના જાહેરનામાઓ બે મહિનામાં સંસદના બન્ને ગૃહોમાં મંજૂર થવા જોઈએ. લાકસભામાં મંજૂર થશે જ એમ ખાત્રી હતી પણ રાજ્યસભામાં શાસક પક્ષને બહુમતી ન હતી અને ત્યાં મંજૂર નહિ જ થાય એમ ખાત્રીપૂર્વક કહેવામાં આવતું. તેમ થાય તે શું પરિણામ આવે તેની ગણતરી પણ થતી. રાંસદનું આ સત્ર શરૂ થયું ત્યારે શાસક પક્ષને ાજ્ય સભામાં ૬૫ મત હતા. વિરોધ પક્ષાને ઘણાં વધારે હતા. છતાં શાસક પક્ષે વિશ્વાસપૂર્વક આ જાહેરનામાઓ રાજ્ય સભામાં મંજૂરી માટે રજૂ કર્યા. મતદાનને દિવસે, શાસક પક્ષની સભ્યસાંખ્યા ૬૫ માંથી ૧૦૧ થઈ અને મતદાનમાં, તરફેણમાં ૧૨૦ મત મળ્યા અને ૯૬ વિરોધમાં પડયાં. આ જાદુ કેવી રીતે બન્યા ? પક્ષાંતર થયું એ તે દેખીતું છે. શાસક પક્ષ તેના વિજય માટે ગૌરવ લઈ શકે. કહેવાતા કેટલાક વિરોધ પક્ષા,
✩
મુક અને મુરિલમ લીગ, ટેક---આપ્યો. કેટલાક કહેવાતા અપા સભ્યોએ ટેકો આપ્યા. સૌથી અજાયબ વાત, વિરાધ પાના કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા અથવા રખાયા. કોઈ લાજ–શરમ, ખરી ? બેઠક
ચૂંટણી થઈ તેમાં ૧૦ બેઠક શાસક પક્ષને મળી. હવે નવ રાજ્યાની વિધાનસભાની ચૂંટણી થશે. તેમાં ધારવા પ્રમાણે ઈન્દિરા કોંગ્રેસને બહુમિત મળશે. પછી તે રાજ્યોની રાજ્યસભાની બેઠકોની ચૂંટણી થશે. તેમાં ઈન્દિરા કોંગ્રેસને બહુમતિ મળશે. પરિણામે સંભવ છે, રાજ્યસભામાં પણ શાસક પક્ષની; લોકસભા પેઠે, બે તૃતીયાંશ બહુમતિ થઈ જાય. હજી પક્ષાંતરનો રોગ તો ચાલુ છે. તેમ થતાં, કોઈ પણ વાંધારણીય ફેરફાર માટે માર્ગ મોક્ળા થશે.
• વિરોધ પક્ષા – લાકદળ અને જનતા પક્ષ – ની 'શરમજનક અવગતિ અને વિસર્જન ચાલુ છે. જગજીવનરામ પોતાની જાતને સાચા જનતા પા કહે છે. જનસંઘ જુદો થઈ જનતા પરિષદ કે એવું કાંઈ નવું નામ ધારણ કરશે. લાકદળને તોડવા રાજનારાયણ અને મધુ લીમયે કટીબદ્ધ છે. ટૂંકામાં, વિરોધ પક્ષ જેનું સંસદમાં અને કદાચ કેટલાક રાજ્યોમાં રહેશે જ નહિ. કેન્દ્રમાં અને રાજ્યોમાં એક પક્ષનું રાજ્ય થશે. ઘણાં વર્ષ સુધી કૉંગ્રેસનું એવી રીતે હતું. પણ કોંગ્રેસમાં આંતરિક લોકશાહી હતી અને વિરોધ પક્ષાને – જે હતા તે - ખતમ કરવાનો કોઈ પ્રયત્ન ન હતો. ટૂંકામાં, જવાહરલાલના પ્રભાવથી કોંગ્રેસ સત્તામાં રહી પણ જવાહરલાલે, લોકશાહી બળાને – કોંગ્રેસમાં અને વિરોધમાં -- સમર્થન કર્યું. તેમની પુત્રીની પ્રકૃત્તિ જુદી છે. તેમના પુત્રની ઓથી પણ જુદી છે. તેમના પક્ષના વર્તમાન લોકસભાના સભ્યો પણ જુદા પ્રકારના છે. પરિણામે, સંસદીય લોકશાહી ટકે તે કેવું સ્વરૂપ લે છે એ જોવાનું રહે છે. આપણો દેશ અને પ્રજા સંસદીય લોક્શાહીને પાત્ર નથી અથવા એવી લાકશાહી પદ્ધતિથી દેશના આર્થિક વિકાસ ઝડપથી શકય નથી એવું માનવાવાળા અને તેની હિમાયત કરવાવાળા હવે ઠીક સંખ્યામાં તૈયાર થતા જાય છે. તેમને મન, સબળ નેતૃત્વ અને સબળ કેન્દ્ર સરકાર વધારે જરૂરી છે અને તેમ કરવા જતાં લાકશાહી ન રહેતા તેની ચિંતા કરવાની જરૂર નથી. સંભવ છે, પરિણામે, કટોકટી જાહેર કર્યા વિના, હકીકતમાં ટોટીના બધા લક્ષણા અમલમાં આવે.
આ બધું છતાં, જે આર્થિક ક્ષેત્રે અને કાયદો તથા વ્યવવસ્થાના ક્ષેત્રે સુધારો થયો હોત તો કાંઈક આશ્વાસન લઈ શકાત. પણ બન્ને ક્ષેત્રે ત્યારે તે પરિસ્થિતિ વણસતી રહી છે. હકીકતમાં, ઈન્દિરા ગાંધીનું બધું લક્ષ અત્યારે કેન્દ્ર અને સર્વ રાજ્યોમાં પેાતાની સત્તા દઢ કરવા ઉપર રહ્યું છે. કોઈ નવી આર્થિક નીતિનું દર્શન થતું નથી. બજેટ વખતે થાય તો જુદી વાત છે. મોંઘવારી અને ફુગાવા વેગથી વધી રહ્યા છે. સાથે, આવશ્યક ચીજ વસ્તુઓની છત વધતી રહી છે.
સરકારી નોકરો અને અમલદારોમાં તથા પોલીસના અધિ કારીઓમાં મોટા પાયે ફેરફારો ચાલુ છે. રાષ્ટ્રપતિ શાસન નીચેના રાજ્યમાં એવા ફેરફારો કરવા માગણીઓ થઈ છે. બધે વફાદારો મૂકવાના પ્રયત્ન થઈ રહ્યો છે. પરિણામે વફાદારી વધે છે કે ભય વધે છે તે જોવાનું રહે છે.
નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હવે જલદી થશે. કોને મત આપવા તેની ખરેખર વિમાસણ પ્રજા અનુભવશે. લેક