________________
૧૪૨
પ્રબુદ્ધ જીનન
- તા. ૧૬-૧૨-૮૦
આપે છે કે કૅટલીક વખત સીટ વર્ણન પણ માનવીને કે અભાસ આપી જાય છે,
પિતાને જ સર્વસ્વ માનનારા કિયર કર ગેને કોલેજમાં ગયા પછી ૨૨ વર્ષની ઉંમરે મનની અંદર ભયંકર ધમસાણ ચાલ્યું. પિતા તેને છત્રછાયા હેઠળ ઉછેરીને તેના વ્યકિતત્વને હણે છે તે વાતનો ખ્યાલ આવતાં તેને પિતાની બાબતમાં જબરો મહદંગ થશે. હવે તે ઘરે આવીને જમતા પણ નહિ. ૨૭ વર્ષની ઉંમરે તેનું સગપણ એક સરકારી ઑફિસરની પુત્રી રેજાઈન સાથે થયું. છોકરી સુંદર હતી પણ કિયર કરગની બુદ્ધિમતાવાળ વાતચીતમાં તેને રર નહોતે. ફિલસૂફીની ચર્ચા થાય ત્યારે રેજાઈન બગાસાં ખાતી “વેવિશાળને બીજે જ દિવસે મને લાગ્યું કે મેં મહાન ભૂલ કરી છે. જોકે હું જાઈનને ચાહતો હતો પણ ૨ા લગ્નમાં મારુ મન સમાધાન પામે તેમ નહોતું. અંદરથી મને લાગ્યા કરતું કે મારી લેખનની કારકિર્દીમાં તેને મેળ નહિ ખાય એટલે ત્રીજો મહિને અમે વેવિશાળ તોડી નાખ્યું.” - આ પગલાથી કિયર કર ગની આંતરિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. મેનને ખૂબ મુશ્કેલીથી કાબુમાં લઈને કીયર કર ને ધાર્મિક લેખ લખવા લાગ્યા. તે જમાનામાં તે વેવિશાળ તો તે વાત પણ પ્રતિષ્ઠિત સમાજમાં ખપ લગાડનારી હતી એટલે કિયર કર ગેએ તેનું પ્રથમ પુસ્તક-આયધર–એર (Either/or) લવું. તેમાં પોતાનું ખરૂં નામ લખવાને બદલે “વિકટર એરીમીટા ઉપનામ લખી નાંખે. એરીમીટાને ડેનીશ અર્થ થાય છે ધિ. અને કીયર કર ગેનો અર્થ થાય છે કબ્રસ્તાન આ નામ તેના સ્વભાવને અનુરૂપ હતું કારણ કે હંમેશા કિયર કર ગો સ્મશાનથી થોડે દૂર હોય તેવી ગમગીનીમાં રહેતા હતા.
બાવીશ વર્ષની વયે જ કીયર કર ગે તેમના વિચારોને પાકા કરવા માંડયા હતા. તેના જીવનની ફિલસૂકી ને જો અર્ક મેળવવો હોય તો તેણે તેના મિત્રને લખેલ પત્રમાંથી મળે છે. તેમાં તેણે લખે છે “જીવનમાં જે કોઈ મહત્વની બાબત હોય તે એ છે કે મારું આ અવનીમાં શું કામ નિર્માણ થયું છે અને મારે શું કરવાનું છે. તે માણસે નક્કી કરી લેવું જોઈએ. ખાસ વાત એ છે કે જીવન ભરી માટે સન્ય શેધવી છે અને એ સત્ય મારે માટેનું હોવું જોઈએ એટલે કે મારે એક વિચારને શોધવો જોઈએ, જે વિચાર માટે હું જીવવા અને મરવા તૈયાર થા.” :
કવર કર ગન પછી ફિલસૂફીના વિચારો બહુ અઘરા છે અને તેના વાંચકે બહુ ઓછા હતા પણ ઉપરના પત્રમાં મિત્રને તેણે લ છે તે બહું જ સ્પષ્ટ છે અને સરળ પણ છે. દરેક માનવીએ પોતાને જીવવાનો હેતુ સમજીને ઉજળી રીતે જીવવાને એક રાહ નક્કી કરી લેવો જોઈએ અને પછી રાહે મક્કમ પગલે ચાલીને. તેને માટે પ્રાણાર્પણ કરવાની તૈયારી હોવી જોઈએ આપણે જોઈએ છીએ કે રાહ નક્કી થઈ ગયા પછી આપણે બહુ મક્કમ પગલે ચાલી શકીએ છીએ.
કિયર કર ગેએ નાની ઉંમરે જે આઈધર ઓર નામનું પુસ્તક લઇ તેમાં તેમણે પોતાના ઉપર મુજબના વિચારેને વધુ વિસ્તારથી સમજાવ્યા છે. દરેક માનવી જીવનના ત્રણ વિક૯પે પસંદ કરી
(૧) કાં તો તેણે પિતાને અહમને પોષવાને માટેનું જીવન ગુજારવાનું હોય છે. મેજ મસ્તી અને સુખ શોધવામાં તે પડી જાય છે (૨) બીજા પ્રકારના જીવનમાં માનવી મેજ-મસ્તી શોધે છે પણ તેમાં નૈતિકતા અને અનૈતિકતાને વિચાર કરે છે. આ જીવન સારું છે, (૩) પણ માનવી સંપૂર્ણ રીતે ધાર્મિક જીવન પણ વ્યકિત કરે છે.
ઉપરના સરળ વિચારો રજૂ કર્યા પછી કિયર કારગે કહે છે કે “આ બધી જાતના જીવનની ગુણવત્તે દરેક માનવ જાણે છે પણ ઘણા માણસે જીવનના પ્રવાહમાં અહીં તહીં અથડાયું છે. ઘણી વખત તે થોડા રંગીલ, મેજી અને છેલબટાઉ હોય છે અને નૈતિકતાની ઐસી કી તૈસી કરતા હોય છે અને ઘણી વખત પાછો તે નૈતિકતાને અંચળો ઓઢે છે અને પાછા સાથે સાથે તે ધાર્મિક પણ બને છે. કિયર કર ગો કહે છે કે માનવીએ આ પ્રકારે વિવિધ પ્રકારના જીવનમાં ફંગોળાવાના બદલે એક જ લેવલે જીવવું જોઈએ; પરંતુ તે બાબતને તેને નિર્ણય પોતાની અને ઈશ્વર વરચે છે જોઈએ. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાનું કે સમાજના ડરથી કિંઈ ન કરવું જોઈએ. સત્યની શોધ અંગત બાબત હોવી જોઈએ.
Truth is not something like a mathematical formula but individual. અર્થાત સત્ય એ કોઈ જિવંત પ્રકારના ગણિતના નિયમ જેવ નથી. સત્ય એ દરેક વ્યકિત માટે અલગ અલગ હોઈ શકે. એ જમાનામાં હેગલની ફિલસૂફીની ફેશન ચાલતી રહી હતી. બુદ્ધવાદીઓને જમાનો હતો. પરંતુ ક્યારે કર ગો માનતા કે માનવીના અસ્તિત્વને માત્ર બુદ્ધિથી જ ઓળખી ન શકાય. તે માટે તે માણસે ઘણું ઊંડું જવું પડે. મેદાને પડવું પડે. દરેક જણ માટે એક સત્ય હોનું નથી. કિયર કર ગે પદ્ધતિવાદને ધિક્કારતા હતા. !
“સિસ્ટમેટાઈઝેશનને ધિક્કારું છું અને વ્યકિતત્વવાદને આવકાર, છું. એકદમ જડ વિચારો આપણા પગને બાંધી દે છે. આવા વિચારને ચગદીને જ ચાલવું જોઈએ.” - તે જમાનાના ખ્રિસ્તી પાદરીઓ વિરુદ્ધ બોલવાનું બહુ જોખમકારક હતું. પણ કિયર કર ને કહેતા કે પાદરીઓ પોતે એશ‘આરામનું જીવન જીવવા નિયમ આવકની ચિંતામાં પડયા રહે છે. મરતી વખતે પણ કિયર કર ગોએ પાદરીની હાજરીને નકારી હતી. તેણે મરતી વખતે છેલ્લા શબદો ઉચ્ચાર્યા તે આ હતા –“ધર્મગુરુઓના સકંજામાંથી છૂટે.”
કિયર કરગેએ તેની વિચારશ્રેણીને શબ્દબદ્ધ કરીને ઘણા શબ્દોને પિતાના જ આગવા અર્થ આપ્યા છે. તેમણે ૭ (ભયઆતંક) નામના શબ્દને પોતાને જ અર્થ આપ્યો હતો, પરંતુ કિયર કાર ગે કહેતા કે ભય બાહ્ય વસ્ત] સાથે સંબંધ ધરાવતા નથી. આતંક કે ય એ આંતરિક વસ્તુ છે. જ્યારે માનવી અંદર અને બહારના સંયોગે વચ્ચે ઘેરાય છે અને જ્યારે પિતાના ખરા અસ્તિત્વને તે શોધી કાઢે છે ત્યારે તેને આતંકની લાગણી થાય છે. અને આ ભય તેને’ સતાવે છે; પરંતુ આ ભય થકી જ તે તેના અસ્તિત્વને પીછાણે છે અને સાચે રાહ મેળવે છે. જ્યારે મનમાં અશાંતિની પરાકાષ્ટા પહોંચે છે અને એ અશાંતિમાંથી આતંક પેદા થાય ત્યારે તે આતંકમાંથી શંતિ પેદા થાય છે. કિયર કાર ગેએ તેમની કવિતાઓ દ્વારા માનવીઓને આંતરમુખી થવાની પ્રેરણા આપી હતી. તેઓ કહેતા કે જયારે જગતમાં તેમને બધું જ ગવાયેલું લાગે ત્યારે ઈશ્વરના દર્શન કરવા તમે અંતરમુખી બનો. તમે તમારી પાસે જ જાઓ. તેમની કવિતાની આ પંકિતઓ યુરોપમાં બહુ જ પંકાઈ ગઈ હતી. Turn towards thy inner
self thy glance ! That which perished in
thy world. In thy inner thoughts
thou will find. બહાર જે ખવાઈ ગયું હોય તે અંદરથી જ મળી જાય છે તેવી ખાતરીકિયર કટ ગે લોકોને તેમના લખાણ દ્વારા આપતા હતા. કિયર કર ગોએ એક બીજી રસપ્રદ વાતને ખુલાસો કર્યો છે કે લેખકો પ્રતિભાવૅત બને છે તે સ્ત્રીને કારણે બને છે તેવી એક માન્યતા છે પણ કિયર કર ગોએ સ્પષ્ટ રીતે કહેલું, “કયો કવિ તેની પત્નીની પ્રેરણાથી જ કવિ બન્યો છે? જ્યાં સુધી કોઈ વ્યકિત સ્ત્રીને મેળવી લેતા નથી ત્યાં સુધી તે પ્રેરણા મેળવે છે. જે પ્રેરણા મળે છે તે પણ અંદરની જ હોય છે.
કિયર કર ગના લેખક અને કવિ તરીકેના જીવનમાં સૌથી પીડાદાયક વાત એ હતી કે તેમને મરણ પહેલાં લાગ્યું કે તેની સર્જનશીલતા હવે સુકાઈ ગઈ છે. તે કહેતા કે “લેખન અને કવન એ મારા પ્રાણ છે. તેનાથી હું જીવું છું. હવે મને બહુ ગમગીની થાય છે કે હું બહુ ઓછું લખી શકીશ.” લખવાથી તેઓ ધરાઈ ગયા હોય તેવું નહોતું. પણ તમને અંદરથી પ્રતીતિ થવા માંડેલી કે કવિ તરીકેની તેની સર્જનશીલતામાં ઓટ આવી રહી છે. ઝરણા સુકાઈ ગયાં છે. આ વાતને તેને માટે ભારે પીડાદાયક બની ગઈ તે પ્રખ્યાત બન્યા પછી લેખનને ઘસડવા માગતા નહોતા. તેના જીવનના પાંચ વર્ષમાં તે બહુ લખી શકયા નહિં. અને લખ્યું તે પ્રકાશિત પણ કર્યું નહીં. આ પીડા દરેક વિ અને લેખકને સતાવે છે. પણ એવી સુકાયેલી ઝરણાની પીડા ભોગવ્યા વગર છૂટકો નથી. ધોધમાર સર્જનને આનંદ માણ્યો હોય કે ખળખળતી નદીના પ્રવાહમાં નહાયા હોય તેમણે સુકાયેલી નદીના કાંકરાને માણતા પણ રાખવું જોઈએ,
- કાન્તિ ભટ્ટ