________________
તા. ૧૬-૩-૮૦
પૂર્ણ જીવન
રહેાડેશિયા-ઝિવાએ
રહેાડેશિયા હવે સ્વતંત્ર ઝિમવામ્બે બને છે. દુનિયાના આ એક મહાન બનાવ છે. ૯૦ વર્ષ પહેલા સેસીલ રહેાડેઝે આ દેશ શેાધ્યા, તે ઉપરથી તેનું નામ રહેાડેશિયા પડ્યું. દક્ષિણ આફ્રિકાથી ઘણાં ગારાઓ હીરા અને સાનાની શેાધમાં ત્યાં ગયા. કેટલાક સમય આ દેશ દક્ષિણ આફ્રિકાના ભાગ તરીકે રહ્યો. પછી એક વેપારી કંપની કરી બ્રિટન પાસેથી તેનું રાજ્ય કરવા પરવાનગી મેળવી. આપણા દેશમાં બન્યું તેમ વેપારી કંપનીમાંથી, બ્રિટનનું રાજય થયું અને રહેાડેશિયા બ્રિટનનું એક સંસ્થાન બન્યું. ૭૦ લાખની વસતિવાળા આ દેશમાં ૨-૨ લાખ અંગ્રેજો છે. રાજયસા અને જમીન તથા ખનીજ પદાર્થોની ખાણા, જે દેશની આવકના મુખ્ય સાધના છે તેના ઘણા મોટો ભાગ અંગ્રેજોને કબજે છે. હબસીઓ મજૂરી કરે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી, ઈગ્લાંડની નીતિમાં મોટું પરિવર્તન આવ્યું. સામ્રાજયના વિસર્જેનની પ્રક્રિયા શરૂ થઈ. ભારતવર્ષથી તેની શરૂઆત થઈ. ત્યારબાદ એક પછી એક સંસ્થાના સ્વતંત્ર કર્યા. રહેોડેશિયાને પણ સ્વતંત્ર કરશે એમ સ્પષ્ટ હતું. તેમ થાય તે હબસી બહુમતિનું રાજય થાય તે ગેારાઓને પરવડતું ન હતું. એટલે ગૅરાઓએ ૧૯૩૫માં એકપક્ષી રીતે, બ્રિટનથી રહેૉડેશિયાને સ્વતંત્ર જાહેર કર્યું. Unilateral declaration of Independence તેમના આગેવાન મી. સ્મીથ ભારે આગ્રહી પુરુષ છે. બ્રિટન તથા બીજા દેશેાએ રહેૉડેશિયા સામે આર્થિક નાકાબંધી કરી પણ તેની ધારી અસર ન થઈ. હબસીઓમાં ઘણી જાગૃતિ આવી હતી. આસપાસના બીજા દેશ, ખાસ કરી પોર્ટુગીઝ સંસ્થાના, અંગાલા અને મેાઝામ્બિક સ્વતંત્ર થયા પછી રહેાશિયાના હબસીઓની સ્વતંત્રતા માટેની ઝુંબેશે વેગ પકડયો. ગેરીલા યુદ્ધ સાત વર્ષ ચાલ્યું. જાનમાલની માટી ખુવારી થઈ. બન્ને પક્ષે પેાતાનાં સૈન્યો છે. અંગ્રેજોને દક્ષિણ આફ્રિકાની મદદ હતી તે। હબસીઓને રશિયા અને આફ્રિકાના દેશો, ખાસ કરી ઝામ્બીયા, તાન્ઝીનીયા મદદ હતી. સંગ્રામ વધારે ભીષણ અને હિંસક બનતા ગયો. બન્ને પક્ષો ાંઈક થાકયા હતા. તેવામાં બ્રિટનમાં કન્ઝર્વેટીવ પક્ષ સત્તા પર આવ્યા અને શ્રીમતી થેચરની સરકારે આ કોકડું ઉકેલવાનું બીડું ઝડપ્યું. તે પહેલાં મિ. સ્મિથે હબસીઓમાં વિનીત ગણાય એવા બીશપ મીઝારવાના પક્ષ સાથે સમાધાન કરી, નવી સરકાર રચી હતી અને બીશપ મીઝારેવાને વડાપ્રધાન બનાવ્યા, પણ તેઓ માત્ર અંગ્રેજના હથિયાર બન્યા અને બધી સત્તા અંગ્રેજાને હાથ રહી. સ્મિથની આ તરકીબ નિષ્ફળ ગઈ. હબસીઓના બીજા બે પક્ષો અને તેમના આગેવાનો, એન્કોમે અને મુગાબેએ લડત ચાલુ રાખી. આ બન્ને આગેવાનો સામ્યવાદી અસર તળે છે, પણ તેમાં મુગાબે વધારે ઉદ્દામવાદી છે. તેઓને દેશનિકાલ કર્યા હતા પણ તેમના પક્ષ તરફથી લડત ચાલુ હતી.
બ્રિટીશ સરકારે આ બધા આગેવાનોને લંડન નોતર્યા. બ્રિટનના વિદેશમંત્રી લાર્ડ કેરીંગટને ઘણી કુશળતાપૂર્વક, દીર્ઘ સમયની વાટાઘાટો પછી, સમાધાન કરાવ્યું. ચૂંટણી કરવાનું નક્કી થયું અને ફરી બ્રિટને સત્તા હાથ ધરી, તેના ગર્વનર લોર્ડ સામ્ઝને રહેડેશિયા મોકલ્યા. લાર્ડ સાન્ઝનું કામ કાંઈક લોર્ડ માઉન્ટબેટન જેવું હતું. ચૂંટણી સહેલી ન હતી. પહેલા શાન્તિ સ્થાપવી જરૂરી હતી. લગભગ ૨૨,૦૦૦ ગેરીલા સૈનિકોને કબ્જે કર્યા. અંગ્રેજોનું લશ્કર લગભગ ૨૦,૦૦૦નું સીક્યુરીટી દળ, તેને પણ કબજે કર્યું. બ્રિટનથી થોડું લશ્કર ત્યાં મેાકલ્યું. બીજા રાજ્યાના તટસ્થ નિરીક્ષકો ગયા. ચૂંટણી બને ત્યાં સુધી શાન્તિમય અને મુકત થાય તે જોવાનું હતું. રહાડે શિયાએ કોઈ દિવસ ચૂંટણી જોઈ નથી. મતપત્રકા તૈયાર કરવાનું બને તેમ ન હતું. ધાકધમકી અને હિંસક બનાવો અટકાવવા સહેલું ન હતું. લાર્ડ સેન્ઝે કુશળતાથી કામ લીધું. મુગાબે વિદેશથી પાછા ફર્યા અને ભારે સ્વાગત થયું. હબસીઓમાં પણ ત્રણ પક્ષો છે, મુગાબે, એન્કોમાં અને બીશપ. મીઝારવા સમાધાન મુજબ ૧૦૦ સભ્યો ચૂંટવાના હતા, તેમાં ૨૦ ગારાઓની અનામત બેઠકો છે અને ૮૦ હબસીઓની. ગેારાઓની ચૂંટણીમાં વીસેવીસ બેઠક મી. સ્મીથના પાને મળી. હબસીઓમાં કોઈ પક્ષને બહુમતિ નહિ મળે તેમ માનવામ આવતું હતું. આવા સંજોગામાં ચૂંટણી થઈ. વિદેશી નિરીક્ષકોએ જાહેર કર્યુ કે ચૂંટણી એકંદરે મુકત અને ન્યાયી થઈ છે. લાર્ડ સાઝની કુશળતા અને હબસી આગેવાનોની દીર્ઘદષ્ટિ નું આ પરિણામ છે. ચૂંટણીનું પરિણામ અણધાર્યું આવ્યું. મુગાબેના પક્ષને ૫૭ બેઠક
,
મળી, એન્કેમેને ૨૦ અને બીશપ મીર્ઝારેવાને ૩. અંગ્રેજો ઈચ્છતા હતા કે બીશપ મીારેવાને બહુમતિ મળે-છેવટ મીઝારેવા અને એન્કોમાં મળી સરકાર રચે એવું પરિણામ આવે પણ મુગાબેને નિશ્ચિત બહુમતિ મળે એવી કોઈની કલ્પના ન હતી. મુગાબેને બહુમતિ મળી તે ઘણુ સારું થયું. અસ્થિરતાના ભય ન રહ્યો. લાર્ડ સેામ્બે ચૂંટણીનું પરિણામ સ્વીકાર્યું અને મુગાબેને વડા પ્રધાન બનાવી. સરકાર રચવા આમંત્રણ આપ્યું. મુગાબેએ ઉદારતાથી પાતાના હરીફ એન્કામાનો સહકાર માગ્યો અને તેણે આપ્યો. મુગાબેએ કરેલ જાહેર નિવેદનો એક પીઢ આગેવાનના નિવેદન છે. અંગ્રેજોને સલામતીની ખાતરી આપી. દક્ષિણ આફ્રિકાને શાન્તિમય સંબંધાની ખાતરી આપી. વિદેશનીતિમાં બિન-જોડાણની નીતિ જાહેર કરી એટલું જ નહિ પણ પેાતાના મંત્રીમંડળમાં બે અંગ્રેજોને લીધા. મુગાબે ઉદ્દામ સામ્યવાદી છે છતાં તેમણે કોઈ ઉદ્દામ આર્થિક નીતિ જાહેર કરી નથી. રહેાડેશિયાના મુખ્ય પ્રશ્ન જમીન અને ખનીજ પદાર્થોની ખાણાનેા છે. મુગાબેએ રાષ્ટ્રીયકરણ કરવાનું કહ્યું નથી, બલ્કે ચોગ્ય વળતર આપી, પ્રશ્ન ઉકેલવાની જાહેરાત કરી છે.
૨૦૦૭
મુગાબેનું કાર્ય વિકટ છે. બન્ને પક્ષાના લશ્કરો છે. તેનું વિસર્જન અને એકીકરણ કરવાનું છે. જમીન અને ખાણાના યોગ્ય વિતરણ કરવાના છે. સાત વર્ષના આંતરવિગ્રહ અને ઊંડા ઝેરવેર પછી શાન્તિ સ્થાપવાની છે.
અંગ્રેજો અને પડોશી દેશ દક્ષિણ આફ્રિકા કેવું વલણ લે છે તેના ઉપર ઘણો આધાર રહેશે. બ્રિટન–અમેરિકા અને રશિયા સહાય કરવા ઉત્સુક છે. વિદેશી વેપારીઓ અને કંપનીઓ રહેૉડેશિયાની ખનીજ સમૃદ્ધિ વિકસાવવા અને તેનો લાભ લેવા તૈયાર છે.
આ બનાવ અનેક રીતે મહાન છે. Multi-raciae Society ઊભી કરવાની છે. કેટલાક અંગ્રેજો દેશ છેાડી જશે. બાકી રહેશે તે બંહુ નાની લઘુમતિ હશે. તેમણે હબસીઓ સાથે સહકારથી રહેવું પડશે અને વર્ષો સુધી સત્તા ભોગવી છે તે ભૂલી જવું પડશે. હબસી
એ ઘેાડી ઉદારતા રાખવી પડશે. તેમને રાજતંત્રનો અનુભવ નથી, પ્રજા ગરીબ અને નિરક્ષર છે. પણ બીજા દેશાના-હબસી આગેવાનાએ બતાવી આપ્યું છે કે તેઓ વર્તમાન જગતના પ્રવાહોથી અપરિચિત નથી અને રાજય કરી જાણે છે. કેનિયા, ઝામ્બિયા, તાન્ઝાનીયાના આગેવાનોએ પીઢતા અને સમજદારી દાખવી છે. અંગાલા અને મેન્ઝાબિંકમાં રશિયાનું વર્ચસ છે. રહેાડાશિયામાં પણ એમ બનવા સ્તંભવ છે. સૌથી વિકટ પ્રશ્ન દક્ષિણ આફ્રિકાને થશે. ત્યાંની રંગભેદની નીતિ અને જુલ્મી શાસન ઉપર ભારે અસર થશે. પડોશી દેશ નામીબિયા–જે દક્ષિણ આફ્રિકા કબજે રાખી બેઠું છે તેના ઉપર પણ અસર પડશે.
બ્રિટન માટે આ બનાવ ગૌરવ લેવા જેવા છે. છેવટ રહેાડેશિયાને સ્વતંત્ર કર્યું; એટલું જ નહિ પણ બહુમતિ પ્રજા હબસીઓને રાજતંત્ર સોંપ્યું અને તે પણ ચૂંટણી કરીને. રહોડેશિયાની પ્રજા અને આગેવાનોએ હવે આ સ્વતંત્રતાને પાત્ર થવાનું છે અને સ્વતંત્રતાને સાર્થક બનાવવાની છે.
૧૨-૩-૮૦
- ચીમનલાલ ચકુભાઇ
તા. ૭૪-૮૦
તા. ૮-૪-૮૦
વસન્ત વ્યાખ્યાનમાળા
દર વર્ષની માફક આ વર્ષે, મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે વસન્ત વ્યાખ્યાનમાળા તા. ૭-૮-૯-૧૦ એપ્રિલ ૧૯૮૦ના દિવસાએ યોજવામાં આવી છે.
વિષય : રાષ્ટ્રીય પરિસ્થિતિ (નેશનલ સિન)
રાજકીય આર્થિક
પ્રો. રજની કોઠારી ડો. ડી. ટી.લાકડાવાલા પ્રો. પી. એમ. કામઠ
શ્રી રાજમાહન ગાંધી
તા. ૯-૪-૮૦
આંતરરાષ્ટ્રીય
તા. ૧૦૪૮૦ સામાજિક અને
નૈતિક
આ ચારેય દિવસનું પ્રમુખસ્થાન શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ શાભાવશે. સૌને પ્રેમ નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રી.