________________
તા. ૧૬-૩-૮૦
પ્રબુદ્ધ જીવન
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ૭૯ મા વર્ષમાં પ્રવેશ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને જાણીતા તત્વચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ૭૮ વર્ષ પૂરા કરી તા. ૧૧-૩-૮૦ના રોજ ૭૯મા વર્ષમાં પ્રવેશ કર્યો, તેના અનુસંધાનમાં તેમને દીર્ધાયુ ઈચ્છવા માટે મિત્રો તરફથી ચોપાટી ઉપર આવેલ બિરલા ક્રીડા કેન્દ્રના ઉપવનમાં શ્રી તુલસીદાસભાઈ વિશ્રામના પ્રમુખપણા નીચે એક મિલન યોજવામાં આવ્યુ હતું, તેમાં તેમના પ્રત્યે આદર ધરાવા એવા લેખક-સાહિત્યકારો તેમ જ શાહસાદાગરોની ઉપસ્થિતિ રહી હતી.
શ્રી ચીમનભાઇ ચકુભાઇના ૭૯મા વર્ષોમાં પ્રવેશ પ્રસ ંગે ચેાાયેલા સ્નેહમિલઞમાં ડાખી બાજુથી શ્રી ગિલ્લુભાઇ કોટક, શ્રી રસિકભાઇ ઝવેરી, શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઇ અને મિલનના પ્રમુખ શ્રી તુલસીદાસ વિશ્રામ
પ્રથમ, શ્રીમની ધીરહેન દાદભાવાવાળાએ પ્રાર્થના – ગીત ગાયું હતું અનેં શ્રી ચીમનલાલ જે. શાહે શુભેચ્છા સંદેશાઓ વાંચી સંભળાવ્યા
હતા..
સભાની શરૂઆત થતાં ડા. કે. એન. કામદારે કહ્યું કે: ચીમનભાઈ કેટલાય વિદ્યાર્થીઓના માતા-પિતા સમાન છે. પોતાનો જ દાખલો ટાંકતા તેમણે કહ્યુ કે મારી એટલી બધી આર્થિક રીતે સામાન્ય સ્થિતિ હતી કે મેટ્રીકથી આગળ અભ્યાસ કરી શકું તેવી કોઈ શક્યતા નહોતી, પરંતુ ૧૯૪૨માં તેમણે મારો હાથ પકડ્યો અને વાર્ષિક રૂા. ૧૦૦મને આપવા કહ્યું, એ કારણે હું મોટો ડોકટર બની શક્યો- આ રીતે સૌથી મોટું દાન વિદ્યાદાન છે. ચીમનભાઈનું સન્માન એ સમગ્ર સમાજનું સન્માન છે.
PRAN RADIO
શ્રી ગણપતભાઇ ઝવેરી, ચીમનભાઈના જન્મ વસંતઋતુમાં થયો છે, એટલે આજે વસંતોત્સવ છે. તેઓ ૭૯ વર્ષે પણ સતેજ સ્મરણશકિત- કુશાગ્ર બુધ્ધિ ધરાવે છે. તેમનું નિત્યજીવન નિયમિત, સુવાચ્ય, નિર્મળ, સાદું, સરળ છે. વિચારમાં જીવનકર્તવ્યપરાયણ અને આમ્રવૃક્ષ જેવા તેમ જ સ્થિતપ્રજ્ઞ છે. નિષ્કામ કર્મ કરનારે સા વર્ષ જીવવું જોઈએ, એ વાત તેમને લાગુ પડેછે..
શ્રી તુલસીદાસ વિજ્ઞાામ: સ્નેહને શબ્દોમાં વ્યકત નથી કરી શકાતા, આવા સમારંભા એ વ્યકિતની ઓળખ માટેના પ્રસંગો હોય છે. ચીમનભાઈને જેમણે નજીકથી જોયા છે તે સદભાગી વ્યકિતઓ છે. સ્નેહમાંથી જે સત્ય ઉત્પન્ન થાય છે તે સમામાં ફેલાય છે. અસત્યને સહન કરે તે સાચો સમાજસેવક નથી, અસત્યઅન્યાયની સામે પુણ્યપ્રકોપ એ પણ એક પદાર્પણ છે. આવા સાચા સમાજસેવકો અંધારામાં પ્રકાશ સમા છે. કોઈ નવયુવાન તેની પત્નીને ચાહે,
9
૨૧૩
એવી મોટા વર્ગના મિત્રાની તેમની તરફ ચાહના છે. હવેનું તેમનું જીવન સમાજ માટે જ છે.
કરતા
શ્રી રમણીકભાઈ કોઠારી : ચીમનભાઈ સમગ્ર સમાજના સુત્રધાર અને સુકાની છે. પહેલ પાડેલા હીરા જેવા છે. સેવાના ક્ષેત્રે તેમના વિવિધ રંગેાના દર્શન થાય છે. અને તેઓ હીરાપારખુ પણ છે. કાર્યકરોની એવી પરખ કરે કે અનેકવિધ ક્ષેત્રે કામ હોવા છતાં પેતે હંમેશા હળવા ફૂલ રહી શકે છે. કૃષ્ણના પ્રતીકો, બંસરી અને સુદર્શન ચક્ર બન્ને છે, તેમ હકુમતમાં ગરમ અને અંગત વ્યવહારમાં નરમમુદુ એવા ચીમનભાઈ સમાજની વધારે સેવા માટે સો વર્ષનું આયુષ્ય ભાગવે.
શ્રી સુરેશ દલાલ : ઈશ્વર કંઈક માંગવાનું કહે તો ચીમનભાઈ જેવી સ્વસ્થતા માગું, તેમના વાકયો શબ્દોથી નથી બનતા, પરંતુ વિચારોથી બને છે. વિચારોનું કૌવત તેમનામાં છે. પેાતાને જે લાગે તે પ્રમાણે સાચું કહેવાની તેમનામાં દઢતા છે. તેમના શરીરને ૭૯ વર્ષ થયા છે પરંતુ બૌધિકતાને કદાચ બે હજાર વર્ષ થયા હશે. બુદ્ધ અને મહાવીરમાંથી તેમને પ્રેરણા મળી હશે એમ માની શકાય.
શ્રી હરીન્દ્ર દવે : શ્રીયુત ચીમનભાઈ, સી. સી. શાહ નામની બે વ્યકિતઓના નામના ગોટાળાને કારણે દિલ્હીની કેબીનેટમાં જતા રહી ગયા. પર’તુ રાજકારણમાં આજે જે ચાલી રહ્યું છે. તેમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બનત અને આપણા સમાજ નેતાવિહાણા રહેત. એ ભૂલ, આપણા સમાજ માટે તો આશિર્વાદરૂપ નીવડી ગણાય જે
થાય તે સારા માટે.
શ્રી મનુભાઈ મહેતા :, જીભની વાણી કરતા મૌનનીવાણી વધારે અસરકારક હોય છે. ચીમનભાઈ સો વર્ષનું આયુષ્ય ભોગવે એમ તો સૌએ કહ્યું, પરંતુ એ દરમિયાન તેમના બધા અંગા કાર્યરત રહે અને સારી તંદુરસ્તી ભાગવે તેમ જ શાનના પ્રવાહ વહેવરાવતા રહે.
મોહનલાલ મહેતા (સાપાન): માણસ કેટલું જીવે છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેવી રીતે જીવે છે તેનું મહત્વ છે. તેમનામાં તેજસ્વીતા છે, ચેતના છે, વિચારની સ્વસ્થતા છે. તેમના લખાણમાંથી બીજો અર્થ તારવી ન શકાય એટલી લખાણની સચાટતા હોય છે. તેઓ ભૂલની કબુલાત પણ કરી શકે, પ્રહાર પણ અને પ્રસંશા પણ કરી . શકે છે. મારી પુરોગામી વ્યકિતઓ બાલી ગઈ તેમાં બધું જ આવી