________________
૨૦૨
શુદ્ધ જીવન
નીચે લાવવામાં - મૂખ્ય ફાળા આવા બૌદ્ધિકોના જ છે - ખૂબ જ સૂક્ષ્મ રીતે વિચારતા આવા નિષ્કર્ષ પર આવવું પડે છે.
બીજી કલ્પના એવી આવે છે કે આજના માનવી, સત્યથી અને ઈશ્વરથી દૂર-સુદૂર સરકતા ગયા છે. પહેલા માણસ પાપકર્મથી રરતા હતા. તેને ઈશ્વરના ડર લાગતા હતા. એટલે છાને ખૂણે અપકૃત્ય કરતા પણ તેને ડર લાગતો હતો. અને આજે માણસ સાવ બેશરમ બની ગયા છે. આપણી ભારતની સંસ્કૃતિને પણ તે સાવ ભૂલી ગયા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહે તેને એવા ઘેરી લીધા છે કે, પેાતાના મૂળભૂત મૂલ્યોને પણ તેણે તિલાંજલી આપી છે. આમાં આજના આપણા શિક્ષણે પણ મોટો ભાગ ભજવ્યો છે. આના કારણે આપણી સંયુકત કુટુંબની પ્રથાના પણ ભાંગીને ભૂકો બાલી ગયા છે. કુટુંબા પણ વિભાજિત થઈ ગયા છે. એ કારણે માણસ માણસ વચ્ચેની લાગણીના તંતુને સર્વનાશ થયો છે - માણસ નર્યાં સ્વાર્થમય બની ગયા છે. વૈચારિક રીતે આવું સ્વાર્થમય જીવન જીવતા હેાવા છતાં તે પેાતાને સુસંસ્કૃત કહેવડાવે છે. સંપૂર્ણ પણે આજના યુગ અર્થપ્રધાન યુગ બની ગયા છે.
આપણે સમાજવાદની વાત કરતા થાકતા નથી, પરંતુ સમાજવાદ આપણાથી હજારો જૉજન દૂર ધકેલાઈ ગયા છે. એનું કારણ શહેરી સંસ્કૃતિ છે. - આજથી પચીશ - ત્રીશ વર્ષ પહેલા જ ગામડાએની એ સ્થિતિ હતી કે, સમાજવાદની વાત ક્યારેય તેઓ કરતા નહાતા, એમ છતાં ત્યાંના નાગરિકો સાચા સમાજવાદી હતા. અરસપરસની આફતમાં ઊભા રહેતા. દરેક માણસ બીજાને પાતાને સ્વજન સમજતા અને પોતે સંક્ટ વેઠીને પણ અન્યને ઉપયોગી થતા હતા. તે આજે સ્વપ્નું બની ગયું . એટલે આજની આપણી જીવનપદ્ધતિ બદલાવવા માટે સૂક્ષ્મ રીતે વિચારવાનો સમય પાકી ગયા છે.
આપણે જાગૃત થઈએ-પાપથી ડરીએ-ઈશ્વરના ડર રાખીએ અને સત્યમય જીવન તરફ વળીએ—તે જ સમગ્ર સમાજ તેમ જ જગત સુખી થશે. શાન્તિલાલ ટી. શેઠ
અજ્ઞાત વિજ્ઞાન
જે
ને અમેરિકના આ કલ્ટ સાયન્સના નામે ઓળખે છે. મંડ મૂડીનું નામ જેમાં આગળ પડતું છે. આ વિશે ‘લાઈફ આફ્ટર ડેથ' જેવાં પુસ્તકો પણ લખાયાં છે છતાં તેમાં બૌદ્ધિકો બુદ્ધિ દ્વારા ન સમજી શકે એવું કશું નથી. તેથી ઊલ્ટું સમજવાથી વર્તમાન જીવન સારી રીતે વિતાવી શકવાના ફાયદાઓ પણ છે. સૌને જીવવું ગમે છે. ‘મરવું' કોઈને ગમતું નથી, છતાં સૌ કોઈ સમજે છે કે ‘એક કાળે ' મરવું અનિવાર્ય થઈ પડવાનું છે. છતાં જીવનભર મૃત્યુના ડર જ આપણને સતાવ્યા કરે એ શી રીતે વ્યાજબી ગણાય ? આ ડરપોક લોકોના મનમાંથી મૃત્યુના ડર દૂર કરવાનું બીડું જો કોઈએ ઝડપ્યું હોય તે તે એલ્ટ સાયન્સ.
આ વિજ્ઞાનના અભ્યાસથી સામાન્ય માણસના જીવનમાં પણ એક પ્રકારના સંતેષ, શાંતિ, પવિત્રતા ઈત્યાદિ આવી શકે. જો માનવી જૂઠી મહત્ત્વાંકાંક્ષાઓને ત્યાગ કરે તે તેને કોઈ પણ જાતના અભરખા વિનાની સાચી શાંતિ મળી શકે. આવી શાંતિ મેળવવી એ પ્રત્યેક માનવીના હાથની વાત છે. પોતાની જાતને સારી અને સાચી બાબતમાં કેળવવાને લગતી વાત છે. ઘણાં કુટુંબીએ સ્વજનના મૃત્યુ પછી ‘ભાંગી પડે છે.’ ઘણાં વેપારી, ધંધાર્થીઓ કે ઉદ્યોગપતિએક ‘ધંધામાં લાખાની ખાટ ’ ગયા પછી ‘ગાંડા થઈ જાય છે! આ બધું શું છે? નિયતિમાં શ્રાદ્ધા, ‘ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે જ છે' એ રીતે જો મનને મનાવ્યું હાય તો! અલબત્ત, અઘરું છે, પણ અશકય તે નથી જ.
આ જગતમાં જે કંઈ બને છે તે સમગ્ર ઈશ્વરીય યોજનાન એક ભાગ જ છે. એવી શ્રાદ્ધા કેળવવાથી અકલ્પ્ય રાહત અનુભવી શકાય. અજ્ઞાત વિજ્ઞાનીએ સ્થૂળ શરીર બહાર રહેલાં ‘ઈથર બોડી ’ ની વાત કરે છે. કે જેને આપણે જોઈ શકતાં નથી, પણ સભાન અલ્પ પ્રયત્નથી ઓળખી શકીએ છીએ. ત્રીજા શરીરને એસ્ટ્રલ પ્લેન’ કહે છે. કે જેમાં માનવીની ગુપ્ત સુપ્ત ઈચ્છાઓ, વાસનાઓ
અને સ્વપ્નાંઓ વસતાં હોય છે. કશું ગુપ્ત કે છુપાયેલું નથી. આ
સ્પષ્ટ થશે.
તા. ૧-૩૮૦
અલબત્ત, આ બધી બાબતમાં હકીકતા નીચેના દાખલાઓથી
માન, ઉનાળાની રજાઆમાં – મે વેકેશનમાં મહેમાન થઈને હું પૂર્ણિમા બેનને ત્યાં આવું છું. સાફા ઉપર બેસું છું. ત્યાં આફ ુસ કેરીની સુગંધ આવે છે. નાક દ્વારા મારું આખું શરીર તરબતર થઈ જાય છે. અજ્ઞાત રીતે જ મારી આંખો ચારે તરફ ઘૂમી વળે છે. એક જગ્યાએ ટેબલ નીચે થાડા ઘાંસમાં, કરંડિયામાં મુશ્કેલી કેરીને મારી દ્રષ્ટિ શોધી કાઢે છે. ‘એસ્ટ્રોલ પ્લેન ’માંથી હું ‘ઈશ્વર’ માં આવું છું. કરંડિયાની નજીક જઈ વાંકો વળી એકાદ કરી હાથમાં લઈને હું પૂછું છું : “ પૂર્ણિમા બેન, આ શું ભાવની આવી ” સ - રસ છે. ત્યારે મારું મન – આત્મા તેને ‘મારામાં ’ સમાવવા ઝંખી ઊઠે છે. અલબત્ત, સામાજિક મર્યાદાને કારણે હું કશું કહેતા નથી. પણ નાકે જે સુધ્યું, આખે જે જોયું, હાથે જે સ્પ કે મને જે ઝંખ્યું. આ સમગ્ર પ્રક્રિયાની સુક્ષ્મ અસર તો થઈ જ. આ થઈ અજ્ઞાત વિજ્ઞાનની એક ઝાંખી.
જેમ ઘરનાં કાર્ડિયામાંથી તેમ ઘરની પ્રત્યેક વસ્તુ અને વ્યકિતમાંથી અમુક અદશ્ય કિરણા ફૂટતાં હોય છે, છૂટતાં હાય છે. તેને પેાતાનું વર્તુળ હાય છે. જેમ વસ્તુને પેાતાનું વસ્તુત્ત્વ તેમ વ્યકિતને પોતાનું વ્યકિતત્ત્વ. મહાપુરુષોની પાછળ ચિત્રકારો જે વર્તુળા દોરે છે. તે તેના ‘ઈથર ’ શરીરને નિર્દેશ કરે છે, જ્યારે કોઈ વ્યકિત - મહેમાન માટે ઘરે આવે છે. ત્યારે તે મારું થઈ જાય છે તેનું કારણ પણ તે જ, મે" વસાવેલી બધી જ વસ્તુઓ, મારા સમગ્ર વિચારો, મારો સંસાર તેને મારામાં સમાવી લેવા માટે ઝી ઊઠે છે.
મારે તો સમાજમાં જીવવા માટે બુદ્ધિની જરૂર પડે છે. કર્યાં જવું ને કર્યાં ન જવું? કોની સાથે સંબંધ રાખવા કોની સાથે ન રાખવા? કયા વિચારોથી આકર્ષાળું ને કયા વિચારોથી દૂર રહેવું? શું જોઈએ છે? શું લેવું છે? શું નથી? અને શેના વગર ચાલશે કે નહીં ચાલે ? આ બધા વિચાર - ચિંતનનું પરિણામ છે, આપણું. અત્યારનું વાસ્તવિક જીવન.
હરજીવન થાનકી
ખરુ સ્વરાજ
પોતાનાં નામ મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પાતાની સેવા આપનાર, દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પેાતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉમ્મરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થથાસન એટલે સ્વરાજ... વળી કેટલાક લોકો ઔધકારની લગામ મેળવી લે તેથી નહીં, પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગની સામે થવાની શકિત સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે... બીજા શબ્દોમાં કહું તો સામાન્ય વર્ગને રાજ્યાધિકારીઓને મર્યાદામાં રાખવાની તથા તેમના ઉપર પાતાના અંકુશ રાખવાની શકિતનું પૂરું પૂરું ભાન કરાવવાથી સ્વરાજ મળી શકે તેમ છે.
–ગાંબીજી
આગામી વસત વ્યાખ્યાનમાળા
દર વર્ષની માફક આ વર્ષે પણ તા. ૭–૮–૯–૧૦ એપ્રિલના રોજ, તાતા ઓડીટોરિયમમાં સંઘ દ્વારા વર્ષાંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
G