________________
૧૮૬
ખુબ જીવન
શરીર ની
શરીર નાશવંત છે એ હકીકત છે, પરંતુ એ નાશવંત શરીર મારફત જ આપણે સર્વ કાર્યો કરી શકીએ છીએ અને ઊંચી પ્રગતિ સાધી શકીયે છીએ. માટે તેના તરફ દુર્લક્ષ સેવવું અને તેને બિનજરૂરી કષ્ટ આપવું એ કદી પણ ઈચ્છવા જેવું નથી. વૈરાગ્યના ખાટા ખ્યાલાથી પ્રેરાઈ અનેક લોકો શરીરને પારાવાર કષ્ટ દે છે અને આવા દમનમાં તેઓ પેાતાના આત્માનો ઉદ્ધાર માને છે; પરંતુ આત્માની ઓળખ માટે શરીરને કષ્ટ દેવાનું જરા પણ જરૂરી નથી. એમાં ત જીવન પ્રત્યેના સાચા અભિગમ કેળવવાની જરૂર છે તથા અંદરની શુદ્ધિ વધારવાની છે. સમજણ વગર કરેલી કઠોર વ્રત–તપસ્યા અને જેને ખરા અર્થમાં લાંઘણ કહી શકાય એવા ઉપવાસા જીવનમાં કશું જ નક્કર પરિણામ લાવી શકતાં નથી એ આપણે સંખ્યાબંધ માણસાની બાબતમાં જોઈએ છીએ. શરીરને આ રીતે પીડા આપ વાનો કોઈ અર્થ નથી. જેમ અતિ લાડકોડ દેહને નુકસાનકારક છે તેમ બિનજરૂરી દેહદમન પણ એટલું જ નુકસાનકારક છે. લાંબા ભૂતકાળની વાત કરું તો બીજાનું જોઈ એકવાર મને ઉપવાસ કરવાની ધૂન લાગી અને પર્યુષણમાં મે છઠ્ઠ, અઠ્ઠમ (બે ઉપવાસ, વચ્ચે એક દિવસ પારણુ અને ત્યાર બાદ ત્રણ ઉપવાસ) કર્યા, પરંતુ આ ગાળા મે કેવા કષ્ટ અને અજપાથી પસાર કર્યા તે આજે પણ મને યાદ છે; ત્યાર પછી તો સમજણ વધતાં શરીરને આ રીતે વગર વિચાર્યું કષ્ટ આપવાની વાત જ છોડી દીધી. ખાવું એ શું ગુને છે? શરીરનો ધર્મ છે તે તેને પ્રમાણસર આહાર મળવા જોઈએ. ઊલટાનું શકિત ન હોય અને લાંઘણા ખેંચવાથી મન વધુ બેચેની ભાગવે છે અને બેચેન અવસ્થામાં આપણે કશું જ સ્વસ્થતાથી કરી શકતા નથી. ઘણાને ઉપવાસ દરમ્યાન ખૂબ નબળાઈ લાગે છે, માથું દુ:ખે છે, ઉલટી થાય છે, રાતના નિદ્રા આવતી નથી અને કોઈવાર તે ડોક્ટરને બાલાવી ઈન્જેક્શન પણ લેવાં પડે છે. આટલી બધી હેરાનગતિ ભાગવવી અને શરીરને નાહકની પીડા આપવી એ કરતાં પ્રમાણસર ખોરાક નિયમિત લઈ શરીર, મનની તંદુરસ્તી જાળવવી અને સમતાથી બધાં કાર્યો કરવાં એમાં શું ધર્મ નથી સચવાતો? વગર સમજ્યે કેવળ દેખાદેખીથી ઉપવાસ કરનારા મોટી સંખ્યાના લોકો વિષે સાચેસાચ કહેવું હોય તો એમ જરૂર કહી શકાય તેમ છે કે તેઓ ઉપવાસ કરે છે. કરે છે ત્યારે ઉપવાસ કરે છે અને ખાય છે, ત્યારે બેપરવા બનીને ખાય છે. આવી સ્થિતિમાં નથી સ્વાદ વિષેની અનાસકિત કેળવાઈ શકતી કે નથી આરોગ્યની યોગ્ય રક્ષા થઈ શકતી. છતાં પણ આવા લોકોને ધાર્મિક વૃતિના ગણવામાં આવે છે કે કારણ કે, આપણને દેહકષ્ટમાં જ ધર્મ દેખાય છે. લાંબા દિવસેાના ઉપવાસ કરનારની કેટલી તે! વાહ વાહ બાલાય છે અને તેમનું કેવું માન સન્માન થાય છે એ આપણાથી કાંઈ અજાણ્યું નથી. આવા ઉપવાસ ને વ્રત, નિયમોથી શું ફાયદો ? એની પાછળ સાચી દષ્ટિ કામ કરે અને જીવનમાં પરિવર્તન આવે તેમ જ તેનું જે ખરું માહાત્મ્ય છે તે સચવાય છે. નહીંતર એ બધી નરી દેહકષ્ટની પ્રવૃતિ સિવાય બીજું કશું જ નથી. જે શરીર આપણું કિંમતી સાધન છે તેને આમ વિનાકારણ હેરાન કરવાની ખરી રીતે તા કશી જ જરૂર નથી.
ઊંઘ, આરામ, શ્રમ, ખાનપાન વગેરે ટેવા અને રહેણીકરણીમાં અનિયમિત બનીને પણ આપણે હાથે કરીને શરીર બગાડીએ છીએ. ડાયાબીટીસનું દરદ હોય તો મીઠાઈના માહ છેાડવા જ રહ્યો. ઉજાગરા ન ફાવતા હોય તો મોડી રાતના મનોરંજન, આનંદપ્રમાદ અને બીજા જલસાઓને નકારવા જ રહ્યા. પાચનક્રિયા મંદ હોય તા તળેલું, ભારે, વાયડું વગેરે બંધ કરવું જ જોઈએ. શરીરમાં અણધારી પણ ઘણી ફરિયાદો ઊભી થાય છે, પરંતુ આપણી ટેવામાં થોડા કાળજીવાળા અને નિયમિત બનવાથી ઘણી બીમારીઓને આપણે રોકી શકીએ છીએ અને એ રીતે શરીરને કાર્યક્ષમ રાખી શકીએ છીએ.
રીતરિવાજો અને વ્યવહારો સાચવવાના જડ ખ્યાલો પણ આપણા શરીરને બગાડવામાં ફાળા આપે છે. વિજ્ઞાનના આ જમાનામાં આપણે વસીએ છીએ, છતાંય લગ્ન જેવા અવસર વખતે એકમેકના મોંમાં મીઠાઈના ટુકડા પરાણે ઠાંસવાની રીત હજી આપણે છોડી શકયા નથી. પાચનતંત્રને પણ પોતાની મર્યાદા છે, છતાં ચ
૧-૨-૮૦
મ હ ત્તા
લગ્ન વખતે વરકન્યા બંને પક્ષા તરફથી મળીને ઉપરાઉપર જમણ યોજાય છે અને તેમાં આપણે હોંશથી ભાગ લઈએ છીએ. દેખીતી વાત છે કે રાજ ઉપરાઉપર ભારે ખાવાથી આપણા આરોગ્યને હાનિ પહોંચે છે, પણ રિવાજોની જડતા એવી છે કે, એમાંથી આપણે છૂટી શકતા નથી. લગ્નગાળામાં ઉપરાઉપર જમણ જમીને પોતાની બિયત બગડી હતી. એવા એક સંબંધી બહેને એકવાર મને કહ્યું: ‘શું થાય! વ્યવહારો સાચવવા તો જવું જ પડેને ન જઈએ ત સગાં સ્નેહીઓને ખાટું લાગે, “આવી વાત થાડા ઘણા લોકોની બાબતમાં નથી; સંખ્યાબંધ માણસા રિવાજો અને વ્યવહારોની ગુલામીમાં સપડાઈ પેાતાનું અનેક રીતે નુકસાશાન કરે છે. માનવ સંબંધાની જાળવણી અને વિકાસ માટે લગ્ન, મરણ, સાદડી, માંદગી તથા બીજા અનેક પ્રસંગ અવસર વખતે આપણે એકમેકને ત્યાં હાજરી આપીએ એની ઘણી અગત્ય છે, પરંતુ આ બાબતમાં કઈ મરીને માળવા લેવાતો નથી. આપણા શરીરને માફક ન આવતું હોય તે થેાડું જતું પણ કરવું પડે છે, કારણકે શરીર બગડે છે ત્યારે આપણે અને આપણા કુટુંબીજનોને આખરે તો સહન કરવું પડે છે. અસ્વસ્થ શરીરથી આપણે કોઈ કામ સારી રીતે કરી શકતા નથી. શરીર આપણુ માધ્યમ છે, એના વડે જ આપણે જીવન જીવીએ છીએ. તે આ જીવન સારી રીતે જીવાય એ માટે શરીરની યોગ્ય જાળવણી ઘણી જરૂરી છે. રિવાજો અને વ્યવહારોની એટલી ગુલામી ન જોઈએ કે તે આપણા શરીરને બગાડે.
શારીરિક ફરિયાદો માટે આજનું વિજ્ઞાન આપણી માનસિક સ્થિતિને પણ ખાસ જવાબદાર ગણે છે. મન પર પડતા આધાત પ્રત્યાઘાતોની અસર આપણા શરીર પર પડયા સિવાય રહેતી નથી. રામાંથી બચવા મનને સ્વસ્થ રાખવાની કોશિશ જેટલી કરી શકાય તેટલી આપણે જ કરવી રહી. આપણા સ્વભાવને કોઈ બદલી શકતું નથી. આપણે પોતે જ પ્રયત્ન કરવો પડે છે. નિર્મળ અને સાત્વિક મનોદશા રાખીને આપણે શરીરની કામગીરીને વ્યવસ્થિત રાખી શકીએ છીએ. ક્રોધ, ઉદ્ગગ, ચિંતા, દ્વેષ, ઉર્જા વગેરે અવગુણાથી જેટલા છૂટાય તેટલું આપણા હિતમાં છે. સ્વસ્થ મનોદશા હોય તે શરીર ઘણું કામ આપે છે.
આખરે આ શરીર
વિચાર કરીએ તા એ પંચમહાભૂતન બનેલા નશ્વર પિંડ છે. જેના એક દિવસ રોગ, ઘડપણ વગેરે યાતનાથી ઘસાઈને નાશ થવાનો છે, પરંતુ એ નાશવંત શરીર મારફત આપણામાં રહેલી ઊંચી શકિતઓ સાકાર થાય છે અને એ શરીર મારફત જ આપણે અનેક સુંદર ઉપયોગી કાર્યો કરી સાર્થક જીવન જીવી શકીએ છીએ, માટે તેની ઉપેક્ષા ન કરતાં યોગ્ય કાળજી લેવી જરૂરી છે.
શારદાબેન બાબુભાઈ શાહે
શ્રી કમલબહેન પીસપાટીને અભિન’દન
શ્રી કમલબહેન પીસપાટી સંઘ કાર્યવાહક સમિતિના સભ્ય છે અને પ્રેમળજ્યોતિની પ્રવૃત્તિમાંથી નીબહેન સાથેના સક્રિય કાર્યકર છે. તેઓએ રત્ન ચિંતામણી સ્કૂલમાં પણ ઘણાં બધાં વર્ષો સુધી સુંદર સેવા આપી અન્ય સંરથામાં પણ તે સેવા આપી રહ્યા છે. તેમની સેવાઓની કદરરૂપે મહારાષ્ટ્ર સરકારે તેમને એસ. આઈ. આયની માદ પદવી આપી છે તે આપણા માટે ગૌરવને વિષય છે. સંઘ વતી તેમને અભિનંદન આપતા અમે આનંદ અનુભવીએ છીએ મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ
8