________________
૨૦૬
મુખ્ય અમન
કે ભાન ભૂલી જવાય તેમ નહિ, મેહ, સૂક્ષ્મ છે. તેનો ઉપાય સતત જાગૃતિ છે. મે પ્રયત્નપૂર્વક જાગૃત રહી જીવનઘડતર કર્યું છે. માહ -દશાથી ઘેરાયો હોઉં એવું બન્યું નથી. લેાભ વિષે હજી એમ કહી શકતા નથી. ગમે તે ભાગે ધન પ્રાપ્ત કરવું એવી વૃત્તિ કોઈ દિવસ થઈ નથી. પણ પ્રમાણિક મહેનત કરી, કમાણી થતી હોય તે જતી કરવાની હજી તૈયારી નથી થઈ. હવે તેની જરૂર નથી, પણ છેડાનું નથી. એક કારણ એ છે કે પછી શું કરવું? પણ એકદરે કાયાની મંદતા વધતી રહી છે અને તેથી માનસિક શાંતિ અને સ્વસ્થતા રહી છે. માનવસહજ નિર્બળતાઓ મારામાં પણ છે, અને તેથી સ્ખલન થયા છે. પણ તેના ભારથી દબાઈ ગયો નથી. તેથી પર થતા મુશ્કેલી પડી નથી. સાદુ અને નિર્વ્યસની જીવન મારી પ્રકૃતિમાં છે. એટલે મારી જાત સાથે મારે બહુ લડવું પડયું નથી. સુખના કારણ છે માની છે.
જીવનવ્યવહાર માં સમભાવ અને ઉદારતા એમ અનુભવ્યું છે. તુલસીદાસની શીખ સાચી તુલસી આ સંસારમેં, ભાત ભાત કે લોક રસે મીલ કે ચાલિયે, નદી નાવ યોગ. અન્યાય થતા લાગે ત્યાં સહન નથી થતું. ગુસ્સે થાય છે, પ્રતિકાર કરવાનું મન થાય છે, પણ તે સહન કરી લેવાની વૃત્તિ વધારે છે. કદાચ, જૈન ધર્મની આ અસર હોય, અથવા અંતરની ઊંડે પડેલી ઉદાસીનતા કારણ હોય, કદાચ નિર્બળતા પણ હાય. મારા વ્યવસાયમાં મને જેને જાણે છે, તેમને આ જાણી આશ્ચર્ય થશે. મારી આબરુ લડવાની છે. હકીકતમાં, કોર્ટે જવાની કે લડવાની હું સલાહ આપતો નથી. પણ લડવું જ પડે તો ઉલ્લેણ ઉતરતો નથી. વૃત્તિ સમાધાનની જ રહે છે. સાંસારિક વ્યવહારમાં આવી વૃત્તિ નબળાઈ લેખાય છે. અંગત સ્વાર્થ કે હિતની વાત હોય ત્યાં નમતું નૂકવું. જાહેર કે બીજાને અન્યાય થતો હોય ત્યાં ન્યાય માટે લડવું એ વધારે યોગ્ય છે, પણ ન્યાય-અન્યાય કોણ નક્કી કરે?
આ બધામાં કોઈ એક વ્યકિત મારા આદર્શ રહ્યા હોય તો તે ગાંધીજી છે. મારી પ્રકૃતિ પ્રવૃત્તિમાર્ગી છે. મને જોઈએ તે બધું ગાંધીમાં મળી રહ્યાં છે. તેમના પ્રત્યક્ષ પરિચય અતિઅલ્પ, એકબે વખત સાંભળવાના અને દર્શનના, પણ તેમના વિચારો મને પૂરી રીતે સંતોષકારક અને માર્ગદર્શક રહ્યા છે. ખાસ કરી તેમની જીવનસાધના. ગાંધીજીમાં ગીતાના કર્મયોગ અને મહાવીરની અહિંસાના અદભૂત સમન્વય છે: ગીતાના કર્મયોગ સાથે ગાંધીએ અહિંસાને રી. મહાવીરની અહિંસાને ગાંધીએ સમાજવ્યાપી અને વધારે વ્યવહારૂ બનાવી. અહિંસા, સંયમ, તપ, ત્યાગ, વેરાગ્ય, આ બધા માર્ગો સ્વીકારીને જીવનની કઠોર વાસ્તવિકતાથી ગાંધીજી વિમુખ થયા નથી પણ તેના સામને કર્યો છે.
મારા પેાતાના વિષે લખતા મને હંમેશ સંકોચ રહ્યો છે, આગ્રહ છતાં લખતો નથી. પણ, આજ મારા જન્મદિને આટલું અંતર નિરીક્ષણ થયું છે તેને ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકટ કરૂ તો કોઈ તેમાં આત્મશ્લાધા ન માને એવી નમ્ર વિનંતિ કરૂ છું.
૧૧-૩-૮૦.
ચીમનલાલ ચકુભાઈ શાહે
-> જગજીવનરામે દગા દીધા -
પક્ષપલટા આપણે ત્યાં સામાન્ય ક્રમ થઈ પડયા છે.. પણ જગજીવનરામે જે રીતે જનતા પક્ષને દગા દીધા તે નવી ભાત પાડે છે. ચરણસિંહને સારા કહેવડાવે એવું જગજીવનરામનું વર્તન રહ્યું છે. જનતા પક્ષની રચના થઈ ત્યારે જનસંઘ તેમાં જોડાયા અને જનતા પક્ષનું મહત્ત્વનું અંગ બન્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘના સંબંધો સુવિદિત હતા. ઉઘાડી આંખે સૌએ સાથે મળી જનતા પક્ષ સ્થાપ્યો હતો. જનતા પક્ષની સંસ્થાકીય ચૂંટણી થાય તે જનસંઘનું વર્ચસ વધે તે ભયે અઢી વરસ સંસ્થાકીય ચૂંટણી ન કરી. ચરણસિંહને છૂટા થવું હતું ત્યારે જનસંઘ અને આર. એસ. એસ. ના દ્વિમુખ સભ્યપદનું બહાનું કાઢયું. જગજીવનરામ પૂરી સભાનતાથી જનતા પક્ષમાં રહ્યા, તેના નેતા થયા, ગૂંટણી ઢંઢેરામાં જાહેર કરાવ્યું કે જનતા પક્ષને બહુમતિ મળશે તે જગજીવનરામ વડા પ્રધાન થશે. વડા પ્રધાન થવાની લાલસાએ ચરણસિંહે જનતા પક્ષને તેડયે એવા આરોપ તેમના પર સકારણ મૂકાયો છે. જગજીવનરામ, બધી ગણતરી કરી; વડા પ્રધાન થવાની આશાએ જનતા પક્ષમાં રહ્યા. ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈ જશે એવા વખતેવખત થતા આક્ષેપના ભારપૂર્વક ઈન્કાર કર્યો. ચૂંટણીના પરિણામ અણધાર્યા આવ્યા અને
તા. ૧૬-૩૮૦
વડા પ્રધાન થવાનું સ્વપ્ન ઊડી ગયું ત્યારથી બાજી ફેરવી, જનતા પક્ષ અને તેના આગેવાનો ઉપર અને ખાસ કરી જનસંધ અને આર. એસ. એસ ઉપર આકરા પ્રહારો કરવા શરૂ કર્યા. પેાતાના ટેકેદારોની મિટીંગ બેાલાવી, પોતાને યાગ્ય લાગે તેવા નિર્ણય લેવાની સત્તા લીધી, અને જનતા પક્ષથી જુદા પડી નવા પક્ષ સ્થાપશે એવી હવા ઊભી કરી હતી. અચાનક જનતા પક્ષની મિટીંગમાં હાજર રહ્યા, માફી માગી અને જનતા પક્ષને સાથ આપવાનું વચન આપ્યું.” થેોડા કલાકમાં જ ગુલાંટ મારી બેવડા સભ્યપદના પ્રશ્ન ફરી ઊભા કર્યા. જનતા પક્ષને છેડયા વિના, નવા પક્ષ સ્થાપવાની વાત ફરી શરૂ કરી છે.
જગજીવનરામના વર્તનથી એમ લાગે કે ઈન્દિરા ગાંધીને મદદ કરવા, જનતા પક્ષને તેડવાનું, વ્યવસ્થિત કાવતરું કર્યું. જગજીવનરામને બહુ ઓછા સભ્યોને સાથ છે. નવે. પક્ષ રચે તે તેની કોઈ અસર થવાની નથી તે પોતે જાણે છે. ઈન્દિરા ગાંધીને પણ તેમની સહાયની જરૂર નથી અને તેમની અવગણના કરી શકે તેમ છે. જગજીવનરામ નાકલીટી તાણીને પણ ઈન્દિરા કોંગ્રેસમાં જવા તૈયાર થશે એમ લાગે છે. સત્તા વિના જગજીવનરામ જીવી ન શકે. પ્રમાણિફતા, પ્રતિષ્ઠા, તેની તેમને કાંઈ પડી નથી. તેમના પુત્ર સુરેશ, સંજય ગાંધી સાથે વાટાઘાટો ચલાવે છે. જગજીવનરામનું જે થાય તે, પણ રહ્યાસહ્યા જનતા પક્ષને ખતમ કરવાનું તેમનું કાવતરું કેટલેક દરજજે સફળ થશે. જનતા પક્ષમાં જનસંધી સિવાયના જે બીજા ઘટકો છે તેમની સ્થિતિ કફોડી કરવાની તેમની નેમ કેટલેક દરજજે સફળ થઈ છે. ચન્દ્રશેખર, મધુ દંડવતે જેવા સમાજવાદીઓ, બાબુભાઈ પટેલ જેવા જૂની કોંગ્રેસના સભ્યો અને જનસંઘ સિવાયના બીજા, જનતા પક્ષમાં ચાલુ રહે તે કોમવાદી છે. એવા આરોપ તેમના પર મૂકી શકાય એવી પેરવી કરી છે. જનસંઘ, જનતા પાથી જુદા પડે એવી વાત થાય છે પણ વાજપાયી અને અડવાણી જેવા જનસંઘના સમજદાર આગેવાનો તેમ કરવા' ઈચ્છતા નથી. જનતા નામ જનસંઘે રાખવું છે, જેથી તેનું કોમી સ્વરૂપ ઢંકાય. આર. એસ. એસ. સાથેના સંબંધ કાયમ રાખવા છે, એવું જનસંઘના નેતાઓ, વાજપાયી, અડવાણી, નાનાજી દેશમુખ, વગેરેએ સ્પષ્ટ જાહેર કર્યું છે. તો, શું જનસંઘ સિવાયના બીજા જનતા પક્ષમાંથી જુદા પડશે? કયાં જાય? અર્સ કોંગ્રેસમાં, લાકદળમાં? ત્યાં બધે આગેવાનીના પ્રશ્ન રહે જ. ચરણસિંહ આગેવાન થાય, દેવરાજ અર્સ થાય, ચન્દ્રશેખર થાય? આ બધાના નવા પક્ષ રચાય?
વિરોધ પક્ષો સંપૂર્ણપણે વેરણછેરણ છે, એક સામ્યવાદી પક્ષ સિવાય, જો કે તેમાં પણ ફાટફ ટ છે જ. વિરોધ પક્ષોને નાબૂદ કરવામાં ઈન્દિરા ગાંધી સફળ થયા છે. તેમની હિંમત અને ચાલબાજી તથા ચૂંટણીમાં મળેલ વિયે, પેાતાનું એકચક્રી રાજ્ય કરવામાં, તેમને સફળતા આપી છે. વિરોધ પક્ષોના નેતાઓના સ્વાર્થી હેતુઓ અને સાલાલસાએ આવી પરિસ્થિતિ સર્જવામાં પૂરો ભાગ ભજવ્યો છે. ચરણસિંહે શરૂઆત કરી તેને જગજીવનરામે પૂર્ણ કરી છે. જગજીવનરામ વધારે કુશળ છે એટલે વ્યવસ્થિત કાવતરું કરી શકયા. આ દગાનું તેમને ફળ મળશે કે નહિ તે જોવાનું રહે છે. ઈન્દિરા ગાંધીને તેમની ગરજ નથી, પણ તેનો ઉપયોગ કરશે. ધારાસભાની ચૂંટણીમાં પ્રજામાનસમાં કોઈ ફેર પડયા છે કે નહિ તે જોવા મળશે. તે ચૂંટણીમાં ઈન્દિરા કોંગ્રેસને ધાર્યા પ્રમાણે બધા રાજયોમાં બહુમિત ન મળે અને લાકસભાની ચૂંટણી પછી લોકોના ભ્રમ ભાંગ્યો છે એવા એંધાણ મળે તો નવી પરિસ્થિતિ ઊભી થાય. પણ વિરોધ પક્ષોના આગેવાનો ઉપર પ્રજાને એટલા તિરસ્કાર થયો છે કે તેનો લાભ ઈન્દિરા ગાંધીને મળશે.
ચરણસિંહ, જગજીવનરામ જેવાને પ્રજાએ ફગાવી દેવા જોઈએ. તો જ નવી આગેવાની
૧૨-૩૮૦
જાહેર જીવનમાંથી પેદા થશે. ચીમનલાલ ચકુભાઈ
આભાર
મારા ૭મા જન્મદિનની વર્તમાનપત્રામાં અમર આવી તેથી ઘણા મિત્રાના શુભેચ્છાના પત્ર આવ્યા છે. તે સૌના અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. વિશાળ મિત્રસમુદાયના ઊંડા સદ્દભાવ પ્રાપ્ત કરવા સદ્ભાગી થયા છું. તેને હું મારા જીવનની ધન્યતા માનું છુ અને મને મળ મળે છે.
-ચીમનલાલ ચકુભાઇ
2