________________
૨૦૦
સામ્રાજ્ય બિછાવ્યું હતું અને એના અનુસંધાનમાં એનું ખૂન પણ થયું હતું. તે પછી મદન મેાહન શર્મા એ, જમીન અંગેના જે મુકદમા કર્યા હતા તે બધા ભરવાડોની તરફેણમાં જ ક્લ્યા હતા એટલે જનતા પક્ષ જ્યારે સત્તા પર આવ્યો ત્યારે મદન મોહન શર્મા પોતે ભૂમિહાર હોવાના નાતે, કોમી ધેારણે બિહાર પ્રધાન મંડળના ઠાકુર પ્રસાદ સિંગના અંગત અંગરક્ષક બની
ગયા હતા.
પણ પછી તે મધ્યસત્ર ચૂંટણી આવી અને મદન મોહન શર્માએ ઈન્દિરા કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પ્રતાપ શર્માને જીતાડી આપવાનું બીડું ઝડપ્યું. મહેન્દ્ર પ્રતાપના બે ભત્રિજાએ શ્યામ સુંદર અને કિસન દેવે આ વિસ્તારના આઠ પેલીંગ બુથો કબજે કરી લીધાં હતાં પણ પારસબીઘાના બુથ પર કબજો ન મેળવી શકવાનો જ બધા લાગતા વળગતાઓના મનમાં રહી ગયા. બિહારમાં હાર કે જીતના બદલા લેવાની હારેલા કે જીતેલા ઉમેવારો પ્રવૃત્તિ કરે એવી પ્રથા છે. (મુઝફફરપુરના ગામમાં પણ આવા બદલા લેવાયો હોવાની વાત ફર્નાન્ડીઝે પાતાના એક પ્રવચનમાં કરી હતી ને?) ઈન્દિશ કોંગ્રેસના સ્થાનિક સત્રપાને તો ભૂમિહારોના રહ્યા સહ્યા મતો પણ આવી રહેલી વિધાન સભાની ચૂંટણીમાં ઈન્દિરા કોંગ્રેસીઓને જ મળે એવી ગોઠવણ કરવી હતી, અને આ ગોઠવણના એક ભાગ રૂપે જ પારસબીઘા પર ધાડ પાડવામાં આવી હતી એવું શ્રી સૂર્ય નારાયણ ચૌધરીનું કહેવું છે. આ ધાડનું આયોજન કરનારા અને એમાં ભાગ લેનારાંઓનાં નામ પણ લોકો છડે ચોક ચર્ચે છે પણ હજી સુધી આ ધાડના આયોજકો કે અગ્રણીઓને પકડવામાં આવ્યા નથી. આને કારણે બધા જ રાજકીય પક્ષામાં ખૂબ ઉત્તેજના વ્યાપી રહી છે.
બિહારમાં જ્યારે વિધાન સભા અસ્તિત્વમાં હતી ત્યારે પારસબીધાના બનાવ માટેના દોષનો ટોપલા મુખ્ય મંત્રી રામ સુંદરદાસ પર ઢાળવાનો પ્રયત્ન થયો હતો પણ એ પ્રવૃત્તિનું સુરસુરિયું થઈ ગયું હતું કારણ કે ગુનેગાર કોણ છે તે બધા જાણતા હતા. હવે તે વિધાન સભા બરખાસ્ત થઈ ગઈ છે; નવી ચૂંટણી ક્યારે આવશે તે કોણ જાણે છે? અને એ દરમિયાનમાં શું થશે તે પણ કોણ જાણે છે.
પણ બિચારા પછાત વર્ગના લોકોને લાગ્યું, કે સરકાર ભાલા પાસવાનની હોય કે કર્તુરી ઠાકુરની હોય કે રામ સુંદરદાસની હાય, ઉંચ્ચ વર્ગના મુલ્કી અને પોલીસ અધિકારીએ પાતાની જાતના લોકોને બચાવવામાં જ પ્રવૃત્ત રહેવાના છે. અને બચાવની એ પ્રવૃત્તિના એક ભાગ રૂપે જ, પારસબીઘાથી એક ક્લિ। મીટર દૂર જ હિયા ગામમાં ભૂમિહારો પર પછાત વર્ગીઓના માધુલી હુમલાને મોટું સ્વરૂપ અપાઈ રહ્યું છે. અને પારસબીઘામાંથી ડાહિયા ગામ દેખાતું હોવા છતાં ત્યાં જો પછાત વર્ગીઓનો જમાવ થતા હતા તો તે અટકાવવા માટે પારસબીઘામાં જમા થયેલી આટલી મોટી પોલીસ ફોજે કેમ કાંઈ પગલાં ન લીધાં?
અને એમ તે! પારસ બીઘાના હત્યાકાંડ વરસાથી ચાલી આવતી પછાતો પરના આત્યાચારની હારમાળાના એક ભાગ જ નથી ? યાદ છે પૂણિયા જિલ્લાના રૂપસપુરની વાત? ત્યાં રજપૂત ભૂમિપતિઓએ, સાંથાલાને એમની પોતાની જમીન પરથી જ હાંકી કાઢવા માટે તેમના ઘરોને આગ લગાવી દીધી હતી અને આગમાંથી બચવા જેઓ બહાર નીકળ્યા હતા તેમને ગાળીએ દીધા હતા? યાદ છે ધર્મપુરાની ઘટના અને ઈન્દિરાજીએ જેનો મોટો ધજાગરો ઉડાડયો હતો તે બેલછીની ઘટના? ભલે સંયુકત વિધાયક દળનું શાસન હાય કે કોંગ્રેસનું શાસન હોય કે જનતા પક્ષનું શાસન હાય, હરિજન મુખ્ય મંત્રી હોય કે પછાત વર્ગને મુખ્ય મંત્રી હોય, આવી ઘટનાઓનું ચક્ર હજી અટકયું નથી. એક રાષ્ટ્ર તરીકે આપણે રાષ્ટ્રીયતા કેળવી નથી એવા એક પાશ્ચાત્ય નિરીક્ષકે હમણા જ આક્ષેપ કર્યો છે. મને પ્રશ્ન થાય છેકે એક સમાજ તરીકે પણ આપણે સામાજિકતા કેળવી છે ખરી? સંકુચિત કોમવાદની બહાર આપણે નીકળી થયા છીએ ખરા?
-મનુભાઇ મહેતા
તા. ૧-૩૮૦
વિદેશી પત્રકાર સાથે વાતચીત
મોટે ભાગે વિદેશના સમાચારો મેળવવા ગુજરાતી સામયિકા તેમના પ્રતિનિધિને પરદેશમાં મેકલી શકતા નથી અને બધું તૈયાર રાંધેલું સમાચાર-સાહિત્ય અમેરિકન અને યુરોપીયન વર્તમાનપત્રા કે મેગેઝિનમાંથી 'ચકવું પડે છે. કોઈ આંતરરાષ્ટ્રીય ઘટના બને અને વિદેશી પત્રકારો ભારતમાં આવે ત્યારે તેઓ આપણને સમાચારના તાગ મેળવવા માહિતી કઢાવે ત્યારે મજા પડે છે. મેારબીના જળબંધ તૂટવા સમયે અને તાજેતરમાં હૈદ્રાબાદ નજીક ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા હું રંગાપુર ગયો ત્યારે ઘણા વિદેશી પત્રકારોને મળવાનું થયું. ટૅલીગ્રાફ-ન્યુઝ પબ્લીકેશનના એક પત્રકાર શ્રી ડન ટિડવેલે ભારતને લગતી અને ભારતીય પત્રકારોને લગતી ઘણી માહિતી મારી પાસેથી લીધી અને તેની પાસેથી તેમજ એ. બી. સી. રેડીઓના પ્રતિનિધિ શ્રી બ્રાઉન પાસેથી પણ મને પત્રકારત્વની અને અમેરિકાની કોર્ટો વિષે ઘણું જાણવાનું મળ્યું.
પ્રબુદ્ધ જીવન
એક વિદેશી પત્રકારે કહ્યું “રાજકારણ, ક દરતી આફત કે બીજી ઊથલપાથલ થાય કે સૂર્યગ્રહણ જેવી ઘટના બને ત્યારે ભારતને સારું હૂંડિયામણ મળી રહે છે. ઈન્દિરા ગાંધીની કટોકટી પૂરી થયા પછી ઘણા વિદેશી પત્રએ પોતાના પ્રતિનિધિને ભારતમાં માલ્યા હતા. આવા એક પત્રકારને નિભાવવા માટે ન્યુયોર્ક ટાઈમ્સ રૂા. ૮ લાખના ખર્ચ કરે છે. એટલે ઈન્દિરા ગાંધી વિદેશી પત્રકારો ઉપર તવાઈ લાવે તે તેમાં ભારતને હૂંડિયામણની ઘણી ખોટ પડે છે. જે પત્રકારો એક વરસ માટે રહે તે માત્ર એક જ મુલાકાત આપે તે પણ તેમાં ભારતને પત્રકાર દીઠ રૂા. ૧૦,૦૦૦નું હૂંડિયામણ મળે છે. બી. બી. સી., એ. પી. એન. બી. સી., ન્યુયોર્ક ટાઈમ્સ વગેરેના ખાસ પ્રતિનિધિઓ જનતા સરકારની જીત પછી ભારત આવ્યા તેની ફોટોગાફર સહિતની સંખ્યા ૧૦૦૦ની થઈ હતી. આ ઉપરાંત પ્રાસરો અને રાજકીય અભ્યાસ કરનારા સંશોધકો પણ ભારત આવે છે. ઈન્દિરા ગાંધીની ચીકમંગલુરની ચૂંટણી વખતે જ વિદેશી અખબારી આલમ ભારતને રૂા. ૧૫ લાખનું હૂંડીયામણ આપી ગયેલી.”
એસેસિયેટેડ પ્રેસના પ્રતિનિધિએ કહ્યું “આ પ્રકારની હૂંડીયામણની કમાણીને અમે રાજકારણના મસાલાની નિકાસ તરીકે ઓળખાવીએ છીએ. પણ આ ‘મસાલા’ની નિકાસમાં સૌથી વધુ કમાણી બ્રિટનને થાય છે. બ્રિટનમાં ચૂંટણીઓ થઈ તે વખતે દરેક અમેરિકન દીઠ બ્રિટનને રૂા. ૩૦,000ની કમાણી થતી હતી. આમાં માત્ર પત્રકારા જ નહોતા. બ્રિટનની પાર્લામેન્ટના અભ્યાસ કરવા માટે જ કેટલાક પત્રકારો, મહાનિબંધ લખનારા વિદ્યાર્થીઓ, રાજકારણના અભ્યાસીઓ, લેખકો અને પત્રકારો લંડનમાં આવ્યા હતા. આ આજકાલનું નથી. વુડ્રો વિલ્સન જેવા મહાન અમેરિકન રાજપુરુષ પણ બ્રિટનના રાજબંધારણ અને લાશાહીની રસમેા શીખવા બ્રિટન આવતા હતા. બ્રિટનની પદ્ધતિનું કઈ રીતે અનુસરણ થઈ શકે તે માટેના આ અભ્યાસ હતા. અત્યારે તો બ્રિટનના રાજકારણ અને પાર્લામેન્ટની પદ્ધતિમાં શું શું ખામી છે તે જોવા અમેરિકા આવે છે.'
એક જાપાની પત્રકારને મે પૂછ્યું “બ્રિટનમાં જે રીતે રાજકારણનો અભ્યાસ કરવા અમેરિકા જાય છે તે રીતે એશિયન પત્રકારો બીજા દેશમાં જાય છે?” તેણે કહ્યું “બીજા એશિયન દેશેાની લોકશાહી બહુ સમસ્યારૂપ નથી. એશિયન દેશેાના મૂડીવાદી માનસવાળા પ્રાફેસરો ભારતની લાશાહીના વખાણ કરતા થાકતા નહીં. ઈન્દિરાનું પતન થયું અને પછી જનતા સરકારે તેનું ભેાપાનું પુરવાર કર્યું તે પછી હવે એશિયન રાજપુરુષો ભારતની લાશાહીના ઊંડા અભ્યાસ કરવા ભારત આવે છે. ઘણી વખત આ રાજપુરુષો ભારતના ચૂંટણીતંત્રને નીરખવા મહિનાઓ સુધી રહે છે. આ પણ એક પ્રકારના રાજકીય મસાલાની નિકાસ છે. આવા મસાલાની નિકાસમાં એશિયામાં ભારત પ્રથમ નંબરે આવે છે. જો કે પહેલાં આ નંબર વિયેતનામના હતા પણ તેનું હૂંડીયામણ વિયેતનામને મળવા કરતાં આજુબાજુના પ્રદેશ જેવા કે હોંગકોંગ, કંબાડીયા બેંગકોક અને મકાઉને વધુ મળતું હતું.”
એસોસિયેટેડ પ્રેસના ખાસ વિદેશી બાબતોના નિષ્ણાત એવા પ્રતિનિધિએ તે ગરીબ દેશના પત્રકારત્વના ઊંડા અભ્યાસ કર્યા છે. અને તેઓ “ઈન્ટરનેશનલ ન્યુઝ ગેધરીંગ” એ વિષય ઉપર એક પુસ્તક પણ લખી રહ્યા છે.
“કેટલાક ગરીબ દેશને રાજકીય મસાલાની નિકાસ શું છે તે જ ખબર નથી. તે લોકો વિદેશી પત્રકારોને દૂર રાખે છે. નાઈ
બ્