SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૬-૨-૮૦ બુત જીવન ૧૩ વિ ચા ૨ નું - અને વચારનું બળ સમજવા માટે સહુથી પહેલાં વિચાર એ શું સમજી લઈશું. વચાર એ માણસની માનસિક શકિતની પારાશીશી છે. જે : જેટલી માનસિક શકિત હશે તેના ઘેરાવામાં જે તે વિચાર ચારની શકિત બજારમાં વેચાતી મળતી નથી. વારસામાં ની નથી. વિચારશકિત માણસમાં એની શકિત પ્રમાણે કુદ જ જાગૃત થાય છે. પરશકિત માણસના જન્મની તૈયારી રૂપ ગર્ભાધાન વખતે . જ સુક્ષ્મ બીજ રૂપે મજદ હોય છે. શરીર ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશયમાં શરીર તૈયાર થતાં તેમાં જીવન સંચારમાનવીને બાળક રૂપે જન્મ થાય છે અને જન્મ પછી શરીરના કસિ સાથે તેનામાં સૂક્ષ્મ બીજ રૂપે રહેલી વિચારશકિત પણ એની [ળાએ જ વિકાસ પામે છે. શરીર તથા વિચાર ટાકિતને વિકાસ ને શરીર દ્વારા ભવિષ્યમાં થનારાં કાર્યોને અનુરૂપ થાય છે. તે શરીર દ્વારા ભવિષ્યમાં થનારાં કાર્યો કોણ નક્કી કરે? આ એક ગહન પ્રશ્ન છે, માણસ પોતાની મેળાઓ પેદા થતું નથી કુદરત જ તેને પેદા કરે છે. " ફકત સંતાનપ્રાપ્તિ માટે જ પરસ્પર શરીરને મેળાપ કરતાં 'પતી પણ છાતી ઠોકીને નહિ કહી શકે કે, આ શરીર મેળાપ દ્વારા અમને સંતતિ થશે જ અને થશે તે અમારી મરજી મુજબ પુત્ર અથવા પુત્રી અવતરશે. સંતાનના જન્મનાં કારણ રૂપ શરીરનો મેળાપ કરવા છતાં પણ સંતાન થવું કે ન થવું એ માણસના હાથમાં નથી જો સંતાન થવું કે ન થવું એ જ માણસના હાથની વાત નથી તે પોતાને મનગમનું સંતાન પુત્ર યા પુત્રી થશે એ નક્કી કરવાને સવાલ જ રહેતા નથી. - કુદરતના નિયમ મુજબ ગર્ભાધાન થાય છે અને કુદરતના નિયમ મુજબ જ પુત્ર યા તે પુત્રી અવતરે છે. પુત્ર યા તો પુત્રીના જન્મ સાથે જ તેના જન્મ સમયની જન્મ કુંડલી બની જાય છે. સમર્થ યે તિષી એ જન્મ કુંડલી જોઈ ને જન્મનાર બાળકનું ભવિષ્ય કહી શકે છે. જેવું કે બાળકને સ્વભાવ, બીમારી, લગ્ન, ધંધા, જીવનમાં આવનારી ચઢતી, પડતી, પરદેશગમન આદિ ઘણું જાણી શકાય છે. માણસનું કુંડલી માટેનું ભવિષ્ય. અથવા તો ભવિષ્ય પ્રમાણેની કુંડલી કુદરત કઈ થીઅરી ઉપર નક્કી કરે છે તે વિષયાંતર થતું હોવાથી બાજુમાં રાખીએ. અહીં તે આપણે ફક્ત એટલું જ જાણ્યું કે જન્મનાર વ્યકિત પોતાની મેળાએ પેદા થતી નથી એને રંગ, રૂપ, સ્વભાવ વગેરે અગાઉથી કંઈપણ નક્કી કરી શકતું નથી એ બધું કુદરતી છે. ( આ પ્રમાણે હોવાથી આપણે આગળ સમજયાં તે પ્રમાણે શરીર તથા વિચારશકિતને વિકાસ તે વ્યકિત દ્વારા ભવિષ્યમાં થનારાં કાર્યોને અનુરૂપ કુદરતી રીતે જ થાય છે. હવે તે કુદરતી થનારા વિકાસમાં માણસ પોતે પિતાના માટે શું કરી શકે, અથવા તે તેના વાલી કે ગુરૂજને દ્વારા શું થઈ શકે તેને વિચાર કરીએ. શરીરના કુદરતી વિકાસ સાથે બુદ્ધિને પણ વિકાસ થઈ એક દિવસ માણસમાં તે બુદ્ધિ જ વિચાર શકિતરૂપે દેખાવા લાગે છે, બહાર આવે છે. વિચારશકિત એ એક પ્રકારનું સૂમ માનસીબજ છે. વિચારો બીજ રૂપે સફરે છે અને તેનું ફુલવા ફળવા રૂપી કાર્ય બીજાં સ્થળ બીજોની રીતથી જ થાય છે. જમીનમાં વાવેલું બીજ પાણીને લઈને ફૂલે ફાલે, અંકુર ફૂટે, બીજને નાશ થાય અને પાંદડાંને જન્મ થાય પછી ધીમે ધીમે વધીને ફૂલ્લ ફળ થાય ત્યાં સુધીની પૂર્ણાવસ્થાએ પહોંચે છે. આ બધી જ ક્રિયાઓ કુદરત પતે જ કરે છે. આપણે તે માંહેનું કશું જ કરી શકતા નથી. આપણે તે તે બીજના ફળને તેની પૂરેપૂરા શકિતશાળી રૂપમાં પ્રાપ્ત કરવા તે બીજના વૃક્ષ અગર તે છોડની આજુબાજુમાં ઊગતી ઈતર વનસ્પતિ કે જે, તેને વૃા અગર છોડ માટે નાખેલા ખાતર પાણીમાં ભાગ પડાવી તેની શકિતને ઓછી કરે છે. તેને ઉખેડી નાખી તેને ખાતર પાણીને પૂરેપૂરો લાભ આપણે વાવેલા બીજને જ મળે અને તેને પરિણામે વાવેલા બીજનું ફળ પિતાની પૂરેપૂરી શકિત અને કદમાં બને તેટલું આપણે જરૂરથી કરી શકીએ, કરવું બળ જ જોઈએ. જેવી રીતે સ્થળ બીજનું વાવેતર જમીનમાં થાય છે. તેવી જ રીતે માણસે પોતાની શકિત પ્રમાણે કરેલા વિચારો બીજ રૂપે વાતારણમાં વવાઈ જાય છે. અને તેનું યોરૂપી વૃક્ષમાં રૂપાંતર કુદરત પોતે જ કરે છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી વિચાર કરે કે મારે ડોકટર થવું છે અને તેનું ડોકટર થવું કુદરતને પણ મંજુર છે તે તેને તેના ડોકટર થવાના વિચારબીજને અનુરૂપ વાતાવરણ તથા બુદ્ધિપ્રભા કુદરતી રીતે જ મળવા લાગશે અને તે એક પછી એક ધારણ પાસ કરતે કરતે એક દિવસ ડોક્ટર બની જશે. હવે આ ડોકટર થવાના વિચારબીજને પુષ્ટ કરવા તથા વિદ્યાર્થી પોતાની શકિત પ્રમાણેને પૂરેપૂરો ડોકટર બને તેને માટે વિદ્યાર્થીનાં ગુરુ, જને, વાલીઓ, તથા વિદ્યાર્થી પોતે શું કરી શકે તે જોઈએ. ડોકટર બનવા રૂપી વાવેલા બીજની આરપાર (આપણે વનસ્પતિ બીજને માટે સમજી ગયા તે પ્રમાણે) ખાવા-પીવાનદરવા ફરવા તથા એવા અન્ય શેખે રૂપી ઈતર વનસ્પતિને દુર કરી અથવા તે તેને જરૂર પુરતા જ સંયમમાં રાખી વિદ્યાર્થીની શકિત તેને વિષયોમાં ટાતી અગર વેડફાતી. રોકી તેને તેની શકિત પ્રમાણેને પૂર્ણ - ડૉકટર બનાવામાં તેનાં ગુરૂજને વાલીઓ અથવા તે વિદ્યાર્થીઓને પણ પોતાની જાતને મદદ કરી શકે. આપણે આગળ જાણ્યું, કે માણસે પોતાની શકિત પ્રમાણે કરેલા વિચારો બીજરૂપે વાતાવરણમાં વવાઈ જાય છે અને તેનું કાર્યરૂપી વૃક્ષમાં રૂપાંતર કુદરત પોતે જ કરે છે તે વાત આપણે ટૅક્ટર થવા રૂપી વિચાર બીજના દાખલાથી સમજ્યા. " વિચારોનું બીજ આપણે આગળ સમજી ગયા તે પ્રમાણે માણસના ગર્ભધાન વખતે જે ગર્ભ બી જમાં જે સુક્ષ્મ બીજ રૂપે હોય છે. તેના સમર્થન માટે આપણે અહીં એક ધખલો લઈશું. ચેરી કરવી એ એક અપરાધ હોવા છતાં ચોરી કરતાં પકડાઈ જતાં લોકો દ્વારા માર પડવાને અથવા તે પોલીસ દ્વારા પકડાઈ જઈ જેલમાં જવાને પૂરેપૂરો સંભવ હોવા છતાં માનવ સમાજમાં અમુક માણસે એવા છે કે જે રીતે જ બધે કરે છે અને બીજો ધંધા જ સુઝતું નથી. ચેરીના ધંધામાં પણ ઘણા પ્રકારો છે. નાની એવી ચેરી ચપાટીથી માંડી મોટી મોટી બેન્કો તથા ધનવાના ખજાનામાં હાથ નાખવા સુધીનો રામાવેશ થાય છે. તે ચાર લોકોનાં પણ જેની જેટલી શકિત હશે તે પ્રમાણેનું તેનું વિચારબીજ હશે અને સહુ પોતપોતાની શકિત પ્રમાણેનું નિશાન નક્કી કરી નાની ચેારી ચપાટીથી માંડી બેન્કો તથા ઈતર ખજાનાઓમાં હાથ નાખવાની જનાઓ વિચારશે. એની સામે માનવ સમાજમાં અમુક માણસો એવા પણ છે કે જેઓને પોલીસને જ ધંધે પ્રિય છે. બીજા કોઈ પણ ધંધામાં તેનું મને લાગતું જ નથી. તેમાં પણ શકિત પ્રમાણના પ્રકારો જ્ઞામાન્ય હવાલદારથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ કમિશ્નર માટે ડીટેકટિવ અથવા તે રાજ્યની મુખ્ય જાસૂસગીરી સુધીને સમાવેશ થાય છે. આ સિદ્ધાંત બધી જ જાતના ધંધા કરતા માનવીઓને લાગુ પડે છે. અને અલગ અલગ જાતનાં વિચાર બીજે કુદરતના એક ખાસ નિયમ દ્વારા માણસના પેદા થવાના બીજમાં અગાઉથી જ સુક્ષ્મ રીતે હોય છે જે શરીરના વધવા સાથે ચોક્કસ જાતના ધંધાની રૂચિ રૂપે પ્રક્ટ થાય છે. માનવ સમાજમાં અનેક પ્રકારના ધંધા છે. જેમાં ઝાડ કાઢવાથી માંડી રાજયકારભાર સંભળવા સુધીના ધંધાને સમાવેશ થઈ જાય છે. જે ધંધા માણસના પેતાના જન્મના સાથે જ કુદરત દ્વારા જ નક્કી થઈ જતા હોય છે. તેનામાં કુદરતે નક્કી કરેલા ધાંધાની જ રુચિ થાય છે. અને વાતાવરણ પણ કુદરતી રીતે જે તે જ ધંધાને લાયક જ મળે છે. ઉપરોકત બધા ધંધાઓમાં પણ નાની મોટી કક્ષાઓ છે. તે આપણે જાણયું તે તે કક્ષાઓની વિચારશકિતનો શ્રોત ક્યાં છે? અને તે તે વ્યકિતની શકિત પ્રમાણે કયાંથી અને કેવી રીતે મળે છે, તે જાણવાની કોશીશ કરશું. વિચારશકિત સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે જે સીધી રીતે જાણી કે અનુભવી શકાતી નથી. પરંતુ વિચારબીજો દ્વારા જાણી તેમ જ અનુભવી શકાય છે. વિચારબીજો અને વિચારશકિતના કાર્યને સમજવા માટે એક ઉદાહરણ લઈશું. વનસ્પતિ વાવવાના કયારામાં પાણી અને
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy