________________
તા. ૧૬-૩-૮૦.
. પ્રબુદ્ધ જીવન
૨૧૧
*
આંગણું, જ્યારે વૃંદાવન થાય છે.
જે
હમણાં દાદાનું એક પુસ્તક વાંચતા હતા. એમાં એક સરસ વાત કહી છે. સમયની અવિરત યાત્રામાં જિદગીએ-મનુષ્ય પોતાના ઉપર કેટલી ધુળ ભેગી કરી છે? આ ધૂળના રજકણ બાઝી બાઝી હવે એને ખાસ્સાં ડુંગર થયો છે. વિમલાતાઈએ મનુષ્યને ઠેઠ નિશા- ળિયા સાથે સરખાવ્યું હતું. કહ્યું, માં બાળકને હોંશથી નિશાળે ભાલે છે. “એને એમ કે દીકરો ભણીગણીને હેશિયાર થશે... બાળક અિનાડી છે. તેને શાળાએ જવું ગમતું નથી. રસ્તામાં ખાટી થાય છે. રમવા બેસી જાય છે, ઝઘડો કરે છે... સ્લેટથી મારામારી કરે છે. કપડાં મેલાં કરે છે. ફાટી જાય છે. સાંજ પડે છે ત્યારે એંથરેહાલ થઈને, લઘરવઘરે પાછો આવે છે.” આ આપણા બધાની વાત નથી? સમી સાંજે પાણે થાકી જઈએ છીએ. હતાશ થઈએ છીએ. માણસનું મન એને કેટલું દોડાવે છે? કેટલાં ધમપછાડા, " કેટલી દોટ, કેટલી વૃષણા? મન થાકી જાય ત્યારે વિશ્રાંતિ, શાંતિ કયાં શોધશે. અમેરિકામાં જન્મ લીધો હોય તે સીધા મનોચિકિત્સક પાસે પહોંચી જઈએ. ડોકટરને કહીશું, “મારા મનથી હું ત્રાસી ગયે છું. મને ઘેનમાં ડૂબાડી દો!” * ત્યારે જ્ઞાનદેવ શું કહે છે? એનું મને ક્યાં શાંત થાય છે? એ
હોય છે. એક દિવસ જ્યારે આંખ ખૂલી જાય છે ત્યારે બધા ભ્રમ છૂટી જાય છે. નથી રહેતે ઘા; નથી રહેતું દર્દ.
હા, જીવન જીવતાં જીવતાં અનેક પ્રશ્ન ઊભા થયાં છે. અનેક અટળ મુશ્કેલીઓ, સમસ્યા. ત્યારે માણસ ગભરાઈ ઊઠે છે. બેલી ઊઠે છે, “આ સંસાર કેવી રીતે પાર કરી શકાશે? શાનદેવે ત્યારે કેવું શીતળ આશ્વાસન આપે છે તે જુએ , , , , , , " ” સંસાર નદી ભયાનક દેખાય છે,
પણ બહુ ઊંડી નથી. '
સંકેત દ્રારા વિઠ્ઠલભૂતિ ' એમ કહી રહી છે કે
કમર જેટલું જ પાણી તેમાં છે.”
ત્યારે વિઠોબાની મૂર્તિ હસતી લાગે છે. જાણે હાથ આપી કહે છે, ‘ગભરા નહીં, આવ પાણી બહુ ઊંડા નથી.’ આ વિઠોબાને અવાજ, સાંભળવાની જ વાર. .
માણસ સંસારમાં રહી, બેગ ભેગવ્યા પછી સંસારત્યાગની વાત કરે છે. નિરંકુશ વાસના પછી બ્રહ્મચર્યની સાધના કરે, ઘર છોડી વનમાં જાય, ખૂબ મજશેખ ભેળવી પછી સાદાઈ અને અપરિગ્રહના વ્રત માંડે. એક અંતિમ પરથી બીજા અંતિમ સુધી મન ઝેલાં ખાય છે. આ ત્યાગની વાત પાછળ જ્ઞાનદેવ મનની રમત જ જુએ છે. એટલે જ એ કહી શકે : એક '* * છાડવાની વસ્તુ અંદર જ હતી
, તે બધી છોડી.”
...પણ ચિત્તને જયારે પ્રભુને સ્પર્શ મળે છે ત્યારે આ ભેગવવાની-ત્યાગની મથામણ કેવી આપોઆપ ખરી પડે છે? ત્યારે જ ભકત કહે છે.
“હવે અંદર અને બહાર ઈશ્વર જ બાકી રહ્યા એટલે છોડવાની કલપના પણ છૂટી.”
એક ભકત તરીકે જ્ઞાનદેવ કેટલી સરસ વાત કરે છે. કહે, વિઠ્ઠલના દર્શનથી આંખોને કેટલું સુખ મળે છે. આપણી આંખે આ બહારના જગતમાં સુખ શોધવાને ફાંફાં મારે છે. આખરે થાકી જાય છે. એ નિર્મળ આનંદ અ ને મળે છે કત વિઠ્ઠલના દર્શનથી.” ' પણ વિઠલના દર્શન અને કેવા જોઈએ ખબર છે? કહે, “ચિતન-કાળનાં દર્શન પૂરતાં નથી. : સક્રિય અને બેલતાં દર્શન જોઈએ છે. • આટલું કહેતાં જ શાનદેવના કોડ પૂરા કરનારા શ્રીકૃષ્ણ પિતાના હાથ હલાવવા મંડયા.”
આ વાંચતા ટાગેર યાદ આવે છે. એમણે કહેલું ગાયું? “માત્ર શબ્દો નહીં, મને તમારે સ્પર્શ આપે.”
પણ આ સ્પર્શ મળતા પહેલાં સંસારમાં રહી રહીને જીભને સ્વાદ કડવું થઈ જાય છે, મન ભારે થાય છે. પરંતુ એક વખત ઈશ્વરનું આકર્ષણ થાય ત્યાર પછી? પછી એના સ્વાદથી બધુ મધુર બની જાય છે. માયાના આવરણ અને સુખની છલનામથી શોધને લીધે મનનું એ પ્રતિ વહેવું સહેલું નથી. એટલે જ શાનદેવ
ભકત
કર્યું
છે.
•
“તમારાં ચરણ મેં જોયાં . મારું મન શાંત થયું. હવે હું ખુશીથી આ દેહમાં રહી શકીશ.
જ્યાં સુધી એ પરમતત્વના ચરણ પાસે મન બેસતું નથી ત્યાં સુધી એને કળ વળતી નથી. , જ આ શાનદેવ માત્ર જ્ઞાની નથી, એ સવિશેષ કવિ છે. એના હોઠ ઉપર જાણે પ્રેમીની ભાષા છે. ઈશ્વરના પ્રેમમાં પાગલ છે. નાના બાળક જેમ “મા.. મા...” કહી બોલ બોલ કર્યા જ કરે તેમ વિઠોબાની વાત કરતા જ્ઞાનદેવની જીભ થાકતી નથી. એટલે જ કહે છે:
બેલી બતાવવા જેવું તે સ્વરૂપ જ નથી. આટલું છતાંયે મારું બેલવાનું ઓસરતું નથી.”
થાકેલું મન કયાં કયાં આધાર શોધે છે? પુસ્તકો, ગુરુઓ, તીર્થો, મંદિરો... જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ધરતી જાણે અંદર ખૂપે છે. મમતાથી જે ઘર બાંધે તે ઘર કકડભૂસ થઈ જાય, રેતીના ઢગલાની જેમ બધું જ બેસી જાય. કશું કામયાબ નથી આવતું. ત્યારે જ્ઞાનદેવ કહે છે. “મેં બીજા બધા આધાર છોડી દીધા.” આ એક આધાર જયારે જીવને મળે છે ત્યારે જ એની શોધ પુરી થાય છે. આ એક આધાર છે જે એને દગો નથી દેતે. એક સરસ વાકય યાદ આવે છે. એક જ્ઞાની પુરુષે કહેલું, “I have no renounced the world, I have ceased to depend on it.” સંસારને ત્યાગ નથી કર્યો. એના પર જે આધાર રાખતો હતું તે આધાર છોડી દીધું છે. વાત નાની છે.'
એક વખત ફાધર વાલેસની વિમાનની ટિકિટનું છેવટ સુધી નક્કી ન થયું. ત્યારે ફાધર વાલેસે લખ્યું હતું તે યાદ આવે છે. “મિત્રો હોવા છતાં અને સારી વ્યવસ્થા હોવા છતાં હજી ભગવાનની જરૂર છે. માણસે તે જોઈએ, પણ સાચો આધાર તે ભગવાન જ છે.” અને એટલે જ એક બીજા પ્રસંગે એમણે લખ્યું હતું. “મારી પહેલો સગે અને પરમ મિત્ર ભગવાન જ છે.” આપણું દુ:ખ એ છે કે આપણે પ્રભુને છેલ્લે મિત્ર બનાવવા નીકળીએ છીએ. ' પણ સંસારમાં રહેતાં રહેતાં ચિત્ત પર કેટલાં ઘા? મિત્રોને દ્રોહ, અપમાન, દુ:ખ, વિયોગ, વિચ્છેદ કયારેક માની લીધેલ દુખ: કોઈનું માથું દુ:ખે, કોઈનું પેટ, કોઈના હૃદયના ધબકારા નાનીશી વાતે વધી જાય ત્યારે જ્ઞાનદેવ જાણે આજના જમાનાને મનેવૈજ્ઞાનિક હોય એ ભાષામાં કેટલું સાચું કહે છે: '
“ઘા સપનામાં ..પણ પીડા ખરેખરની,
જાગી ઊઠતાં બંને ય ખોટા ઠરે છે.” - માનસિક દર્દી જયારે પોતાના રોગની ફરિયાદ કરે ત્યારે જૂઠું
પના રાગની ફરિયાદ કરે ત્યારે જ નથી બોલતે એ તો આજે મનૌવિજ્ઞાનિક પણ સ્વીકારે છે. એની પીડા સાચી જ હોય છે. શાનદેવ કહે તેમ એને જાગવાની જરૂર જ
•
ચટકો લાગવાની જ મુખ્ય અડચણ છે. એક વાર લાગે કે તે છૂટવાને જ નહીં.”
એ ચટકો લાગે છે પછી જ્ઞાનદેવ ફરી ફરીને પ્રશ્ન પૂછે છે, કોઈ પણ ભકત તાલાવેલીમાં, તલસાટમાં પ્રશ્ન પૂછે તેમ.”
“મારા ચિત્તનું પરિવર્તન કયારે થશે?
એ મૂતિ હૃદયમાં કયારે કરશે?” 'અરે, પ્રણયીની જેમ પાગલ થઈ પારેવાંને પણ પૂછે છે,
“તમે પૃથ્વી છાડી- આકાશમાં ઉડનારાં છો, તમે તે ઈશ્વરને જોયા હોવા જોઈએ, મને કહો, : મારે ઘેર પંઢરીના મહેમાન કયારે આવશે? તમને જે જોઈએ તે હું આપીશ.”