________________
(90)
૧૪
જાય છે, તેની નીચે હું લીટી દોરીને સહી કરું છું.
પ્રો. તારાબહેન શાહ: જે વ્યકિત યા પાળે, અહિંસા પાળે, લોકકલ્યાણના કામ કરે તે લાંબુ જીવે, શાસ્ત્રો એમ કહે છે. ચિત્તાની સાચી પ્રસન્નતા પણ લોકકલ્યાણના કામમાંથી આવે છે. તેઓ મારા માટે તેમ જ મારા પતિ માટે તે પિતા સમાન છે. અમે તેમના અંતાન થવાને લાયક બની શકીએ એવી પ્રભુને પ્રાર્થના.
શ્રી કંચનલાલ તલસાણીયા : તેમણે ભાવપૂર્ણ તેમજ અર્થસભર સ્વરચિત કાવ્યનું વાંચન કર્યું.
શ્રી. પ્રતાપભાઈ ગાંધી: તેઓએ પણ ચીમનલાલ ચકુભાઈ શાહના નામના એક એક અક્ષર લઈને તેના અનુસંધાનમાં નાનું એવું સ્વરચિત કાવ્ય વાંચી રાંભળાવ્યું હતું.
અહીં અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓએ શ્રી ચીમનભાઈનું ચાંદનમાળા અને પુષ્પમાળાથી સન્માન કર્યું હતું.
શ્રી ચીમનભાઈની અંતરખોજ
પ્રબુદ્ધ જીવન
ત્યારબાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે હૃદયના આર્દ્ર ભાવ સાથે બોલતા જણાવ્યું કે :
લાકોની ચાહના મેળવવી હોય તે બે ગુણ માણસે કેળવવા પડે, એકતા નમ્રતા અને બીજો અંતરની સચ્ચાઈ. આ બે વાત મે' હંમેશા ધ્યાનમાં રાખી છે. જીવનમાં જે સમયે જે કંઈ થાય તેને હરખશોક કર્યા વિના મે હંમેશા સ્વીકારી લીધું છે. મેં હંમેશા જોયું છે કે પ્રારંભમાં જે કાંઈ કડવું લાગ્યું હોય તેનું પણ આખરી પરિણામ તે સુખદ જ આવતું હોય છે.
મારામાં ઉષ્માનો અભાવ છે તે હું સ્વીકારું છું, પરંતુ અંતરની
સચ્ચાઈ છે તેની છાપ પડે છે.
નથી.
મેં કયારેય કોઈને ઈરાદાપૂર્વક મીસગાઈડ કરવાના પ્રયત્ન કર્યો મારી પ્રેરણામૂર્તિ સોક્રેટીસ, શ્રીમદ રાજચંદ અને ગાંધીજી છે. મારું વાંચન પણ વિશાળ નથી પરંતુ મનન-ચિન્તન વધારે છે. મારા વિચારો સેટ છે.
માનવસહજ વધી જ નિર્બળતાએ મારામાં છે, એ પ્રત્યેક હું પૂરા જાગૃત છું.
આજે ૭૯માં વર્ષે હું જ્યારે મારાં વિતેલાં વર્ષો પર નજર કરું છું ત્યારે મને કશાને રેંજ થા નથી, કશાને મને વસવસો નથી, કશા માટેના અરમાન નથી. આ ક્ષણે પણ મૃત્યુ આવે તો મને કશાનું દુ:ખ નહિ રહે. કોઈ આદર્યા અધૂરા રહે એવા ભય નથી, કંઈ જ અધૂરું રહેતું નથી.
છેવટે ગળગળા થઈને તેમણે કહ્યું કે આટલા બધા મિત્રોના મારા પ્રત્યેના અંતરના પ્રેમના દર્શન કરું છું ત્યારે મારી જાતને હું અહોભાગ્ય માનું છું. આના ક્યા શબ્દોમાં ઉપકાર માનું તેમને સમજાતું નથી. સૌને હું હૃદયપૂર્વક આભાર માનું છું.
છેવટે શ્રી ચીમનલાલ જે. શાહે સી. સી.ના અંગત જીવનની, મોટા માણસની નાની વાતો કરી હતી અને સરયૂબહેન શાહે “નૂતન વર્ષના અભિનંદન” ભાવપૂર્ણ રીતે ગાયું, સૌના હૃદયને ડોલાવ્યા અને ત્યાર બાદ મિષ્ટ ભાનને ન્યાય આપ્યા બાદ મિલનની સમાપ્તિ થઈ હતી.
--શાંતિલાલ ટી. શેઢ આવા – આપને પવિત્ર પ્રેમ વરસાવા
-
અને પ્રેમળ જ્યેાતિ” ના દીવડા પ્રગટાવા
સંઘ સંચાલિત પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિ હવે વેગ પકડી રહી છે. તેનું કારણ એ છે કે આ પ્રવૃત્તિને શ્રીમતી નીરૂબહેન તથા સહાધ્યાયી તરીકે સેવા ક્ષેત્રે જેમનું લક્ષ્ય છે એવા શ્રી કમલબહેન પીસપાટી (એસ.ઈ.એમ.) તેમ જ કામ કરવાની ધગશવાળા અન્ય બહેનોના સહકાર સાંપડયા છે.
જ્યાં શુદ્ધ સેવાભાવથી તેમજ આત્મીયતાથી દષ્ટિપૂર્વક કામ થતું હોય ત્યાં નાણાં તે મળી જ રહે છે. આ પ્રવૃત્તિને પણ આપણા શુભેચ્છકો એવા શ્રીમાનાના સારો ટેકો સાંપડ્યો છે.
દરેક પ્રવૃત્તિનો વ્યાપ વધે તેમ તેને વધારે નાણાંની જરૂર પડે, માટે અપીલ કરવામાં આવે છે કે, પેાતાના દાનના પાઈએ પાઈના સદુપયોગ ઈચ્છતી હોય એવી વ્યક્તિઓ “પ્રેમળ જ્યોતિને” દાન આપે.
| -0
તા. ૧૬-૩-૮૦
પ્રેમળ જ્યોતિના કાર્યકર બહેન હોસ્પિટલેાના જનરલ વેર્ડમાં જાય છે અને ખરી જરૂરિયાતવાળી વ્યક્તિઓને અણીના સમયે ઉપયોગી બને છે. દર્દીઓને દવા, ઈંજેકશન, ચૂંટ, રોકડ આર્થિક મદદ પણ કરે છે. અન્ય જગ્યાએ ઈને પણ અસહાય વ્યકિતઓને મદદ કરે છે.
આ કામમાં વર્ષે લગભગ ૨૫ હજાર રૂપિયા ખર્ચાય છે. હવે વધારે રકમની જરૂર રહેશે.
બાળકોને દત્તક લેવામાં આવે છે. તેમને સ્કૂલને યુનિફોર્મ, પુસ્તકો, એકસરસાઈઝ બુકો તેમ જસ્કૂલ-ફી આપવામાં આવે છે. અને રૂપિયા ચારસા આપે. તેમના તરફથી એક બાળકની એક વર્ષ માટે અને રૂપિયા ચાર હજાર આપે તેમના તરફથી એ રકમના વ્યાજમાંથી એક બાળકને વર્ષો સુધી ઉપર જણાવી તેવી મદદ આપવામાં આવે છે.
આજે ગરીબીનું પ્રમાણ વ્યાપક છે અને મોંઘવારીએ પણ માઝા મૂકી છે. એટલે જેટલા નાણાં વધારે મળે તેટલા વધારે કુટુંબને મદદરૂપ થઈ શકાય અને તેમના આશિર્વાદ મેળવી શકાય. તો ઉપર દર્શાવ્યું
તેમ
૦ આપ ચાર હજાર રૂપિયા મોકલી વર્ષો સુધી એક બાળકનો જીવનદીપ પ્રગટાવી શકો.
૦ આપ ચારસો રૂપિયા મેકલી એક વર્ષ માટે એક અસહાય બાળકને સરસ્વતીની ઉપાસના કરાવવાને લગતું ખૂણ્ય મેળવી શકો. ૦ આપને ત્યાં ચાંદલા હોય, લગ્ન હોય કે કોઈ ખુશાલીના પ્રસંગ હાય—ત્યારે પ્રેમળ જ્યોતિને સારી રકમનું પ્રદાન કરી શકો.
૦ સ્વપ્નના મૃત્યુ બાદ પણ તેમની પાછળ સારી રકમનું દાન કરીને તેમના આત્માને શાંતિ બક્ષી શકો.
૦ આપ કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી કે હોદૃદાર હો તો, તે ટ્રસ્ટમાંથી પણ આ પ્રવૃત્તિ માટે સારી રકમનું દાન અપાવી શકો.
આ પ્રવૃત્તિ આપને ગમતી હોય તે, આપ તેમાં રસ લ્યો તેમ જ પેાતાની જાતની સેવા આપે. જ્યાં રહેતા હો તે ચાલી કે એપાર્ટમેન્ટમાં તેના પ્રચાર કરો અને સારી રકમ મેળવીને મેકલી આપો.
જ્યાં આપનું વ્યવસાયનું ક્ષેત્ર હોય ત્યાં તે આપ એ બજારના વ્યાપારીઓને સરળતાથી આ પ્રવૃત્તિની વાત ગળે ઉતરાવી શકો અને આપ આપના બજારમાંથી પણ માતબર રકમ આ પ્રવૃત્તિ. માટે મેળવી શકો.
કોઈ મિલવાળા કે કાપડના હાલસેલર સાથે આપને' સંપર્ક હોય તો સાલા તેમ જ કાપડના તાકા પણ તેમની પાસેથી ભેટ . તરીકે મેળવી શકો, બહેનો પણ તેમના પતિના સહકાર · મેળવીને તેમના વ્યવસાયના ક્ષેત્રમાંથી મોટાં દાન મેળવી શકે. દઢ સંકલ્પના જ સવાલ છે.
દાન આપનારને તો આશીર્વાદ મળે જ પરંતુ તેમાં નિમિત્ત બનનાર—આપ પણ તેમાં અવશ્ય સહભાગી ગણાય. એક જાગૃત. માણસ તરીકે પણ અન્યના દુ:ખનિવારણમાં સહભાગી થવું કે આપણી પવિત્ર ફરજ બની રહે છે.
ખાવું—પીવું અને આનંદપ્રમોદ કરવા એ તે સહુ કરી શકે છે. પોતાના કુટુંબ માટે પણ સહુ ઉપયોગી બનતા હેાય છે, પરંતુ ખરી માનવતા તો એ છે કે જ્યારે આપણે અન્યને પણ આપણા સ્નેહ આપીને ઉપયોગી થઈએ. દરેક પ્રત્યે અંતરના ઊંડાણપૂર્વકના પ્રેમ વરસાવીએ. આવા કામ માટે તાજગીભરી મતી જોઈએ-દિષ્ટ જોઈએ. અને આવા કામે કર્યા બાદ જીવનમાં આનંદ આનંદ વ્યાપી જાય—નિજાનંદ માણી શકાય. આ બધું અનુભવ કરવાથી જ સમજાય અને તેની મેાજ માણી શકાય--અન્યથા નહિ,
તો આપને અમાર પ્રેમપૂર્વકનું હાર્દિક નિમંત્રણ છેકે આવા અમારી આ પ્રવૃત્તિમાં આપ, તન-મન અને ધનથી સહભાગી થાવ. આપના યોગદાનની અમે પ્રતિક્ષા કરીએ છીએ.
આ વાંચીને તુરત જ નાનો એવે પણ દઢ સંકલ્પ કરી, અને. એ સંકલ્પને હમણા જ અમલમાં મૂકો.
આપના પ્રેમના પ્રવાહરૂપી ધૃત” અમારા પ્રેમળ જ્યોતિ’ના દિવડાને પ્રજ્વલિત રાખવામાં ખૂબ ખૂબ ઉપયોગી બનશે એવી પૂર્ણ શ્રદ્ધા મા સેવીએ છીએ. આપનો આભાર.
૦ પ્રત્યેક વ્યકિતમાં પરમાત્મા છે અને આ કામ આપણે અનાસકત. ભાવે કરવાનું છે.
૦ દિન-દુ:ખીયાની સહાય એટલે આપણા જ ચિત્તની શુદ્ધિ. ૦ આચરણ એ જ દીવા છે. શાંતિલાલ ટી. શેઠ. કાર્યાલયમંત્રી
માલિક સૌ મુંબઈ જૈન મુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મૌ ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ૩. નં, ૩૫૦૨૯૬ મુદ્રાન : મી ટેટ્સ પીપલ પ્રેસ, ધેટ, મુંબઇ - ૪૦૦ ૦૦૧