________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૧–૩–'૮૦
-
“કર્મ કરવું કે ન કરવું કયું કરવું ને કયું ન કરવું, -એ બાબત અમે ઈશ્વરને સોંપી દીધી છે. તેથી અમારાં દુખને અંત આવ્યો છે.”
આ સ્થિતિ આ દેહમાં, આ જીવનમાં મળે એ કેટલું મોટું : સૌભાગ્ય છે? કદાચ એને માટે જ્ઞાનદેવ થવું પડે! જે સ્થિતિ સહજ લાગે તે પણ તપ વગર ડી જ આવે છે? અને ઈશ્વરને બધું સાંપવા જેટલી શ્રદ્ધા આવતા કેટલા જન્મ જોઈએ?
– વિપિન પરીખ
પ્રેમળ જ્યોતિને પ્રેરણાદાયી દાન
આ પારેવાને ખૂશ કરવા જતું ભકતહૃદય જોયું?. સાથે સાથે પ્રણયીના જેવું જ આ બીજું પાગલપણુ જુઓ: એ કવિની ભાષામાં જ વાત કરે છે:
“જાગૃતિમાં કયાંક પગલાંને અવાજ સાંભળું છું. થાય છે, આંગણામાં કોણ શું? જોવા જાઉં છું તે આંગણનું થાય છે વૃંદાવન, અને માણસને થાય છે શ્રીકૃષ્ણ!” . .
છે તો માણસની આંખ, પણ દર્શનની ઝંખનાને લીધે એ આંખમાં કેટલે ફરક પડી ગયો? હવે એ આંખ બીજા માણસને બહાર જુએ છે ખરી, પણ માણસ જ ક્યાં? ત્યાં તો સામે હવે શ્રીકૃષ્ણ–શ્રીકૃષણ જ દેખાય છે.
પણ આ તલસાટ પછી બીજું કશું હલકું, શુદ્ર ખપતું નથી, એટલે જ શાનદેવ માગે છે:
“એને એક ઈશ્વર જ જોઈએ. ઈશ્વર હોય તે એને બીજું કાંઈ જોઈતું નથી. અને તે ન હોય તે બીજું કાંઈ એને કામ આવતું નથી.”
પછી દુનિયાના બજારની, લેણદેણની એને કોઈ કિંમત રહેતી નથી. બધા મૂલ્યો એક મૂલ્યમાં બદલાઈ જાય છે.
આ દશા આમ જુઓ તે ખૂબ વ્યાકુળતાથી ભરેલી છે. ખૂબ વિચિત્ર! કહે છે, “કયારેક કાંઈ જ દેખાતું નથી, ક્યારેક ભળતું
જ દેખાય છે. કયારેક શૂન્યતા, ક્યારેક ભ્રાંતિ, “અરે, કહે, “લકો ‘જ્ઞાનદેવ, શાનદેવ’ કહી હાક મારે છે, પણ સાંભળે છે કોણ? એટલે
છેવટે વિઠ્ઠલ નામની ગર્જના કરે છે ત્યારે શાનદેવ જાગે છે! શાનદેવની દશા કહેવા જેવી નથી.” તલસાટ જાગે પછી આ દશા દરેક દરેક પ્રણયીની નથી થતી શું?
- આ સાધના જ્ઞાનદેવે કોને ચરણે બેસી, કેવી રીતે કરી તે માટે કેવું સરસ કહે છે: “જ્ઞાનદેવ જાણે નીલવર્ણની શાળામાં શિક્ષણ લઈ રહ્યો છે!” અને આગળ એટલે જ કહે, “નીલે અરીસે સામે ગોઠવ્યો છે.. નીલું થવું, નીલામાં રમવું. આ હરિરંગ શાનદેવના હૃદયમાં ભર્યો છે.” સાધના? સાધના માટે લખે, કયા ઉપાયથી આ ચરણને પામે એમ પૂછશે જ મા. ક ઉપાય બાકી રાખ્યો, - એમ પૂછો !”
વેલફેર લિ. વાળા જાણીતા ઉદ્યોગપતિ ભાઈઓ, શ્રી હિંમતલાલ દોશી અને શ્રી રસિકલાલ દોશી, બન્ને ભાઈના પુત્રના તાજેતરમાં લગ્ન થયા ત્યારે તેમના તરફથી સારી ગણાય એવી રકમના દાનની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં આપણી પ્રવૃત્તિ, પ્રેમળ જ્યોતિને પણ રૂપિયા પાંચ હજાર ભેટ તરીકે તેમણે માયા છે. આવા પ્રેમાળ સહકાર માટે આપણે તેમના ઋણી છીએ. આવી સારી રકમના દાન માટે તેઓ આપણા અભિનંદનના અધિકારી બને છે. આ દાન અન્યને માટે પણ પ્રેરણાદાયી બને એવી પ્રાર્થના.
. પ્રેમળ જ્યોતિને મળેલી ભેટની રકમ ” ૨૫૦૦ શ્રી હિમતલાલ ન્યાલચંદ દોશી અને તેમના કુટુંબીજને
તરફથી. ૨૫૦૦ શ્રી. રસિકલાલ ન્યાલચાંદ દોશી અને તેમના કુટુંબીજને
તરફથી. ૧૫૦
શ્રી પન્નાલાલ બાલાભાઈ ઝવેરી, અમદાવાદ
શ્રી વૃજલાલ જેઠાલાલ શાહ (રાયચંદ એન્ડ સન્સ) ૫૧ શ્રી કાન્તિલાલ ઉમેશી મેદીના સુપુત્ર ચિ. હર્ષદન
લગ્ન પ્રસંગે ૫૧ શ્રી જહાનઅલી ડ્રાઈવર - ૫૧ શ્રીમતી શારદાબહેન ઠક્કર
શ્રીમતી સુમતિબહેન કાકુભાઈ લાઈવાળા ૫૮૯૪
દત્તક બાળકો માટે ભેટ ૪૦૦ શ્રીમતી જેમાબહેન નગીનદાસ જરીવાળા ૪૦ એક બહેન તરફથી, માટુંગા. ૮૦૦
૫૦.
ભકતને એક સમય એવો આવે છે જ્યારે લાગે કે પિતે તદન સુદ્ર. સામાન્ય છે એવી અવસ્થામાં જ્ઞાનદેવ ઈશ્વરને કહે છે:
“પ્રભુ, હું એક સામાન્ય પતિત જીવ છું. એ વાત ખરી; પરંતુ તારો મુદ્રાંકિત ભકત છું.”
ઝંડાનું ચીંથરું હોય કે કાગળની ચબરખી હોય પણ જયારે એને રાજની મ્હોર મળે છે ત્યારે એ સામાન્ય ચુંથ કે ચબરખી થોડી જ રહે છે? ત્યારે તો એની કિંમત ઘણી વધી જાય છે. ઈશ્વરની મ્હોર મળે ત્યાર પછી માણસ, ભકત સામાન્ય થડે જ રહે છે? એટલે જ શાનદેવ પછી લઘુતાગ્રંથિથી પીડાતા નથી. સગૌરવ કહે છે.
“હું તારો યશ ફરકાવનાર ખંડો છું. હું તારી આશા જાહેર કરનારા તારો આજ્ઞાપત્ર છું.”
શ્રીમતી કમલાબેન પસપાટીએ અભિનંદન.
સંઘ સંચાલિત પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રીમતી નીરુબહેનને સહકાર્યકર શ્રીમતી કમલબહેન પીસપાટીની સામાજિક સેવાઓને લક્ષ્યમાં લઈ મહારાષ્ટ્ર સરકારે એમની સ્પેશીયલ રમેકઝકયુટીવ મેજીસ્ટ્રીટ (એસ.ઈ.એસ.) તરીકે નિમણુંક કરી છે. રને કારણે તેમને અભિનંદન, આપવા માટે તા. ૮-૨-૮૦ના રોજ “પ્રેમળ જ્યોતિ”ના કાર્યકર ભાઈબહેને તરફથી એક મિલન યોજવામાં આવ્યું હતું, ત્યારે સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ, મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ અને અન્ય ડાક મિત્રોની હાજરી વચ્ચે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેમને અભિનન્દન રાપવામાં આવ્યા. આ મિલનમાં શ્રીયુત ચીમનભાઈએ પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિને વધારે વિક્સાવવી જોઈએ તેને લગતું તેમ જ બહેને વધારે સારી રીતે કઈ રીતે કામ કરી શકે તેને લગતું સુંદર તેમ જ સચોટ માર્ગદર્શન આપ્યું હતું અને અત્યારે પ્રેમળ જ્યોતિની પ્રવૃતિ જે રીતે ચાલે છે એ વિશે પિતાને સંતોષ વ્યકત કર્યો હતો અને આ પ્રવૃત્તિને ખૂબ જ વિકાસ કરવા માટે અનુરોધ કર્યો હતો.
. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
માણસ જિંદગીભર એક સતત સંઘર્ષમાં રહે છે. અર્જુનની જેમ એ મનોમન પૂછતે જ રરે છે “કિં કર્મ કે અકર્મ..?” છતાં જીવનના અંત સુધી સાચું-ખોટું શું કરવું ન કરવું એ દ્વિધામાંથી બહાર નથી નીકળી શકતે. ત્યારે શાનદેવને એક સહજ સ્થિતિ, અદેખાઈ આવે એવી, પ્રાપ્ત થઈ છે. એ સ્થિતિ ઈકવરની કર્ણા વગર ભાગ્યે જ પ્રાપ્ત થાય, શાનદેવ કહે,