________________
૧૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૮૦
વધુ ખતરનાક છે પ્રદૂષણામાંથી એક એસિડને વરસાદ
લાગી છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભવ્ય ઈમારતોનાં પણ આવા હાલ થઈ રહ્યા છે.
સાથી
ઉદ્યોગે વધતા જતા હોવાથી ધરતી, પ્રાણી અને હવામાં કેવું ભયંકર પ્રદૂષણ ખેલાય છે તેનું હજી આપણને ભાન થયું નથી કારણ કે જાપાન, રશિયા અને પશ્ચિમી દેશના ઉદ્યોગો પાસે આપણા દેશ કોઈ હિસાબમાં નથી, આથી વધુમાં વધુ પ્રદૂષણ પણ એ દેશામાં ફેલાય છે. પ્રદૂષણની આફતનું એક દૃષ્ટાંત લઈએ તા આ ઉદ્યોગપ્રધાન દેશમાં સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રિક એસિડને વરસાદ વરસવા લાગ્યો છે. આથી અમેરિકા અને પશ્ચિમ યુરોપથી માંડીને પૂર્વમાં જાપાન સુધી સરોવરોમાં માછલાં મરવા લાગ્યાં છે અને ડુંગરો તથા ખેતરાઉ જમીનને પણ નુકસાન કરે છે. વરસાદ તે! જીવનદાતા છે, પણ તેજાબવાળા વરસાદ જીવ જગત અને વનસ્પતિ જગત માટે ઘાતક છે, આથી ગયા નવેમ્બરમાં જીનીવામાં ૩૫ દેશોના પ્રતિનિધિઓ મળ્યા હતા અને આ આફતના નિવારણ માટે શું કરવું તેનાં પગલાં વિચાર્યા અને સૌએ સાથે મળીને આ દિશામાં કામ કરવા કરાર કર્યા. પ્રમુખ કાર્યરે તેના વિશે સંશોધન કરવા દસ વર્ષ સુધી વાર્ષિક ૧ કરોડ ડોલર ફાળવ્યા. તેની ઉપરથી તેજાબના વસાદની ગંભીરતાનો ખ્યાલ આવશે. પ્રમુખ કાર્યરે કહ્યું છે કે માનવજાત માટે સૌથી વધુ ભયરૂપ બેપ્રદૂષણ છે: તેલ, કોલસા વગેરે બાળવાના અતિરેકથી હવામાં ઉમેશતા જતા કાર્બન વાયુ અને બીજું પ્રદૂષણ આ એસિડને વરસાદ.
દુનિયામાં લા। કારખાનાં કોલસા બાળે છે. તેમાંથી ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઈડ નીકળે .છે. દુનિયામાં કરોડો મોટર-વાહનો કાર્બન વાયુ ઉપરાંત નાઈટ્રોજન ઓકસાઈડ પણ છેડે છે. આ બંને વાયુઓ વાતાવરણમાં ફેલાઈ જાય છે અને પવનમાં દૂર દૂર ઘસડાઈ જાય છે. વાતાવરણમાં ભેજ હોય તેની સાથે ભળીને તેઓ સલ્ફ્યુરિક એસિડમાં અને નાઈટ્રિક એસિડમાં ફેરવાઈ જાય છે. તે પછી આ અમ્લ વરસાદરૂપે અથવા હિમરૂપે ધરતી પર વરસે છે અને જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તથા તાજમહાલ જેવી ઐતિહાસિક ઈમારતોને પણ નુકસાન કરે છે. (તાજમહાલની ચમક ઓછી થવા માંડી છે અને મથુરા રીફાઈનરી કામ કરતી થઈ જતાં તાજમહાલને વધુ નુકસાન થવાના ભય છે, આથી સરકારે તેનું રક્ષણ કેવી રીતે કરવું તેના માર્ગો સૂચવવા નિષ્ણાતાની એક સમિતિ નીમી છે.)
યુકત વરસાદનું પાણી મીઠા પાણીનાં જળાશયોમાં જવાથી માછલાંની ઈ.ડાં ઉત્પન્ન કરવાની શકિતના ક્ષય થાય છે, આથી જળાશયો માછલી વિનાના થઈ જાય છે. સૂક્ષ્મ જીવાણુઓ હંમેશા સેન્દ્રિય પદાર્થોનું વિસર્જન કરતા હાય તેમના એસિડના વરસાદ "વડે. ડે નાશ થવાથી આ પ્રક્રિયા અટકી જાય છે. પાણીમાં સૂક્ષ્મ તરલ જીવસૃષ્ટિ (પ્લે કટન) ખારાકની પરંપરારૂપ સાંકળમાં સૌથી મહત્ત્વની કડી છે, તેનો નાશ થાય છે. સરોવરનું પાણી સ્વચ્છ અને નીલ લાગે છે, પણ તેમાં જીવસૃષ્ટિ નથી હોતી. અમેરિકામાં સેંકડો સરોવરોમાં આ રીતે માછલાનો નાશ થયો છે અને થાય છે. હવે વિજ્ઞાનીઓને 'ભય છે કે માણસના વારો આવી ગયો છે.
પ્રદૂષણમાં એક યા બીજા સ્વરૂપે પારો પણ ફેલાઈ રહ્યો છે. જયારે તે અમ્લયુકત પાણીમાં જાય છે ત્યારે તે મેથિલ મરકયુરીના રૂપમાં ફેરવાઈ જાય છે. એ સ્વરૂપે તે માછલીના પેટમાં જાય છે અને આવા પ્રદૂષિત માછલાં ખાનાર માણસા માટે તા પારો એક ‘ખતરનાક ઝેર છે.
સ્કેન્ડિનેવિયા (નેવે, સ્વીડન અને ફિલૅન્ડ)ના વિજ્ઞાનીઓએ કે જાહેર કર્યું છે કે એસિડવાળા રવરસાદના કારણે જંગલના વિકાસના ૧૫ ટકા ઘટાડો થયો છે. જંગયલનાં વૃક્ષો બાંધકામ માટેનું લાકડું અને રેયન માટે માવા આપે છે.
યુરોપ-અમેરિકા આરસ અને કાંસાની તેમ જ ચૂનાના પથ્થરની પ્રતિમાઓ માટે પ્રખ્યાત છે. તે એસિડવાળા વરસાદી ખવાવા
આપણી નજીકના વાતાવરણમાં ધુમાડારૂપી પ્રદૂષણ ફેલાતું અટકાવવા હવે બધા દેશેા કારખાનાનાં ભૂંગળા ઊંચા રાખવાનું સૂચવે છે. મથુરા રિફાઇનરી માટે પણ નિષ્ણાતે એ એવું સૂચન કર્યું છે તેથી સલ્ફર ડાયોકસાઈડવાળા ધુમાડા દૂર દૂર ઊડી જાય છે, પરંતુ તેથી તેમને હવાના ભેજ સાથે ભળીને એસિડ બનાવવાના વધુ સમય મળે છે. કેનેડામાં ઓન્ટેરિયો રાજ્યમાં સડબરી ખાતે દુનિયાનું સૌથી ઊંચું ભૂંગળ ૧૨૫૦ ફટ્ ઊંચું છે. ત્યાં તાંબાના ખનિજને અગ્નિ વડે પીગાળીને શુદ્ધ તાંબુ કાઢવામાં આવે છે. દુનિયામાં જેટલાં કારખાનામાં તેથી. તેમ જ ધૂખતા જવાળામુખીઓમાંથી જેટલા સલ્ફર ડાયાફ્સાઈડ નીકળે છે તેનો એક ટકો આ એક જ કારખાનું કાઢે છે. શિયાળામાં પવન ઉત્તરના હોય ત્યારે કેનેડાના ઉદ્યોગે દર વર્ષે અમેરિકામાં પાંચ લાખ ટન પ્રદુષણ મોકલે છે; પરંતુ પવન જ્યારે દક્ષિણમાંથી વાત હોય ત્યારે અમેરિકાના ઉદ્યોગા કનેડાને ૨૦ લાખ ટન પ્રદૂષણ આપે છે. મુખ્યત્વે તે ઓહાઈયા નદીના ખીણપ્રદેશના ઉદ્યોગમાંથી આવે છે. એસિડયુકત વરસાદ વરસાવવામાં આ ઉદ્યોગાના પણ ઘણા મોટો ફાળા છે.
યુરોપમાં સ્કેન્ડિનેવિયાના વિજ્ઞાનીઓ કહે છે કે અમારા ઉપર પશ્ચિમ જર્મની અને બ્રિટનના ઉદ્યોગો પ્રદુષણના જાણે મારો કરી રહ્યા છે. આ પ્રદુષણ વિગ્રહમાં વાપરવાના ઝેરી રસાયણે જેવું છે. ફ્રાન્સ અને પશ્ચિમ જર્મની આવી રીતે પ્રદૂષણના વિનિમય કરી રહ્યાં છે.
પ્રદૂષણનું નિવારણ કરવામાં કુદરત પણ થ્રેડો ફાળા આપે છે. ધરતી અને ખડકો આલ્કલાઈન હેાય તે વરસાદમાં પડેલા એસિડને નિષ્ક્રિય બનાવી દે છે. આથી માણસ પણ ધરતી અને સરોવરોની સપાટી પર જૂના પાથરે છે, પરંતુ આ બચાવ ખર્ચાળ છે અને તેની અસર કાયમ રહેતી નથી. એક વધુ સારો ઉપાય કારખાનામાંથી ધુમાડા હવામાં જ્યું તે પહેલાં તેમાંથી સલ્ફર ડાયાકસાઈડ ખેંચી લેવા. આ રીતે ૯૦ ટકા સલ્ફર ડાયાકસાઈડ ઓછે કરી શકાય. પરંતુ ધુમાડાના આ શુદ્ધિકરણ માટે ભારે ખર્ચ કરવા પડશે, દા.ત. યુનાઈટેડ સ્ટેટસ ઉત્તર ભારતમાં સલ્ફર ડાયૅકસાઈનું પ્રમાણ ૫૦ ટકા ઘટાડનું હેય તા પણ દર વર્ષે ૭ અબજ ડોલરના ખર્ચ કરવા પડશે. તેમ છતાં આ પ્રશ્ન એટલા ગંભીર છે કે ઘણુ મોડુ થાય તે પહેલાં આ પ્રદૂષણ ઉપર અંક મૂકવા જોઈશે.
હવે જ્યારે ખનિજ તેલ અતિ મોંધુ થઈ જવાથી જગત બળતણના રાજા કોલસાને તેનું યાગ્ય સ્થાન આપવા તરફ ઢળ્યું છે ત્યારે સલ્ફર ડાયાકસાઈડનું પ્રદૂષણ વધુ ને વધુ ફેલાતું જશે. ખનિજ તેલા બાળવાથી પણ સલ્ફર ડાયાકસાઈડ ફેલાય છે. એકલું અમેરિકા રોજ લગભગ ૧ કરોડ પીપ તેલ બાળે છે ત્યારે આખી દુનિયામાં કેટલા કોલસા અને કેટલું તેલ બળતાં હશે?
– વિજયગુપ્ત મૌય
પ્રેમળ જ્યાતિ ☆
. શુદ્ધ જીવનના આ પહેલાંના અંકમાં દશ મહિનાની બાળકી નામે કાનન, માટે લખવામાં આવ્યું હતું. કુલીઝ એનિમિયાથી પીડાતી આ બાળકી માટે રકતદાનની અપીલ કરવામાં આવી હતી. ` સ્મૃતિ `કલબની (પાલનપુર) દશ બેનેએ કાંદાવાડી જૈન કલીનિકમાં આવી બાળકી માટે રકતદાન કર્યું છે. પ્રેમળ જ્યોતિ તેમને આવકારે છે અને અભિનંદન આપે છે.