________________
તા. ૧-૨-૮૦
ઈરાનની સરહદ ઉપર રશિયાએ માટી લશ્કરી જમાવટ કરી છે. ઈરાનમાં પણ કેટલાક પ્રદેશમાં ખૌમેની સામે બળવા છે. ઈરાનને અમેરિકા માટે સદ્ભાવ નથી - આરબ રાજ્યો દ્રિધામાં છે. પશ્ચિમમનાં દેશ, ખાસ કરી, ફ્રાન્સ અને જર્મની, રશિયા સાથેના સંબંધા બગાડવા તૈયાર નથી, તેમને તે વેપાર વધે અને લાભ થાય –રશિયા કહે છે. We know capitalism better. તેમને નૈતિક મૂલ્યા નડતા નથી. કેટલાકના અભિપ્રાય છે કે અફઘાનિસ્તાન સદા રશિયાના વર્ચસમાં રહ્યું છે. It has been in Russian Sphere Of influence ભારતમાં બ્રિટિશ રાજ્ય હતું ત્યારે બ્રટિને બે વખત યુદ્ધો કરી, રશિયાની મહાત્વાકાંક્ષા ઉપર અંકુશ મૂકવા પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી, પેશાવર અટકી ગયા. અત્યારે બન્યું છે તે અકસ્માત નથી. તેમાં વધારે પડતું માની લેવાની જરૂર નથી. ફ્રાન્સ, જર્મની, જાપાન વિગેરે માને છે કે કાર્ટર વધારે પડતા અકળાયા છે. Carter has over-acted. એડવર્ડ કેનેડીએ પણ કાર્ટરની આવીજ ટીકા કરી છે.
બીજો મત એવો છે કે રશિયા ૫૦૦ વર્ષથી સામ્રાજ્યવાદી રહ્યુ છે. ઝાર હોય કે સામ્યવાદી હોય, બન્ને વિસ્તારવાદી છે. યુરોપમાં અને એશિયામાં, પશ્ચિમે અને પૂર્વમાં ઘણા વિસ્તાર કર્યો છે. હવે દક્ષિણમાં આક્રમણ શરૂ કર્યું છે. આ આક્રમણને નહિ રોકિએ તો રશિયાની સત્તા લાલસા દુનિયાને ભરખી જશે. અરધું યુરોપ અને અરધું એશિયા રોકીને બેઠું છે.
અમેરિક્ષમાં આ વરસે પ્રમુખપદની ચૂંટણી છે. તેના પડધા પણ આ બનાવમાં પડતા દેખાય છે. આ ચૂંટણીને અનુલક્ષી ફોર્ટ ખૂબ મક્કમ દેખાવા પ્રયત્ન કર્યો છે. કેનેડી કાર્ટરને ભીડવવા તૈયાર થયા છે. પણ અમેરિકન પ્રજા કાર્ટર સાથે લાગે છે. તેથી અમેરિકામાં તેની પ્રતિષ્ઠા વધી છે. પણ અમેરિકા યુદ્ધ માટે તૈયાર નથી. યુદ્ધ કરે પણ કેવી રીતે ? ચારે તરફ લશ્કર, નૌકાદળ, વાયુદળ ગાઠવ્યા છે. ઈજીપ્તમાં, ટર્કીમાં, એમનમાં, સામાલિયામાં, પાકિસ્તાનમાં અને બીજા અનેક સ્થળોએ.
પ્રબુદ્ધ જીવન
આપણે કયાં ઊભા છીએ ? વીસ દિવસમાં ઈન્દિરા ગાંધીએ પરસ્પર વિરોધી નિવેદન કર્યાં છે. કોઈ પણ રાજ્યમાં વિદેશી દખલગીરી થાય એ અમને માન્ય નથી એવા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. પણ રશિયાએ અફઘાનિસ્તાનમાં દખલગીરી કરી છે એમ નથી કહ્યું. બલ્કે એમ કહ્યું કે, અઘાનિસ્તાનના આમંત્રણથી રશિયન લશ્કર ત્યાં આવ્યું છે અને અફઘાનિસ્તાનની ઈચ્છા હશે ત્યારે પાછું જશે એમ રશિયા કહે છે તે ન માનવાને અમારે કોઈ કારણ નથી. પાકિસ્તાનને મોટા પ્રમાણમાં શસ્રો અપાય છે તેને આપણે સખ્ત વિરોધ કર્યો છે. તેથી ભારતને ભયરૂપ છે એ વાત સાચી છે. અમેરિકા, ચીન અને પાકિસ્તાન ત્રણે આપણી વિરુદ્ધ થાય અને રશિયા એક મિત્ર રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ૧૯૬૨માં ચીની આક્રમણ સમયે અમેરિકાએ આપણને મોટી સહાય કરી હતી. બંગલા દેશના યુદ્ધ વખતે, નિકસન કિસિન્જરને કારણે અમેરિકા આપણુ વિરોધી રહ્યું અને રશિયાની સહાય ન હોત તો આપણે મુસીબતમાં મૂકાત. પરિણામે રશિયા સાથે
મૈત્રીકરારો કર્યા.
પરિસ્થિતિ વિસ્ફોટક છે, પણ યુદ્ધનું જોખમ લેવા કોઈ તૈયાર નથી. અચાનક સળગી ઊઠે તે જુદી વાત છે.
આ સંજોગામાં ૫૦ અમેરિકના બાન તરીકે ઈરાને પકડી રાખ્યા છે તે પ્રશ્ન ગૌણ બન્યા છે.
અત્યારના બનાવામાં સાચા-ખોટાની પ્રશ્ન નથી, સત્તાનો ખેલ છે. સામ્યવાદ અને મૂડીવાદનો પણ રાંઘર્ષ નથી. ચીન અને અમેરિકા એક થયા છે. જે મુખ્ય પાત્રો આમાં ભાગ ભજવી રહ્યા છે, કાર્ટર, બ્રેઝનેવ, ખૌમેની, બીજા દેશના વડાઓ - તેમને પણ ખબર નહિ હોય કે આ બધું ક્યાં જઈ અટકશે. બધા કાળના રમકડા હોય તેમ લાગે છે. નિયતિના ધકેલ્યા ખેલ ખેલે છે. બે વિશ્વયુદ્ધો આવી રીતે જ ફાટી નીકળ્યા હતા. ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો તે મહાવિનાશકારી હશે એ ભય જ સૌને રોકી રહ્યો છે. ચીમનલાલ ચકુભાઈ
૨૭-૧-૮૦
શ્રી કસ્તુરભાઈ
લાલભાઈ
શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈનું ૮૬ વર્ષની પરિપકવ વયે અવસાન થયું. તેમનું જીવન બધી રીતે સફળ હતું. મેાટા ઉદ્યોગપતિ હતા, ખાસ કરી મિલ ઉદ્યોગમાં અગ્રસ્થાને હતા. તેમની વ્યવસ્થાશકિત, વ્યવહારકુશળતા, નિર્ણયશકિત, દ્રઢ મનોબળ વગેરે ગુણોના અનુભવ તેમના પરિચયમાં આવનાર દરેક વ્યકિતને થતો.
જૈન સમાજના તેઓ અગ્રગણ્ય નેતા હતા. તેમનામાં વારસાગત ધાર્મિક સંસ્કારો હતા. આણંદજી કલ્યાણજીથી પેઢીના પ્રમુખ તરીકે
; 72.
૧૮૧
તેમણે શ્વેતામ્બર જૈન તીર્થોની સુંદર સેવા કરી છે. આ બધા તીર્થોના વહીવટ સ્વચ્છ, વ્યવસ્થિત અને આદર્શ બનાવ્યો. તીર્થોમાં યાત્રાળુઓ માટે અનેક સુવિધાઓ કરી, સાચા યાત્રાધામ બનાવ્યા. કસ્તુરભાઈને શીલ્પ-સ્થાપત્યની સારી સમજણ અને અનુભવ હતા. તેનો લાભ તીર્થના જીર્ણોદ્ધારને મળ્યો. જૈન ધર્મમાં તેમની અવિચળ શ્રદ્ધા હતી. અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડોલાજી, સંશેાધનની નમૂનેદાર સંસ્થા છે.
શ્રી કસ્તુરભાઈએ લાખા રૂપિયાના દાન કર્યા છે. અને પોતાના પ્રભાવથી કરોડો રૂપિયાના દાન મેળવી અનેક સંસ્થાઓ રચી છે અને સેવાના કાર્યો કર્યા છે. ગુજરાતમાં રેલ સંકટ આવ્યું ત્યારે સરદારની પ્રેરણાથી તેમણે સુંદર સેવા આપી. ત્યાર પછી, રાષ્ટ્રની દરેક કુદરતી આપત્તિમાં રેલ, દુષ્કાળ, ધરતીકંપ, તેમની શકિતનો અને દાનના દેશને લાભ મળ્યો છે.
મને કસ્તુરભાઈના અંગત પરિચય, ભગવાન મહાવીર નિર્વાણ મહાત્સવ પ્રસંગે થયા અને પાંચ વર્ષ તેમની સાથે કામ કરવાની મને તક મળી. આ મહાન પ્રસંગ દેશ અને દુનિયાભરમાં ભવ્ય રીતે ઉજવાય એ જોવા હું ઉત્સુક હતેા. તેમાં જૈનોના બધા ફિરકાઓના સંપૂર્ણ સહકાર જરૂરી હતો. શ્રી કસ્તુરભાઈની આગેવાની સાંપડે ત સફળ કામ થાય એમ સૌને લાગ્યું. પણ શ્વેતામ્બર, દિગમ્બર વચ્ચે તીર્થોના ઝઘડા એક સદીથી ચાલે છે તેમાં આવા સહકાર અને આગેવાની મેળવવા સહેલું ન હતું. સદ્ ભાગ્યું, તેની પ્રથમ મિટીંગ શ્રી શ્રેયાંસપ્રસાદ જૈનને ત્યાં મળી ત્યારે શ્રી કસ્તુરભાઈ આવ્યા અને નિખાલસતાથી સહકાર આપ્યો અને પ્રમુખપદ સ્વીકાર્યું. શ્રી શાન્તિપ્રસાદ જૈન, શ્રી શ્રેયાંસપ્રસાદ, શ્રી લાલચંદ હીરાચંદ અને અન્ય દિગમ્બર આગેવાનોએ પણ આદરપૂર્વક શ્રી કસ્તુરભાઈની આગેવાનીને સ્વીકારી અને આ મહાન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો. મતભેદોને ભૂલી જઈ એક થઈ કામ કરવાના આ પ્રસંગમાં આગેવાનાનું શાણપણ હતું. મૂર્તિપૂજક સમાજના કેટલાક મુનિઓ અને તેમના અનુયાયીઓનો વિરોધ હતા તેને કારણે શ્રી કસ્તુરભાઈને સારીપેઠે સહન કરવું પડયું પણ તેઓ મક્કમ રહ્યા.
આ પાંચ વર્ષ શ્રી કસ્તુરભાઈના પરિચયમાં હું ઠીક રહ્યો. તેઓ મિતભાષી હતા. પત્રવ્યવહારમાં પણ મુદાસર લખાણ હાય. બહુ ચર્ચા કરવી તેમને પસંદ ન હતી. પોતાના અભિપ્રાય જણાવી દે અને બીજા તે સ્વીકારશે એમ અપેક્ષા રાખે. સ્પષ્ટ વકતાં હતા, કેટલીક વખત ખોટું લાગી જાય એટલી હદે. છતાં, ખુલ્લું મન રાખતા અને બીજાના અભિપ્રાયનો આદર કરતાં, પાંચ વર્ષમાં મતભેદના કોઈ પ્રસંગ આવ્યો ન હતો. મારી એવી છાપ રહી કે શ્રી કસ્તુરભાઈને લેાકસંપર્ક ઓછા હતા. લોકસંપર્ક તેમને બહુ પસંદ પણ ન હતા. છતાં તેમનાં પ્રત્યે લોકોનો આદર હતા, એટલે તેમની આગેવાની સ્વીકારતા. શ્રી કસ્તુરભાઈમાં એક મોટો ગુણ મેં જોયા કે તેઓ એકવચની હતા. એક વખત કહ્યા પછી તેમાં દ્રઢ રહેતા. નિયમિતતાના આગ્રહી હતા. તેમની સાથે કામ કરતાં થોડો સંકોચ રહેતા; અંતર રહેતું. પણ જેનામાં વિશ્વાસ મૂકે તેને કામના પુરો અવકાશ આપતા. સાંપ્રદાયિક ભાવ કેટલેક અંશે હતો પણ મનની ઉદારતા હતી અને વધુ તે વ્યવહારકુશળતા અને ડહાપણ હતું એટલે નિભાવી લેતા.
આ પાંચ વર્ષ દરમ્યાન શ્વેતામ્બર-દિગમ્બર આગેવાનો સારી પેઠે નજીક આવ્યા અને તેથી તીર્થના ઝઘડાનો અંત આવશે એવી આશા બંધાણી, તેને માટે સારા એવા પ્રયત્ન પણ થયા. શ્રી કસ્તુરભાઈ પણ ઇ તેજાર હતા. દુર્ભાગ્યે એ પ્રયત્નોને સફળતા ન મળી. કસ્તુરભાઈ કરી શકત એ બીજા કોઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક આગેવાન કરી શકે એમ લાગતું નથી.
કસ્તુરભાઈ ધાર્મિક બાબતોમાં કેટલેક દરજજે રૂઢિચુસ્ત હતા, છતાં જાગ્રત હતા. સાધુ-સાધ્વીઓના શિથિલાચારથી ચિન્તિત હતા. તેની તપાસ માટે તેમના પ્રમુખપદે સમિતિ નીમાઈ હતી અને ચોંકાવનારી વિગતો તેમની સમક્ષ આવી હતી. પણ દુર્ભાગ્યે, બીજું દબાણ વધારેપડતું આવ્યું અને સમિતિ વિસર્જન કરવી પડી. કસ્તુરભાઈ જેવી સમર્થ વ્યકિત પણ આ બાબતમાં કાંઈ કરી ન શક્યા એ ખેદની વાત છે.
કસ્તુરભાઈના પ્રભાવનું અને તેમની પ્રત્યેના આદરનું મુખ્ય કારણ તેમનું ચારિત્રબળ હતું. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જીવનમાં સાદાઈ અને નીતિમત્તા, ખાનદાની અને સામાજિક જવાબદારીનું તીવ્ર ભાન, તેમના ગુણા હતા. તેમનું જીવન બધી રીતે ધન્ય હતું.
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ વતી અને મારા વતી શ્રી કસ્તુરભાઈને હું શ્રાદ્ધાંજલિ અર્ધું છું.
૨૬-૧-૮૦
ચીમનભાઇ ચકુભાઈ