SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ * પ્રબુદ્ધ જીવન શ્રમણી વિદ્યાપીઠ મુંબઈ, ઘાટકોપરમાં આઠ વર્ષથી સ્થાનકવાસી મહાસંઘ તરફથી શ્રમણી વિદ્યાપીઠ ચાલે છે. સાધ્વીજીઓ અને દીક્ષાર્થી બહેન અભ્યાસ કરે છે. પાંચ વર્ષનો અભ્યાસક્રમ છે. વિદ્વાન પંડિતે મારફત શિક્ષણ અપાય છે. જૈન દર્શનના બધા અંગો, તે સાથે હિન્દી તથા અંગ્રેજીનો અભ્યાસ કરાવાય છે. સ્થાનકવાસી સમાજમાં સાધુઓ કરતાં સાધ્વીજીઓની સંખ્યા ઘણી વધારે છે. કેટલાક વિદ્વાન અને પ્રભાવશાળી સાધ્વીજીઓ છે. બીજા મોટી સંખ્યાનાં સાધ્વીજીઓને આવા અભ્યાસની જરૂર હતી એટલે શ્રમણી વિદ્યાપીઠ શરૂ કર્યું. આઠ વર્ષમાં સંખ્યાબંધ સાઘ્વીજીઓ અને દીક્ષાર્થી બહેને વિદ્યાપીઠમાં અભ્યાસ કરી જ્ઞાનપ્રાપ્તિ કરી છે. જેને ગુરુપદે સ્થાપવા છે તેમનામાં શાન હોવું આવશ્યક છે. આપણે દીક્ષા દેવા જેટલા ઇ તેજાર છીએ તેના પ્રમાણમાં દીક્ષાર્થીની યોગ્યતાના વિચાર કરતા નથી. માત્ર વેશપલટો કરવાથી ગુરુપદ પ્રાપ્ત થતું નથી. આપણી દઢ માન્યતા છે કે ગુરૂવિના જ્ઞાન નથી. અહીં શાનના અર્થ આત્મજ્ઞાન છે, ભૌતિક જ્ઞાન નહિ. ભગવાન મહાવીરે કહ્યું છે. પઢમમ નાણમ તવા દયા, પહેલા શાન પછી દયા. એટલે કે સાચું જ્ઞાન ન હોય ત સાચી સંભવતી નથી. ધર્મના બીજો અર્થ દયા છે. એનો મર્મ સમજવા જ્ઞાન આવશ્યક છે. દયા આપણે વેશ અને બાહ્ય ક્રિયાને વધારે મહત્ત્વ આપીએ છીએ. જ્ઞાન વિનાની ક્રિયા માત્ર જડ ક્રિયા બની રહે છે. ભગવાને કહ્યું છે, જ્ઞાનક્રિયામ્યામ માલા; જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ. જડ ક્રિયા અથવા શુષ્ક જ્ઞાન બન્ને નિષ્ફળ છે, જૈન સમાજમાં સાધુ સાધ્વીઓ પ્રત્યે અનહદ આદર અને ભકિત છે. દરેંક ધર્મમાં ધર્મગુરુ પ્રત્યે શ્રદ્ધા ભકિત હોય છે. જૈન સમાજમાં સવિશેષ છે કારણ કે, જૈન સાધુ સાધ્વીઓનો ત્યાગ અને વૈરાગ્ય અનુપમ છે. ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પૂર્વે જૈન મુનિ માટે આચાર ધર્મ ઘડયો તે હજી જળવાઈ રહ્યો છે. પણ તેમાં શાનની ઘણી ઊણપ આવી છે. એક સમય હતો કે, જ્યારે ગુરુ પેાતાના શિષ્યોને જ્ઞાન આપતા. હવે સમય બદલાયો છે. દીક્ષા આપતા પહેલાં, શાનનો પાયો બંધાય તે જરૂરનું છે. દીક્ષા પછી પણ શાનની ઉપાસના જીવન ભર ચાલુ રહે છે. રહેવી જોઈએ. જૈન સાધુ - સાધ્વીઓને માત્ર જૈન દર્શન કે આગમાનું જ શાન હોય તે પર્યાપ્ત નથી. અન્ય ભારતીય દર્શને અને દુનિયાના બીજા ધર્મ તથા વર્તમાન વિચાર પ્રવાહોથી તેઓ પરિચિત હોય તે જરૂરનું છે. અંતે તે ધર્મ જીવનના બધા વ્યવહારમાં માર્ગદર્શક ભામિયા બનવા જોઈએ અને તો જ ધર્મની સાર્થકતા છે. તેથી વર્તમાન જીવનની સમશ્યાઓ અને તેને પહોંચી વળવાના ઉપાયની ઊંડી સમજણ ન હોય તે ધર્મના ઉપદેશ અસરકારક અથવા જીવનમાં ઉપયોગી બનતો નથી. ધર્મ અને વ્યવહારને તદન જુદા પાડી દઈ, ધર્મની આદર્શ વાત જ કરીએ તે સાંભળવામાં સારી લાગે, પણ વર્તનમાં ઊતરતી નથી. આ દષ્ટિએ આપણા મુનિઓ અને સાધ્વીઓ સાચા અર્થમાં ધર્મગુરુ - જીવનના માર્ગદર્શક ભાયિમા - બને એમ ઈચ્છતા હાઈએ તો તેમને આ બધું જ્ઞાન જેટલા વિશાળ પ્રમાણમાં હશે તેટલે દરજજે તે સાર્થક થશે. શ્રમણી વિદ્યાપીઠની કાંઈક આવી કલ્પના છે. સાધુઓ માટે પણ એવી વિદ્યાપીઠની એટલી જ જરૂર છે. ખરી રીતે, એ નિયમ હાવા જોઈએ કે, દીક્ષા લેતા કે આપતા પહેલાં, ઓછામાં ઓછા અમુક અભ્યાસ હોવા જોઈએ. જૈન સમાજે આ દિશામાં દુર્લક્ષ સેવ્યું છે. સ્થાનકવાસી સમાજની શ્રમણી વિદ્યાપીઠ મુંબઈમાં ૮ વર્ષથી ચાલે છે. પણ ઘણા સાધ્વીએ અને દીક્ષાર્થી બહેના મુંબઈ આવી શકતા નથી. કચ્છમાં સ્થાનકવાસી સાધ્વીઓ અને દીક્ષાર્થી બહેનોની માટી સાંખ્યા છે. તેથી કચ્છી ભાઈઓએ આવી એક શ્રમણી વિદ્યાપીઠ કચ્છમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેનું ઉદઘાટન કરવા ૨૨ મી જાનેવારીએ હું કચ્છ ગયો હતો. લોકોમાં ઘણા ઉત્સાહ હતા અને હજારોની સંખ્યામાં ભાઈ- બહેનો હાજર હતા. સાધ્વીજીઓ ૧૦૦ જેટલા સંમેલનમાં હાજર હતા. તેમનામાં પણ ઉત્સાહ હતા અને શ્રમણી વિદ્યાપીઠને આવકાર આપ્યો. કચ્છી ભાઈઓએ હાલ તે માટે પાંચ લાખ રૂપિયા એકઠા કર્યા છે. કચ્છમાં તા. ૧૨-૮૦ સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ ત્રણ વિભાગ છે. છ કોઢી, આઠ કોટી મોટો પક્ષ અને આઠ કોટી નાના પક્ષ. હું આશા રાખું છું કે આ ત્રણે વિભાગ સાથે મળી કામ કરશે. ખરી રીતે સમગ્ર જૈન સમાજે આવા વિદ્યાપીઠ, સ્થાપવાની જરૂર છે. આ વિદ્યાપીઠોમાં ગ્રહસ્થ પંડિતા લાવવા પડે તેના કરતાં, વિદ્રાન મુનિએ અને સાધ્વીઓ તેમાં અધ્યાપન કરાવે તે વધારે આવકારદાયક થાય - સાથે અન્ય વિષયોનું જ્ઞાન આપવા વિદ્વાનો હોય. શ્વે. મૂર્તિપૂજક સમાજમાં, અપવાદ સિવાય, સાધ્વીજીઓ વ્યાખ્યાન વાંચતા નથી અથવા તેમને વાંચવા દેવામાં આવતા નથી, આ બાબત પુનવિચારણા માગે છે, ઘણાં વિદ્રાન સાધ્વીજીઓ હશે અને અનેક ક્ષેત્રાને લાભ આપી શકે. મૂર્તિપૂજક સમાજમાં વિદ્રાન મુનિએ ઘણાં છે. તેમના જ્ઞાનનો લાભ સમસ્ત સમાજને મળે એવું વિચારી શકાય, દિગમ્બર સમાજમાં પંડિતા સારી સંખ્યામાં છે. પણ માટે ભાગે પરંપરાગત જુનવાણી વિચારના હોય છે. તેરાપંથી સમાજમાં આચાર્ય તુલસીઓ તેમના સાધુ-સાધ્વીઓમાં ઘણી સારી શાનની ઉપાસના શરૂ કરી છે અને સારી સંખ્યામાં વિદ્રાન સાધુ - સાધ્વીઓ થયા છે. હવે વિશ્વભારતી સંસ્થા શરૂ કરી છે. જૈન સમાજ સાથે મળી, સૌના સહકારથી કામ કરતા હજુ શીખ્યો નથી. દરેકના ચોકો જુદો છે. ધર્મને જીવનમાં સાચી રીતે ઉતારવા હાય અને ઉગતી પેઢીને ધર્માભિમુખ બનાવવી હોય તો સમગ્ર જૈન સમાજે આ બધી બાબતો ગંભીરપણે વિચારવી પડશે. ૨૭-૧-૮૦ ચીમનલાલ ચકુભાઈ જિજ્ઞાસુના પ્રશ્ન સુ. શ્રી. ચીમનભાઈ, “અનાસક્ત ભાવે સર્જા કરવાથી તેના ફળસ્વરૂપ ગતિ સારી મળતી હાય અને તે જ રસ્તે મુકિત સંભવતી હેય. તે – તે રીતે જીવન જીવનાર વ્યક્તિઓના દાખલામાં પૂજ્ય ગાંધીજી, આલ્બર્ટ સ્વાઈટઝર વિગેરેને ટાંકી શકાય અને જેમને આપણે મુક્તિ પામેલા વા તરીકે ઓળખતા નથી. બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે પ્રભુભકિત, ધ્યાન, આરાધના, પૂજા - પાઠ વગેરે ક્રિયાઓ કરવાથી મુકિત મળે છે અને એ રીતે, આપણા તીર્થંકર ભગવંતા, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેને આપણે મુકિત પામેલા જીવા તરીકે જાણીએ છીએ. તે, મુકિત મેળવવા માટે આ બેમાંથી સાચેા રસ્તે ક્યા? અનાસકતભાવે સત્કર્મો કરવાથી સારાં ફળ અને સારી ગતિ મળે તે દલીલમાં તર્ક રહેલું છે. જ્યારે પ્રભુભક્તિ, ધ્યાન, આરાધના વિગેરે ક્રિયાઓથી મુક્તિની વાતમાં શ્રાદ્ધાની જરૂર છે. તે અહીં શ્રાદ્ધા અને અંધશ્રાદ્ધા વચ્ચેનો તફાવત કેમ જાણી શકાય? ઉપરના પ્રશ્નનો જવાબ મારા જેવા અનેક જિજ્ઞાસુઓને સંતાપ આપશે, તે યોગ્ય કરવા વિનંતિ. ધીરજલાલ ફૂલચંદ ભાઈશ્રી ધીરુભાઈ, તમારા તા. ૨૭/૧૧ નો પત્ર મળ્યા છે. તમે જણાવે છે. તે બે માર્ગમાં વિરોધ નથી. અનાસકત ભાવે સત્કાર્યો કરવામાં ઈશ્વરસમર્પણભાવ સમાયેલા છે. પેાતે નિમીત્તમાત્ર છે એમ માને ત્યારે જ સાચા અનાસકતભાવ આવે. પ્રભુભક્તિ, તપશ્ચર્યા કે આરાધનામાં અંત:ક્ચ્છા, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ વિગેરે ન હોય તે સાચી પ્રભુભકિત નથી. બન્ને માામાર્ગ છે, એકમાં, આત્મકલ્યાણ સાથે લાકકલ્યાણની પ્રવૃત્તિમાં વ્યકિત જૉડાય છે. બીજામાં આત્મકલ્યાણ માટે વધારે નિવૃતિમાગી રહે છે. આત્માર્થ બન્નેમાં છે. કેટલાકને તેમની પ્રકૃતિ પ્રવૃત્તિમાર્ગ પ્રત્યે લઈ જાય છે, કેટલાક નિવૃતિમાર્ગી રહે છે. સામાન્ય માણસ, મેટેભાગે પોતાના સ્વાર્થની પ્રવૃતિમાં રહે છે. તે સાથે પરમાર્થ બને તેટલા વધારે તા આત્મકલ્યાણ થાય. સ્વાર્થ અને પ્રભુભકિત સાથે ટક્તા નથી. ત્યાં પ્રભુભકિતને નામે સ્વાર્થ ઢાંક્વાના પ્રયત્ન હોય છે. વધારે વિચારૉ. લિ. ચીમનલાલ ચકુભાઈ.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy