________________
૨૦૮
શુદ્ધ જીવન
ભડકે બળતી હતી !
ગંગા
જ્યારે
આ
[મુંબઈમાં ૧૬મીથી જ કેમ-ટૅક પ્રદર્શન ભરાઈ રહ્યું છે. પ્રદર્શનના અનુસંધાનમાં પ્રદૂષણ અને ઔદ્યોગિક પ્રગતિ અંગે પણ ચર્ચા થવાની છે. આ લેખમાં આ જ પ્રશ્ન અંગે દુનિયામાં ચાલતા વિવાદની ઝાંખી કરાવવામાં આવી છે.]
હમણાં જ કેરળની “સાઈલન્ટ વેલી” નામના નિસર્ગરમ્ય પ્રદેશમાં, એક જલ વિદ્યુત યાજના ઊભી કરવાના, કેરળની સરકારના પગલાં સામે “એન્વાઈરન મેન્ટાલીસ્ટસ” એટલે નૈસર્ગિક પરિસરને બગડતો અટકાવવાની ઝુંબેશ ચલાવનારા આદર્શવાદીઓએ મોટો ઉહાપાહ કર્યો હતો. આની સામે, ઉઘોગ માટે જોઈતી ઊર્જા યેનકેન પ્રકારેણ મેળવી લેવાનો ઉદ્દેશ ધરાવનારા ઉદ્યોગવાદીઓએ આ ઝુંબેશના વિરોધ કર્યો હતે. આવી જ ખેંચતાણ દુનિયાભરના પરિસરવાદીઓ અને ઉદ્યોગવાદીઓ વચ્ચે ચાલી રહી છે. અણુ વિદ્ય તના કારખાનાઓથી પરિસર પ્રદૂષિત થાય છે એવી દલીલને આધારે અમેરિકા આણુ વિદ્યુત ઉપર કાંઈક “બ્રેક” મારવાની તરફેણમાં છે, પણ ભારત તથા બીજા વિકસી રહેલા દેશને એ માન્ય નથી, અને હમણા જ આ અંગે વિચાર કરવા જે આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાઈ ગઈ તેમાં, અમેરિકાની વિચારસરણીના પુરસ્કાર થયો નહોતો. ઘણી મેાટી બહુમતીએ એના અસ્વીકાર કર્યો હતો. આમ આંતરરાષ્ટ્રીય રાજકારણને બાદ કરીએ તો આજના મુખ્ય પ્રશ્ન એ છે કે આ પરિસરવાદીએ અને ઉદ્યોગવાદીઓ વચ્ચેની ખેંચતાણમાં કાઈ લાભદાયી મધ્યમ માર્ગ નીકળી શકે એમ છે કે નહિ એ વિચારવાને છે. પ્રશ્ન એ છે કે આ બંને જૂથો વચ્ચેની ખેંચતાણ મટી શકે એમ છે અલબત્ત આ પ્રશ્નના ઉત્તર વિચારતાં પહેલાં એ જણાવી દેવું જોઈએ કે આ પરિસરનાં પ્રદૂષણના પ્રશ્ન અર્ધ વિકસિત અને અણવિકસિત દેશમાં અત્યંત ઉગ્ર બની રહ્યો છે. મુંબઈ શહેરમાં પણ સાયન-ચેંબુર વિસ્તારમાં જે પ્રદૂષણ છે તે કેટલું ત્રાસદાયક છે એનો એ વિસ્તારના લોકોને રોજ અનુભવ થાય છે. ઉલ્હાસનગરથી થોડે દર વહેતી કાણુ નદીમાં, કારખાનાઓમાંથી આડપેદાશ તરીકે નીકળતો કચરો જેમાં પારાનું તત્ત્વ પણ હોય છે તે વહાવી દેવામાં આવે છે અને તેણે કાલુ નદીનું પાણી પીતા ગ્રામવાસીઓની તબિયત કેવી બેહાલ કરી દીધી છે તેનું સર્વેક્ષણ હમણા જ સાયન્સ ઈન્સ્ટિટયુટ (પહેલાંનું રોયલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ)ની એક ટુકંડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રશ્નની ગંભીરતા એ વસ્તુ પરથી પણ જણાય છે કે ખુદ સંયુક્ત રાષ્ટ્રસંસ્થા પણ આ પ્રશ્નનો વિચાર કરવા માટે એકથી વધુ વાર આંતરરાષ્ટ્રીય પરિષદો યોજી ચૂકી છે.
ઉપરોકત ખેંચતાણ નીવારી શકાય એમ છે કે નહિ એ પ્રશ્નનો વિચાર કરવા માટે પહેલાં તે એ નક્કી કરવું પડે કે ઔદ્યોગિક વિકાસના આપણે શો અર્થ કરીએ છીએ અને પરિસરની શુદ્ધતાને આપણે શા અર્થ કરીએ છીએ. આ બે તત્ત્વાના અર્થ ઉપર જ આપણી વિચારણાની દિશાનો આધાર રહેલા છે. હમણા જ આપણા જાણીતા પરિસરવાદી ડૉ. પુરુષોત્તમ દેવરસ સાથે હું ચર્ચા કરતા હતા. ડો. દેવરસ પરિસરવાદની ઝુંબેશના જબરા પુરસ્કર્તા છે. વાપીના ઉદ્યોગ ક્ષેત્રમાં આવેલી ઘણી કંપનીઓના તેઓ સલાહકાર છે. તેમણે મને કહ્યું હતું કે ઘણા કારખાનાના માલિકો અને સત્તાવાળાઓને તેમની સલાહ રૂચતી નથી. તેમની મનવૃત્તિ તો જાણે એવી છે કે ઔદ્યોગિક પ્રગતિ થતી હોય તે “ટુ ઢેલ વિથ પેાલ્યુશન.” આવી મનોવૃત્તિ રાખવી એ માનવજાતના ભાવિ માટે ઈષ્ટ નથી જ નથી કારણકે કેટલાક વિજ્ઞાનીઓએ હિસાબ માંડયા છે કે પ્રદૂષણ જો અત્યારે વધે છે એટલા પ્રમાણમાં વધ્યા કરશે તે માનવજાત ૧૦ હજાર વર્ષથી વધારે ટકી નહિ શકે. (અલબત્ત, એ પહેલાં અણુયુદ્ધ થાય તે દસ વર્ષમાં જ એ સાફ થઈ જાય. પણ એ વાત જુદી છે.) એટલે પ્રદૂષણ અને ઔદ્યોગિક વિકાસ અંગે એક સમધારણ નીતિ અખત્યાર કરવી એ જ સાચા માર્ગ છે.
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એનવાઈરનમેન્ટલ એફેર્સ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ઉપપ્રમુખ ટામસ વિલસન તો કહે છે કે આપણી વિચારસરણીમાં અને એ વિચારસરણી અનુસાર પગલાં લેવાની પદ્ધતિમાં ધરમૂળના ફેરફાર જો આપણે ઝડપથી નહિ કરીશું તો ઉદ્યોગવાદીએ અને પરિસરવાદીઓ વચ્ચેની ખેંચતાણ આપણે મિટાવી નહિ શકીએ. તેઓ કહે છે કે છેલ્લા ૪૦-૫૦ વર્ષમાં આપણે જે રીતે ઔદ્યોગિક વિકાસ પાછળ આંધળી દોટ મૂકી છે તે રીતે દોટ મૂકવી આપણને હવે પાલવે એમ છે જ નહિ. વસતિના વધારો, ઉત્પાદનનો વધારો, વપરાશનો વધારો અને પ્રદૂષણનો વધારો,
તા. ૧૬-૩૮૦
આપણા પરિસરનું જે સીમિત ક્ષેત્ર છે તેમાં, અનિયંત્રિત રીતે કાયમ માટે ચલાવી લઈ શકાય જ નહિ. પૃથ્વી પર જે ધાતુઓ, તેલ વગેરે અસ્તિત્વ ધરાવે છે તે કાયમને માટે આપણને મળતાં રહેવાનાં નથી. આ વસ્તુને સ્વીકાર કરીને જ આપણે આયોજન કરવું જોઈએ.
અમેરિકા જયારે વિકાસના ક્ષેત્રે પા પા પગલી માંડતું હતું ત્યારે વેલ્ટ વિટમેને, કારખાનાંના ભૂંગળાંમાંથી નીકળતા ધૂમાડાનું દશ્ય ખૂબ આનન્દદાયી હોવાનું વર્ણન કર્યું હતું! એ બિચારાને ખબર નહોતી કે એ ધૂમાડા પરિસરને કેટલા બગાડે છે. ઉદ્યોગવાદી અને એમના પુરસ્કાર કરનારા અર્થશાસ્ત્રીઓ તો જી. એન. પી. એટલે કે ગ્રાસ નેશનલ પ્રોડકટ એટલે કે દેશમાં થતાં કુલ ઉત્પાદનને જ સમાજના સ્વાસ્થ્યના એક માપદંડ હજી હમણા સુધી માનતા આવ્યા છે. બીજાઓ વળી કયા દેશમાં માથાદીઠ કેટલા હાર્સ પાવર વપરાય છે એની ગણતરી કરીને જે તે દેશની પ્રગતિનું માપ કાઢે છે- વધારે હોર્સપાવર વાપરતા દેશ જ્યારે પ્રગતિશીલ! હજી ગઈ કાલ સુધી વધતી જતી વસતિથી ઘણાને આનંદ થતો, કારણ વસતિ વધે તો ઉદ્યોગાનું ઉત્પાદન ખરીદનારા પણ વધે ને ? હજી આજે પણ આવી મનોવૃત્તિ સદંતર નાશ પામી છે એવું કહી શકાય એમ નથી. આ બધું હવે બદલવું પડશે.
પણ કરુણતા તો એ છે કે ઔદ્યોગિક રીતે વિકસેલા દેશને જયારે પોતાની ભૂલ જણાઈ છે ત્યારે એ ભૂલ અંગે એમણે આપેલી ચેતવણી વિકસી રહેલા દેશે કાને ધરવા તૈયાર નથી. તેમને એવી લાગણી થાય છે કે વિકસિત દેશાને જેટલા પૈસા બનાવવા હતા તેટલા બનાવી લીધા. હવે તેઓ આપણને બાવા બનાવવા નીકળ્યા છે! દુનિયાની બે તૃતીયાંશ પ્રજાની ઔદ્યોગિક પરિસ્થિતિ અર્ધવિકસિત અને અવિકસિત દશામાં છે અને આ દેશોમાં ઝડપી સઘન આર્થિક વિકાસ એ રાજકારણનું એક મુખ્ય હથિયાર બની રહે છે. આપણા દેશના અનુભવ આની સાક્ષી પૂરે છે..
વિકસિત દેશના કેટલાક પરિસરવાદીઓએ તો, આર્થિક અને ઔદ્યોગિક વિકાસ જો આપણે સદંતર બંધ કરી દઈશું તે જ પરિસરને થતું નુકસાન આપણે અટકાવી દઈશું એવી ઝુંબેશ શરૂ કરી છે અને એના જ પ્રતિકૂળ પ્રત્યાઘાતો વિકસી રહેલા દેશેામાં પડયા છે. વિકસી રહેલા દેશને, ઔદ્યોગિક વિકાસની સામે પૂર્ણવિરામ મૂકવું કદી પાલવે નહિ અને આવી પરિસ્થિતિમાંથી જ પરિસરવાદીઓ અને ઉદ્યોગવાદીઓ વચ્ચે દુનિયાભરમાં ચાલતી ખેંચતાણનાં બીજ રહેલાં છે.
પણ આ ખેંચતાણને ઉકેલ આવી રહેલે હોવાનાં એ ધણ નથી દેખાતાં એવું પણ નથી. એક સમય એવા હતા કે જયારે લંડનની ટેમ્સ નદી કે યુરોપની ડાન્યુબ તથા રહાઈન નદીએ કારખાનાઓ દ્વારા લવાતા કચરાને કારણે એટલી પ્રદુષિત થઈ ગઈ હતી કે એમા માછલી પણ જીવતી નહિં અને એમાં પક્ષીઓ પણ વિહાર માટે આવતાં નહિ. એ પછી લાગતીવળગતી સરકારો અને લાગતા વળગતા દેશેાએ ભેગા મળીને, ઉકત નદી પર આવેલાં કારખાનાંએના પ્રદૂષિત કચરા નદીઓમાં વહાવી દેવા ઉપર એવા કડક પ્રતિબંધ મૂકો અને કારખાનાંઓએ પણ કચરો નદીમાં વહાવી દેતાં પહેલાં એમાંનું બધું પ્રદૂષણ ચૂસી લે એવાં યંત્રોમાંથી એકચરાને પસાર કરવાની એવી ગોઠવણ કરી કે આજે એ બન્ને નદીઓ પ્રદૂષણથી મુકત થઈ છે. ટેમ્સમાં માછલીઓ અને એ માછલીઓ પર જીવતા હંસા ફરી વિહાર કરવા લાગ્યા છે અને ડચ પ્રજા જે પેાતાના પીવાના પાણી માટે રહાઈનના પાણી પર આધાર રાખે છે તે ફરી પીવા માટે રહાઈનના પાણીના ઉપયોગ કરવા માંડયો છે. આમ નૈસર્ગિક પરિસરને નુક્સાન પહોંચાડયા વિના પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ જાળવી રાખવાને મધ્યમ માર્ગ શોધી કાઢવામાં આવ્યો છે. આ મધ્યમ માર્ગથી ઘણા પરિસરવાદીઓને પણ સંતોષ થયા છે. આપણે ત્યાંની કાલુ નદી કે ગંગા જેવી બીજી નદીઓ અંગે કોઈ આવું વિચારશે કે? એક સમય એવા હતા જ્યારે ગંગાજળ અત્યંત શુદ્ધ ગણાતું. આજે ગંગા પણ ખૂબ પ્રદુષિત થયેલી છે. બૌની રિફાઈનરીએ ગંગામાં વહાલાં તેલમિશ્રિત પ્રદૂષણને કારણે ગંગાના પાણી પર આગ લાગી હતી એ હકીકત કદાચ કોઈ વાચકને યાદ
પણ હશે !
આજે તા હરણની કોઈ વિશિષ્ટ જાત માટે સમગ્ર પરિષદ સુરક્ષિત રાખવાની વાત કરનાર પરિસરવાદીની વાત જેટલી બેહુદી લાગે છે તેટલી જ, ગયા વીસ વર્ષની જેમ જ આપણા ઔદ્યોગિક વિકાસ
1