SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૩-૮૦ • બુદ્ધ . - ૨૦૧ તે ખુશીથી સ્વીકારી લે. કારણ કે ન્યુયોર્ક ટાઈમ્સની ન્યુઝ સર્વિસ લંડન ટાઈમ્સની સ્ટોરીઓ ઉપાડતું હોય છે. કિશ્વિયન સાયન્સ સેનીટર કાયમ માટે પ્રતિનિધિ રાખતા નથી પણ તેમના પત્રકારો દિલ્હી, મુંબઈ, બેંગકોક મનીલા વગેરે સ્થળે ફર્યા કરે છે. “આટલાન્ટીક નામના મેગેઝીનના પત્રકારો આ પ્રયાસ નિયમિત કરીને ઊંડાણથી 'દરેક દેશના રાજકારણને અભ્યાસ કરે છે. આ બન્ને સામયિકોમાંથી તમે આધારભૂત રીતે તફડંચી કરી શકો. એક પત્રકારને મેં પૂછયું “ઘણી વખત હું મલયેશિયા જાઉ છું તેના કે ભારતના બીજા શહેરોમાં કોઈ ઘટના બને છે તેના વિદેશી અહેવાલ ઘણા ઓછા હોય છે તેનું શું કારણ?” જવાબમાં જાણવા મળ્યું: “અમુક દેશમાં એજન્સીઓને પરવડતું નહિ હોઈને ત્યાં સ્થાનિક સ્ટીન્ગરે” રખાય છે. આ લોકોને પૂરા નાણા મળતા નથી વળી કેટલાક તે સરકારી નોકરો હોય છે એટલે એ લોકો સરકારી નોકરીને સલામત રાખવા અમુક પ્રકારના સમાચારો આપતા હોય છે.” કાન્તિ ભટ્ટ આપણુ દુઃખનું મૂળ આપણે પોતે જ છીએ જીરીયામાં બાય ફ્રાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયાએ વિદેશી પત્રકારોની હકાલપટ્ટી કરી તેવી હકાલપટ્ટી કરી નહોતી. છતાંય નાઈજીરીયાની કપરી આબેહવા અને પ્રતિકૂળ સંગાને લીધે ત્યાં માત્ર ફ્રાંસની “અજન્સ ફાન્સ-પ્રેસ” નામની સમાચાર સંસ્થાને એક પ્રતિનિધિ જ કાયમ માટે રહે છે. ભારતના વર્તમાનપત્રે વિદેશના ઊંડા સમાચારો અને લેખે વિદેશી મેગેઝિનેમાંથી તફડાવે છે. તેમ અમુક આફ્રીકન દેશોના સમાચાર ફોસના મેગેઝિનમાંથી તફડાવાતા હોય છે. રોઈટરના એક પ્રતિનિધિની પાસે પાસપોર્ટ નહોતું એટલે તેણે એક મહિના સુધી મિલિટરીના ભંડકીયામાં સડવું પડયું હતું.” ' 'ઈન્દિરા ગાંધીએ પણ કટોકટી વખતે પાંચ અમેરિકનો અને બે બ્રિટીશ પત્રકારને કાઢી મૂકયા હતા, પણ હવે તેનાથી બમણા બ્રિટીશ પત્રકારો ભારતમાં છૂટથી ફરી શકે છે. ફરીથી ઈન્દિરા ગાંધી પહેલાં જેવી ભૂલ નહિ કરે. ઉલટાનું જનતા સરકારે રજનીશ પ્રવૃત્તિના ફેટા અને ફિલ્મ લેવાનું બંધ કરેલું તે હવે જર્મન અને બ્રિટીશ ટેલિવિઝન માટે સરળ બન્યું છે.' તાજેતરમાં વ્યાપાર’ નામના અર્ધસાપ્તાહિક વતી હું એ. પી– . ડી. જે. નામની વ્યાપારી સમાચાર સંસ્થાના પત્રકાર શ્રી હોકીન્સને મળે અને તેને મેં કહ્યું “વિદેશી શહેરમાં જઈને તમે કેટલીક વખત અધક્યરા સમાચારો આપે તેને કારણે એ અસત્ય ચારે બાજુ ફેલાય છે. કારણ કે અમે બધા નજીકના અફઘાનિસ્તાનના સમાચાર છેક ન્યુયોર્કના પેપરોમાંથી ઉઠાવતા હોઈએ છીએ.” શી હોકીન્સે કહ્યું વિદેશી પત્રકારે ઘણી તક્લીફ વરચે કામ કરવું પડે છે. જયારે પેસ સેન્સરશીપ હોય કે લડાઈની સ્થિતિ હોય ત્યારે અમુક દેશના એલચી ખાતા સમાચારો પુરા પાડે તેનાથી સંતોષ મેળવવાને હોય છે પણ દરેક પત્રકાર એક્સાઈ રાખવા પ્રયાસ કરે છે જ.” અમુક ટેલિવિઝન કંપની અને પોતાના દેશના સ્થાનિક પત્રો માટે કામ કરનારા પત્રકારો અમુક’દષ્ટિકોણથી સમાચારો એકત્રિત કરે છે. ત્યારે બીજા પત્રકાર આંતરરાષ્ટ્રીય દષ્ટિને ધ્યાનમાં રાખે છે. ખાસ કરીને ચાર ગ્લોબલ ન્યૂઝ એજન્સીએ છે તે જાગતિક દષ્ટિકોણ રાખે છે. એ સિયેટેડ પ્રેસનું મથક ન્યુયોર્કમાં છે તેનું બજેટ રૂ. ૮૦ કરોડનું હોય છે. તેણે માત્ર અમેરિકાના જ ૧૩૫૦ વર્તમાનપત્રો અને ૩૫૦૦ જેટલા રેડીઓ અને ટી. વી. સ્ટેશનેને સમાચારો પૂરા પાડવા પડે છે. ભારતની યુ. એન. આઈ. નામની સમાચાર સંસ્થાના સહયોગમાં તે ભારતને વિદેશશી સમાચાર પુરા પાડે છે. જગતના એક અબજ લોકો માટે તે સમાચારને મસાલે પૂરો પાડે છે. અમુક ચક્કસ બનાવે માટે ખાસ પ્રતિનિધિ મેકલે છે. મેરબીમાં હોનારત થઈ ત્યારે બેંગકેકને ખાસ પ્રતિનિધિ વિમાનમાં મોરબી પહોંચી ગયો હતે. એ. પી. પછી યુનાઈટેડ પ્રેસ ઈન્ટરનેશનલ (યુ. પી. આઈ.) નંબર આવે છે. તેની વડી કચેરી પણ ન્યુયોર્કમાં છે. જો કે આ વિદેશી સમાચાર સંસ્થા આડેધડ પ્રતિનિધિને મોકલતી નથી. એ. પી.ની સંસ્થા ધંધાકીય નથી. ત્યારે યુ. પી. આઈ. તે નફો કરવાની દષ્ટિએ સમાચાર સંસ્થા ચલાવે છે. જો કે બહુ નફો થતો નથી. પણ એ. પી.ની માફક તે નફાની લાપરવાહી કરતી નથી. લંડન ખાતે વડી કચેરી રાખનારી રેઈટરની સંસ્થાની માલિકી બ્રિટીશ અને કેટલાક કોપનવેલ્થના દેશના વર્તમાનપત્રોન સહીયારી રીતે છે. રોઈટરના પત્રકારો આફ્રીકા માટેના ખાસ સમાચારે મેળવે છે. તમારે બહુ આધારભૂત આફ્રીકન સમાચારો માટે રેઈટર ઉપર મદાર રાખો. રોજ ૩૦,૦૦૦ જેટલા શબ્દો માત્ર આફ્રીકન દેશો માટે જ પ્રસારીત ટેલેન્સ દ્વારા) થાય છેછેલ્લે એજન્સ ફ્રાન્સ પ્રેસ નામની છૂચ સમાચાર સંસ્થા છે. તેની પાસે પેરીસ અને બીજા ખાસ શહેરોમાં ૯૦ પત્રકારે છે. જગતના ૧૨૦૦૦ વર્તમાનપત્રાને તે સમાચારો પુરા પાડે છે. આ સંસ્થાને ફ્રેંચ સરકારને સારે ટેકે છે એટલે અમુક સમાચાર ફ્રેન્ચ સરકારને ન ગમે તેમાં થોડે રંગ ભળેલું હોય કે રંગ શક્યું હોય તે બનવા જોગ છે. એટલે જયારે ફ્રેન્ચ હિત સંડોવાયેલું હોય ત્યારે તમારે ફ્રેન્ચ પેપરોમાંથી તફડંચી કરવાનું ધ્યાન રાખવું. તે પ્રકારે બીજા દેશોના પત્રકારો વિષે પણ વત્તેઓછે અંશે સમજવાનું. પી. ટી. આઈ. અને યુ. એન. આઈ.ના પણ વિદેશી પત્રકારો છે. રશિયાની “ટાસ' અને ચીનની શીનહુઆ નામની સમાચાર સંસ્થાના સમાચારો પણ રંગીન હોય છે તેમ અમે કહીએ છીએ. પણ તમે રશિયાના મિત્ર હો તો તે રંગને સ્વીકારી શકો છો. તફડંચી શબ્દથી તમારે ગભરાવું નહિ. તફડંચીને આરોપ કરે ઈશ્વરે માણસને બુદ્ધિનું પ્રદાન કરીને સમગ્ર જીવસૃષ્ટિમાં તેને આગવું સ્થાન આપ્યું છે. છ ફૂટને માનવી, તેની બુદ્ધિમતાને કારણે કુદરતની સામે આજે ચેલેન્જ કરવાની સ્થિતિમાં આવી ગયો છે અને બ્રાહ્માંડના રહસ્ય પામવા માટે સતત પ્રયત્નશીલ રહીને કટીબદ્ધ થયો છે. તે ચંદ્ર પર પહોંચ્યો તે તેની સિદ્ધિ છે, અને માનવી જગતમાં જેને વહેમ અને ચમત્કારો જણાવામાં આવતા હતા, તેવા ગુંચવણભરેલા કેટલાય કોયડાઓ તેને પોતાની બુદ્ધિમતાથી ઉકેલ્યા છે અને એમ કરીને સામાન્ય માનવીસમાજને ચકીત કરેલ છે. માનવીની એ જ બુદ્ધિએ અણુરહસ્યની જાણકારી પ્રાપ્ત કરીને અણુબોમ્બ તેમજ હાઈડ્રોજન બોંબ બનાવ્યા. તેની આવી સિદ્ધિથી પ્રથમ તે ગૌરવ લેવામાં આવ્યું, પરંતુ એ અણુબોમ્બને ઉપયોગ કરીને જાપાનના હીરેશીમાં શહેરમાં લાખે નિર્દોષ મનુષ્યને તેના ભાગ બનાવવામાં આવ્યા ત્યારે દરેકના દિલમાંથી અરેરાટી નીકળી અને આ વૈજ્ઞાનિક શોધ મનુષ્યજાતિ માટે શ્રાપરૂપ નીવડી. કારણ, આજે મોટા રાષ્ટ્રો આ વિનાશક સાધના ગંજ ખડીને બેઠા છે. એ રાષ્ટ્રોના વડાઓનું માથું ચક્રાવે છે અને એ વિનાશક સાધનને ઉપયોગ કરવાનો નિર્ણય કરે તે સમગ્ર જગતને વિનાશ સર્જાય. આજના જગતને માનવી હર હાણના સતત ભય નીચે જીવી રહ્યો છે. માનવીની બુદ્ધિએ માનવીના વિનાશ” માટેનું જ સર્જન .. કેવી વિધિની આ વિચિત્રતા ગણાય! આમે ય તે માણસ જ માણસને દુશમન છે ને? આનું કારણ, માણસ જે વિચારે છે એ પ્રમાણે વર્તતા નથી એ છે. માણસે વિજ્ઞાનક્ષેત્રે હરણફાળ ભરી. તેની પાછળની કલ્પના હતી સમગ્ર મનુષ્યજાતીના લ્યાણની. પરંતુ તેને સ્વાર્થ વચ્ચે આવ્યું અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને આ સાધન દ્વારા દબાવવાનો પ્રયત્ન શરૂ ર્યો. તેને જવાબ બીજા રાષ્ટ્રોએ પણ એ જ ભાવનાથી આપવાને પ્રયત્ન કર્યો. માણસ પોતાના જ સુખ માટે - અન્યના વિનાશના ભાગે વિચાર કરતો થાય ત્યારે તેનું પરિણામ વિપરીતતામાં જ આવે - આ કુદરતને કમ છે. ઈતિહાસનાં અનેક દાખલાઓ માનવજગત સમક્ષ મજદ છે. એમ છતાં આજને બૌધિક માનવી તેમાંથી દાખલા લેવા તૈયાર નથી. કારણ, આજે પોતાના સ્વાર્થે માનવીને ઘેરી લીધો છે - એ કારણે તેના વિચાર અને વર્તનમાં સામ્ય રહ્યું નથી. સામાન્ય માણસની વાત એક બાજુ મૂકીએ, પરંતુ આજના બૌધિક સમાજના માનવીઓ પણ એ જ રીત અપનાવીને જીવી રહ્યા છે. આ બૌદ્ધિકો, માનવસમાજ સમક્ષ ઘણી બધી સૂક્ષ્મ ગણાય એવી ચિન્તાનાત્મક બૌધિક દલીલો કરીને તે પ્રમાણે જીવવાની લોકોને સલાહ આપે છે, પરંતુ તે પોતાની જાતને બાદ કરીને જ વાત કરતાં હોય છે. એટલે એ સલાહની કોઈની ઉપર અસર થતી નથી એટલું જ નહિ પરંતુ સામાન્ય લોકો એને દાખલો લઈને કહે છે કે આવા મેટા સમાજસેવકો અને તત્ત્વચિન્તકો પણ, જે એક રીતની સલાહ આપીને અન્ય રીતે વર્તતા હોય તે પછી આપણા જેવા સામન્ય સ્તરના માણસને એમ કરવામાં શું વાંધો? એટલે જગતની સામાન્ય પ્રજાને પોતાને સ્થાનેથી ચલિત કરવામાં
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy